________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧ર
અનુભવ પ્રકાશ મારા દર્શનજ્ઞાનનો પ્રકાશ મારા પ્રદેશમાંથી ઊઠે છે, જાણપણું મારામાં છે એવી પ્રતીતિ કરતાં આનંદ થાય તે નિર્વિકલ્પ સુખ છે. જ્ઞાન-ઉપયોગ આવરણમાં ગુમ છે. જ્ઞાનમાં આવરણ નથી. શાથી? કે જેટલા અંશે આવરણ ગયું તેટલું જ્ઞાન થયું, તેથી જ્ઞાન આવરણથી ન્યારું છે, તે (જ્ઞાન) પોતાનો સ્વભાવ છે. જેટલું જ્ઞાન પ્રગટયું તેટલો પોતાનો સ્વભાવ ખૂલ્યો, તે પોતે છે. આટલું વિશેષ આવરણ જવા છતાં પણ પરમાં જ્ઞાન જાય તે અશુદ્ધ જેટલો, અંશ નિજમાં રહે તેટલો તે શુદ્ધ. તેથી કેવળ (જ્ઞાન) ગુણ છે. પરંતુ પરોક્ષ જ્ઞાનમાં નિરાવરણની પ્રતીતિ કરી કરી આનંદ વધારીએ. જ્ઞાન શુદ્ધ ભાવનાથી શુદ્ધ થાય એ નિશ્ચય છે. કહ્યું છે- “યા મતિઃ સ. તિ” તિ વયના (જેવી મતિ તેવી ગતિએ વચન અનુસાર ).
પોતાનું સ્વરૂપ સાક્ષાત્ કેવી રીતે થાય તે કહેવામાં આવે છે:
પ્રથમ નિર્મમત્વભાવથી સંસારનો ભાવ અઘો (ગૌણ કરે મોળો પાડે, નીરસ કરે). કેવી રીતે કરે તે કહેવામાં આવે છે. જે દશ્યમાન છે તે બધું રૂપી જડ છે તેથી મમત્વ ન કરવું. શાથી? કે જે બધુંય જડ તેમાં પોતાને માનતાં સુખ શું? એવી રીતે શરીર જડ તેમાં મમત્વ ન કરવું. શાથી? કે શરીરાદિ જડ તેમાં પોતાને માનતાં સુખ શું? વળી રાગદ્વેષમોહભાવ, અસાતાભાવ, તુષ્માભાવ, અવિશ્રામભાવ, અસ્થિરભાવ, દુઃખભાવ, આકુલભાવ, ખેદભાવ, અજ્ઞાનભાવ, છે તેથી હેય છે. આત્મભાવ, જ્ઞાનમાત્રભાવ, શાંતભાવ, વિશ્રામભાવ, સ્થિરતાભાવ, અનાકુળભાવ, આનંદભાવ, તૃતિભાવ, નિજભાવ (છે તેથી) ઉપાદેય છે.
આત્મપરિણતિમાં આત્મા છે. “હું છું” એવી પરિણતિ વડે આત્મા પ્રગટે. આત્મામાં (પોતામાં) પરિણતિ આવી, “હું છું' પણાની માન્યતા સ્વપદનું સાધન છે. હું-હું પરિણામ હું કહું છું
૧. પાઠાન્તર- “જ્ઞાની' ૨. મુ. પ્રતિમાં આ વાક્ય નથી. ૩. પાઠાન્તર- “ આપ માનેં સુરવ વET”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com