Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૮૨ |
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
ભાવાર્થ :- કોઈ ગૃહસ્થ સાધુના શરીર પર તેલ, ઘી, માખણ કે સ્નિગ્ધ પદાર્થો વગેરે ચોપડે, તેનું માલિશ કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ તેમજ વચન અને કાયાથી કરાવે નહિ. |१५ सिया से परो कायं लोद्धेण वा कक्केण वा, चुण्णेण वा वण्णेण वा उल्लोलेज्ज वा उव्वलेज्ज वा, णो तं साइए णो तं णियमे ।। ભાવાર્થ :- કોઈ ગૃહસ્થ મુનિના શરીર પર લોધક, સુગંધી દ્રવ્ય, ચૂર્ણ કે અબીલાદિ ચોળે, તેનો લેપ કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ તેમજ વચન અને કાયાથી કરાવે નહિ. |१६ सिया से परो कायं सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा, उच्छोलेज्ज वा पधोएज्ज वा, णो तं साइए णो तं णियमे । ભાવાર્થ :- કોઈ ગૃહસ્થ સાધુના શરીરને ઠંડા કે ગરમ પાણીથી એકવાર કે વારંવાર ધુએ, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ તેમજ વચન અને કાયાથી કરાવે નહિ. | १७ सिया से परो कार्य अण्णयरेणं विलेवणजाएणं आलिंपेज्ज वा विलिंपेज्ज वा, णो तं साइए णो तं णियमे । ભાવાર્થ - કોઈ ગૃહસ્થ મુનિના શરીર પર એકવાર કે વારંવાર વિશિષ્ટ પ્રકારના વિલેપનનો લેપ કરે, તો તેને સાધુ મનથી પણ ઇચ્છે નહિ તેમજ વચન અને કાયાથી કરાવે નહિ. | १८ सिया से परो काय अण्णयरेण धूवणजाएण धूवेज्ज वा पधूवेज्ज वा, णो तं साइए णो तं णियमे । ભાવાર્થ :- કોઈ ગૃહસ્થ સાધુના શરીરને કોઈપણ પ્રકારના ધૂપથી સુવાસિત કરે કે વારંવાર સુવાસિત કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ તેમજ વચન અને કાયાથી કરાવે નહિ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાધુના શરીરની ગૃહસ્થ વિવિધ પ્રકારે પરિચર્યા કરે, તો સાધુને તે ક્રિયાઓ કરાવવાનો નિષેધ કર્યો છે. કાય પરિકર્મ રૂપ પરિચર્યા ગૃહસ્થ પાસે કરાવવાથી પૂર્વોક્ત સર્વ દોષોની સંભાવના છે. બ્રણ પરિકર્મ નિષેધ :१९ सिया से परो कार्यसि वणं आमज्जेज्ज वा, पमज्जेज वा, णो तं साइए णो तं णियमे । ભાવાર્થ - કોઈ ગૃહસ્થ સાધુના શરીર ઉપર પડેલા ઘાવને એકવાર સાફ કરે કે વારંવાર સાફ કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ.
२० सिया से परो कार्यसि वणं संबाहेज्ज वा, पलिमद्देज्ज वा, णो तं साइए णोतं ળિયને .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org