Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૧ : ઉદ્દેશક-૬
પહેલું અધ્યયનઃ છઠ્ઠો ઉદ્દેશક
આહારાર્થી પશુ-પક્ષીઓવાળા માર્ગમાં ગમન વિવેક ઃ
१ से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुल जाव पविट्ठे समाणे से जं पुण जाणेज्जा - रसेसिणो बहवे पाणा घासेसणाए संथडे संणिवइए पेहाए तं जहाकुक्कुडजाइयं वा सूयरजाइयं वा, अग्गपिंडंसि वा वायसा संथडा संणिवइया पेहाए, सइ परक्कमे संजया मेव परक्कमेज्जा, जो उज्जयं गच्छेज्जा ।
શબ્દાર્થ :- ડ્વેસિનો = રસની ગવેષણા કરનારા, આહારાર્થી પાસેસળાQ = આહાર માટે સંથડે ભેગા થઈ રહ્યા છે સંધિવQ = માર્ગમાં બેઠેલા વડગાË = કુકડાની જાતિના જીવો સૂયરલાયં ડુક્કરની જાતિના જીવો ગપિંકસિ = ભોજનનો પ્રારંભિક થોડોક ભાગ, તે અગ્રપિંડ આહાર ખાવા માટે વાયા = કાગડા સમડી આદિ સેંથડા = ભેગા થઈને.
૪૫
ભાવાર્થ:- સાધુ કે સાધ્વી આહાર પ્રાપ્તિ માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરતાં હોય, ત્યારે જાણે કે રસ્તામાં રસલોલુપી ઘણા પ્રાણીઓ ભેગા થઈને આહાર માટે ઊભા છે, જેમ કે– કૂકડાદિની જાતિના પ્રાણીઓ, ડુક્કરની જાતિના પ્રાણીઓ અથવા અગ્રપિંડ માટે કાગડાઓનો સમૂહ રસ્તામાં બેઠો છે. તે પ્રાણીઓને જોઈને સંયત સાધુ કે સાધ્વી બીજો રસ્તો જો હોય તો યતનાપૂર્વક તે રસ્તેથી જ જાય, પરંતુ પ્રાણીઓથી યુક્ત સીધા(ટૂંકા) રસ્તેથી જાય નહિ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીઓ માટે પશુ-પક્ષીઓને આહારમાં અંતરાય પડે, તે રીતે ગમન કરવાનો નિષેધ છે.
Jain Education International
સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ રાખનારા મુનિઓની પ્રત્યેક પ્રવૃત્તિમાં માનવ માત્ર જ નહીં પરંતુ પશુ-પક્ષીઓ આદિ જગજ્જીવોની સુરક્ષા સમાવિષ્ટ છે. સાધુ કે સાધ્વીના ગમન માર્ગમાં પશુઓ ચરતા હોય કે પક્ષીઓ ચણતા હોય, તો મુનિ ત્યાંથી પસાર ન થાય. પશુ-પક્ષીઓની વચ્ચેથી કે તેમની એકદમ બાજુમાંથી પસાર થવાથી– (૧) પશુ-પક્ષીઓ ભયભીત થઈને ભાગી જાય કે ઊડી જાય. (૨) પક્ષીના ઊડવાથી વાયુકાયના જીવો તથા પશુઓના દોડવાથી અન્ય ત્રસ જીવોની વિરાધના થાય. (૩) પશુ-પક્ષીને આહાર-પાણીમાં અંતરાય પડે. આ રીતે જીવોની પરિતાપનામાં નિમિત્ત ન બનવા માટે સાધુ અન્ય માર્ગ હોય તો તે અન્ય માર્ગ ઉપર ચાલે. અન્ય માર્ગ ન જ હોય, તો મુનિ તે જીવોને અંશ માત્ર પણ પરિતાપ ન પહોંચે, તેમ અત્યંત સાવધાની પૂર્વક ત્યાંથી પસાર થાય.
कुक्कुडजाइयं - :– પ્રસ્તુત સૂત્રમાં કૂકડાની જાતિના જીવોથી સર્વ બે પગા પક્ષીઓનું અને ડુક્કરની જાતિના કથનથી સર્વ ચાર પગા પશુઓનું ગ્રહણ કર્યું છે અને પ્રાયઃ અગ્રપિંડ કાગડા, સમડી વગેરેને જ અપાય છે, તેથી તેનું વાયત્તા શબ્દથી અલગ કથન છે. સંક્ષેપમાં કોઈ પણ જીવોના આહારાદિમાં અંતરાય ન પડે તે રીતે સાધુ ગમનાગમન કરે છે.
For Private
Personal Use Only
www.jainelibrary.org