________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
૨૩ નિશ્ચય મોક્ષમાર્ગ બે પ્રકારે છે-સવિકલ્પ તથા નિર્વિકલ્પ. સવિકલ્પમાં “ગ૬ બ્રહ્મ
રિઝ્મ' હું બ્રહ્મ છું- એવો ભાવ આવે. (અને) નિર્વિકલ્પ વીતરાગ સ્વસંવેદના (ને) –સમાધિ કહીએ. લોકાલોકને જાણવાની શક્તિ જ્ઞાનની છે, તેમાં જેટલું સ્વસંવેદન થયુ (તેટલું) જ્ઞાનની વિશુદ્ધતાનો અંશ થયે થયું. તે જ્ઞાને સર્વજ્ઞ શક્તિમાં અનુભવ કર્યો. જેટલું જ્ઞાન શુદ્ધ થયું. તેટલું અનુભવમાં સર્વજ્ઞાનના પ્રતીતિ ભાવને વેદતાં, એવું (શુદ્ધ) થયું. સર્વજ્ઞાનના પ્રતીતિભાવમાં આનંદ વધ્યો. જ્ઞાન અધિક નિર્મળ થતું ગયું. જ્ઞાનની વિશુદ્ધતાને જ્ઞાનના બળનો પ્રતીતિભાવ કારણ છે. (અહીં) જ્ઞાન પરોક્ષ છે. પરપરિણતિના આવરણનું બળ હોવા છતાં પણ તે સ્વસંવેદનમાં સ્વજાતીય સુખ થયું, જ્ઞાન સ્વરૂપનું થયું. “ એકદેશ સ્વસંવેદન સર્વ સ્વસંવેદનનું અંગ છે.” જ્ઞાનવેદનામાં વધું જાય છે, (તે) સાક્ષાત મોક્ષમાર્ગ છે. આ સ્વસંવેદનને જ્ઞાની જ જાણે. સ્વરૂપથી પરિણામ બહાર ગયા તે જ સંસાર; સ્વરૂપચારણરૂપ પરિણામ તે જ સાધક-અવસ્થામાં મોક્ષમાર્ગ, (અને) સિદ્ધ-અવસ્થામાં મોક્ષરૂપ છે. જેટલા જેટલા અંશે જ્ઞાનબલથી આવરણનો અભાવ થયો તેટલા તેટલા અંશે મોક્ષ નામ પામ્યો. સ્વરૂપની વાર્તા પ્રીતિથી સાંભળે તો (તેની ) ભાવિ મુક્તિ કહી. 'અનુપમ સુખ થાય (અને તેનો ) અનુભવ કરે તેનો મહિમા કોણ કહી શકે ?
“જેટલો સ્વરૂપનો નિશ્ચય બરાબર (યથાર્થ) ભાવે (ચિંતવે) તેટલું સ્વસંવેદન અડગ (અચલ) રહે, (અને) જેટલું સ્વરૂપાચરણ થાય, તેટલું બરાબર સ્વસંવેદન થાય, એક થતાં ત્રણેની સિદ્ધિ છે.”
---------------------------
--------
૧. તત્પતિ પ્રીતિરિતે' વેન વાર્તા િદિ મુતા
निश्चिंत स भवे द्रव्यो, भावि निर्वाण भाजनं।। અર્થ:- જે જીવે પ્રીતિયુક્ત પ્રસન્નચિત્તથી આ આત્મતત્ત્વની વાત પણ સાંભળી, તે જીવ વિશેષ કરીને ભવ્ય છે અને અલ્પસમયમાં નિર્વાણનો પાત્ર છે.
- શ્રી પવનંદિ પંચ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com