Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૬ઃ ઉદ્દેશક-૧
ભીંત, શિલા, પથ્થર કે એવા અન્ય કોઈ ઊંચા સ્થાને તેમજ ડગમગતી જગ્યા પર પાત્રને સૂકવવા મૂકે નહિ (૮) સ્તંભગૃહ, મંચગૃહ, ઉપરના માળમાં મહેલ ઉપર કે હવેલી આદિની ખુલ્લી છત પર પાત્રને સૂકવે નહિ.
પાત્રને એકાંતમાં લઈ જઈને અચિત્ત નિર્દોષ સ્થંડિલભૂમિને પોંજીને યતના પૂર્વક પાત્રને । સૂકવવા મૂકે. આ સર્વ કથન વસ્ત્રષણા પ્રમાણે સમજવું.
ઉપસંહારઃ
१६ एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सव्वहिं समिए सहिए सया जएज्जासि । त्ति बेमि ।
૨૨૩
કે
ભાવાર્થ :- આ પાત્રૈષણાનો વિવેક જ સાધુ કે સાધ્વીના આચારની સમગ્રતા-સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતાં સાધુ-સાધ્વીઓએ સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.
Jain Education International
॥ અધ્યયન-૬/૧ સંપૂર્ણ ॥
For Private Personal Use Only
www.jainelibrary.org