Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૭ : ઉદ્દેશક-૧
છે. અન્ય સાંભોગિક સાધુઓ પધારે, ત્યારે પોતાના લાવેલા આહાર-પાણીમાંથી પહેલાં જ તે સાધુઓને નિમંત્રણ કરે અને બધા સાથે બેસીને આહાર-પાણી વાપરે. જો આગંતુક શ્રમણોને કોઈ વિશિષ્ટ વસ્તુની આવશ્યકતા હોય અથવા પોતે લાવેલા આહાર-પાણી પર્યાપ્ત પ્રમાણમાં ન હોય, તો ફરીવાર ગોચરી લાવી શકાય છે, પરંતુ પોતે લાવેલા આહારાદિમાંથી આગંતુક શ્રમણોને નિમંત્રણ કર્યા વિના પોતે એકલા જ વાપરે અને આગંતુક શ્રમણો માટે બીજા આહારાદિ લાવે, તો તે પ્રકારના વ્યવહારથી આગંતુક શ્રમણોને ક્ષોભ થાય છે, તેથી સાધુ તથાપ્રકારનો વ્યવહાર કરે નહીં, સાધુ સાંભોગિક સાધુઓ સાથે આત્મીયતાપૂર્વક આહાર-પાણીનું આદાન-પ્રદાન કરે.
૨૩૩
સાંભોગિક સાધુઓ સાથે આહાર-પાણી આદિના આદાન-પ્રદાનથી પરસ્પરનો પ્રેમભાવ, મૈત્રીભાવ, વાત્સલ્યભાવ પ્રગટ થાય છે અને તે પરસ્પરની સંયમ સાધનામાં સહાયક બને છે. સમનોજ્ઞ સાધર્મિક સાધુઓ સાથે વ્યવહાર ઃ
४ से आगंतारेसु वा जाव से किं पुण तत्थोग्गहंसि एवोग्गहियंसि ? जे तत्थ साहम्मिया अण्णसंभोइया समणुण्णा उवागच्छेज्जा जे तेण सयमेसियाए पीढे वा फलए वा सेज्जासंथारए वा तेण ते साहम्मिए अण्णसंभोइए समणुणे उवणिमंतेज्जा, णो चेव णं परवडियाए उगिज्झिय-उगिज्झिय उवणिमंतेज्जा । શબ્દાર્થઃ- अण्णसंभोइया - = અન્ય સાંભોગિક, જે સાંભોગિક નથી સમજુ = સમનોજ્ઞ-ઉત્તમ આચારવાળા છે તે વા છે—ા = આવી જાય ને તેન = જો ત્યાં પહેલાં રહેલા સાધુ તેઓને સયમેલિયાર્ - પોતાને માટે ગવેષણા કરીને લાવેલા પીઠે વા પતર્ = બાજોઠ કે પાટલા સેન્નાસંથાત્ = શય્યા, સંસ્તારક વગે૨ે તે = તે વસ્તુઓથી તે સાઇમ્મિદ્ અળસંભો સમણુળે - તે સાધર્મિક, અન્ય ગચ્છીય, સમનોજ્ઞ સાધુઓને વખિમંતેષ્ના = આમંત્રણ આપે જેવ = પરંતુ પઢિયાર્ = બીજા માટે અર્થાત્ આગંતુકો માટે િિાય-શિષ્ક્રિય = નવા ગ્રહણ કરીને ખો ખમતે ા = નિમંત્રણ
=
=
(
કરે નહિ.
ભાવાર્થ :- ધર્મશાળા આદિમાં આજ્ઞા પ્રાપ્ત કરીને સાધુ રહ્યા હોય ત્યાં અન્ય સાંભોગિક સાધુ આવે ત્યારે તો સાધુ કેવો વ્યવહાર કરે ? જો સાધર્મિક અને ઉત્તમ આચારવાળા સમનોજ્ઞ તેમજ અન્યસાંભોગિક (અન્ય ગચ્છીય) સાધુ અતિથિરૂપે આવે તો તે(પહેલાંથી ત્યાં રહેલા સાધુ) પોતે ગવેષણા કરીને લાવેલા બાજોઠ, પાટિયા, શય્યા, સંસ્તારક(ઘાસ) આદિનું તે અન્યસાંભોગિક, સાધર્મિક અને સમનોજ્ઞ સાધુઓને આમંત્રણ કરે પરંતુ તેઓને માટે નવા બાજોઠ, પાટિયા કે શય્યા સંસ્તારક ગ્રહણ કરીને તેનું આમંત્રણ
કરે નહિ.
Jain Education International
५ से आगंतारेसु वा जाव से किं पुण तत्थोग्गहंसि एवोग्गहियंसि जे तत्थ गाहावइण वा गाहावइपुत्ताण वा सूई वा पिप्पलए वा कण्णसोहणए वा णहच्छेयणए वा तं अप्पणो एगस्स अट्ठाए पाडिहारियं जाइत्ता णो अण्णमण्णस्स देज्ज वा अणुपएज्ज वा ।
सयं करणिज्जं ति कट्टु से तमायाए तत्थ गच्छेज्जा, गच्छेत्ता पुव्वामेव
For Private Personal Use Only
www.jainelibrary.org