Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[
s ]
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
શબ્દાર્થ :- વીજિ = અગ્રબીજ–જેના અગ્રભાગમાં બીજ હોય, જેમ કે- કોરંટ, પુષ્પ, જપાકુસુમાદિ મૂનવીયાળ = મૂળ બીજ–જેના મૂળભાગમાં બીજ હોય જેમ કે– ઉત્પલકંદાદિ સંધવીયાળ = સ્કંધ બીજ–જેના દ્ધધ ભાગમાં(થડ ઉપર) બીજ હોય, જેમ કે થોર, વડ આદિ પરવીયા = પર્વબીજ–ગાંઠમાં બીજ હોય, જેમ કે શેરડી આદિ અનાખિ = અગ્રજાત-અગ્રભાગથી ઉત્પન્ન થનાર મૂનાથાણ = મૂળથી ઉત્પન્ન થનાર બંધનાથળ = સ્કંધથી ઉત્પન્ન થનાર પરનાયાણ = પર્વથી ઉત્પન્ન થનાર ખુલ્થ = આ સિવાય તwણનત્થણ = વનસ્પતિ વિશેષ, કંદલીનો ગર્ભ તતિલીસે = કંદલીનો ગુચ્છો ગાલિબત્થ = નાળિયેરનો ગર્ભપૂજિલ્થ = ખજૂરનો ગર્ભ તામસ્થળ = તાડનો ગર્ભ. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે જાણે કે ત્યાં કોરંટક આદિ અગ્રબીજ; ઉત્પલકંદાદિ મૂળબીજ; વડ, થોર આદિ સ્કંધબીજ; શેરડી આદિ પર્વબીજ યુક્ત વનસ્પતિ છે અથવા અગ્રજાત, મૂળજાત, અંધજાત તથા પર્વજાત વનસ્પતિ છે, તેમાં કંદલીનો ઉપરનો ભાગ, કંદલીનો ગુચ્છો, નાળિયેરનો ઉપરનો ભાગ, ખજૂરનો, તાડનો ઉપરનો ભાગ, આ પદાર્થોને છોડીને, બીજી આવા પ્રકારની જે વનસ્પતિ કાચી છે, શસ્ત્રથી પરિણત થઈ નથી, સાધુ તેને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ. | १३ से भिक्खू वा भिक्खुणी वा जाव पविढे समाणे से जं पुण जाणेज्जाउच्छु वा काणं अंगारियं संमिस्सं विगदूमियं; वेत्तग्गं वा कंदलिऊसुयं वा अण्णयर वा तहप्पगार आम असत्थपरिणय जाव णो पडिगाहेज्जा । શબ્દાર્થ :- છં = શેરડી શT = છેદવાળી પોલી શેરડી અંકિં = ઋતુ વિશેષથી બદલાયેલા રંગવાળી શેરડી નર્સ = ફાટેલા સાંઠાવાળી શેરડી વિહૂમિ = શિયાળ આદિ દ્વારા થોડી ખાધેલી શેરડી વાર = નેતરનો અગ્રભાગ સિસુરા = કદલીનો ગર્ભ. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે ત્યાં (૧) પોલી શેરડીની ગંડેરી, (૨) ઋતુ પરિવર્તનથી કે રોગના કારણે વિકૃત થઈ ગયેલા વર્ણવાળી શેરડી, (૩) ફાટેલા સાંઠાવાળી શેરડી, (૪) શિયાળ આદિ દ્વારા થોડી ખવાયેલી શેરડી, (૫) નેતરનો અગ્રભાગ, (૬) કદલીનો મધ્યભાગ અથવા તેવા પ્રકારની અન્ય વનસ્પતિ કાચી છે, શસ્ત્રથી પરિણત થઈ નથી, તો તેને અપ્રાસુક અને અષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ. १४ से भिक्खू वा भिक्खुणी जाव पविढे समाणे से जं पुण जाणेज्जा- लसुणं वा लसुणपत्तं वा लसुणणालं वा लसुणकंदं वा लसुणचोयगं वा, अण्णयरं वा तहप्पगारं आमं असत्थपरिणयं अफासुयं जाव णो पडिगाहेज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે ત્યાં લસણ, લસણના પાન, તેની દાંડી, લસણનો કંદ કે લસણની છાલ કે બીજી તેવા પ્રકારની કાચી વનસ્પતિ છે, શસ્ત્રથી પરિણત નથી, તો તેને અપ્રાસુક અને અષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ. १५ से भिक्खू वा भिक्खुणी वा जाव पविढे समाणे से जं पुण जाणेज्जा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org