Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૨: ઉદ્દેશક-૨
_
| ૧૧૩]
भुज्जो संवसंति अयमाउसो उवट्ठाणकिरिया यावि भवइ । શબ્દાર્થ :- ને મયંતા = જો મુનિ ૩ડુદ્ધિવં વાવાસિયં = શેષકાળમાં કે ચાતુર્માસમાં | ૩વાફળાવિત્તા = કલ્પ વિતાવીને તે = તે બીજી જગ્યાએ કુવા તિકુળ = શેષકાળનો બમણો અને ચોમાસાનો ત્રણ ગુણો સમય. ભાવાર્થ :- સાધુ કે સાધ્વીએ ધર્મશાળાઓ યાવતુ તાપસોના મઠ આદિ જે સ્થાનમાં ઋતુબદ્ધ કલ્પશેષકાળ કે વર્ષાવાસ કલ્પ પસાર કર્યો હોય, તેમાં માસ કલ્પથી બમણો અને ચાતુર્માસ કલ્પથી ત્રણ ગણો સમય બીજી જગ્યાએ પસાર કર્યા વિના ફરી તે સ્થાનમાં આવીને રહે તો તે શ્રમણોને ઉપસ્થાન ક્રિયા દોષ લાગે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શય્યા સંબંધી બીજા પ્રકારની ઉપસ્થાન ક્રિયાનું કથન છે.
જે ક્ષેત્રમાં સાધુ-સાધ્વીઓએ માસ કલ્પ વ્યતીત કરીને ત્યાંથી વિહાર કર્યો હોય, તે સ્થાનમાં બે મહિના પહેલાં આવીને રહે અને જે ક્ષેત્રમાં ચાતુર્માસ કલ્પ વ્યતીત કર્યો હોય, તે ક્ષેત્રમાં ત્રણ ગુણો કાલ એટલે બાર મહિના પહેલાં આવીને રહે તો તે સાધુ-સાધ્વીને ઉપસ્થાન કિયા નામનો દોષ લાગે છે. કુપા તિ અપવિતા... :- અહી કુવાળા શબ્દ માસ કલ્પ માટે છે અને તિજ શબ્દ ચાતુર્માસ કલ્પ માટે છે. (૧) સાધુ માટે માસકલ્પની મર્યાદા ર૯ દિવસની છે તેથી સાધુ જે સ્થાનમાં માસકલ્પ રહ્યા હોય, તે સ્થાનમાં ઓછામાં ઓછા માસકલ્પથી બમણા અર્થાતુ ૫૮ દિવસ પહેલા આવીને રહી શકતા નથી અને સાધ્વી માટે માસિકલ્પની મર્યાદા ૫૮ દિવસની છે તેથી સાધ્વી જે સ્થાનમાં માસકલ્પ રહ્યા હોય, ત્યાં તેનાથી બમણા અર્થાત્ ૧૧૬ દિવસ પહેલા આવીને રહી શકતા નથી. (૨) સાધુ અને સાધ્વી બંનેના ચાતુર્માસ કલ્પની મર્યાદા ચાર માસની છે તેથી સાધુ કે સાધ્વી જે સ્થાનમાં ચાતુર્માસકલ્પ રહ્યા હોય, તે સ્થાનમાં ચાતુર્માસકલ્પથી ત્રણણા અર્થાતુ બાર મહિના પહેલાં ત્યાં આવીને રહી શકતા નથી. જો સાધુ કે સાધ્વી પોતાની કલ્પમર્યાદાનું ઉલ્લંઘન કરે અર્થાત્ તેની કાલમર્યાદા પૂર્ણ થયા પહેલાં ત્યાં આવીને રહે તો તેમને આ ઉપસ્થાન ક્રિયા લાગે છે. પ્રસ્તુત પ્રસંગમાં સાધુ-સાધ્વીને તે જ ક્ષેત્રમાં પુનઃ ન આવવા માટેની આ ન્યૂનતમ-ઓછામાં ઓછી કાલમર્યાદાનું કથન છે. તેનાથી વધુ સમય વ્યતીત થયા પછી, સાધુ પોતાની અનુકૂળતા અને ક્ષેત્ર સ્પર્શના પ્રમાણે તે સ્થાનમાં આવી શકે છે અને રહી શકે છે.
એક જ સ્થાનમાં ફરી ફરી વારંવાર આવવામાં પણ ત્યાં રહેતા ગૃહસ્થો સાથે રાગભાવ વગેરે થવાની સંભાવના રહે છે. (૩) અભિક્રાંત ક્રિયા:| ९ इह खलु पाईणं वा पडीणं वा दाहीणं वा उदीणं वा संतेगइया सड्ढा भवति, तं जहा- गाहावई वा जाव कम्मकरीओ वा, तेसिं च णं आयारगोयरे णो सुणिसंते भवइ, तं सद्दहमाणेहिं तं पत्तियमाणेहिं तं रोयमाणेहिं बहवे समण-माहण-अतिहि-किवण-वणीमए समुद्दिस्स तत्थ-तत्थ अगारीहिं अगाराई चेइयाई भवंति, तं जहा- आएसणाणि वा आयतणाणि वा देवकुलाणि वा सभाणि वा पवाणि वा पणियगिहाणि वा पणियसालाओ वा जाणगिहाणि वा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org