________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ (યથાર્થ) કરતાં આનંદ વધે. પર પરિણતિને (મું) મારી કરી છે. (તે હું ) ન કરું તો (એવી) માન્યતા ન થાય. મેં મારી પરમાં માન્યતા કરી, હવે હું નિજમાં (નિજરૂપ) માનું તો માનતાં વેંત જ મુક્તિની સાથે મારી સગાઈ થઈ. અવશ્ય વર થઈશ. કર્મના ભરમનો (કર્મભાવમાં હુંપણાનો ભ્રમ) વિનાશ થતાં નિજ સુખ થાય છે. એ નિજ સુખ કેવી રીતે થાય તે કહેવામાં આવે છે.
મારું અનંતસુખ મારા ઉપયોગમાં છે. તે મારો ઉપયોગ તો સદા હું ધરું છું. હું ઉપયોગને ભૂલી અનુપયોગમાં અનાદિથી રત થઈ. સુખસ્થાનક ચેતના-ઉપયોગને ભૂલ્યો, (તેથી) સુખ ક્યાંથી થાય?
હવે મેં એ ઉપયોગ પ્રકાશ ને સાક્ષાત્ યોગ્ય સ્થાનરૂપ કર્યો. શાથી કે “હું નર.' એવી માન્યતા (આ) જડરૂપ મનુષ્ય શરીરમાં તો ન થાય, ( એ માન્યતા) મારા ઉપયોગથી થઈ છે; તો એવી માન્યતાનો કરનાર મારો ઉપયોગ અશુદ્ધ સ્વાંગ સજી (ધરી) બેઠો છે. જેવી રીતે કોઈ એક નટ બળદનો સ્વાંગ ધરી લાવ્યો છે, પરમાં પોતાને ભૂલ્યો છે, પરમાં પોતાને જાણ્યો છે. (તે) પૂછે છે કે “હવે હું મનુષ્યનો પર્યાય ક્યારે પામીશ? તે જૂઠું જ પૂછે છે, (પોતે) મનુષ્ય જ છે. ભૂલથી એ રીતિ થઈ છે; (ભ્રમણાથી આવું ભૂલ ભરેલું આચરણ થયું છે.) તેવી રીતે ચિદાનંદ પોતાને ભૂલ્યો છે, પરમાં પોતાને જાણો છે; પોતે પોતાની ભૂલ મટાડી, સદા ઉપયોગધારી આનંદરૂપ પોતે સ્વયમેવ જ યત્ન વિના (સહજ ) બન્યો છે, તેથી નિજને નિહાળવાનું જ કાર્ય (કર્તવ્ય) છે. (સદા ઉપયોગધારી આનંદરૂપ સ્વયમેવ પોતેજ છે, પોતાનું કામ તો પોતાને નિહાળવા પૂરતું જ છે ). નિજશ્રદ્ધા આવતાં નિજ અવલોકન થાય છે. આ શ્રદ્ધા ક્યાંથી થાય છે તે કહેવામાં આવે છે.
પ્રથમ સર્વ લૌકિક રીતિથી પરાગમુખ થાય. નિજ વિચાર સન્મુખ થાય. ચિદાનંદ રાજા-કર્મકંદરામાં (કર્મરૂપી ગુફામાં) છુપાયેલો છે. કર્મકંદરા ત્રણ છે. પહેલી (શરીરાદિ, નોકર્મ ગુફા,
૧. પાઠાન્તર- “નિરીના'
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com