Book Title: Anubhav Prakash
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 19
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અનુભવ પ્રકાશ પરાધીનતા આવત. અજ વિના ઊપજ્યા કરત. અખંડ વિના ખંડિતતા (ખંડખંડપણું ) પામત. વિમલ વિના મલ હોત. એક વિના અનેક હોત. અનેક વિના અનેક ગુણનો અભાવ હોત. નિત્ય વિના અનિત્ય હોત. અનિત્ય વિના પગુણી વૃદ્ધિહાની ન હોય. ત્યારે (પગુણી વૃદ્ધિ હાની ન હોય તો વસ્તુમાં) અર્થક્રિયાકારક સ્વભાવની સિદ્ધિ ન હોય. ભેદ વિના દ્રવ્યગુણ અભેદ હોય. અભેદ વિના એક વસ્તુ ન હોય. અતિ વિના નાસ્તિ હોય. નાસ્તિ વિના (વસ્તુમાં) પરની અસ્તિતા હોય. સાકાર વિના નિજાગૃતિ ન હોય. નિરાકાર વિના પરાકાર ધરી (વસ્તુ) વિનાશ પામે. અચલ સ્વભાવ વિના ચલ હોય. ઊર્ધ્વગમન સ્વભાવ વિના ઉચ્ચપદ જાણવામાં ન આવત. ઇત્યાદિ અનંત વિશેષણનો જ્ઞાની અનુભવ કરે છે. એવું નિજજ્ઞાન (નિજ સમજ, સ્વરૂપ જ્ઞાન) કેવી રીતે થાય તે કહેવામાં આવે છે : પ્રથમ અનાદિથી (ચાલ્યો આવતો) પરમાં અહં-મમરૂપ મિથ્યાત્વનો નાશ કરે, પછી પરાગરૂપ ભાવનો વિધ્વંસ કરે. જ્યારે પરાગ મટે ત્યારે વીતરાગ થાય. જ્યારે પરપ્રવેશનો અભાવભાવ થયો ત્યારે સ્વસંવેદનરૂપ નિજજ્ઞાન થાય અથવા પોતાનાં દ્રવ્યગુણ પર્યાયનો વિચાર કરી નિજપદને જાણે અથવા ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને જાણે. અનંત મહિમાનો ભંડાર, સાર, અવિકાર, અપાર શક્તિથી મંડિત મારું સ્વરૂપ છે, એવો ભાવ પ્રતીતિ વડ કરે. ધ્યાન ધર્યો નિશ્ચલતા થાય એમ જ્ઞાન જાણે. નિજરૂપ જ્ઞાનને જ અનુપમ પદનું સ્વસ્વ જાણે. આ સ્વરૂપના જ્ઞાન વિના પરની માન્યતા કરી સંસારી દુઃખી થયા. તે પરની માન્યતા કેવી રીતે મટે? તે કહેવામાં આવે છે : ભેદજ્ઞાન વડે પર અને નિજના અંશ અંશને ન્યારા ન્યારા જાણે. હું ઉપયોગી, મારું ઉપયોગીત ગ્રંથો ગાય છે. હું દેખું જાણું છું. (હું દેખનાર-જાણનાર છું, જ્ઞાતાદષ્ટા છું.) આ નિશ્ચય બરાબર ૧. પાઠાન્તર- ‘નિચ્ય' ૨. પાઠાન્નર- “જ્ઞાન' Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96