Book Title: Swarodaygyan
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
Catalog link: https://jainqq.org/explore/001538/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિદાનંદજી મહારાજ કૃત સ્વરોદય જ્ઞાન : ભાવાનુવાદક: શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દોશી, બી.એ. ':સંપાદકઃ શ્રી ચન્દ્રકાન્ત અમૃતલાલ દોશી જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ - ૫૬ For Private & Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિદાનંદજી મહારાજ કૃત સ્વરોદય જ્ઞાન : ભાવાનુવાદક : શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દોશી, બી.એ. : સંપાદક : શ્રી ચન્દ્રકાન્ત અમૃતલાલ દોશી - ૫૮ T આ Ro) * Std TAMા : પ્રકાશક : જૈન સાહિત્ય વિકાસ મંડળ, ૯૬ બી, એસ. વી. રેડ, ઇરલા, વિલેપારલે (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ ૦૫૬. Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: ચન્દ્રકાન્ત અમૃતલાલ દોશી, મે. ટ્રસ્ટી – જૈન સાહિત્ય વિકાસ મંડળ, ૯૬ બી, સ્વામી વિવેકાનંદ ભાગ, ઇરલા, વિલે–પારલે (પશ્ચિમ), મુંબઈ–૪૦૦ ૦૫૬. મુદ્રક : વિવેક મુદ્રણાલય, ૩૬, સ્વાતંત્ર્યવીર સાવરકર ભાગે, પ્રભાદેવી, મુંબઈ-૪૦૦ ૦૨૫. પ્રથમ આવૃત્તિ, ૧૯૮૬, પ્રત : ૭૫૦ સર્વ હક્ક સ્વાધીન. મૂલ્ય: ૨૦ રૂપિયા Page #4 -------------------------------------------------------------------------- ________________ સ્વ. કય સ્વા, દયાય, શિવ સ્વરોદય' માં સ્વરજ્ઞાનનું માહાસ્ય દર્શાવતાં જણાવ્યું છે કે स्वरज्ञानात्पर गुह्यं स्वरज्ञानात्परं धनम् । स्वरज्ञानात्परं ज्ञानं न वा दृष्टं न वा श्रुतम् ॥ અથાત્ “સ્વરના જ્ઞાન કરતાં વધુ ગૂઢ યા શ્રેષ્ઠ ધન કે પરમ જ્ઞાન (કયાંય પણ) જેવા કે સાંભળવામાં આવ્યું નથી.” અતિ પ્રાચીન કાળથી સ્વરોદયની સાધનાની પરંપરા ભારતવર્ષમાં ચાલી આવે છે તેનું પ્રમાણ અનેક ગ્રંથોમાં મળી આવે છે. જે સ્વરોદયને મહિમા ઉપર દર્શાવવામાં આવ્યો છે તે ગુહ્ય વિષય ઉપરના ચિંતનન, “સ્વદય સંજ્ઞા” ઉપર વિચાર શરૂ કરીને પ્રારંભ કરીએ. સ્વર' એટલે પ્રાણશક્તિ અને તેનો ઉદય” એટલે ઉભવ. પ્રાણશક્તિ સાથે આ જ્ઞાનનું અનુસંધાન હોવા છતાં સ્વરોદય શાસ્ત્રનું અવલેકન કરીએ ત્યારે મુખ્યત્વે તેમાં શ્વાસની નિસરણની ક્રિયાની આલોચના જોવામાં આવે છે તેથી સ્વરને ઉદ્ભવ સૂચવતી સંજ્ઞા આ શાસ્ત્રને શા માટે આપવામાં આવી હશે તે પ્રશ્ન સહજ ઉપસ્થિત થાય છે. જે શ્વાસ- ઉસની ભૌતિક ક્રિયા નજરે દેખાય છે તેના મૂળમાં શું કંઈ સૂક્ષ્મ ક્રિયા અભિપ્રેત હશે ? આ પ્રકારની સંજ્ઞાઓ શાસ્ત્રોથી નિર્ણત થતી હોવાથી તેમાંથી જ તેઓના અર્થસંકેત મળી રહે તે શકય છે, તેથી “વોદય’ શબ્દાર્થનું વિશેષ ચિંતન કરીને આ રહસ્યને ઉદ્દઘાટિત કરવા માટે યત્કિંચિત પ્રયત્ન અહીં કરવામાં આવે છે. પ્રચલિત અર્થ મુજબ શ્વાસનું જ્યારે કંઠમાંથી નિસરણ થતું હોય ત્યારે કંઠમાં રહેલા સ્વરતંત્રમાં ચિત્તના આશય મુજબ જે પ્રકંપને ઉત્પન્ન 3 Page #5 -------------------------------------------------------------------------- ________________ થાય અને તે ભાષાસૂચક અથવા સગીતસૂચક અકારાદિ, કૈ સા, રે, ગ, મ વગેરેમાં ઉચ્ચાર પામે તે ‘સ્વર' કહેવાય છે. ઉચ્ચારનુ કારણ છે અંતરથ પ્રાણશક્તિ. મન, શરીર અને વાણીની સવ' ક્રિયાઓની પ્રેરક શક્તિને ‘પ્રાણ'ની સંજ્ઞા આપવામાં આવી છે. આ સૂક્ષ્મ શક્તિ ધ્વન્યાત્મક, વાંત્મક અને સ્પંદનાત્મક છે—ધ્વનિ, વણુ અને સ્પામાં તે અભિવ્યક્તિ પામે છે. આ સૂક્ષ્મ શક્તિ પ્રકૃતિમાં સર્વત્ર છે, સ પદામાં વ્યાપ્ત છે. મન અને શરીરની સ` ચેષ્ટાઓનું તે કારણ હાવાથી આ ક્રિયામાં તેને સતત વ્યય થતા રહે છે. જીવનના સંરક્ષણ માટે તેની સતત પૂર્તિ થવી જરૂરી છે. જળ અને ભાજનમાં આ શક્તિના સ ંચય હોવાથી તે શરીરને બળ આપે છે. પરંતુ તેના કરતાં અનેકગણી શક્તિ વાયુમાં હાવાથી વાયુ આ શક્તિને મુખ્ય સ્રોત ખને છે. શ્વાસ દ્વારા પ્રાણી આ શક્તિને ગ્રહણ કરી તેનેા સંચય નાભિસ્થાનમાં કરે છે. શ્વાસનુ નિઃસરણુ એ એક દેહની ચેષ્ટા અથવા જીવનની ક્રિયા છે. પ્રાણ, કઠાદિમાં ઉચ્ચાર સ્થાનાને પ્રાપ્ત કરતી વખતે શ્રાવ્ય બને છે. પર ંતુ નાસિકામાંથી શ્વાસ દ્વારા સ્વરણુ કરતાં પ્રાણુ ઇન્દ્રિયગમ્ય ન હોવાથી તેના મેધ થતા નથી અને તે ચર્ચાને વિષય અને છે. પ્રાણતત્ત્વનું શ્વાસમાં સ્વરણ થતું હાવાથી શ્વાસરૂપી ક્રિયામાં જે પ્રકાશ પામે છે તે ‘સ્વર' છે. પ્રાણ અને સ્વર્ અલગ નથી. કંઠે તથા નાસિકામાંની ઉદ્ભવ પામતા સ્વરનું આ કાય—સ્વરૂપ થયું. પ્રત્યેક કાયના મૂળમાં કારણ હોય છે એટલે સ્વરનું ગુપ્ત સ્વરૂપ જે તેના કારણ સ્વરૂપમાં રહેલું છે તે સમજવા માટે પ્રયત્ન કરીએ. અકારાદિ શબ્દોના ઉચ્ચાર તે ક ંતુ કાય છે. તે ધ્વનિ કરતાં કઈક વિશેષ છે તે સૂચવવા માટે કારણના કાયમાં આરોપ કરીને તેને ‘સ્વર' કહેવામાં આવ્યા છે. ‘સ્વર' એટલે જે સ્વરે અર્થાત્ અનુસરણુ કરે તે– જે સ્વયં પ્રકાશિત થાય છે તે સ્વર' કહેવાય છે. આવા ગુણુ ધરાવતા નિવિશેષો ‘સ્વર’ કહેવાય છે. જગતના પદાર્થાને ઓળખવા માટે તેને નામ આપવામાં આવે છે. તેના માટે અકારાદિ શબ્દો નિશ્ચિત કરવામાં આવે છે. પદાર્થાંનું સ્વરણઅનુસરણ કરનારા હાવાથી અકારાદિ સ્વર' કહેવાય છે. 4 Page #6 -------------------------------------------------------------------------- ________________ પદાર્થમય ખાદ્ય જગતની જેમ મને!મય આંતરિક જગત સાથે પણ ‘સ્વર’તે અનુસંધાન છે. 'સ્વર'ના અન્ય પાંચે છેઃ વણુ તણા અક્ષર સ્વર’ના આંતરિક જગત સાથેને સંબંધ સમજવા માટે આ સત્તા ઉપયાગી છે. જેના વડે અથ વણુ વાય તે ‘વણુ`.' જેમ લાલ આદિ વણુ -રંગ વડે ભીંત વગેરે ઉપર ચિત્ર પ્રકાશિત થાય છે તેમ વણુ -અક્ષર વડે અથ પ્રકાશિત થાય છે. જે અને ક્ષરે છે–પ્રગટ કરે છે પરંતુ પોતે ક્ષરતા-વિનાશ પામતે નથી તે અકારાદિ વણુ ‘અક્ષર' છે. તદુપરાંત જ્ઞાન પરિણામરૂપ ચેતન સ્વભાવને પણુ અક્ષર કહે છે કારણ કે તે કદી ક્ષરતા એટલે કે ચાલી જતા નથી. અક્ષય એવા ચેતન સ્વભાવમાં બુધ્ધિનુ કાય' ઉમેરાય ત્યારે વાં સમૂહ એકત્ર થાય છે. આ વણે'માં અનંતા અંનું પ્રતિપાદન કરવાની શક્તિ રહેલી છે. ચેતન સ્વભાવ તથા વાંના સમૂહ બંનેને એક જ સત્તા ‘અક્ષર' આપવામાં આવી છે. કારણ કે તેમાં અને પ્રકાશ કરવા સમાન ગુણ રહેલા છે. 