Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-૨: ઉદ્દેશક-૧
[ ૯૯ ]
દરવાજાને મોટો બનાવ્યો છે વગેરે સર્વ કથન પિંડેષણા અધ્યયન પ્રમાણે જાણવું યાવત સાધુને માટે ઉપાશ્રયની અંદરથી ઉપકરણો(સામાન) બહાર કાઢયા છે અને તે બીજાએ ઉપયોગમાં લીધો નથી, ઉપાશ્રય અપુરુષાંતરકૃત કાવત્ અનાસવિત છે, તો સાધુ ત્યાં રહે નહીં કે શયનાસન કરે નહિ.
જો તે એમ જાણે કે તે ઉપાશ્રય પુરુષાંતરકત યાવતુ બીજાના ઉપયોગમાં આવી ગયો છે, તો સાધુ તેનું પ્રતિલેખન તેમજ પ્રમાર્જન કરીને યતનાપૂર્વક ત્યાં સ્થાન ગ્રહણ કે શયનાસન કરી શકે છે.
७ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा- असंजए भिक्खुपडियाए उदगप्पसूयाणि कंदाणि वा मूलाणि वा पत्ताणि वा पुप्फाणि वा फलाणि वा बीयाणि वा हरियाणि वा ठाणाओ ठाणं साहरइ, बहिया वा णिण्णक्खू, तहप्पगारे उवस्सए अपुरिसंतरकडे जाव अणासेविए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । ___अह पुण एवं जाणेज्जा- पुरिसंतरकडे जाव आसेविए; पडिलेहित्ता पमज्जित्ता तओ संजयामेव ठाण वा सेज्ज वा णिसीहिय वा चेएज्जा । શબ્દાર્થ :- વહિયા વા frug = અંદરથી બહાર કાઢે. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ઉપાશ્રયના વિષયમાં જાણે કે આ ઉપાશ્રયમાંથી ગૃહસ્થ સાધુઓના નિમિત્તે પાણીમાં ઉત્પન્ન થયેલ કંદ, મૂળ, પત્ર, ફૂલ, ફળ, બીજ, લીલોતરી આદિ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ ગયા છે, અંદરથી બહાર કાઢયા છે અને તે ઉપાશ્રય અપુરુષાંતરકત યાવતુ અનાસવિત છે, તો ત્યાં સાધુ રહે નહીં, શયનાસન આદિ કરે નહિ.
જો એમ જાણે કે તે ઉપાશ્રય પુરુષાંતરકત થાવઆસેવિત થઈ ગયો છે, તો તેનું પ્રતિલેખન તેમજ પ્રમાર્જન કરીને યતનાપૂર્વક ત્યાં સ્થાન ગ્રહણ કે શયનાસન આદિ કરી શકે છે.
८ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा- अस्संजए भिक्खुपडियाए पीढं वा फलगं वा णिस्सेणिं वा उदूहलं वा ठाणाओ ठाणं साहरइ, बहिया वा णिण्णक्खु; तहप्पगारे उवस्सए अपुरिसंतरकडे जाव अणासेविए; णो ठाणं वा सेज्ज वा णिसीहियं वा चेएज्जा ।
अह पुण एवं जाणेज्जा- पुरिसंतरकडे जाव आसेविए; पडिलेहित्ता पमज्जित्ता तओ संजयामेव ठाणं वा सेज्ज वा णिसीहिय वा चेएज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ઉપાશ્રયના વિષયમાં જાણે કે ગૃહસ્થો સાધુઓના નિમિત્તે ત્યાં રાખેલા બાજોઠ, પાટલા, નિસરણી, ખાંડણિયો આદિ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ ગયા છે અથવા તે વસ્તુઓ બહાર કાઢી છે અને તે ઉપાશ્રય અપુરુષાંતરકૃત કાવતુ અનાસવિત છે, તો સાધુ ત્યાં રહે નહીં, શયનાસન આદિ કરે નહીં.
જો તે એમ જાણે કે તે ઉપાશ્રય પુરુષાંતરકત યાવતુ આસેવિત છે, તો તેનું પ્રતિલેખન તેમજ પ્રમાર્જન કરીને સાધુ યતનાપૂર્વક ત્યાં સ્થાન ગ્રહણ કે શયન આસન આદિ કરી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org