________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ આવડતું ન હતું). (તે) અન્ય દેશમાં આવ્યો, (પોતાના) કટિસૂત્રમાં હરિકાંતમણિ વળગેલા હતા.? એક દિવસ (તે) સરોવરે સ્નાન કરવા ગયો. ઝવેરીએ જોયું (કે) તેની મણિપ્રભાથી સરોવરનું પાણી લીલું બન્યું છે. ત્યારે (પેલો ઝવેરી) તેની પાસેથી નંગ લઈ તે પુરુષને રાજા પાસે લઈ ગયો. (પેલા ઝવેરીએ રાજા પાસેથી) એક નંગના મૂલ્યમાં ક્રોડ મંદિર ભરાય એટલી દીનાર (સોનામહોરો ) તેને અપાવી. ત્યારે તે (રત્નદીપનો) પુરુષ પસ્તાયો. મારું નિધાન મેં ન પિછાણ્યું. તેવી રીતે પોતાનું નિધાન પોતાની પાસે છે. (તેને) પિછાણતાં જ સુખ થાય છે. મારો આત્મા જ્ઞાનદર્શનનો ધારક ચિદાનંદ છે. મારું
સ્વરૂપ અનંત ચૈતન્ય શક્તિથી મંડિત અનંત ગુણમય છે. મારાં ઉપયોગને આધીન તે બની રહ્યું છે. હું મારા પરિણામરૂપ ઉપયોગને મારા સ્વરૂપમાં ધરીશ, અનાદિનું દુ:ખ મટાડીશ (અને) પરમપદને ભેટીશ. સ્વરૂપ પામવાનો આ સુગમ રાહ છે. દષ્ટિગોચર કરવો જ દુર્લભ છે. સંતોએ તે માર્ગને સુગમ કરી દીધો છે. તેમના પ્રસાદથી હું (એ માર્ગને) પામ્યો છું.
તે અમારો અખંડ વિલાસ-સુખનિવાસ-આ અનુભવ પ્રકાશમાં છે. વચનગોચર નથી, ભાવના ગમ્ય છે. આ મારો જ્યોતિ સ્વરૂપનો પ્રકાશ હું છું. (આ મારો જ્યોતિ સ્વરૂપનો પ્રકાશ) પ્રગટ આ ઘટમાં પ્રકાશે છે, તે દેખે છે, છુપાયેલો નથી; તેને ગોપ્ય કેવી રીતે માનું? છતી વસ્તુને અણછતી કેમ કરું? છતી (વસ્તુ ) અણછતી થતી નથી. પૂર્વે જૂઠી રીતે જ છતીને (છતી વસ્તુને)
૧. પાઠાન્તર- “ઘ' પ્રતિમેં ય પાત નિમ્ન પË વિયા સૈ–
“सो एक दिन सरोवरको पाणी पीवानको गयौ, तब उस नरको जौहरीने देखा, पाणी हरा भया, भाव जाण्या याके पास नंग है, तब जौहरीने पिछाण्या यर परख न जाने है।"
(તે એક દિવસ સરોવરનું પાણી પીવા ગયો, ત્યાં તે પુરુષને ઝવેરીએ જોયો, પાણી લીલું થયું. (ત્યારે) ભાવ (અર્થ) જાણ્યો. આની પાસે નંગ (મણિ ) છે. ત્યારે ઝવેરીએ જાણ્યું કે આ (મણિની) પરખ જાણતો નથી.)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com