6 અથ પ્રકાશના હેતુથી અક્ષરા એકત્ર થાય એટલે ૫૬ બને છે. પદ તેની સ્વાભાવિક શક્તિ અને સમ્રુત વડે અનેા ખાધ કરાવે છે. ' એ પદ છે. પરમેશ્વરનું તે એક નામ અથવા વાચક છે, પરમેશ્વર એ તેનેા અથ અથવા વાચ્ય છે. પદના અનેક પાઁયા છે—જેમ કે નામ, સત્તા, શબ્દ, વાચક વગેરે. નામી, સંસી, શબ્દાર્થ વાચ્ય ઇત્યાદિ અથના પાંચે છે. વાચક અને વાચ્ય વચ્ચે સબંધ છે. પદનું જ્યારે ઉચ્ચારણ, સ્મરણુ અથવા ધ્યાન કરવામાં આવે ત્યારે તેને વાચ્ય (અથ`) મનમાં ઉપસ્થિત થાય છે, વિકલ્પ ઊઠે છે. વાચક અને વાચ્ય બને સ્વરના આધાર વિના સંભવતા નથી. શબ્દાનું ચિંતન કરતાં જે વિષ્ટિ જ્ઞાનનુ આંતક પરિણમન ચેતન સ્વભાવમાં થાય છે તેને આંતરિક વિજ્ઞાનરૂપ ‘અક્ષર’ અથવા ‘શબ્દ’ કહેવાય છે, જેમાં શબ્દ અને અથ એકરૂપતાને પામેલા છે તેવી આ ભાવવાણીની અભિવ્યક્તિ છે. અકારાદિ શબ્દ તેનું સ્વરણ અથવા અનુસરણ કરનારા હેાવાથી સ્વર કહેવાય છે. આ શબ્દરૂપ ભાવવાણીના મૂળમાં છે ભાવવાણીની શક્તિ અથવા ચેતન સ્વભાવ. કમના આવરણને ક્ષય થવાથી આત્મામાં જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય ઉદય પામે છે. મન, ઇન્દ્રિય વગેરે નિમિત્ત સાધના વાસના પૂરી 5 Page #7 -------------------------------------------------------------------------- ________________ કરવા માટે ગ્રહણ કરીને આ જ્ઞાનશક્તિ સૂક્ષ્મ શબ્દરૂપે પરિણામે છે. આ ચૈતન્ય અથવા જ્ઞાનનું સ્વરણ-અનુસરણ કરનારા હેવાથી અકારાદિ સ્વર કહેવાય છે. આ મૂળ શક્તિનો અર્થ રૂપે પ્રકાશ કરનારા હેવાથી તે સ્વરની સંજ્ઞા પામે છે. આમ ત્રણ પ્રકારે દર્શાવાયેલું “સ્વર'નું આ કારણ સ્વરૂપ છે. જ્ઞાનનો અર્થ રૂપે પ્રકાશ કરવો એ તેને સ્વભાવ છે. અકારાદિ વણે તેનું કાર્ય હોવાથી “સ્વર' કહેવાયા છે. નિઃશ્વાસ, પ્રાણુના સંચારથી થતી નૈસર્ગિક ક્રિયા છે. મન તથા દેહના આંતરિક ગુણધર્મો તેમાં પ્રકાશ પામે છે. તદુપરાંત સ્વર–જ્ઞાનને પ્રકાશ કરનાર તરીકે માન્ય કરી તેને પણ “સ્વર'ની વિશેષતા સૂચક સંજ્ઞા આપવામાં આવી છે. સ્વાદય શાસ્ત્ર તેનું પ્રમાણ છે. શબ્દથી બેધ ઉત્પન્ન થાય છે તેનું પ્રમાણ જીવનમાં થતો પ્રત્યક્ષ અનુભવ છે. પરંતુ નિઃશ્વાસથી જે સ્વરજ્ઞાનની પ્રાપ્તિ થાય તે મનુષ્ય માટે સહજ અનુભવ નથી. શાસ્ત્રવચન તેનું પરાક્ષ પ્રમાણ છે. સાધના દ્વારા તેને અનુભવ પ્રત્યેક વ્યક્તિએ જીવનમાં પ્રત્યક્ષ કરે પડે છે. સ્વરને ઉદય નિરંતર જેમાં ભાસ્યમાન થાય છે તેવા આપણા શ્વાસનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીએ તો તે કોઈવાર જમણી નાસિકામાંથી તે કોઈવાર ડાબી નાસિકામાંથી, ક્યારેક લાંબો કયારેક ટંકે, ક્યારેક ઊર્વ કયારેક અધે અને વળી કયારેક સન્મુખ તો કયારેક તીર્થો વહેતે અનુભવાય છે. બન્ને નાસિકામાંથી એક સાથે શ્વાસને મંદ સંચાર થતો પણ કયારેક જોવા મળે છે. શ્વાસનું વહન જે નસકોરામાંથી થાય તે બાજુમાં આવેલી શરીરની નાડીમાં પણ તેના પ્રેરક પ્રાણને વિશેષ સંચાર થાય તે સહજ છે; એટલે આ નાડીઓની પ્રકૃતિને લક્ષમાં રાખીને જમણી બાજુની નાસિકાના શ્વાસવહનને “સૂર્યનાડી”ની અને ડાબી બાજુની નાસિકના શ્વાસવહનને ચંદ્રનાડી'ની સંજ્ઞા આપવામાં આવી છે. સૂર્યનાડી તથા ચંદ્રનાડી તરીકે ઓળખાતી આ નાડીઓને કરોડરજજુની બન્ને બાજુ આવેલી “Sympathetic-સિમ્પથેટિક' અને Para sympathetic cords-પેરા સિપેથેટિક કાઝ' ક્રમશઃ માનવામાં આવી છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ આથી ફલિત થાય છે કે નાડીમાં જોવામાં આવતા ઉશ્વાસના પરિવર્તનના મૂળમાં અતિ ચંચળ પ્રાણશકિતમાં થતા ફેરફારો કારણભૂત છે. તેથી તે માત્ર શ્વાસની ધૂળ ક્રિયા ન રહેતાં પ્રાણનાં લક્ષણો દર્શાવનારી બની રહે છે. શાસ્ત્રોએ આ પરિવર્તનને પાંચ પ્રકારમાં વર્ગીકૃત કર્યા છે તથા પ્રત્યેક નિશ્ચિત થયેલા પ્રકારને તત્વની સંજ્ઞા આપી છે. દા. ત. શ્વાસ જ્યારે નાસિકા સન્મુખ ચાલતો હોય અને તેનું વહન બાર આંગળ દૂરથી હથેળીમાં થતા સ્પર્શથી અનુભવી શકાય ત્યારે તેને પૃથ્વીતત્વની સંજ્ઞા આપવામાં આવી છે. શ્વાસમાંના વાયુના પરમાણુઓ પ્રાણુશકિતથી પ્રેરાઈને નિશ્ચિત આકાર તથા ગતિ ધારણ કરે છે જે પ્રયોગ દ્વારા અનુભવી શકાય છે. દર્પણ સન્મુખ રાખીને જે તેના ઉપર નિઃશ્વાસ છોડવામાં આવે તો હવામાં રહેલા ભેજને કારણે એક ધૂંધળી છાપ પડે છે. આ છાપ ચરસ, ગોળ વગેરે આકારની હોય છે. તે છાપની આકૃતિને અભ્યાસ કરવાથી કયા તરવમાં શ્વાસ ચાલે છે તેનું આકાર મુજબ અનુમાન થઈ શકે છે. દા. ત. પૃથ્વી તત્વની ચોરસ છાપ ઊઠે છે. કંઠમાંથી શબ્દકે સૂર રૂપે કે શ્વાસમાંથી ઉપર દર્શાવ્યા મુજબ તરવરૂપે નિસરણ પામતા સ્વરને વર્ણયુકત કહેવામાં આવ્યું છે. અ, આ, ઈ વગેરે વર્ણાક્ષરો તરીકે પ્રચલિત છે. તંત્રમાં પ્રત્યેક વર્ણાક્ષરને ષોમાં નિશ્ચિત સ્થાન આપીને સંપૂર્ણ વર્ણમાળાને દેહ અંતર્ગત પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. રંગ માટે “વ” સંજ્ઞા ભાષામાં આપવામાં આવી છે. અક્ષરની જેમ પ્રત્યેક ચક્રમાં પીળા, લાલ વગેરે રંગસૂચક “વણું” એગના ગ્રંથમાં દર્શાવવામાં આવ્યા છે. પ્રકાશ તથા વનિના ભેદ એટલે કે શબ્દો અને રંગો માટે સમાન સંજ્ઞા “વણું' નિશ્ચિત કરવામાં આવી છે. એક જ સ્પંદનાત્મક શક્તિની તેઓ અભિવ્યકિત છે તે હેતુ તેમાં અભિપ્રેત હોઈ શકે છે ! દેહમાં ધૂળરૂપે કોઈ ચક્ર જોવામાં આવતાં નથી પરંતુ સુષુમણા નાડીનાં ચોકકસ રથાનમાં પ્રાણનો પ્રવાહ સવિશેષ અને વલયાકારે વહેતો, સૂક્ષ્મ ચિંતનમાં અનુભવાતાં, શાસ્ત્રજ્ઞોએ આ અનુભવને યોગ્ય સંજ્ઞાઓ આપીને ષક્રનું સવિસ્તર વર્ણન કર્યું છે. તેમાં પ્રત્યેક ચક્રનાં વર્ણ તથા તત્વ દર્શાવ્યાં છે. વિશેષમાં જે સામાન્યપણે રહેલું હોય તે “તત્ત્વ” કહેવાય છે. તત્વ શબ્દ જાતિસૂચક છે. જાતિના સમાન ગુણધર્મને તે પ્રકાશ કરે છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ દા. ત. ‘જળતત્ત્વ' એટલે પ્રવાહીતાનેા સમાન ગુણ દર્શાવતા સ પદાર્થોં ચક્રોના તત્ત્વને ઓળખવા માટે પ્રત્યેક ચક્રના તત્ત્વને પ્રકૃતિના પંચ મહાભૂતની પૃથ્વી, જળ વગેરે સનાએ આપવામાં આવી છે. તે જે વિશિષ્ટ અને સૂચવે છે તે આગળ જણાવવામાં આવશે. મૂલાધાર ચક્રમાં તત્ત્વ પૃથ્વી છે અને વણું પીળા, સ્વાધિષ્ઠાન ચક્રમાં તત્ત્વ જળ તથા ત્રણ સફેદ, મણિપૂર ચક્રમાં તત્ત્વ અગ્નિ તથા વધુ લાલ, અનાહત ચક્રમાં તત્ત્વ વાયુ તથા વણુ લીલે। અને વિશુદ્ધ ચક્રમાં તત્ત્વ આકાશ અને વણુ` કાળો છે. ચઢ્ઢામાં વિદ્યમાન શક્તિ એક જ છે પરતુ તેનાં પ્રકઋપને બદલાય ત્યારે તેનું સ્વરૂપ પરિવતન પામે છે તથા તેનાં તત્ત્વ તથા વણુ ભિન્નભિન્ન ભાસે છે. પ્રત્યેક ચક્રમાં શક્તિની અભિવ્યક્તિ બદલાય છે અને તેથી તેનાં તત્ત્વ તથા વધુ અલગ દર્શાવવામાં આવ્યાં છે. · વણુંથી જેમ શક્તિનુ તેજોમય રૂપ પ્રકાશ પામે છે તેમ તત્ત્વથી શકિતના ગુણ અને કાયા નિશ્ચય થાય છે. પાંચ તત્ત્વોથી શકિતના ગુણ વિકાસ તથા કાર્યોનું પાંચ પ્રકારમાં વર્ગીકરણ થાય છે. અંતિમ આજ્ઞાચક્રમાં વણુ વામાં આવેલું મહત્ તત્ત્વ પ્રકૃતિથી પર માનવામાં આવ્યું છે. ષટ્ચઢ્ઢામાંથી પાંચ ચક્રનું નિર્માણ પંચભૂતાત્મક પ્રકૃતિ દ્વારા તથા આજ્ઞાચક્રનુ નિર્માણુ ચિત્ત દ્વારા માનવામાં આવ્યું છે. આ ચક્ર યંત્ર સ્વરૂપ છે અને બંધનમાં પડેલા જીવ તેમાં ગતિ કરતા રહે છે. આ ચઢ્ઢા દ્વારા તેનું નિયંત્રણ થતું રહે છે. ષટ્ચક્રભેદન વગર જીવની મુક્તિ સંભવિત નથી પરંતુ આ કુંડલિની યાગને વિષય હાવાથી તેનું વણુ ન અત્રે કરવામાં આવ્યું નથી. ચક્રોમાં તથા નાસિકાના સ્વરમાં એક જ પ્રાણશક્તિનું સમાન ભાવે સંચરણ થતું હાવાથી તેમાં તત્ત્વ તથા વણુની સમાન વ્યવસ્થાનું નિરૂપણુ મળી આવે તે તર્કસંગત છે. પરંતુ પાંચ ચઢ્ઢામાં થતાં પ્રાણુનાં સ્પંદનોને અને શ્વાસમાં થતાં પાંચ પ્રકારનાં પરિવતનાને, પંચભૂતાત્મક તત્ત્વની સત્તાની નિયુક્તિ, પ્રાણુ અને પદાર્થાંમાં સમાનભાવે પ્રવતતી એક અખ પ્રકૃતિની સત્તાને નિર્દેશ કરવા માટે શું હોઇ શકે છે ? આ વિચારને પુષ્ટિ ‘શિવસ્વરાદય’માંથી મળી આવે છે. તેમાં પ્રાણને સવ' પદાર્થાંની ઉત્પત્તિનું કારણ કહેવામાં આવ્યું છે. આ શકિતમાં વિવ ઉત્પન્ન થતાં પાંચ મહાભૂતનું' સૂક્ષ્મ રવરૂપ પ્રગટ થયું. અનેક સયાજતામાં 8 Page #10 -------------------------------------------------------------------------- ________________ તે વિવતો સ્થૂળ ભાવ પામતાં પદાર્થો ઉત્પન્ન થયા એટલે કે “ભૂત” થયા. પાંચ પ્રકારમાં વિભક્ત થવાથી પંચ મહાભૂત કહેવાયા. વિજ્ઞાને પદાર્થ માત્ર સૂક્ષ્મમાં શકિત સ્વરૂપ છે તે માન્ય કર્યું છે. પરંતુ હવે તે એવી ધારણું પ્રત્યે વળી રહ્યું છે કે સ્થળમાં ભલે પદાર્થો અલગ ભાસે પરંતુ તેઓ અંતિમ એવા અણુના અશ અથવા કણસ્વરૂપમાં તે પ્રકૃતિમાં વ્યાપ્ત એક મહાશકિતનો સ્થાનિક, બહુરૂપી તથા ક્ષણિક આવિષ્કાર છે. તેનું અસ્તિત્વ પૂર્ણપણે ભિન્ન પૂરવાર કરી શકાતું નથી. તેને અનેક પ્રકારના સંબંધમાં સુગઠન પામેલી વ્યાપક વ્યવસ્થાના વિશિષ્ટ ગુણ ધરાવતા એક ભાગ રૂપે ગ્રહણ કરવું પડે છે. જે પ્રાણને વિશ્વમાંથી ગ્રહણ કરીએ છીએ તે સર્વત્ર છે. સર્વ પ્રાણીઓ અને પદાર્થો સાથે અનુસંધાન પામેલા છે, પરંતુ તેની અભિવ્યકિત પ્રાણીઓમાં જોવા મળે છે. તેથી તેને જીવનશકિત તરીકે ઓળખીએ છીએ. તે પ્રાણ અતીત, વર્તમાન તથા અનામત સર્વ વિશ્વ ઘટનાઓ સાથે અગમ્ય રીતે સંકળાયેલા છે એ આ શાસ્ત્રનો વિશ્વાસ છે. તેથી ઘટનાઓને તિષની જેમ વિસ્તારપૂર્વક ફળાદેશ સ્વરોદયના આધાર ઉપર આ ગ્રંથમાં જણાવવામાં આવ્યો છે. શાસ્ત્રો શ્વાસની ક્રિયારૂપી દર્પણમાં આ અદશ્ય શક્તિના પ્રભાવને નિહાળે છે પરંતુ આ અદશ્ય શકિતને વિદ્યુતના માધ્યમ દ્વારા દશ્યમાન કરવાના તથા તેના ફોટા પાડીને અભ્યાસ કરવાનું શકય બન્યું છે. “હાઈ ફ્રીકવન્સી ઇલેકટ્રિક ફિલ્ડ ઉપજાવી કિરલેન ફેટોગ્રાફી ટેનિક'થી સજીવ ધાન્ય, વૃક્ષનાં પત્ર, પુષ્પ, ફળો, મનુષ્યના હાથ ઇત્યાદિ ગોઠવીને ફોટાઓ લેવાનું તથા વિશિષ્ટ પ્રકારના દમ્ કાચનાં ઉપકરણોમાંથી તેઓને નજરે જોવાનું પણ શક્ય બન્યું છે. નિજીવ વસ્તુઓના ફોટા પાડવામાં આવ્યા ત્યારે તેમાંથી શાંત પ્રકાશ ઝરતો નિહાળવામાં આવ્યું પરંતુ સજીવ પદાર્થોનાં ચિત્રો અથવા દો નિહાળતાં મનને મુગ્ધ કરે તેવા રંગબેરંગી પ્રકાશના પરિવર્તન પામતા પ્રવાહ જોવા મળ્યા. તંદુરસ્ત મનુષ્યના હાથમાંથી ઊઠતી બહાર વહેતી તરંગલીલાઓ સ્પષ્ટ જ હોય છે. છતાં તેની ન સમજાય તેવી રીતે અસ્પષ્ટ છાપે કયારેક ઊઠતી જોવા મળી ત્યારે તેને ટેકનિકની કોઈ ભૂલ માનવામાં આવી. પરંતુ આવું બન્યા પછી ટૂંક સમય બાદ એ જ મનુષ્ય રોગગ્રસ્ત થતાં જણાયા. મન જ્યારે ક્ષોભ પામ્યું હોય ત્યારે પણ પ્રકાશના તરંગનાં ચિત્રો મંદ અથવા અલગ પ્રકારનાં જોવા મળ્યાં. મનુષ્યના સ્વારથ્યના તથા તેના મનદૈહિક આવેગોને રંગબેરંગી પ્રકાશમાન તરંગો સાથે ગાઢ - 9 Page #11 -------------------------------------------------------------------------- ________________ સંબંધ હોવાનાં પ્રમાણ મળ્યાં. આ પ્રાણને સમાન લક્ષણોનો ઉદ્યોત હોવાથી યોગીઓને ધ્યાનમાં અવગત થતાં પ્રાણનાં રહસ્યો અમુક અંશે વૈજ્ઞાનિક ઉપકરણો દ્વારા ઉકેલી શકવાની સંભાવના ઊભી થઈ. આગામી રંગને પારખવાને તથા મનુષ્યની મને દૈહિક ક્રિયાઓને પ્રાણ સાથેને સૂક્ષ્મ સંબંધ, જે ગાભ્યાસ માટે મહત્તવને તથા સ્વરોદય જ્ઞાનનો મુખ્ય વિષય છે, તેને વ્યવસ્થિત અભ્યાસ હવે થઈ શકશે. તથા પ્રાણનો પરિચય આપતી “રવર તત્વ અને “વર્ણ આદિ સંજ્ઞાઓ શાસ્ત્રીય ચર્ચાના ક્ષેત્રની સીમા પાર કરીને પ્રયોગશાળાની ચકાસણીનો વિષય થઈ ચૂકી છે. હવે રવરોદયના ક્ષેત્રમાં પ્રવેશ કરી શકાશે. “સ્વદય” વિષય ઉપર કૈવલ્યધામના યોગાશ્રમે વૈજ્ઞાનિક ઉપકરણે દ્વારા સંશોધન કર્યું છે જે “યેગ મીમાંસા” તથા અન્ય ગ્રંથોમાં પ્રકાશિત થયું છે. સ્વરોદયની “ફિઝિયોલોજી” સમજવા માટે તે તે ગ્રંથનો આશ્રય લેવો જરૂરી છે. આ વિવરણ માટે યોગ મીમાંસાના આ ગ્રંથને આધાર લેવામાં આવ્યો છે. શ્વાસોચ્છવાસની ક્રિયાઓ ઉપર અત્યાર સુધીમાં કરવામાં આવેલું સંશોધન પ્રાથમિક છે. વ્યવસ્થિત ધોરણે જે પ્રયાસ હાથ ધરવામાં આવે તો નવાં તો જરૂર બહાર આવ્યા વગર ન રહે. આ સંશોધન શ્વાસની ક્રિયાને, મસ્તિષ્કનાં સંવેદનશીલ નિયામક કેન્દ્રો, જ્ઞાનતંતુઓના સંસ્થાન તથા તેઓ દ્વારા દેહના સમગ્ર તંત્ર ઉપર પડતા પ્રભાવ સાથે સંબંધ છે તેવું સ્થાપિત કરે છે અને શ્વાસમાં રહેલી શક્તિનું સંચરણ તેનું કારણ છે એવું અનુમાન કરે છે. એક નાડીમાંથી વહેતા શ્વાસને પલટાવીને