________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
૧૧
આત્માનું સ્વરૂપ ગુપ્ત થઈ રહ્યું છે. (તે) સાક્ષાત્ કેવી રીતે થાય? પરોક્ષ જ્ઞાન વડે ભાવના વધા૨વાથી (તે સાક્ષાત્ થાય છે). તે કેવી રીતે સિદ્ધ થાય તે કહેવામાં આવે છે ઃ
જેમ કે-દીપકને પાંચ પડદા છે. એક પડદો દૂર થતાં ઝીણો બારીક ઉદ્યોત થયો. બીજો પડદો દૂર થયો ત્યારે ચડતો (વધારે) પ્રકાશ થયો. ત્રીજો જતાં વધારે થયો. ચોથો જતાં અધિક ચડતો થયો. (વળી ) પાંચમો ગયો ત્યારે નિરાવરણ પ્રકાશ થયો. એ પ્રમાણે જ્ઞાનાવરણના પાંચ પડદા છે. મતિજ્ઞાનાવરણ જતાં સ્વરૂપનું મનન કર્યું. અનાદિથી પરમનન હતું તે મટયું, પછી અનંતર એવી પ્રતીતિ થઈ કે જેમ કોઈ પુરુષ દિરદ્રી છે, કરજે ઘેરાયો છે, તેની પાસે ચિંતામણી છે, ત્યારે કોઈએ કહ્યું- “આ ચિંતામણિના પ્રભાવથી નિધિ વિસ્તરી રહી છે, ફલાણાને ફળ આપ્યું હતું, તો તમે ય હવે નિધિ તો લ્યો. સાક્ષાત્કાર થયે સર્વ ફળ પામશો.” પ્રતીતિમાં (તો ) ચિંતામણિ પામ્યા જેવો હર્ષ થયો છે. એ પ્રમાણે મતિજ્ઞાનીને સ્વરૂપનો પ્રભાવ એક દેશમાં જ એવો જાગ્યો કે કેવળજ્ઞાનનું શુદ્ધત્વ પ્રતીતિ દ્વાર આવ્યું તેથી અશુદ્ધત્વ-અંશને પણ પોતાનો કલ્પતો નથી. સ્વસંવેદન મતિજ્ઞાન વડે થયું છે. જ્ઞાનપ્રકાશ મારો છે, એ પ્રમાણે શ્રુતજ્ઞાનમાં વિચારે. મેં મનન કર્યું તે કેવો છું?
હું જ્ઞાનરૂપ છું, આનંદરૂપ છું. એ રીતે ચાર જ્ઞાનમાં સ્વસંવેદન પરિણતિ વડે તો (તે) પ્રત્યક્ષ છે. અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન ૫૨ને જાણવાથી એકદેશ પ્રત્યક્ષ છે. શાથી? કે સર્વાધિ વડે સર્વવર્ગણા, ૫૨માણુમાત્ર દેખે તેથી એકદેશ પ્રત્યક્ષ મન:પર્યય પણ પારકા (બીજાના) મનનું જાણે તેથી એકદેશ પ્રત્યક્ષ છે. કેવલજ્ઞાન સર્વ પ્રત્યક્ષ છે. પોતાનું જાણવું જ્ઞાનમાત્ર વસ્તુમાં પ્રતીતિ થઈ તેથી, સમ્યક્ નામ પામ્યું. “જ્ઞાનમાત્ર વસ્તુ તો કેવળજ્ઞાન થયે શુદ્ધ, જ્યાંસુધી કેવળ નથી ત્યાંસુધી ગુપ્ત છે.” કેવળ જ્ઞાનમાત્ર વસ્તુની પ્રતીતિ પ્રત્યક્ષ કરી કરી સ્વસંવેદન વધારે છે જઘન્ય જ્ઞાની કેવીરીતે પ્રતીતિ કરે ? તે કહેવામાં આવે છેઃ
૧. પાઠાન્તર- ‘મતિદ્વારિ’
૨. મું પ્રતિમાં ‘પર' પાઠ નથી.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com