________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬
અનુભવ પ્રકાશ
ઇન્દ્રજાલમાં આ તમાશાને સાચો જાણે છે, વિકલતા ધારણ કરી કોઈવાર કોઈના વિયોગથી રડે છે, (તથા) દુઃખી બની છાતી કૂટે છે. કોઈવાર કોઈનો લાભ માની ખુશી થાય છે, કોઈવાર શૃંગાર સજે છે, કોઈ વા૨ ફોજ દેખે છે, કોઈવાર મોજ માણે છે. એવી રીતે જૂઠનો તમાશો સાચો માની રહ્યો છે. સંસારમાં બધાં કહે છે કે ઇન્દ્રજાલ જૂઠી છે, એમાં પંચ પણ સાચું નથી. એજ પ્રમાણે દેવ, નર, નાક, તિર્યંચના શરીર જડ છે, (તેમાં) ચેતનનો અંશ નથી, ભ્રમથી (તેને) શૃંગારે છે, ખાનપાનથી ધૂપેલ તેલ લગાડવા આદિથી (તેનું) અનેક રીતે જતન કરે છે. જૂઠમાં જ મોજ માણી હરખાય છે. મરેલાની સાથે જીવતાની સગાઈ કર્યે, કાર્ય કેવી રીતે સુધરે ?
જેવી રીતે શ્વાન હાડકાંને ચાવે, (અને તેથી તેના ગાલ, તાલુ, પેઢામાંથી લોહી નીકળે તેને જાણે કે સારો સ્વાદ છે, તેમ મૂઢ પોતે દુ:ખમાં સુખની કલ્પના કરે છે. ૫૨ણંદમાં સુખકંદ-સુખ માને છે. અગ્નિની જાળ શ૨ી૨માં લાગે ત્યારે કહે કે મારામાં જ્યોતિનો પ્રવેશ થાય છે. જો કોઈ અગ્નિની ઝાળને બુઝાવે છે તો તેની સાથે લડે. એવી રીતે ૫૨માં ૫૨ના દુ:ખસંયોગને બુઝાવે તો તેને શત્રુના જેવી નજરે ાએ, ક્રોધ કરે. આ ૫૨જોગમાં ભોગ માની (આ જીવ) ભૂલ્યો, સ્વરસની ભાવનાને યાદ કરતો નથી. ચોરાશીમાં ૫૨વસ્તુને સ્વ ( પોતારૂપ ) માને તેથી (આ જીવ ) ચિદંકાલનો ચોર જ બન્યો છે. જન્માદિ દુઃખ-દંડ પામે છે. તો
૧.
જૈસે કોઈ કૂકર છૂંધિત સૂકે હાડ ચાવૈ, હાનિકી કોર ચહું ઔર ચુĂ મુખમૈ; ગાલ, તાલુ, રસના, મસૂઢનિકૌ માંસ ટૈ, ચાટે નિજ રુધિર મગન સ્વાદ-સુખમેં. તૈસ મૂઢ વિષયી પુરુષ રતિ-રીતિ ઠાનૈ, તામૈં ચિત્ત સારૈ હિત માનીે, ખેદ દુખમઁ, દેખૈ પરતચ્છ બલ-હાનિ-મલ-મૃત-ખાનિ ગજ્જૈ
ન ગિલાને પમ્પિંગ રહે રાગ-રુખમેં. ૩૦
- નાટક સમયસાર બંધા૨.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com