અન્ય નાડીમાંથી તેનું વહન શરૂ કરવું હોય તે સ્વરોદય શાસ્ત્ર કેટલાક ઉપાયો દર્શાવે છે તેમાં એક ઉપાય, લાકડીથી બગલમાં દબાણ ઊભું કરવાનો છે, જે બાજુની બગલમાં આવું દબાણ ઊભું કરવામાં આવે તેની વિપરીત બાજુની નાડીમાંથી શ્વાસોસનું ચાલન ડી મિનિટોમાં અવશ્ય શરૂ થાય છે. બગલમાં જ્ઞાનતંતુઓના ઉત્તેજન ગ્રાહક-Receptors આવેલા છે. આ Receptors દ્વારા શક્તિનો સંચાર Nervous system જ્ઞાનતંતુઓના સંસ્થાન દ્વારા, મસ્તિષ્કના નિયામક કેન્દ્રો સુધી પહોંચે છે. આ કેન્દ્રોનો નાસિકાના છિદ્રો સાથે જ્ઞાનતંતુઓના માર્ગ દ્વારા સંબંધ છે. તેથી જે આંતરિક ક્રિયાઓના કારણે તેના ઉપર બગલના દબાણથી શ્વાસવહનમાં - 10 Page #12 -------------------------------------------------------------------------- ________________ ફેરફાર થાય છે તેના ઉપર આ સંશોધન સારે પ્રકાશ પાડે છે. મસ્તિષ્ક તથા દેહના અન્ય અવય સાથે જ્ઞાનતંતુઓના સંસ્થાન દ્વારા સંબંધ, આ અવયમાં થતી ક્રિયાઓ તથા આ ક્રિયાઓને દેહના અગણિત કેમાં થતી રાસાયણિક ક્રિયાઓ સાથે સંબંધ તે સર્વેના કારણે લેહીના બંધારણ, હૃદયના ધબકારા અને શ્વાસોચ્છાસનાં પ્રમાણ પ્રકાર તથા સંખ્યા ઉપર પડતી અસર વગેરે વિશે “ફિઝિયોલેજમાં જે જ્ઞાન સંપાદિત થયેલું છે તેના આધારે, કેટલીક ખૂટતી કડીઓ પૂરી પાડીને પ્રાણશક્તિના પ્રભાવથી આ ક્રિયાઓ કેવી રીતે ક્રમશઃ થઈ શકે તેની વિશેષ માહિતી આ સંશોધન પૂરી પાડે છે. દેહ જીવંત છે, અનેક જૈવિક પ્રક્રિયાઓની જટિલ વ્યવસ્થા તેમાં જોવા મળી છે. આ સર્વે સુપેરે સમજવી હોય તો ‘ફિઝિયોલોજી ની પરિભાષામાં એક વિસ્તારપૂર્ણ સ્વતંત્ર લેખની જરૂર પડે. પરંતુ તેથી વિષયાંતર થયા વગર રહે નહિ. વિષયાંતર કર્યા વિના વાચક સમક્ષ વિષયની સ્પષ્ટતા કરવા માટે અનેક અન્યોન્ય આશ્રિત ક્રિયાઓ તથા પ્રતિક્રિયાઓ સ્વરૂપ જૈવિક ઘટનાઓના સમૂહ, શાસ્ત્રીય પરિભાષામાં સાંગોપાંગ વર્ણન કરવાનું ટાળીને, જરૂર પૂરતું તથા શક્ય તેટલી સરળ ભાષામાં જે વિવેચન કરવામાં આવશે તેને, તે અર્થમાં ગ્રહણ કરવામાં આવે તેવી અપેક્ષા છે. નાસિકાના ઊંડાણમાં જ્ઞાનતંતુઓની જાળ આવેલી છે. તેમાં ઉત્તેજન ગ્રાહકો– Receptors' રહેલા છે. આ ઉત્તેજન ગ્રાહકે ગંધને ગ્રહણ કરે છે. તેનાથી જ્ઞાનતંતુઓને માગ ઉત્તેજિત થાય છે. વિદ્યુતમાં પરાવર્ત થયેલી ઉત્તેજના મસ્તિષ્કના મધ્યભાગમાં સ્થિત “OIfactory. tubercule- ગધગ્રહણની સંરચના' સુધી પહોંચે છે. ગંધગ્રહણ માટેની આ વ્યવસ્થા શ્વાસમાં રહેલી પ્રાણશક્તિને પણ વિશિષ્ટ ઉત્તેજના તરીકે ગ્રહણ કરે છે. વિદ્યુતમાં પરાવત કરે છે તથા તે શક્તિને ગંધગ્રહણના વિભાગ ‘nifactory tubercule સુધી પહોંચાડે છે. ત્યાંથી તે શક્તિ પસાર પામીને “એમીગૂડેલા–Amygdela', હીપ કેમ્પસૂHippo Campus અને “હાઈપો થેમસ-Hypothalmus’ વગેરે સંરચનાઓમાં પહોંચે છે. તેમાં થઈ રહેલાં કાર્યો ઉપર તેને પ્રભાવ પડે છે. મસ્તિષ્કના ઊંડાણમાં જે અનેક અદ્દભુત સંરચનાઓનું વ્યવસ્થા તંત્ર આવેલું છે, તેમાંથી કેટલીકનો ઉલલેખ ઉપર કરવામાં આવ્યું છે. આ એક ગૂઢ વિસ્તાર છે. તેના બધાં રહસ્યો વિજ્ઞાન હજી ઉકેલી શકયું નથી. મસ્તિષ્કના આ વિસ્તારમાં મને દૈહિક કાર્યોના આદેશાની આપ–લે થતી જોવા મળે છે. મન તથા 11 Page #13 -------------------------------------------------------------------------- ________________ દેહની અરસપરસ અસર ઊભી કરતું અટપટું અને સૂક્ષ્મ પ્રભાવક્ષેત્ર પણ અહીં આવેલું છે તેથી આ વિસ્તાર ગતિશીલ થતાં તેમાં અનેક કાર્યો થાય છે. અરસપરસ સમૂહમાં થતાં કાર્યો જોવા મળે છે. પ્રાણશક્તિ પ્રથમ એમીગડેલામાં તથા ત્યારબાદ ઉપર નિર્દેશિત અન્ય સંરચનાઓમાં ફેલાય છે, તેમાં ક્રિયાઓને પ્રેરે છે. ડાબી બાજુની નાસિકાથી થતું શ્વાસનું ગ્રહણ ડાબી બાજુના મસ્તિષ્ક મધ્યવર્તી એમીગૂડેલા'ના કેન્દ્રને તથા જમણી બાજુની નાસિકાથી થતું શ્વાસનું ગ્રહણ જમણી બાજુના મસ્તિષ્ક મધ્યવર્તી “એમીગૂડેલા'ના કેન્દ્રને ઉત્તેજિત કરે છે. ડાબી બાજુના મસ્તિષ્કનું નિયામક કેન્દ્ર શરીરના ચય અને અપચયની ક્રિયાઓને ઉપશાંત કરવાનું કાર્ય કરે છે તેથી શરીરના સવ અવયવોની ગતિવિધિને વેગ ઘટે છે, શરીરની ઉષ્ણતા ઘટે છે. “સ્વરોદય’માં ડાબી બાજુની નાસિકામાંથી થતા શ્વાસવહનને “ચંદ્રનાડીનું નામ આપ્યું છે તે સાર્થક છે કારણ કે તે સૌમ્ય પ્રભાવ–સૂચક છે. તે મુજબ જમણી બાજુના મધ્યવર્તી મસ્તિકનું નિયામક કેન્દ્ર જ્યારે જમણી બાજુની નાસિકા દ્વારા ગ્રહણ થતા શ્વાસના સંસ્પર્શથી ઉત્તેજિત થાય ત્યારે દેહમાં ચાલતી ચય (કોષવૃદ્ધિ) અપચય (કોષક્ષય)ની ક્રિયાઓને વેગ વધે છે, શરીરના અવયવોને કાર્યવેગ વધે છે, ઉષ્ણતાની વૃદ્ધિ થાય છે. જમણી બાજુથી થતા શ્વાસવહનને “સૂર્યનાડીનું નામ આપ્યું છે તે ખરેખર આ દષ્ટિએ ઉચિત છે. સમયે સમયે ચય અપચય ક્રિયાના કાયવેગની વૃદ્ધિ તથા ઉપશમન કરવાનું તંત્ર ગોઠવીને પ્રકૃતિએ જીવનધોરણની પ્રવૃત્તિમાં સ્વાસ્થષિક સમતુલા જાળવી રાખવાની વ્યવસ્થા ગોઠવી છે. જે દેહયંત્ર ચલાવવા માટે બ્રેક' તથા એકસેલરેટરની ગરજ સારે છે. આવી આંતરિક સંતુલન જાળવવાની વ્યવસ્થાના અભાવમાં જીવનની હાનિ થયા વગર રહે નહીં તે સમજી શકાય તેવું છે. દેહમાં સતત ચાલતી ચય તથા અપચયની ક્રિયાના કાર્યવેગની વૃદ્ધિ તથા ઉપશમ કરવાના નિયમન તંત્રને શ્વાસવહન સાથે સંબંધ સ્થાપીને, પ્રકૃતિએ ખરેખર કેવી અદ્દભુત રચના ગોઠવી છે તે જાણવા જેવું છે. દેહમાં ગોઠવાયેલી ચય તથા અપચયની ક્રિયાના કાયવેગનું નિયંત્રણ આપોઆપ થયા કરે તેવી વ્યવસ્થાનું તંત્ર પ્રકૃતિએ માનવદેહમાં ગોઠવ્યું છે. દેહની સવ ક્રિયાઓના ફળસ્વરૂપે ઊભી થતી જીવનની જરૂરિયાત આ 12 lain Education International Page #14 -------------------------------------------------------------------------- ________________ તંત્રનું નિયમન કરે છે. આ જરૂરિઆતને સંદેશ મરિતષ્કનાં ઉપરોક્ત કેન્દ્રો ઉપર પડતાં તે મુજબ તેમાં ક્રિયા થાય છે અને તેથી દેહમાં કાર્યવેગની વૃદ્ધિની જરૂર હોય તે જમણી નાસિકાનું દ્વાર વિકાસ પામે અને શ્વાસનું ગ્રહણ ત્યાંથી થાય છે જે મસ્તિષ્કના ચેકસ કેન્દ્રને ઉત્તેજના પહોંચાડવાનું કાર્ય કરે છે. જીવનને કાર્યવેગ ઓછો કરવાનું જરૂરી બને ત્યારે મસ્તિષ્કનાં ઉપરોક્ત કેન્દ્રો તે