Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૩ : ઉદ્દેશક-૩
जे तत्थ सव्वराइणिए से भासेज्ज वा वियागरेज्ज वा, राइणियस्स भासमाणस्स वा वियागरेमाणस्स वा णो अंतरा भासं भासेज्जा । तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा ।
ભાવાર્થ:રત્નાધિક સાધુઓની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુ કે સાધ્વીને રસ્તામાં કોઈ પથિક સામે મળે અને પૂછે કે હે આયુષ્યમાન શ્રમણ ! આપ કોણ છો ? ક્યાંથી આવો છો ? અને ક્યાં જશો ? ત્યારે દીક્ષા પર્યાયમાં સહુથી મોટા હોય, તે સામાન્ય કે વિશેષ રૂપે ઉત્તર આપે છે. રત્નાધિક સામાન્ય કે વિશેષરૂપે ઉત્તર આપતા હોય ત્યારે(અન્ય સાધુ કે સાધ્વી) વચમાં બોલે નહીં, પરંતુ મૌન રાખીને ઈર્યા સમિતિનું ધ્યાન રાખતા તેઓની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરે.
વિવેચનઃ
૧૬૩
પ્રસ્તુત સૂત્રમાં વિહારચર્યામાં સાધુના મૂળભૂત વિનયધર્મનું નિરૂપણ છે. આચાર્ય, ઉપાધ્યાય કે રત્નાધિક સાધુની સાથે વિહાર કરતા સમયે સાધુએ તેઓની કોઈ પણ રીતે અવિનય-આશાતના, અભક્તિ આદિ ન થાય તેમજ વ્યવહારમાં તેઓનું સન્માન તેમજ આદર રહે તેનું ધ્યાન રાખવું આવશ્યક છે. સાધુ પોતાના વડીલ સંતોની આગળ કે પાછળ ન ચાલે. આગળ ચાલવાથી વડીલોનું બહુમાન રહેતું નથી, પાછળ ચાલવાથી ક્યારેક વડીલોને સહારાની જરૂર પડે, ત્યારે વડીલોને મુશ્કેલી થાય છે, તેથી તેઓ સાથે અથડાઈ ન જવાય, તે રીતે વિવેકપૂર્વક વડીલ સંતોની સાથે ચાલે. રસ્તામાં કોઈ પ્રશ્નો પૂછે, તોપણ વડીલ સંતો જ ઉત્તર આપે, તેમની વચ્ચે નાના સંતો બોલે, તો તેમાં પણ વડીલ શ્રમણનું અપમાન થાય છે, તેથી સાધુ વડીલ શ્રમણો સાથે વિનય-વિવેકપૂર્વક ગમન કરે. સાધ્વીઓમાં આચાર્ય પદવી નથી. સાધ્વીજીઓ પ્રવર્તિની સાધ્વી સાથે વિહાર કરતાં તેનો અવિનય કે આશાતના ન થાય તે રીતે ચાલે, તેમ પ્રસ્તુતમાં સમજવું.
વિહારચર્યામાં ભાષાસંયમઃ
७ से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से पाडिपहिया आगच्छेज्जा, ते णं पाडिपहिया एवं वएज्जा आउसंतो समणा ! अवियाई एत्तो पडिप पासह, तं जहा- मणुस्सं वा गोणं वा महिसं वा पसुं वा पक्खि वा सरीसवं वा जलयरं वा, से तं मे आइक्खह, दंसेह । तं णो आइक्खेज्जा, णो दंसेज्जा, णो तस्स तं परिण्णं परिजाणेज्जा, तुसिणीओ उवेहेज्जा, जाणं वा णो जाणं ति वएज्जा । तओ संजयामेव गामाणुगामं दूइजेज्जा ।
I
શબ્દાર્થ :- નો આવવુંન્ગા = કહે નહિ ખો લેખ્ખા = બતાવે નહિ ળો તક્ષ્ણ परिण्णं પરિખાળે ખ્ખા = તેના તે વચનનો સ્વીકાર કરે નહિ તુસિળી ્ વેદેખ્ખા = મૌન રહે બાળ વા નો નાળ તિ વજ્જ્ઞા = જાણવા છતાં પણ હું જાણું છું તેમ કહે નહિ. જો મૌન રાખવું પણ શક્ય ન રહે તો જાણવા છતાં પણ હું કંઈ જાણતો નથી, તેમ કહે.
ભાવાર્થ :
ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુ કે સાધ્વીને રસ્તામાં કોઈ પથિક સામે મળે અને તે
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org