________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯
અનુભવ પ્રકાશ થઈને ચાલ્યા આવે છે તેથી પોતાના સ્વરૂપને ન દીઠું. ત્યારે શ્રી ગુરૂપી તબીબ (નેત્રવૈદ્ય) મળ્યા ત્યારે જ્ઞાનાવરણને દૂર કરવાનો ઉપાય બતાવતાં જ, તેના શ્રધ્ધાનથી (આવરણ ) દુર થયું. ત્યારે પોતે પોતાનું અખંડ જ્યોતિ સ્વરૂપ પદ જોયું ત્યારે અનંત સુખી થયો.
દોરડીમાં સાપ નથી, છીપમાં રૂપું નથી, ઝાંઝવામાં જળ નથી, કાચના મંદિરમાં બીજા સ્થાન નથી, કસ્તુરી મૃગની બહાર સુગંધ નથી, ભૂંગળીમાં પોપટને કોઈએ પકડ્યો નથી, (બરણીમાં) વાંદરાની મૂઠી કોઈએ ઝાલી નથી, કૂવામાં બીજો સિંહ નથી, એ પ્રમાણે બીજો કોઈ નથી, પોતાની જ જૂઠી ભૂલ છે તેથી પોતે (જ) દુઃખ પામે છે. (પોતાને) બીજો (પર) માની માની દુ:ખ પામે છે. સાચ (સત્ય) જાણતાં સદા સુખી થઈએ. આ આત્મા સુખને અર્થે અનેક ઉપાય કરે છે. દેશ, દેશ ફરે છે, લક્ષ્મી કમાઈ સુખ ભોગવે છે. અથવા પરલોકના સુખને અર્થે અનેક પરિષહું સહે છે, સુખનું નિધાન નિજ સ્વરૂપને જાણતો નથી. જાણે તો તુરત સુખી થાય.
જેમ બધાય પુરુષની ગાંસડીમાં માણેક છે, (છતાં) તે બધાય ભ્રમથી ભૂલીને દુઃખી થઈ રહયા છે. જો ગાંસડી ખોલીને દેખે તો સુખી થાય. આંધળો જો કૂવામાં પડે તો અચરજ નહિ. દેખતો પડે તો અચરજ. તેવી રીતે આત્મા જ્ઞાતા-દેરા છે છતાં સંસાર કૂવામાં પડે છે, એ ઘણું આશ્ચર્ય છે. મોહરૂપી ઠગે એના માથે ભૂરકી નાખી તેથી પરઘરને જ પોતાનું માની નિજઘર ભૂલ્યો છે. જ્ઞાનમંત્રથી મોહઠગોરીને ઊતારે ત્યારે નિજઘરને પામે. શ્રીગુરુ વારંવાર નિજઘર પામવાનો ઉપાય બતાવે છે (ક) પોતાના અખંડિત ઉપયોગ નિધાનને લઈ અવિનાશી રાજ્ય કર. તારો હરામજાદીથી પોતાનું રાજપદ ભૂલી કોડી કોડીનો માંગણ થઈ કંગાલ થયો છે. તારું નિધાન (તારી) પાસે જ હતું, તે ન સંભાળ્યું તેથી (૮) દુઃખી થયો.
જેમ કે-ચાંપા નામનો ગોવાળ ધતૂરો પીને ઉન્મત્ત થયો. -------------------------------
મૂળ પ્રતમાં ‘સુવા ' શબ્દ નથી. લાલ બંધ્યો ગઠડી વિષે, લાલ બિના દુ:ખ થાય. ખોલ ગોઠડી જ લખે, લાલ તુરત મિલ જાય.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com