રીતે સક્રિય બને છે તથા જમણી બાજુની નાસિકાનું કેન્દ્ર સરકાચ પામતાં તે બાજુનું શ્વાસગ્રહણ બંધ થાય છે. નાસિકાના દ્વારેને સંકેચ અથવા વિસ્તાર દેહની આંતરિક જરૂરિયાત મુજબ કુદરતી થાય છે. શ્વાસગ્રહણમાં રહેલું પ્રાણતત્વ મસ્તકનાં કેન્દ્રોને ક્રિયાશીલ રહેવામાં સહાયક બને છે. સ્વસ્થ શરીરમાં આપોઆપ ચાલતી આ ક્રિયા સ્વાસ્થને પિષક બને છે. પરંતુ બીમાર શરીરમાં આ ક્રિયા વિપરીત ચાલતી હોય છે એટલે બીમારી હોય ત્યારે જે બાજુને શ્વાસ ચાલતો હોય તે નાસિકા બંધ કરીને બીજી બાજુને શ્વાસ ચલાવવાની સ્વરદયમાં ભલામણ કરવામાં આવી છે તથા તેને ઉપાય દર્શાવવામાં આવ્યો છે. આવી રીતે ધીરજથી પ્રયોગ કરવાથી બીમારીને કાળ ઓછો થાય છે તે અનુભવથી સિદ્ધ થઈ શકે એમ છે. આમ સ્વરોદયની ક્રિયાને આરોગ્યની દૃષ્ટિએ સમર્થન મળે છે. સ્વરોદય જ્ઞાન ઉપરનું વૈજ્ઞાનિક સંશોધન ભલે પ્રાથમિક અવસ્થામાં હોય પરંતુ તે આ જ્ઞાનની ઉપયોગિતા સિદ્ધ કરવા માટે તથા તેને વ્યવહારિક લાભ મેળવવા માટે તથા તે અથે વાચકમાં આ શાસ્ત્ર પ્રત્યે અભિરુચિ જાગૃત કરવા માટે પર્યાપ્ત છે. પરંતુ સ્વરોદય જ્ઞાનનો મૂળ હેતુ પરમાર્થિક છે. વ્યાવહારિક લાભો પણ પરમાર્થ સિદ્ધિ કરવા માટેની અનુકૂળતાએ સજવા માટે સ્વરોદય શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યા છે. ચિદાનંદજીએ પણ આ જ્ઞાનના નિરૂપણને મૂળભૂત આશય પરમાર્થ છે તે જૈન તત્વદર્શનને અનુરૂપ એલીથી સમજાવવા માટે આ ગ્રંથમાં અનેક રીતે પ્રયત્નો કર્યા છે. સ્વરદયને પ્રાણુયામ ધ્યાનની પ્રથમ ભૂમિકા તરીકે તથા દેહ તથા જીવનું ભેદજ્ઞાન કરવા માટે ડિસ્થ યાનના એક પ્રકાર તરીકે વર્ણ છે તે આ ગ્રંથની નિજી વિશેષતા છે. આ આશય માટે પ્રાણાયામની વ્યાખ્યા વ્યાપક કરી ધ્યાનનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રાણુંયામ યાનની દશ ભૂમિકામાં સ્વરેાદય જ્ઞાનની ઉપલબ્ધિને પ્રથમ ભૂમિકા 13 Page #15 -------------------------------------------------------------------------- ________________ કહી તેને જે યાનના સંદર્ભમાં મહત્વ દર્શાવવામાં આવ્યું છે તે નોંધપાત્ર છે. આ ઉલ્લેખ અન્યત્ર જાણવામાં આવ્યો નથી. દશ પ્રકારના પ્રાણ તથા સાત પ્રકારના પ્રાણાયામ ધ્યાનનું વર્ણન કરીને ગ્રંથકારે મૌન સેવ્યું છે. તેનું કારણ તે સમયે અન્યત્ર પરંપરાથી આ જ્ઞાનની ઉપલબ્ધિ હેવાની સંભાવના હોઈ શકે છે. પ્રાણાયામના વિષયને ગ્રંથકારે અતિશય અગમ્ય અને પાર ન પમાય તે જણવ્યો છે. પ્રાણાયામના મુખ્ય બે ભેદ-નિશ્ચય પ્રાણાયામ તથા વ્યવહાર પ્રાણાયામ છે. નિશ્ચય પ્રાણાયામ તે ભાવક્રિયા છે. શ્વાસમાં રેચક, પૂરક તથા કુંભકની જે ક્રિયાઓ થાય છે તેની સાથે આત્મસ્વરૂપના વિચારની સંગતિ કરવામાં આવી છે. આત્મા માટેના હેય ભાવોનું વિરેચન કરવું તે રેચક, ઉપાદેય ભાવને ગ્રહણ કરવા, તેની પૂર્તિ કરવી તે પૂરક, તથા અન્ય સર્વ પદાર્થોને પર માનીને તેના મમત્વનો ત્યાગ કરીને સ્વ-સ્વરૂપમાં મનને સ્થિર કરવું તે કુંભક. નિશ્ચય પ્રાણાયામ તે આદર્શ છે. તે સિદ્ધ કરવા માટેના ઉપાયો તે વ્યવહાર પ્રાણાયામને વિષય છે તેમાં સમગ્ર ગમાગ સમાઈ જાય છે. યોગનો પાંચમે ભેદ વ્યવહાર પ્રાણાયામ છે તેના સાત પ્રકારને ગ્રંથકારે સકલ સિદ્ધિનાં સ્થાન કહ્યાં છે. ગ્રંથનો અતિ વિસ્તાર ન થાય તેથી નામમાત્રથી હું તેને ભાવાર્થ જણાવીશ તેમ જાહેર કરીને વાચકને ગુરુગમથી તેમાં તારું મન લગાડ’ તેવો ઉપદેશ આપીને ગ્રંથકારે સંતોષ માન્યો છે. જે આ ગ્રંથની આભૂષણ સમાન આગવી વિશેષતા છે તે પ્રાણાયામ ધ્યાનને, યથાશક્તિ સમજવા માટે પ્રયત્ન કરીએ. સ્વરોદય'માં પ્રાણાયામ યાનનાં સાત સ્વરૂપ–ભેદે, સાધનાના સાત તબક્કાઓ દર્શાવવામાં આવ્યા છે. સાધકમાં જ્ઞાનસમાધિ પ્રતિ દોરી જતી આંતરિક યોગ્યતાના વિકાસને ક્રમ આમાંથી જાણી શકાય છે. રેચક, પૂરક અને કુંભકથી કઈ પણ પ્રકારના પ્રાણાયામનું સ્વરૂપ નિશ્ચિત થાય છે. પ્રાણાયામના સર્વ ભેદને તેથી આ ત્રણ સર્વસામાન્ય ભેદમાં સમાવી લેવામાં આવ્યા છે. પ્રાણાયામની સર્વ ક્રિયાનું પ્રજન મુખ્યત્વે દેહની આંતરિક શુદ્ધિ કરી સ્વારથ્ય મેળવવાનું તથા ચિત્તની ધારણ શક્તિને વિકાસ કરવાનું છે. આંતરિક શુદ્ધિ કરવાથી ચિત્તશુદ્ધિ સધાય છે. તથા ચિત્તશુદ્ધિના પ્રભાવથી દેહની વિશેષ શુદ્ધિ થાય છે. પરસ્પરના યોગથી થતી આ પ્રાથમિક શુદ્ધિ સધના માટેની પૂર્વ શરત છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થાં ભેદ છે શાંતિક પ્રાણાયામ ધ્યાન જેમાં ગળું, નાસા તથા મુખના દ્વાર વડે વાયુને નિર્ધકરવાના છે. ચિત્તની ચ ંચળતાને જ્યાં સવિશેષ પ્રભાવ પડે છે તે પ્રાણુના સ્થાનેમાં ધારણા કરીને મનને સરળતાથી ઉપશાંત મનાવવાનેા આશય હોવાથી, આ શાંતિક પ્રાણાયામ ધ્યાન કહેવાય છે. તેનુ કૂળ દેહની કાંતિની વૃદ્ધિ તથા રાનિવારણ માનવામાં આવ્યું છે. દ્વૈતમત મુજબ સૃષ્ટિના મૂળમાં એ પરમ શકિતએ રહેલી છેઃ એક છે આત્મશક્તિ અને ખીજી છે. પ્રકૃતિ. પ્રકૃતિના અનંત અશા સ્થૂળમાંથી સૂક્ષ્મમાં ગતિ કરી લીન થતાં તથા સૂક્ષ્મમાંથી સ્થૂળ પ્રતિ ગતિ કરી આવિર્ભૂત થતાં—સતત પચભૂતાત્મક સ્વરૂપ ધારણ કરતાં નજરે પડે છે. આ પરમ શક્તિ કાઁવશ સચૈાગ પામે છે અને ચૈતન્યરૂપે, એટલે કે જ્ઞાનક્રિયારૂપ શકિત વિશેષ રૂપે, પ્રકાશ પામે છે. પચવિધિ પ્રકૃતિના અનંત અશા વધતા ઓછા પ્રમાણમાં ગ્રહણ કરીને સંયુકત થયેલી આ પરમ શકિતએ વિધવિધ સ્વરૂપોમાં કાય કરે છે—જેને મન, પ્રાણ, સ્વર, શ્વાસ, શબ્દ, નાદ તથા શબ્દ, અથ, ભાવ, ત્યેાતિ વગેરે, મનુષ્યને થતા અનુભવ અનુસાર સત્તાઓ આપીને, એળખવામાં આવ્યાં છે. સ્વધર્મ અનુસાર ગતિશીલ થતાં તથા અન્યાન્ય પ્રભાવક આ શકિતવશેષો ઉપર પ્રાણાયામ ધ્યાનના શેષ ત્રણ ભેદા સમતા, એકતા અને લીનભાવ, જે ખીજી રીતે કહીએ તેા ચિત્તની સૂક્ષ્મ અને સૂક્ષ્મતર થતી જતી ભાવ અવસ્થાએ છે એ સમજવા માટે, સાધનાના સંદર્ભમાં કંઈક ચિંતન કરવું જરૂરી છે. ાિ, જ્ઞાન અને ક્રિયા સ્વરૂપ આત્માની અંતરંગ શક્તિ તે ચિત્તની શક્તિ છે. ચિત્તની ક્રિયાશીલ અવસ્થા મન કહેવાય છે. વિચાર હોય ત્યારે જ મન હાય છે, અન્યથા નહીં. મનનું પ્રેરક ખળ પ્રાણ હાવાથી, પ્રાણ વગર મન હોઈ શકતું નથી. મન શ્વાસ સાથે અને શ્વાસ પ્રાણુ સાથે સ્વાભાવિક ગતિ કરે છે. સ્વરના અનુસરણાત્મક સ્વભાવ તથા તેના શ્વાસ સાથેના