Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૦૦ |
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
આયુષ્યમાન ભાઈ કે બહેન! તે વસ્ત્ર લાવો, આપણે તે શ્રમણને આપીએ, આપણા માટે પ્રાણી, ભૂત, જીવ, સત્ત્વોનો સમારંભ કરીને બીજું વસ્ત્ર બનાવી લેશું. આ પ્રકારના શબ્દોને સાંભળીને, તેના પર વિચાર કરીને તે પ્રકારના વસ્ત્રને અપ્રાસુક અને અષણીય જાણીને ગ્રહણ કરે નહિ. १४ सिया णं परो णेत्ता वएज्जा- आउसो ! ति वा, भइणी ! ति वा, आहरेयं वत्थं सिणाणेण वा जाव आघंसित्ता वा पपंसित्ता वा समणस्स णं दासामो। एयप्पगारं णिग्घोसं सोच्चा णिसम्म से पुव्वामेव आलोएज्जा- आउसो ! ति वा भइणी ! ति वा मा एयं तुमं वत्थं सिणाणेण वा जाव आघसाहि पघसाहि वा अभिकखसि मे दाउं एमेव दलयाहि । से सेवं वयंतस्स परो सिणाणेण वा जाव आघसित्ता पघंसित्ता वा दलएज्जा । तहप्पगारं वत्थं अफासुयं जाव णो पडिगाहेज्जा । શબ્દાર્થ :- પર નેત્તા વEMા = અન્ય ગૃહમાલિક કહે કે યં વ€ આદર = આ વસ્ત્ર લાવો સિગારેખ = સ્નાનાદિમાં વપરાતા સુગંધિ દ્રવ્યોથી આયંતિ વા વયંસિTI = સુગંધિત કરીને કે વારંવાર સુગંધિત કરીને. ભાવાર્થ :- ક્યારેક ગૃહમાલિક ઘરના કોઈ સભ્યને એ પ્રમાણે કહે કે– હે આયુષ્યમાન ભાઈ અથવા બહેન ! તે વસ્ત્ર લાવો અને આપણે તે વસ્ત્રને સ્નાનાદિના સુગંધિત દ્રવ્યોથી એકવાર કે વારંવાર ઘસીને (સુગંધિત દ્રવ્યો છાંટીને) સુગંધિત કરીને સાધુને આપીએ. આ પ્રકારના વચન સાંભળીને તેમજ તેના પર વિચાર કરીને સાધુ પહેલાં જ કહી દે છે આયુષ્યમાન ગૃહસ્થ ! હે આયુષ્યમતી બહેન ! તમે આ વસ્ત્રને
સ્નાનાદિના સુગંધિત પદાર્થોથી એકવાર કે વારંવાર ઘસો નહિ યાવત સુગંધિત પદાર્થો છાંટશો નહિ. જો તમે મને આ વસ્ત્ર આપવા ઇચ્છતા હો તો એમ જ આપો. આમ કહેવા છતાં પણ જો તે ગૃહસ્થ સ્નાનના સુગંધિત દ્રવ્યોથી એકવાર કે વારંવાર ઘસીને યાવત સુગંધિત પદાર્થો છાંટીને આપે તો તે પ્રકારના વસ્ત્રને અપ્રાસુક અને અષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં પણ સાધુ ગ્રહણ કરે નહિ. १५ से णं परो णेत्ता वएज्जा- आउसो ! ति वा, भइणी ! ति वा, आहरेयं वत्थं सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेत्ता वा पधोवेत्ता वा समणस्स णं दाहामो । एयप्पगारं णिग्घोसं सोच्चा णिसम्म से पुवामेव आलोएज्जाआउसो ! त्ति वा भइणि ! त्ति वा एयं तुमं वत्थं सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेहि वा पधोवेहि वा । अभिकंखसि मे दाउं: सेसं तहेव जाव णो पडिगाहेज्जा । ભાવાર્થ :- ક્યારેક ગૃહસ્થ ઘરના કોઈ પણ સદસ્યને કહે કે તું આયુષ્યમાન ભાઈ કે બહેન ! તે વસ્ત્રને લાવો, તેને ઠંડા કે ગરમ પાણીથી એકવાર કે વારંવાર ધોઈને શ્રમણને આપીએ. આ પ્રકારની વાત સાંભળીને તેમજ તેના પર વિચાર કરીને સાધુ પહેલાં જ દાતાને કહે કે હે આયુષ્યમાન ગૃહસ્થ ભાઈ કે બહેન ! આ વસ્ત્રને તમે ઠંડા કે ગરમ પાણીથી એકવાર કે વારંવાર ધુઓ નહિ. જો તમે મને આ વસ્ત્ર આપવા ઇચ્છતા હો, તો એમ જ આપો. આ પ્રમાણે કહેવા છતાં પણ જો તે ગૃહસ્થ તે વસ્ત્રને ઠંડા કે ગરમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org