Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૬૪ ]
શ્રી આચારાંગ સૂત્ર: વિતીય શ્રુતસ્કંધ
નિયત- નધાયતન-તીર્થસ્થાન. જે સ્થાનમાં લોકો પુણ્યાર્થે સ્નાન કરી રહ્યા હોય, તેવા નદીના ઘાટ આદિ, તેના આસ-પાસની કે નજીકની જગ્યામાં. પ તલુ - પંકાયતન. પંક = કીચડ, જલસ્થાનના કિનારે કીચડયુક્ત સ્થાનમાં પુણ્યની ઇચ્છાથી લોકો આળોટે છે, તે સ્થાન.
વાતનુઃ - ઘાયતન. ઓઘ = પ્રવાહ. તળાવાદિ કોઈ પણ જલસ્થાનોમાં જલ પ્રવાહનું પ્રવેશ સ્થાન. તે સ્થાનનું જળ પીવાના ઉપયોગમાં આવે છે. તે સ્થાન પવિત્ર મનાય છે. હાવિશ્વતિ :- ડાળ પ્રધાન, પત્ર પ્રધાન આદિ લીલોતરીને સૂકવવા માટે ઢગલા કર્યા હોય તે સ્થાન કે સંગ્રહ કરવાના સ્થાન. ઉચ્ચાર પ્રસવણ પરિષ્ઠાપન વિધિઃ| २३ से भिक्खू वा भिक्खुणी वा सपाययं वा परपाययं वा गहाय से तमायाए एगंतमवक्कमेज्जा, अणावायंसि असंलोयंसि अप्पपाणंसि जाव मक्कडासंताणयंसि अहारामंसि वा उवस्सयंसि वा तओ संजयामेव उच्चारपासवणं वोसिरेज्जा, उच्चारपासवणं वोसिरित्ता से तमायाए एगतमवक्कमेज्जा, अणावायसि जाव मक्कडासंताणयंसि अहारामंसि वा झामथंडिलंसि वा अण्णयरंसि वा तहप्पगारंसि थंडिलंसि अचित्तंसि तओ संजयामेव उच्चार-पासवणं परिट्ठवेज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી પોતાનું પાત્ર કે બીજાના પાત્રને લઈને એકાંત સ્થાનમાં જાય, જ્યાં કોઈનું આવાગમન ન હોય, કોઈ જોતું ન હોય, કોઈ પણ જીવ થાવત્ કરોળિયાના જાળાદિ ન હોય તેવા બગીચા કે ઉપાશ્રયના એકાંત સ્થાનમાં પોતાના ઉચ્ચાર માત્રકમાં યત્નાપૂર્વક મળ-મૂત્રનો ત્યાગ કરે. ત્યાર પછી તે પાત્રને(ઉચ્ચાર પાત્રકને) લઈને એકાંત સ્થાનમાં જાય, જ્યાં કોઈ આવતું જતું ન હોય, દેખાતું ન હોય, કોઈ જીવજંતુની વિરાધનાની સંભાવના ન હોય યાવત્ કરોળિયાના જાળા ન હોય તેવા બગીચાની બહારની ભૂમિમાં કે બળેલી જગ્યામાં અથવા તથાપ્રકારની અન્ય નિર્દોષ જગ્યામાં સાધુ યતનાપૂર્વક મળ-મૂત્રને પરઠે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સાધુને માટે પરઠવાની વિધિનું કથન છે.
સાધુએ લોકોના આવાગમન રહિત, એકાંત અને નિર્દોષ સ્થાનમાં મળ-મૂત્રનો ત્યાગ કરવો જોઈએ. પરઠવા યોગ્ય ભૂમિ માટે સૂત્રકારે મુખ્યત્વે ત્રણ વિશેષણનો પ્રયોગ કર્યો છે. (૧) સગવાશિ :- આ શબ્દના બે અર્થ થાય છે– અનાપાત = લોકોના આવાગમન રહિત એકાંત સ્થાન અને અનાબાધ = જ્યાં કોઈ પણ પ્રકારની મનાઈ કે સરકારી પ્રતિબંધ ન હોય, તેવું સ્થાન. કોઈ સ્થાનમાં લોકોનું આવાગમન ન હોય, પરંતુ ત્યાં તેના માલિકનો કે સરકારનો પ્રતિબંધ હોય, જેમ કે કોઈ ગૃહસ્થનું જૂનું મકાન પડ્યું હોય, ત્યાં કોઈનું આવાગમન ન હોય પરંતુ ત્યાં પરઠવા માટે માલિકનો પ્રતિબંધ હોય, તો સાધુ ત્યાં પરઠ નહીં. (૨) મનોસિ:- લોકો જોતાં ન હોય તેવું સ્થાન. ઘણીવાર લોકો ત્યાંથી આવતાં-જતાં ન હોય પરંતુ દૂરથી કે ઉપરથી લોકો જોતાં હોય, તેવું સ્થાન પણ સાધુને પરઠવા યોગ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org