સબંધ ઉપર અગાઉ ચિંતન થયું છે. સ્વર જેનું અનુસરણ કરે છે તે શબ્દ શુ છે? આ શબ્દ તે વાણીની શક્તિ છે જેના ઉદ્ભવનું કારણ પ્રાણશક્તિ અથવા ધ્વનિરૂપે થતું પ્રાણનું સ્ફુરણ છે. આ ધ્વનિ અથવા નાદ માત્ર ભૌતિક નથી. વિશુદ્ધ ચૈતન્યના આશ્રયથી દેહમાં તેની ઉત્પત્તિ થાય છે. જ્ઞાન શક્તિ સ્વયં તેમાં પ્રકાશ પામે છે. આ નાદમાં દ્વિવિધ વ્યક્તિને 15 Page #17 -------------------------------------------------------------------------- ________________ સંગ રહેલ છે. ભૌતિક સ્તર પર પ્રથમ તે સૂક્ષ્મ શબ્દ વરૂપમાં અથવા મધ્યમા વાણીમાં તથા બાદમાં મન તથા ઈન્દ્રિય વગેરે સાધનોનું નિમિત્ત ગ્રહણ કરીને ઉત્પન્ન થતા સ્થૂલ શબ્દસ્વરૂપમાં અથવા વૈખરી વાણીમાં આવિર્ભાવ પામે છે. સૂક્ષ્મ શબ્દસ્વરૂપે પ્રથમ તે જ્ઞાનશક્તિના મૃતજ્ઞાનરૂપ ઉપગ રૂપે હોય છે. આ ભાવવાણી છે, તેને વિકાસ થાય ત્યારે તે ચિંતન રૂપે પરિણમતું જ્ઞાન બને છે. વાણીરૂપે ઉચ્ચાર પામતા શબ્દમાં આ ચિંતન સ્વયંને પ્રકાશ કરે છે. વાણી, પ્રાણું અને મનના સંયોગથી ઉત્પન્ન થતા શબ્દનો અર્થ એ બાહ્યમાં થતો વિકાસ છે. શબ્દ સાથે અથ જોડાય ત્યારે દ્રવ્ય વાણી પૂણ બને છે તથા તેનો હેતુ સિદ્ધ થાય છે. કંઠમાંથી ઉચ્ચાર પામતો શબ્દ અને લાભ આપે છે અને તેની શક્તિ અનંત અવકાશમાં વ્યાપ્ત બને ત્યારે પુનઃ નાદ સ્વરૂપે સૂક્ષ્મ બને છે. નાદમાંથી ઉત્પન્ન થતી જ્ઞાનમયી શબ્દ શક્તિ અથે પ્રદાન કરવાનું કાર્ય સમાપ્ત કરીને નાદમાં ફરીથી વિલીન થાય છે. આ શબ્દ શક્તિને જગતના મૂળરૂપ પણ માનવામાં આવી છે તેથી પરમાનંદની પ્રાપ્તિ માટે આ ઇન્દ્રિય પ્રત્યક્ષ જગતનું અતિક્રમણ કરવા માટે શબ્દને એક માત્ર આલંબન માન્ય કરીને જપ સાધનામાં તેનું માહાસ્ય દર્શાવવામાં આવ્યું છે. જેવી રીતે શબ્દ સાથે અથે જોડાય છે તેવી રીતે અથ સાથે ભાવનું અનુસંધાન થાય છે. મન જ્યારે શબ્દના અર્થ ઉપર ચિંતન કરે છે ત્યારે અનુરૂપ ભાવને ઉદય થાય છે. શબ્દ, અર્થ અને ભાવ મંત્રચ્ચારમાં સંયુક્ત થાય છે તેના કારણે વિશેષ પ્રકારના ભાવને સતત ઉદય થવાથી મનમાં તેવા પ્રકારની ભાવ અવસ્થાનું નિર્માણ થાય છે. અર્થ અને ભાવનું અંતે સૂક્ષ્મમાં પરિણમન થાય છે. તે જ્ઞાન જ્યોતિ છે. જેનું ઊચિત સ્થાને વર્ણન કરવામાં આવશે. મન અને પ્રાણ પ્રવાહાત્મક છે અને બન્ને શબ્દ સાથે સંબંધ ધરાવે છે. તેથી પવિત્ર શબ્દ અથવા મંત્ર “સ્વ”નું અનુસંધાન કરવાના ઉપાય તરીકે મહત્તવનો બને છે. મંત્રને પુનઃ પુનઃ થતે ભાવપૂર્વકને ઉચ્ચાર મન અને પ્રાણ બન્નેની સંશુદ્ધિ કરે છે એટલે કે તેઓના પ્રવાહમાં રહેલી વિષમતાઓને દૂર કરે છે, તેઓની ગતિને લયબદ્ધ કરી નિયંત્રિત અથવા સમ કરે છે. આ મંત્રની ત્રાણ શક્તિ છે. 16 Page #18 -------------------------------------------------------------------------- ________________ આ અને સ્પષ્ટ કરવા માટે એક ઉદાહરણ લઇને પ્રયત્ન કરીએ. ગીતકારને તખલચી સાથ આપે છે, અને સંગત કરે છે. સ'ગીતના સૂરાના આાહ અવરેાહ તથા તખલચીના તાલ, ખન્નેની ગતિ સ્વતંત્ર છે. સૂર અને તાલ પોતાના બંધારણુ અનુસાર સ્વયં ગતિ કરે છે. છતાં, તેમાંથી મધુર સ ંગીત નીપજે છે. તેનું કારણ છે માત્રામેળ રાગમાં ગવાતા સૂર તથા તેને અનુરૂપ તાલ બન્ને માટે ક્રમબદ્ધ માત્રાદ્નામાં એક સમ”ની મત્રા નિશ્ચિત કરવામાં આવી છે. તખલચી તથા ગીતકાર સ ંગતિ કરે છે તેના મૂળમાં તેએમાં રહેલી 'સમ'ની સમજણુ છે. માત્રામેળ સુર તથા તાલને જેવી રીતે લયબદું ક્રમમાં નિય ંત્રિત કરે છે ત્યારે તે સંગીતમાં પરિણમે છે. તેવા પ્રકારનું અમુક અંશે સમાન કાય કરીને મંત્ર, મન તથા શ્વાસમાં ગતિ કરતા પ્રાણનું સમમાં નિયંત્રણ કરે છે, ત્યારે તેઓનુ સમતામાં પરિણમન થાય છે. મ ંત્રાચ્ચારમાં માત્રાને વિચાર કરવામાં આન્યા છે તેની આ સદ'માં નૈધ લેવા જેવું છે છતાં આ ઉદાહરણના હેતુ ભાવ સ્પષ્ટ કરવા પૂરતા જ છે તે વીસરવું જોઇએ નહીં. માચ્ચાર માત્ર ભૌતિક ક્રિયા નથી. મત્રમય શબ્દ સામર્થ્યયુક્ત હોવાથી મનનું ત્રાણુ કરનારા છે. મત્રાચ્ચારની પાવન કરનારી સહાયતાથી, વિષયરૂપી વિક્ષેપો અને કષાયરૂપી મળેા દૂર કરીને, ઊધ્વગામી ધ્યેયમાં સ્થિર થવાની આંતરિક યોગ્યતાનેા, સાધકમાં વિકાસ થાય છે. યેાગ્યતા પ્રાપ્ત થાય પછી તેનું યેાજન, પ્રથમ સ્વરાયની સિદ્ધિ દ્વારા શીઘ્ર આત્મિક વિકાસ કરવા માટે કરવું અથવા, અન્ય કાઈ યાગમાગ દ્વારા સ્વવિકાસ માટે કરવું, તે સાધકની અભિરુચિ ઉપર આધાર રાખે છે. મંત્રજાપ અને પરમાત્માના સ્વરૂપ ચિતનના ઉપાયથી પ્રાણાયામ ધ્યાનનાં સ્વરૂપા એટલે કે ચિત્તની ભાવ–અવસ્થા અને સ્વરાય જ્ઞાનપ્રાપ્તિના માર્ગને સંકલિત કરીને અત્રે જે વ્યવસ્થિત વિચાર રજૂ થઈ શકયેા છે તેના મૂળમાં પિંડસ્થ ધ્યાનના સમાન આશય રહેલા છે. ‘સ્વ’નું સંવેદન કરવું અને આત્માને પિંડથી જુદા અનુભવવા તે આશય છે. આ ગ્રંથમાં પણ તે કારણુસર સ્વાય સાધના ઉપર પ્રકાશ પાડતી વખતે મંત્રજાપ તથા આધ્યાત્મિક ઉલ્લેખાના સંદર્ભે વારવાર જોષા મળે છે. સ્વાદયનું જ્ઞાન માત્ર બૌદ્ધિક જ્ઞાન નથી પણુ અંતર્માંન છે. તે આધ્યાત્મિક વિકાસનું ફળ છે. 17 Page #19 -------------------------------------------------------------------------- ________________ સ્વરોદયનું અનુમાનજ્ઞાન શાસ્ત્રના આધારે શ્વાસનું પરીક્ષણ કરવાથી થાય છે. નાડી–પવનના સંગમાં સાધના થાય તો તે શીઘ્રતાથી ફળદાયી બને છે. પ્રાણાયામ ધ્યાનના ચતુથ સ્વરૂપ શાંતિક દ્વારા ઉપશાંત થયેલું મન, ધ્યાનની પૂર્વભૂમિકા સિદ્ધ કરીને, મનોમય જગતમાં પ્રવેશ કરે છે. મનનું સ્પંદન પ્રાણુ અને પ્રાણનું સ્પંદન મન છે. ચિત્તની શક્તિ સ્થૂળભાવ પામીને પ્રાણરૂપે દેહમાં સર્વત્ર વ્યાપ્ત બને છે. પ્રાણશક્તિના અભાવમાં મન હોઈ શકે નહીં એ સ્પષ્ટ છે. કારણ કે તે બન્ને રથ અને સારથિના ભાવે વિહરે છે. આ પ્રાણશક્તિનું એટલે સ્વરનું તરવસ્વરૂપ શ્વાસની જેમ, આજ્ઞાચક્રમાં પણ સ્કુરાયમાન થતું હોય છે. શ્વાસના માધ્યમથી પ્રાણશક્તિનો પ્રભાવ ભૂમયે કેવી રીતે પ્રસાર પામે છે તે વિજ્ઞાને અમુક અંશે પારખ્યું છે. પ્રાણશક્તિના તત્વ તથા વર્ણયુક્ત સ્વરૂપને ફુરણને ભાસ, યોનિ મુદ્રામાં ચિત્તની ધારણા સ્થિર કરવાથી, અમુક અંશે થઈ શકે છે. ચિત્ત સ્વયં જ્ઞાન છે અને જ્ઞાતા પણ છે. અર્થાત જે જાણે