Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-૫ઃ ઉદ્દેશક-૧
| ૧૯૭ |
વસ્ત્રોના કેટલાક નામો અહીં શાસ્ત્રકારે બતાવ્યા છે. તે સિવાય પ્રત્યેક યુગમાં કીમતી, સૂક્ષ્મ, ચર્મ તેમજ રોમથી બનાવેલા દુર્લભ તથા મહાઆરંભથી ઉત્પન્ન થયેલા વસ્ત્રો હોય, તે સાધુએ ગ્રહણ કરવા જોઈએ નહિ.
આચારાંગ ચૂર્ણિ, નિશીથ ચૂર્ણિ આદિમાં કેટલાક પદોના વિશિષ્ટ અર્થ આપ્યા છે, યથાયાજિ- કાકમણિ રંજિત વસ્ત્રોને કાકવસ્ત્ર કહે છે. હોમf– ક્ષોમ એટલે પોંડ–પુષ્પમય વસ્ત્ર અથવા જેમ વડની શાખાઓ નીકળે છે તેમ વૃક્ષોના લાંબા લાંબા રેશા નીકળે છે તેમાંથી બનેલા વસ્ત્ર. કુપુતાધિ-દુકૂલ એક વૃક્ષનું નામ છે, તેની છાલને કૂટવામાં આવે છે. જ્યારે તે ભૂસા જેવી થઈ જાય છે ત્યારે પાણીમાં પલાળી તેના રેશા બનાવી વસ્ત્ર બનાવવામાં આવે છે. તે દુકૂલ વસ્ત્ર કહેવાય છે. પક્fતિરીડ વૃક્ષની છાલના તંતુ પટ્ટ સમાન હોય છે. તેનાથી બનેલા વસ્ત્ર તિરીડપટ્ટ વસ્ત્ર અથવા રેશમના કીડાના મુખમાંથી નીકળતા તારમાંથી બનેલા વસ્ત્ર. મનયા- મલયદેશ-મૈસૂર આદિમાં ચંદનના પાનોને સડાવી તેના રેશાઓમાંથી વસ્ત્ર બનાવે છે, તે મલય વસ્ત્ર કહેવાય છે, પરૂUM- વલ્કલથી બનેલા બારીક વસ્ત્રો. સરળ- જે દેશમાં રંગવાની જે વિધિ છે, તે દેશમાં તે રંગથી રંગેલા વસ્ત્ર,
નાળિ– જેને પહેરવાથી વીજળી જેવો કડ-કડ અવાજ થાય તે ગજ્જલ વસ્ત્ર. If– સોનાને ઓગાળીને તેમાંથી સૂતરને રંગાય છે અને વસ્ત્ર બનાવાય છે. ખાતf– સોનાની કિનારીવાળા વસ્ત્ર.વિવાદ-ચિત્તાનું ચામડું કે વરુનું ચામડું જોયવા- કૌતપ-કાંબળી. ઈરાન કે પારસ દેશના બનેલા ગાલીચા તથા વસ્ત્રો બહુ કીમતી હોય છે તેમજ તેમાં વચ્ચે વચ્ચે છિદ્ર કે પોલાણ હોય છે. તેમાં સૂક્ષ્મ જીવો બેસી જાય છે. તેનું પ્રતિલેખન કરવું મુશ્કેલ થાય, આ સર્વ દોષોના કારણે સાધુને માટે આવા વસ્ત્રો અગ્રાહ્ય છે. વઐષણાની ચાર પ્રતિમાઓ -
७ इच्चेयाई आयतणाई उवाइकम्म । अह भिक्खू जाणेज्जा चउहि पडिमाहिं वत्थं एसित्तए ।
तत्थ खलु इमा पढमा पडिमा- से भिक्खू वा भिक्खुणी वा उद्दिसियउद्दिसिय वत्थं जाएज्जा, तं जहा- जंगियं वा भंगियं वा साणयं वा पोत्तगं वा खोमियं वा तूलकडं वा, तहप्पगारं वत्थं सयं वा णं जाएज्जा, परो वा से देज्जा, फासुयं एसणिज्ज लाभे संते पडिगाहेज्जा । पढमा पडिमा । ભાવાર્થ - વઐષણાના પૂર્વોક્ત દોષોના સ્થાનોને છોડીને સંયમશીલ સાધુ કે સાધ્વી આ ચાર પ્રતિમાઓથી અર્થાતુ અભિગ્રહોથી વસ્ત્રની ગવેષણા કરે.
પ્રથમ પ્રતિમા– સાધુ કે સાધ્વી મનમાં સંકલ્પ કરેલા વસ્ત્રની યાચના કરે, જેમ કે– જાંગમિક, ભાંગિક, સાનજ, પોતજ, ક્ષૌમિક કે તૂલકૃત. આ વસ્ત્રોમાંથી એક પ્રકારના વસ્ત્રની સ્વયં યાચના કરે અથવા ગૃહસ્થ સ્વયં આપે અને જો તે પ્રાસુક અને એષણીય હોય તો ગ્રહણ કરે. આ પ્રથમ(ઉદ્દિષ્ટ) પ્રતિમા છે.
८ अहावरा दोच्चा पडिमा- से भिक्खू वा भिक्खुणी वा पेहाए वत्थं जाएज्जा,त जहा- गाहावईवा जाव कम्मकरी वा,से पुव्वामेव आलोएज्जाआउसो ! ति वा भइणी! ति वा दाहिसि मे एत्तो अण्णयरं वत्थं ? तहप्पगारं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org