Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૭ : ઉદ્દેશક-૧
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને માટે વર્જિત સ્થાનોનું પ્રતિપાદન શય્યષણા અધ્યયનના અતિદેશપૂર્વક કર્યું છે.
જે સ્થાનમાં રહેવાથી જીવોની હિંસા તેમજ સંયમની વિરાધના થતી હોય,મનમાં વિકારો જાગૃત થાય અને સ્વાધ્યાય, ધ્યાનમાં વિઘ્ન થાય તેવા સ્થાનમાં સાધુ, સાધ્વીએ રહેવું જોઈએ નહિ. કદાચિત્ કોઈ ગામમાં સંયમ સાધનાને અનુકૂળ મકાન ન મળે તો સાધુ એકાદ દિવસ ત્યાં રહીને અન્યત્ર વિહાર કરી જાય. આ રીતે સાધુ અલ્પ સમય માટે ગૃહસ્થના આવાગમન યુક્ત ઉપરોક્ત કેટલાક અકલ્પનીય મકાનમાં રહી શકે છે. આ અપવાદ માર્ગ છે, બૃહત્કલ્પ સૂત્રમાં આ અપવાદ માર્ગનું કથન છે. તેમ છતાં બ્રહ્મચર્યમાં બાધક સ્ત્રીયુક્ત મકાનમાં સાધુ અલ્પ સમય માટે પણ ન રહે.
ઉપસંહારઃ
१४ एवं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सव्वद्वेहि समिए सहिए सया जएज्जासि । त्ति बेमि ।
Jain Education International
ભાવાર્થ :- આ અવગ્રહ ગ્રહણ વિવેક જ સાધુ કે સાધ્વીના આચારની સમગ્રતા-સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ-સાધ્વીઓએ સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.
૭
|| અધ્યયન-૭/૧ સંપૂર્ણ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org