છે અને જેમાં જાણવાની ક્રિયા થાય છે તે જુદા નથી છતાં ચિત્ત અલગ થઈને વિચારની ક્રિયાનું અવલોકન કરી શકે છે. આ દ્વિવિધ શક્તિનો-ચિત્તની વિશેષતાને સાધનામાં વિનિયોગ કરવાનો હોય છે. - મંત્રજાપ કરતાં ચિત્ત જે શ્રેયાકારને પસંદ કરે, પછી તે અરિહંત પરમાત્માનું સ્વરૂપ કે તે સ્વરોદયના અભ્યાસ, દઢ શ્રદ્ધા અને પ્રીતિ તેમાં જોડાય ત્યારે જ યાકાર વિષયનું યાકારમાં પરિણમન થાય છે. આવી રીતે સ્વયં પરિણમવું–ચેયમાં તન્મય અને તદૂપ થવું તે ચિત્તનો સ્વભાવ છે. ચિત્ત જે વિષય ગ્રહણ કરે તેમાં એકાકાર થવા પ્રયત્ન કરતું હેય છે પરંતુ અતિશય ચંચળતાને કારણે વિષયને અનુરૂપ આકાર ઘડાય, એમાં એ ઢળે, ત્યાર પહેલાં, વિષય બદલાઈ જતો હોવાથી તે બેય સ્વરૂપે થવામાં સફળ થતું નથી. ગુરુએ આપેલા મંત્રના જાપથી ચિત્ત માટે તે મંત્રના અર્થ તથા ભાવમાં રમમાણ થવાને ભક્તિને વિષય, સુનિશ્ચિત થાય છે. ધારણ શક્તિના વિકાસ માટે આ મહત્વનું છે. મંત્ર અસંખ્ય છે, અને તેના શબ્દાર્થ, ભાવાર્થ અને અર્થ રહો અનેક રૂપે વર્ણવાય છે અને ચિંતનરૂપે સાધકમાં પ્રકાશ પામે છે પરંતુ, સર્વમંત્રને સાર એક જ છે અને તે છે આત્મા. તેથી સ્વાત્મભાવન માટે સ્વરોદય સાધનાના આ ગ્રંથમાં જણાવેલા ઉપાયમાં “સે હમ'ને જાપ સૌથી સરળ છે. (હું આ પિંડ નથી પણ 18 Page #20 -------------------------------------------------------------------------- ________________ પિંડમાં રહેલા પરમાત્મા) તે હું છું', પરમાત્મભાવ મારે સ્વભાવ છે એવું વારેવારે સ્વાત્મા સાથે વેદન કરીને સોટ્ટ' ને જાપ કરવાને છે. ચિત્તમાં આ સદૂભાવના સંસ્કારનું રેપણ કરીને તેને સુદઢ બનાવવાનો છે. પ્રાણાયામ ધ્યાન દ્વારા અર્થનું અનુસંધાન કરીને સતત થતા મંત્ર જાપથી તથા સાથે સાથે મંત્રના ચિત્તમાં થતાં ભાવન વખતે નાદનાં જે આંદોલન ઉત્પન્ન થાય છે તે ચિત્તને નિર્મળ તથા કષાયથી વિમુખ કરે છે. ચિત્તને પરમાત્મામાં સદ્ભાવ સ્થિર થતાં ઇડા તથા પિંગલા નાડીમાં થતો પ્રાણનો સંચાર થંભી જાય છે અને અમુક પરિમાણમાં સુષુમણા નાડી ખૂલી જતાં તેમાં પ્રાણને સંચાર શરૂ થાય છે ત્યારે જ ચિત્તમાં ખરેખર એકાગ્ર થવાની યોગ્યતા વિકસે છે. ધીરજપૂર્વકના અભ્યાસથી “સેડહમ'ને મંત્રોચ્ચારની, નાભિમાંથી ઊઠતા શ્વાસોચ્છવાસની સાથે ગતિ “સમ” થતાં તે લયબદ્ધ ક્રમમાં થવા માંડે છે. જ્યારે મંત્રોચ્ચારનું રટણ આયાસ વગર થવા માંડે છે ત્યારે ચિત્ત દષ્ટાભાવમાં સ્થિર થાય છે અને પ્રાણસમ થતી ઉચ્ચારની લીલાને નિહાળ્યા કરે છે. સર્વ અશાંતિના મૂળમાં દષ્ટાભાવમાં સ્થિર ન થઈ શકવાની ચિત્તની અશક્તિ રહેલી છે. તે દૂર થતાં મંત્રજાપ કરવો પડતો નથી, તે આપોઆપ જ થાય છે, આ *અજપાજાપનું રહસ્ય છે. અજપાજાપ સિદ્ધ થતાં “સ્વ સંવેદન” અથવા “અનુભવ ભાવ”ને પ્રકાશ થાય છે. તે મંત્ર ચૈતન્યના પૂર્વાભાસ તરીકે પણ ઓળખાય છે. મન-પવન સમાગમથી ચિત્તનો ઉપયોગ સૂક્ષ્મ થતા પ્રાણાયામ ધ્યાનના પાંચમા સ્વરૂપમાં સમતાભાવના સુખનો, સાક્ષી બનેલા ચિત્તમાં, અનુભવ થવો શરૂ થાય છે. ચિત્ત જે અરિહંત પરમાત્માના સ્વરૂપમાં અનુસંધાન પામે તે રૂપનું દર્શન કરીને આકૃતિમાં તન્મય થાય છે. જે તે સ્વદય–અભ્યાસમાં લાગેલું રહે તો, સ્વરના તવ અને વર્ણયુક્ત તેજોમય રફુરણને અનુભવ થાય છે. “મન અને પવનને સમાગમ” • એટલે કે ભાવયુકત મન અને દેહરૂપી પિંડના સુક્ષ્મ સ્વરૂપ એવા પ્રાણને, આ બંનેના ધારાપ્રવાહના “સમાગમને, પિંઠસ્થ યાનનો પ્રકાર માનવામાં આવ્યો છે. સમાગમના ગૂઢાથ ઉપર વિશેષ વિચાર માટે સ્વતંત્ર ચિંતન રજૂ કરું છું જે પ્રચલિત અર્થથી જુદું પડે છે. સમાગમને અર્થ *જુઓ કડી ૬૯ • જુઓ કડી ૯૭ 19. Page #21 -------------------------------------------------------------------------- ________________ મિલન કરીએ તે મન અને પ્રાણ સર્વત્ર છે. પ્રાણ સાથે સમાગમ ન થાય તો મન હોઈ શકે નહિ એટલે મન અને પ્રાણ અથવા મતને સમાગમ સાધવાનો નથી, તે તે પ્રકૃતિમાં સ્વયંસિદ્ધ છે. પરંતુ આ સમાગમ' અથવા મિલન સમ નથી વિષમ છે. તેથી ચિત્તમાં ભાવ-વૈષમ્ય અને પ્રાણમાં ગતિ–વૈષમ્ય ઉત્પન્ન થાય છે. ચિત્તની વૃત્તિઓ તથા પ્રાણને ધારાપ્રવાહ વૈષમ્યમાંથી “સમ–આગમ” અર્થાત સમમાં આગમન કરે તે “મન–પવન સમાગમ અત્રે અર્થ કરવો વિશેષ ઉચિત જણાય છે. આ સંદર્ભમાં ચિદાનંદજી તે જ કડીમાં કહે છે (કામ અને ભોગ માટે બહાર ભટકતા) મનને વશ કરી ઘરમાં આણે. મન વશ કરવું કેવું મુશ્કેલ છે તે પ્રસિદ્ધ છે. ચિત્ત અને પ્રાણનો સમમાં નિવાસ કરે તે મનને ઘરમાં આણવાની યુકિત હોઈ શકે ખરી ? પ્રકૃતિના સ્તર પર મંત્રજાપથી મન અને પ્રાણનાં સ્પંદને સમ થાય એટલે કે મન, પ્રાણ અને મંત્ર એ ત્રણેનું સમત્વ સધાય ત્યારે, સાક્ષીભાવને ઉદય થાય છે. પછી ચિત્ત રાગમાં રંજિત થતું નથી. તથા ઠેષને તેને લેપ ચઢતો નથી. ત્યારે ચિત્તમાં જે ભાવનો પ્રકાશ થાય છે તે સમતાભાવ છે. ચૈતન્યના સ્તર ઉપર થતા આત્મવિકાસનું આ ઉત્તમ ફળ છે. સમ” થયેલા ચિત્તમાં “સોટ્ટ'ના માનસિક રટણ સાથે સ્વાત્મા સાથે પરમત્માભાવનું ઊંડાણથી ભાવન કરવાને પુરુષાર્થ જે અનન્ય શ્રદ્ધાથી થતો રહે તો છેવટે મંત્રનું શબ્દસ્વરૂપ ક્ષીણ થાય છે અને નિસ્વરૂપ શેષ રહે છે. ત્યારે જેનો પૂર્વાભાસ અજપાજાપ રૂપે થયો હતો તે મંત્રમૈતન્ય જાગૃત થાય છે. આ પ્રાણમય નાદશક્તિને આવિર્ભાવ છે. વિશુદ્ધ થયેલા એકાગ્ર ચિત્તમાં મંત્ર ઊર્વગમન કરીને હવે તે આજ્ઞાચક્રમાં બિંદુસ્થાનમાં પ્રવેશે છે તથા જેતિમય સ્વરૂપ ધારણ કરે છે. શ્રેયાકાર ચિત્ત 3યાકાર બને છે. એટલે કે ચિત્તમાં યેય સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાની અંતરંગ શકિતને વિકાસ થતાં, ધ્યેયનો સાક્ષાત્કાર થાય છે. ક્રમશઃ મધ્યમા વાણુને ભેદ કરીને પશ્યન્તી વાણીમાં પ્રવેશ કરવો તે મંત્રગને પ્રધાનહેતુ સિદ્ધ થાય છે. અરિહંત પરમાત્મા સાથે અભેદ કરવાને ભાવ ચિત્તમાં રમતું હોય તે તેઓના અલોકિક ગુણેને નિજગુણો તરીકેને ભાવાત્મક ઐકયનો અનુભવ થાય છે. ચિત્તમાં સ્વરના વિષયમાં ચિંતન અને સ્વરના તત્વ સફુરણનું અવલોકન થતું હોય તે સ્વરોદયનું પૂર્ણજ્ઞાન–અંતન પ્રકાશ 20 Page #22 -------------------------------------------------------------------------- ________________ પામે છે. બિન્દુસમ જ્યેાતિમાં એકાગ્ર થયેલા ચિત્તમાં