Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૧: ઉદ્દેશક-૧
| ૧૩ |
વિરોધી પાંચ વિશેષણો સહિતના દશ શબ્દોનો પ્રયોગ કર્યો છે. તેમાંથી પુરુષાંતર થવા સંબંધી પાંચ વિકલ્પો આ પ્રમાણે છે(૧) પુરિસંતરડું – આહાર અન્ય વ્યક્તિને આપી દીધો હોય. (૨) વાિ નદઉં- આહાર પોતાના ઘરેથી બીજાના ઘરે મોકલી દીધો હોય. (૩) અયિં - બીજી વ્યક્તિએ તે આહારનો સ્વીકાર કરી લીધો હોય. (૪) પરિમુd :- તે આહારમાંથી કોઈપણ વ્યક્તિએ થોડું પણ વાપર્યું હોય. (૫) આવિર્ય - કોઈ વ્યક્તિએ તે આહારમાંથી પર્યાપ્તપણે વાપર્યું હોય.
આ પાંચ વિકલ્પમાંથી કોઈ પણ વિકલ્પયુક્ત આહાર પુરુષાંતરકત કહેવાય છે અને તે આહાર અન્યની માલિકીમાં આવી જવાથી કે અન્ય વ્યક્તિ દ્વારા તેનો ઉપયોગ થઈ જવાથી તે આહાર શ્રમણ બ્રાહ્મણો માટેનો રહેતો નથી, તેથી તે આહાર સાધુને ગ્રાહ્ય બની શકે છે, તે આહાર તેનાથી વિપરીત પાંચ વિકલ્પો યુક્ત હોય, જેમ કે– (૧) અન્ય વ્યક્તિને આપ્યો ન હોય, (૨) બીજાના ઘેર મોકલ્યો ન હોય (૩) દાતાએ તેને સ્વીકાર્યો ન હોય (૪-૫) તે આહારમાંથી થોડું કે ઘણું કોઈએ વાપર્યું ન હોય, તો તે શ્રમણ બ્રાહ્મણો માટેનો દાનનો આહાર હોવાથી તે સાધુને સર્વથા અગ્રાહ્ય છે.
દાતાએ જે આહાર નિષ્પાદનમાં જૈન શ્રમણનો સ્પષ્ટ નિર્દેશ-સંકલ્પ કર્યો હોય તે આહાર આ દસે પ્રકારમાંથી કોઈ પણ પ્રકારનો હોય તો પણ સાધુ-સાધ્વીને અગ્રાહ્ય છે.
જો તે આહારનું નિષ્પાદન દાતાએ દાન માટે કર્યું છે પણ તેમાં જૈન શ્રમણનો સંકલ્પ કર્યો ન હોય, તો તેવો આહાર સૂત્રોક્ત દસ વિશેષણોમાંથી અપુરુષાંતરકૃત આદિ પાંચ વિશેષણો યુક્ત હોય તો સાધુને અગ્રાહ્ય છે, પરંતુ પુરુષાંતરકત આદિ બીજા પ્રતિપક્ષી પાંચ વિશેષણોમાંથી કોઈ પણ એક વિશેષણયુક્ત આહાર હોય; તો તે આહાર સાધુને માટે ગ્રાહ્ય છે.
સિં પડિયા - કેટલીક પ્રતોમાં સિંડિયાપ પાઠના સ્થાને અસંડિયા પાઠ જોવા મળ ' છે. બંને શબ્દોનો તાત્પર્યાર્થ એક જ છે. (૧) અન્નપડિયા- જેની પાસે સ્વધન કે કિંચિત્માત્ર દ્રવ્ય નથી તે અકિંચન અથવા સ્વ સ્વામિત્વ રહિત અપરિગ્રહી-નિગ્રંથ “અસ્વ” છે. તેની પ્રતિજ્ઞાથી એટલે તેને લક્ષ્યમાં રાખીને કે “હું તેઓને આહાર આપીશ” આ પ્રકારના અભિપ્રાયથી આહાર તૈયાર કરવો. (૨) લિ પડિયા- બિન તિજ્ઞા -બિન સીધું જ્ઞાથ તાત્ય વા- આ જૈન નિગ્રંથ સાધુઓના લક્ષ્યથી, અભિપ્રાયથી આહાર તૈયાર કરવો. પ્રસ્તુત પ્રસંગમાં સિં– શબ્દ નિગ્રંથ સાધુનો વાચક છે કારણ કે ઋષિ શબ્દના પ્રાકૃતમાં ફર્સ અને સિં રૂપ થાય છે. પ્રાકૃત વ્યાકરણ પ્રમાણે “'નું પરિવર્તન ત્રણ પ્રકારે થાય છે, જેમ કે– (૧) શ્રી = સ (૨) તુ = ૩૩ (૩) ઋણ = મા . આ રીતે અહીં
લિ એ આર્ષ પ્રયોગ છે અને તેનો અર્થ ઋષિ = નિગ્રંથ થાય છે. અગ્ર પિંડાદિ ગ્રહણ નિષેધ :|११ से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं पिंडवायपडियाए पविसिउकामे से जाइं पुण कुलाइ जाणेज्जा- इमेसु खलु कुलेसु णितिए पिंडे दिज्जइ, णितिए अग्गपिंडे दिज्जइ, णितिए भाए दिज्जइ, णितिए अवड्डभाए दिज्जइ, तहप्पगाराई
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org