________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧)
અનુભવ પ્રકાશ અણછતી માની હતી. અનાદિથી તેના ફળમાં દુ:ખ ઊપજ્યા કરતું હતું. (હવે) શરીરને આત્મા કેમ માનું? આ તો લોહીથી, વીર્યથી, સાત ધાતુનું બનેલું, જડ, વિજાતીય, વિનશ્વર અને પર છે, તે આ મારી ચેતના નથી. જ્ઞાનાવરણીય વર્ગણા વિજાતીય, સ્વરૂપના આવરણરૂપ, અચેતન, બંધક, વિનશ્વર અને રવિપાક હીન છે, તે મારી નથી, વિભાવ સ્વભાવને મલીન કરે છે, કર્મ-ઉદયથી થયો છે. (તે) મારો નથી. મારું ચેતનાપદ હું પામ્યો. જ્ઞાનલક્ષણથી લક્ષ્યને (ચૈતન્યને) ઓળખી સ્વરૂપ શ્રદ્ધાથી આનંદકંદની કેલી (રમત) કરીને (હું ) સુખી થાઉં છું. તે આનંદકંદની કેલી સ્વરૂપ શ્રદ્ધાથી કેવી રીતે થાય તે કહેવામાં આવે છે:
અનંત ચૈતન્ય ચિત્ર સહિત અખંડિત ગુણપુંજના અને પર્યાયના ધારક દ્રવ્યનો-જ્ઞાનાદિગુણપરિણતિરૂપ અને પર્યાય-અવસ્થા રૂપ વસ્તુનો નિશ્ચય થયો.
જ્ઞાન જાણવા માત્ર, દર્શન દેખવા માત્ર, સત્તા અસ્તિત્વ માત્ર, (તથ) વીર્ય વસ્તુ નિષ્પન્ન સામર્થ્ય માત્ર કેવળ એવા પ્રતીતિભાવને રુચિભાવની આસ્તિકતારૂપ શ્રદ્ધાનને શ્રદ્ધા કહીએ. તેનાથી (તે શ્રદ્ધાથી) ઉત્પન્ન થયેલા આનંદકંદમાં કેલી કરીને હું સુખી થાઉં છું, જાણવાથી થતો આનંદ તે જ્ઞાનાનંદ, સ્વરૂપને દેખવાથી થતો આનંદ તે દર્શનાનંદ, પરિણમવાથી થતો આનંદ તે ચારિત્રાનંદ (છે). એવા સર્વ ગુણોના આનંદનું મૂળ નિજસ્વરૂપ આનંદકંદ, તેની કેલી સ્વરૂપમાં (પોતાની) પરિણતિ રમાવવી (તે છે). તેથી સુખસમૂહ થયો છે. આનાથી (બીજો કોઈ ) ઊંચો ઉપાય નથી. (પરમ કૃપાળુ) ભગવાન ભવ્ય જીવોને આ શિવરાહુ (શિવમાર્ગ, કલ્યાણમાર્ગ, મોક્ષમાર્ગ) સોહલો દર્શાવ્યો છે. ભગવાનની ભાવનાથી સંતો મહંત થયા. મેં પણ આ જ ભાવનાનો અવગાઢ થંભ રોપ્યો છે. સમ્યગ્દષ્ટિને એવો નિરંતર અભ્યાસ રહે છે. કર્મના અભાવથી સ્વરસમંડિત સુખનો પુંજ પ્રગટે ત્યારે જ્ઞાન કૃતકૃત્ય થાય છે. આ
૧. સોહલો-સહેલો, સુગમ, સરળ, સુખદાયક, સુંદર, સોહામણો. ૨. પાઠાન્તર- “નિનસ્વમાવતૈ”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com