Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| २८
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
ભાવાર્થ - કોઈ ગૃહસ્થ સાધુના માથામાંથી જૂ, લીખ કાઢે કે મસ્તક સાફ કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ. પરિચર્યારૂપ પરક્રિયા નિષેધઃ३९ सिया से परो अंकंसि वा पलियंकंसि वा तुयट्टावेत्ता पायाई आमज्जेज्ज वा पमज्जेज्ज वा, णो तं साइए णो तं णियमे । एवं हेट्ठिमो गमो पायादि भाणियव्वो । ભાવાર્થ - કોઈ ગૃહસ્થ સાધને પોતાના ખોળામાં કે પલંગમાં સુવડાવીને તેના પગને વસ્ત્રાદિથી એકવાર કે વારંવાર સારી રીતે લૂછીને સાફ કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ. “ પગને દબાવવાથી લઈને પરુ, લોહી આદિ કાઢીને સાફ કરે” ત્યાં સુધીના સર્વ પાઠનું કથન કરવું અર્થાત્ પૂર્વોક્ત એક પણ ક્રિયાને સાધુ મનથી ઇચ્છે નહિ અને વચનથી તથા કાયાથી કરાવે નહિ. ४० सिया से परो अंकंसि वा पलियंकसि वा तुयावेत्ता हारं वा अद्धहारं वा उरत्थं वा गेवेयं वा मउडं वा पालंबं वा सुवण्णसुत्तं वा आविंधेज्ज वा पिणिधेज्ज वा, णो तं साइए णो त णियमे । शार्थ :- आविंधेज्ज = पांघे पिणिधेज्ज = ५डेरावेतो. ભાવાર્થ :- કોઈ ગુહસ્થ સાધુને પોતાના ખોળામાં કે પલંગમાં સુવડાવીને હાર-અઢાર સરનો હાર, અર્ધહાર–નવ સરનો હાર, વક્ષસ્થળનું આભૂષણ, ગળાનું આભૂષણ, મુકુટ, લાંબી માળા, સોનાનો કંદોરો વગેરે બાંધે કે પહેરાવે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ તથા વચન અને કાયાથી કરાવે નહિ. |४१ सिया से परो आरामंसि वा उज्जाणंसि वा णीहरित्ता वा पविसेत्ता वा पायाइं आमज्जेज्ज वा, पमज्जेज्ज वा णो तं साइए णो तं णियमे । एवं हेट्रिमो गमो पायादि भाणियव्वो । ભાવાર્થ :- કોઈ ગૃહસ્થ સાધુને ઉપવન કે ઉદ્યાનમાં લઈ જઈને, તેમાં પ્રવેશ કરાવીને તેના પગ લૂછે કે વારંવાર સારી રીતે લૂછીને સાફ કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ તથા વચન અને કાયાથી કરાવે નહિ. આ રીતે અંક–પલિયંકની જેમ ઉપવન, ઉદ્યાનના વિષયમાં પૂર્વોક્ત “પગને દબાવવાથી લઈને પરુ, લોહી આદિ કાઢીને સાફ કરે” ત્યાં સુધીના સર્વ પાઠનું કથન કરવું. ४२ सिया से परो सुद्धणं वा वइबलेणं तेइच्छं आउट्टे, सिया से परो असुद्धणं वइबलेणं तेइच्छं आउट्टे, सिया से परो गिलाणस्स सचित्ताणि कंदाणि वा मूलाणि वा तयाणि वा हरियाणि वा खणित्तु वा कड्ढेत्तु कड्ढावेत्तु वा तेइच्छं आउट्टेज्जा, णो तं साइए णो तं णियमे ।।
कडुवेयणा कटु वेयणा पाण-भूय-जीव-सत्ता वेयणं वेदेति । शार्थ :- सुद्धणं = शुद्ध वइबलेणं = मंत्राहिन थी तेइच्छं = वित्सिा , आउट्टे = ४२॥ ७ खणित्तु = मोहीने कड्ढेत्तु = ढीने कडावेत्तु = ४ढावीने.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org