Book Title: Anubhav Prakash
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 31
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અનુભવ પ્રકાશ ૧૭ સ્ત્રી માનીને તેને બોલાવે, ચાહ કરે, તેની સેવા કરે, પછી જાણે કે (આ તો) કાષ્ટની છે ત્યારે પસ્તાય, તેવી રીતે (આ આત્મા) જડની સેવા કરે છે, અજ્ઞાની થયો થકો જડમાં સુખ કહ્યું છે. જ્ઞાની થાય ત્યારે જુઠી માન્યતા છોડે. જેવી રીતે મૃગ ઝાંઝવામાં જળ માને છે, તેવી રીતે આ (જીવ) પરમાં પોતાને માને છે. તેથી સાચા જ્ઞાનથી વસ્તુને જાણે ત્યારે જ ભ્રમ મટે. શ્રીગુરુ વારંવાર સારભૂત એવો સાચો ઉપદેશ કહે છે. પોતે પણ જાણે છે. (છતાં) અવિધાનું એવું આવરણ છે કે તે વડે જૂઠને સાચ માની રહ્યો છે. ત્રણ જગ્યાએથી વાંકી એવી દોરડીમાં સર્પ ત્રિકાલ નથી તેવી રીતે બ્રહ્મમાં અવિધા નથી. જે સંપૂર્ણ સમુદ્રના જળથી ધોવા છતાં દેહું તો 'અપાવન જ છે. તેને (એવા દેહને) પાવન માની રહ્યો છે, એવું ધીઠપણું પકડયું છે. બળજોરથી ઠીંકરીને રૂપિયામાં ચલાવે તો ન ચાલે. પોતાની ભૂલ ન છોડે તો ખલકમાં (સંસારમાં) પોતાની હાંસી પોતે કરાવે. જુઓ! અનંત જ્ઞાનીનો ધણી (સ્વ-વસ્તુને) ભૂલી દુ:ખ પામે છે. હાંસી થતાં માણસ શરમિંદો થાય, ફરીથી હાંસીનું કામ ન કરે. આ જીવની અનાદિકાલથી જગતમાં હાંસી થઈ રહી છે છતાં લાજ ધરતો નથી, ફરી ફરી એની એ જ જાઠી રીતને ગ્રહે છે. જેની વાત કરતાં પણ અનુપમ આનંદ થાય એવું પોતાનું પદ છે, તેને તો ગ્રહણ કરતો નથી (અને) – પર વસ્તુની તરફ ----------------------------------- ------------------------------------- ચિરહી કી તર્જ નહી એક નિજ ચેતના કી ભર છે. ઐસી પરતીતિ કિયે પાઈયે પરમપદ, હોઈ ચિદાનંદ શિવરમણી કો વર હૈ, સાસતૌ સુથિર જહાં સુખ કૌ વિલાસ કરે, જામેં પ્રતિભાસૈ જે તે ભાવ ચરાચર હૈ. -જ્ઞાન દર્પણ ૧. દેહ અપાવન અથિર ધિનાવન યામેં સાર ન કોઈ, સાગર કે જલ તે શુચિ કીજે તો ભી શુદ્ધ ન હોઈ. -ભૂધરદાસ પાર્શ્વપુરાણ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96