Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ૩૧૬ |
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
થયા. સિંહાસન ઉપર બેસીને ભગવાને અલંકારો ઉતાર્યા. તરત જ વૈશ્રમણ દેવે ઘૂંટણ જમીન ઉપર ઢાળીને અર્થાતુ વજાસને બેસીને ભક્તિભાવ પૂર્વક પ્રભુના આભૂષણોને હંસ સમાન ઉજ્જવળ અને હંસના ચિહ્નથી યુક્ત સફેદ વસ્ત્રમાં ગ્રહણ કર્યા.
ત્યાર પછી ભગવાને જમણા હાથથી જમણી તરફના અને ડાબા હાથથી ડાબી તરફના દેશોનો પંચમુષ્ઠિ લોચ કર્યો. દેવરાજ શકેન્દ્ર શ્રમણ ભગવાન મહાવીરની સામે ઘૂંટણ જમીન ઉપર ઢાળીને અર્થાત્ વજાસને બેસીને, તે કેશોને વજરત્નમય થાળમાં ગ્રહણ કર્યા, કેશોને ગ્રહણ કરીને, હે પ્રભો! આપની આશા હો, એમ કહીને તે કેશોને વૈક્રિય શક્તિ દ્વારા સંહરણ કરીને ક્ષીર સમુદ્રમાં વિસર્જિત કર્યા, ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સિદ્ધોને નમસ્કાર કર્યા, નમસ્કાર કરીને, આજથી મારા માટે સર્વ પાપકર્મ અકરણીય છે અર્થાત સર્વ પ્રકારની પાપકારી પ્રવૃત્તિઓનો હું ત્યાગ કરું છું, આ પ્રમાણે પ્રતિજ્ઞાનું ઉચ્ચારણ કરીને સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું. તે સમયે દેવો અને મનુષ્યો બંનેની પરિષદ ચિત્રવત્ સ્તબ્ધ બની ગઈ અર્થાત્ સ્થિર થઈ ગઈ. १. दिव्वो मणुस्सघोसो, तुरियणिणाओ य सक्कवयणेणं ।
खिप्पामेव णिलुक्को, जाहे पडिवज्जइ चरितं ॥ શબ્દાર્થ :- ગાદે - જ્યારે ભગવાન રત્ત = ચારિત્રને કવન્કર = ગ્રહણ કર્યું ત્યારે જો = દેવોના શ્રેષ્ઠ શબ્દમપુસ્તયોનો = મનુષ્યોના શબ્દ તરિણામો = વાજિંત્રોના શબ્દો સર્જયો = શક્રેન્દ્રના આદેશથી gિMામેવ frો = તત્કાલ શાંત થઈ ગયા. ભાવાર્થ :- જે સમયે ભગવાન ચારિત્ર ગ્રહણ કરી રહ્યા હતા તે સમયે શક્રેન્દ્રના આદેશથી દેવોના દિવ્ય સ્વર, વાદ્યોના અવાજ અને મનુષ્યોના શબ્દો શીધ્ર બંધ થઈ ગયા અર્થાત્ સર્વે મૌન થઈ ગયા.
म पडिवज्जित्तु चरित्तं, अहोणिसिं सव्वपाणभूयहियं ।
T સાહોમપુરા, મહુવા દેવા સામતિ ! શબ્દાર્થઃ-વત્તિ વિનિg = ચારિત્રને ગ્રહણ કરીને ગાલિ= રાત દિવસ સવ્વપાશ્રય = સર્વપ્રાણી, ભૂતને હિતકારી સાક્મ પુત્રા = હર્ષથી જેના રોમકૂપ પુલકિત થયા છે તેવા મyયા જેવા = મનુષ્યો અને દેવો બિસતિ = સાંભળ્યું. ભાવાર્થ - ભગવાને સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોને સદાય હિતકારી ચારિત્ર અંગીકાર કર્યું ત્યારે સર્વ મનુષ્યો અને દેવોએ હર્ષથી રોમાંચિત થઈને પ્રભુની પ્રતિજ્ઞાના શબ્દોને સાંભળ્યા. |३७ तओ णं समणस्स भगवओ महावीरस्स सामाइयं खाओवसमियं चरित्तं पडिवण्णस्स मणपज्जवणाणे णामं णाणे समुप्पण्णे । अड्डाइज्जेहिं दीवहिं, दोहिं य समुद्देहि, सण्णीणं पंचेंदियाणं पज्जत्ताणं वियत्तमणसाणं मणोगयाइं भावाई ગાબડું | ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ક્ષાયોપથમિક સામાયિક ચારિત્ર ગ્રહણ કર્યું કે તુરંત જ તેમને મન:પર્યવજ્ઞાન નામનું ચોથું જ્ઞાન ઉત્પન્ન થયું. તે જ્ઞાનથી તેઓ અઢીદ્વીપ અને બે સમુદ્રોમાં રહેલા પર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિય અને વ્યક્ત મનવાળા જીવોના મનોગત ભાવોને જાણવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org