Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૧૫
ભાવાર્થ :-- આ પ્રમાણે પાંચ ભાવનાઓથી યુક્ત ત્રીજા મહાવ્રતની સમ્યક પ્રકારે કાયાથી સ્પર્શના કરવાથી, તેનું પાલન કરવાથી, ગ્રહણ કરેલા મહાવ્રતને સારી રીતે પાર પામવાથી, તેનું કીર્તન કરવાથી તથા તેમાં સ્થિર થવાથી ભગવાનની આજ્ઞાની આરાધના થાય છે.
હે ભગવન્ ! આ અદત્તાદાન વિરમણ રૂપ ત્રીજું મહાવ્રત છે.
૩૩
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ત્રીજા અદત્તાદાન વિરમણ મહાવ્રતના સ્વરૂપનું તથા તેની પાંચ ભાવનાઓનું પ્રતિપાદન છે.
અદત્તાદાન :- અદત્ત + આદાન. કોઈના દ્વારા ન દીધેલું ગ્રહણ કરવું, તે અદત્તાદાન છે. માલિકની આજ્ઞા વિના વસ્તુ લેવી, તે અદત્તાદાન અર્થાત્ ચોરી છે. ચોરી કરનાર વ્યક્તિનું મન હંમેશાં અનેક સંકલ્પ-વિકલ્પોમાં મુંઝાયા કરે છે, તે વ્યક્તિ શાંત ચિત્તે કોઈપણ આરાધના કરી શકતી નથી.
વસ્તુ અલ્પ હોય કે અધિક હોય, નાની હોય કે મોટી હોય, સચેત હોય કે અચેત હોય, સાધુ તે વસ્તુના માલિકની આજ્ઞા વિના ગ્રહણ કરતા નથી. તીર્થંકરની કે ગુરુની આજ્ઞાનો ભંગ કરવો, તે પણ ક્રમશઃ તીર્થંકર અદત્ત અને ગુરુ અદત્ત કહેવાય છે.
સાધકો સર્વ પ્રકારના અદત્તનો નવકોટિએ જીવન પર્યંત ત્યાગ કરે છે.
પાંચ ભાવના :– (૧) વિચારપૂર્વક પરિમિત અવગ્રહની યાચના કરવી. સાધુએ કોઈપણ વસ્તુની યાચના કરતાં પહેલાં પોતાની આવશ્યકતા અને કલ્પનીય-અકલ્પનીયતાનો વિચાર કરવો જરૂરી છે. સાધુ પોતાની આવશ્યકતા પ્રમાણે કલ્પનીય વસ્તુ જ ગ્રહણ કરે છે. આવશ્યકતાથી અધિક ગ્રહણ કરવાથી કે અકલ્પનીય વસ્તુ ગ્રહણ કરવાથી તીર્થંકરની આજ્ઞાનો ભંગ થાય છે. સાધુ જીવનમાં આજ્ઞા ભંગ તે તીર્થંકર અદત્ત હોવાથી એક પ્રકારનું અદત્ત છે, તેથી સાધુએ ઉપરોક્ત વિષયમાં વિવેક રાખવો જરૂરી છે.
(૨) ગુરુની આજ્ઞાપૂર્વક આહાર-પાણીની યાચના કરવી. સાધુએ પોતાની આવશ્યકતાઓનું નિવેદન આચાર્ય, ગુરુ કે રત્નાધિક સંતની સમક્ષ કરવાનું હોય છે અને તેમની આજ્ઞાપૂર્વક તે-તે વસ્તુની યાચના ગૃહસ્થો પાસે કરવાની હોય છે. જો ગુરુની આજ્ઞા વિના યાચનાપૂર્વક નિર્દોષ વસ્તુ લાવે, તો પણ તેને ગુરુ અદત્તનો દોષ લાગે છે, તેથી સાધુએ તથાપ્રકારની પ્રવૃત્તિ કરવી ન જોઈએ.
(૩) ક્ષેત્ર-કાલની મર્યાદાપૂર્વક અવગ્રહની યાચના કરવી. સાધુ કોઈ પણ ઉપાશ્રય કે મકાનની આજ્ઞા ગ્રહણ કરે, ત્યારે તેના ક્ષેત્ર અને કાલની મર્યાદા નિશ્ચિત કરવી જરૂરી છે. તેનું તાત્પર્ય એ છે કે ગૃહસ્થના મકાનમાંથી પોતે કેટલા સ્થાનનો ઉપયોગ કરશે અને કેટલા કાલ સુધી રહેશે, પરઠવા માટે કઈ જગ્યાનો ઉપયોગ કરશે તેની સ્પષ્ટતા કર્યા પછી સાધુ તે સ્થાનમાં રહે છે. નધણિયાતી જગ્યામાં પરઠવાનું થાય તો શકેન્દ્રની આજ્ઞા હણ કરીને પરી શકાય છે. તે મર્યાદાનું ઉલ્લંઘન થવાથી અદત્તનો દોષ લાગે છે.
Jain Education International
(૪) વારંવાર અવગ્રહની આજ્ઞા ગ્રહણ કરે. સાધુ જેટલીવાર કોઈ પણ વસ્તુની યાચના માટે જાય, તેટલી વાર ગુરુની આજ્ઞા ગ્રહણ કરે. ગૃહસ્થ પાસેથી ગ્રહણ કરેલા પાટ-પાટલા આદિ કોઈ પણ પાડીહારી વસ્તુનો ઉપયોગ કરતાં પહેલાં પ્રતિદિન ગૃહસ્થની આજ્ઞા ગ્રહણ કરે. પ્રતિદિન આજ્ઞા ગ્રહણ કરવાથી તે વસ્તુ મારી નથી તેવી ભાવના દઢતમ થાય છે, તેથી સાધુને તેમાં માલિકી ભાવ કે મમત્વભાવ
For Private & Personal Use Only
www.jainelibrary.org