Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૫૬]
શ્રી આચારાંગ સૂત્ર
પરિશિષ્ટ-ર:
( ગોચરી સંબંધી : દોષ-નિયમો
[આગમ અને ગ્રંથથી સંકલિત]. એષણા સમિતિના ૪૨ દોષ પ્રસિદ્ધ છે તે માટે પિંડ નિર્યુક્તિની ગાથાઓ આ પ્રમાણે છે
आहाकम्मउद्देसिय, पूईकम्म मीसजाए य । "ठवा पाहुडियाए, पाओअर कीय पामिच्चे ॥१॥ १°परियट्टियअभिहडे,१२उब्भिण्णेमालोहडे । १४आच्छिज्जे आणिसिद्धे,१६अज्झोयरए सोलसमे ॥२॥ धाई दूईणिमित्ते, आजीवे वणीमगे तिगिच्छाए ।
“મા”નાયતોમે, હવંત વસ પણ રૂા. જુત્રિપુચ્છારંવવિખ્યમંતવુug“નોને વા. उप्पायणाइ दोसा, सोलसमें मूलकम्मे ॥४॥ 'संकिय मक्खियणिक्खित्त, पिहिय साहरिदायग उमिस्से । “अपरिणय लित्त छड्डिय, एसण दोसा दस हवंति ॥५॥
અહીં પહેલી બે ગાથામાં ઉદ્દગમના સોળ દોષ; ત્રીજી, ચોથી ગાથામાં ઉત્પાદનના સોળ દોષ અને પાંચમી ગાથામાં એષણાના દશ દોષ છે. તે દોષોનો નિર્દેશ ભગવતી સૂત્ર, પ્રશ્નવ્યાકરણ સૂત્ર આદિ અનેક આગમોમાં પ્રાપ્ત થાય છે. તેનું સ્પષ્ટીકરણ પિંડનિર્યુક્તિ આદિ ગ્રંથ અને વ્યાખ્યાઓમાં છે. તે આ પ્રમાણે છે
ઉદગમના ૧૬ દોષ- આહાર વગેરેની ઉત્પત્તિ સંબંધી દોષને ઉદ્ગમ દોષ કહે છે. આ સોળ દોષો ગૃહસ્થ દ્વારા લાગે છે. તે આ પ્રમાણે છે(૧) એક યા અનેક સાધુ-સાધ્વીજીના નામ નિર્દેશ સાથે તેના માટે જ આહાર આદિ બનાવવામાં આવે તે
આધાકર્મી દોષ છે. કોઈના સ્પષ્ટ નિર્દેશ વિના સામાન્ય રીતે જૈન મુનિ માટે, સર્વ ભિક્ષુ માટે, શ્રમણો માટે, શ્રમણીઓ માટે, આ પ્રકારના ઉદ્દેશ્યથી જે આહારાદિ બનાવવામાં આવે તે ઔદેશિક દોષ છે. હાથ, ચમચા કે વાસણ વગેરેના માધ્યમે આધાકર્મી આહારનો અંશ જો શુદ્ધ આહારમાં ભળી જાય તો તે આહાર પૂતિકર્મ દોષ યુક્ત કહેવાય છે. ગૃહસ્થ પોતાના માટે અને જૈન મુનિ માટે એવા મિશ્ર ભાવોથી જે આહારાદિ બનાવે તે મિશ્રજાત દોષ કહેવાય છે. ગૃહસ્થ માટે બનેલા નિર્દોષ આહાર આદિને દાતા સાધુ માટે જુદો રાખી મૂકે અને ઘરના માટે બીજો બનાવે, જ્યારે જ્યારે સાધુ-સાધ્વી પધારે ત્યારે તે રાખેલો પદાર્થ તેને જ વહોરાવે. આ રીતે સાધુઓ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org