અનેા સાક્ષાત્કાર સભવે છે કારણ કે તે ન્યાતિ જ્ઞાનાત્મક છે અને સર્વજ્ઞેયપદાર્થોં તેમાં અભિન્ન રૂપથી સમાવિષ્ટ હોય છે. પરંતુ જે વિષ્ટિ જ્ઞેયની ઉપાસના કરી હાય તેને સાધક જ્ઞાનજ્ગ્યાતિમાં સાક્ષાત્ અનુભવે છે. મન પવન સમાગમથી પરિણત થયેલા પ્રાણશક્તિને પ્રવાહ વિશેષ સૂક્ષ્મ અને ત્યારે પ્રથમ નાદરૂપે અને બાદમાં જ્યાતિરૂપે પ્રકાશિત થાય છે. આ વિકાસની પ્રકૃતિના સ્તર પર થતી ક્રિયા છે. ચૈતન્યના સ્તર પર આ સમતાભાવને ધ્યેય એકત્વમાં થતા ચિત્તના વિકાસ છે. હવે સુખને અનુભવ વૃદ્ધિ પામીને પરમાનદમાં પરિણમે છે. સ્વરમાં થતાં તત્ત્વસ્ફુરણ સાથે ચિત્તમાં અનુરૂપ ભાવના ઉદય થાય છે તે સિદ્ધાંત સ્વરાયના મૂળમાં રહેલા છે. તે માન્ય થઈ શકે તે તેમાંથી એ ફલિત થાય છે કે આ પ્રકારની પ્રક્રિયા પ્રત્યેક વ્યક્તિના ચિત્તમાં અનિ`શ થતી હોય છે. છતાં, તેમાં તત્ત્વસ્ફુરણ તથા ભાવેાદય સમમાં અનુસધાન પામેલા ન હોવાથી તથા તે પ્રાણ અને મનનાં ગતિ વૈષમ્ય પર આધારિત હાવાથી હાનિકારક નીવડે છે. મનુષ્યની આંતરિક શક્તિનું વહન પ્રકૃતિની વ્યવસ્થા સાથે, અનુકૂળ કે પ્રતિકૂળ, અને અન્યાન્ય, તે ક્યારેક સમમાં તા યારેક સ્વચ્છંદમાં, આકસ્મિક ઊભા થતા યાગ અનુસાર થતું હાવાથી, શક્તિના વિનિયેાગ થવાને ખલે વ્યય થાય છે. તેથી મનુષ્ય ઇચ્છાનુસાર કાર્યો પાર પાડવામાં અશતઃ સફળતા મેળવી શકે છે. સ્વરાદયની સિદ્ધિ જેને પ્રાપ્ત થઈ છે તેવા પુરુષો સ્વ તથા પરના ઉપકાર માટે સત્કાર્યો કરે છે પ્રકૃતિની વ્યવસ્થા સાથે પોતાની આંતરિક શક્તિઓને સાનુકૂળ ખનાવીને તથા તેના ધારાપ્રવાહને સમત્વમાં પ્રયાજને, મન, વચન અને કાયાની શિતઓનું સકલન કરીને તેએ કાય કરતા હેાવાથી, તેઓને આશ્રયજનક સળતા પ્રાપ્ત થાય તે સ્વાભાવિક છે. આવા પુરુષોના ચિત્તમાં એવુ ભાવસામર્થ્ય સચિત થયું હોય છે કે તેએ ઇચ્છાનુસાર સ્વરને સુમેળ ઊભા કરી શકે છે. સુયેાગમાં જ તે કાય કરે છે. આ વિદ્યાતે સકાય સાધક માનવામાં આવી છે. તેના કારણે, યોગક્રિયાઓને શીઘ્ર ફળદાયી માનવામાં આવી તથા આત્મિક વિકાસમાં તેને નિશ્ચિત સ્થાન પ્રદાન કરવામાં આવ્યું તેનું મૂળ કારણ તેના જ્ઞાનથી કર્યાં કરવામાં પ્રાપ્ત થતી કુશળતા છે. 21 Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિમાં શક્તિ સ્વરૂપે પ્રાણ તથા ચૈતન્ય રૂપે રહેલી જ્ઞાન અને ક્રિયાની શક્તિઓનો, બે સ્તર પર થતાં સમાંતર, ક્રમિક તથા પરસ્પરના પ્રભાવથી થતા ઊંવગામી વિકાસનું અન્ને નિરૂપણ કરવામાં આવ્યું છે. આત્મિક વિકાસ માટે પ્રાણશક્તિની શુદ્ધિ, નિયમન તથા તેનું સાધનામાં યોજન કેટલું મહત્વનું છે અને તે અર્થે સ્વરોદયનું જ્ઞાન કેવી રીતે સહાયભૂત થાય છે તે દર્શાવવું એ તેનું પ્રયોજન છે. નોંધપાત્ર હકીકત એ છે કે શ્વાસોશ્વાસની ક્રિયા બને નાસિકામાંથી થાય છે છતાં ચંદ્રનાડીમાં થતા સ્વરેાદયને જ ધ્યાનને અનુરૂપ માનવામાં આવ્યો છે. અને તે સ્વરના તસ્કુરણ સાથે ભાવના-રફુરણનો સંબંધ આ ગ્રંથકારે તથા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ “મહાદેવ રતોત્ર” માં દર્શાવ્યો છે. ચંદ્રનાડી સૌમ્ય, અમૃત સ્વરૂપિણું અને સ્થિર કાર્યોને યોગ્ય છે. તથા સૂર્યનાડી રૌદ્ર સ્વરૂપિણી, ચર તથા ક્રૂર કાર્યોને સુયોગ્ય માનવામાં આવી છે. તેથી ધ્યાનને ઉપકારક મન તથા પ્રાણના સંબંધથી થતા ભાવોદયને જ દર્શાવવાનું શાસ્ત્રકારને ઈષ્ટ જણાયું હોય તે સંભવ છે. આ સંદર્ભમાં મળી આવતા કેટલાક ઉલ્લેખો તપાસી જોઈએ: ક્ષાન્તિ . ૨૫૨ મી કડી ૨૬૦ મી કડી મહાદેવ સ્તોત્ર શ્લોક ૧ પૃથ્વી (ક્ષિતિ) જય-તુષ્ટિ ક્ષમાદિ ગુણે ૩૨-૩૪ પુષ્ટિ ૨ જલ રતિ, ક્રીડા, હાસ્ય, – શાંતિ, પ્રસન્નતા ૩ અગ્નિ જવર, નિદ્રા ધાદિ કષાયો યોગ ૪ વાયુ (પવન) પ્રયાસ, કંપ ઇચ્છઓ નિઃસંગતા ૫ આકાશ ગતાયુ, મૃત્યુ – અલિપ્તતા દેખીતી રીતે બને ગ્રંથોમાં દર્શાવેલા તત્વ તથા ભાવના સંબંધોમાં મેળ બેસે તેમ નથી. આ ગ્રંથકારે સામાન્ય સાધકના સંદર્ભમાં તત્ત્વ–ભાવ સંબંધને વિચાર કર્યો હોય તે સંભવિત છે કારણ કે તેમાં મન તથા દેહ બંનેને અનુલક્ષીને વિચાર થયો હોય તેમ જણાયું છે. ત્યારે “મહાદેવ સ્તોત્ર'નું યોગસિદ્ધિ પુરુષના ચિત્તમાં સહજ ઉદય પામતા તત્વ-ભાવના સંબંધોને એટલે કે આદર્શ માનવામાં આવેલા પરિણમનને જ દર્શાવવામાં આવ્યાં હોય તે સંભવિત છે. 22 Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રાણાયામ ધ્યાનનું અંતિમ સ્વરૂપ લીનભાવ તે જ્ઞાનસમાધિ છે. વસ્તુતઃ સ્વરોદય શાસ્ત્રનું પ્રયોજન સિદ્ધ થઈ ગયું હોવાથી આ સ્વરૂપનું ચિંતન તે અર્થે ઉપકારક નથી પરંતુ પ્રાણાયામ ધ્યાનની ચરમ સ્થિતિ તરીકે અને વિષયની સમાપ્તિ માટે તે આવશ્યક છે. નાદ અને જ્યોતિના અનુભવમાં વિરામ પામેલું ચિત્ત નાદાનુસંધાન કરીને અનાહત નાદનું શ્રવણ કરે છે તથા પ્રશાંતભાવમાં વહન કરે છે ત્યારે, કર્મક્ષય થવાથી ચૈતન્ય વિશુદ્ધ થાય છે. બુદ્ધિને સત્યમાં પ્રતિષ્ઠા પામેલી પ્રજ્ઞામાં ઉદય થાય છે. આ ગ્રંથકારે જણાવ્યું છે તેમ અનાહત દેવની સેવા કરનારને તે દેવ અનેક પ્રકારની ઋધિ દેખાડે છે અને તેનું અદ્ભુત રૂપ સાધકની દૃષ્ટિમાં આવે છે. એટલે અંશે આંતર જગતને વિકાસ થાય તેટલા અંશે બાહ્ય જગત ઉપરનો સાધકને અધિકાર વૃદ્ધિ પામે છે. એક ધન્ય પળે, આંતરિક જગત પૂર્ણ વિકાસ પામે છે ત્યારે બાહ્ય જગત અને આંતરિક જગત એવા ભેદ સાધક માટે રહેતા નથી અને અભેદની સમાન અવસ્થા ઉત્પન્ન થાય છે, પરંતુ ત્યારે સાધકનું લક્ષ્ય માત્ર અનુભવગમ્ય એવી આ અભુત અધિઓ પ્રતિ લેશ પણ આકર્ષતું નથી પરંતુ તે સ્વાત્મામાં જ કેન્દ્રિત રહે છે. ચિત્તમાં વીતરાગભાવને પૂર્ણ વિકાસ થયો હોય તો આ શકય બને છે. બ્રહ્મરંધ્ર પ્રાણનું સ્થાન છે અને કુંડલિની શકિત પ્રાણનો આશ્રય લઈને આ સ્થાનમાં આરોહણ કરે છે. ત્યારે ક્રીડા કરવા માટે ઉત્પન્ન થયેલાં મન, પ્રાણ વગેરે સર્વ શકિતવિશેષો અનાહત નાદના આશ્રમમાં લીન થઈ જાય છે. આ લીનભાવ પ્રાણાયામ ધ્યાનનું પરમ વિરૂ૫ છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય સવે મહાભાવમાં અદશ્ય થઈ જાય છે. સર્વસમન્વયાત્મક અદ્વૈત દષ્ટિ એક જ પરમ શકિતમાં વિશ્વાસ કરે છે તેથી સર્વ સંજ્ઞાઓ જેમાં અદશ્ય થઈ જાય છે તેવા આ લીનભાવનું જ્યારે પુરુષ અને પ્રકૃતિ એક રૂપે થતાં અંતિમ સમાગમમાં જે અનુભવ થાય છે તેનું. બ્રહ્મભાવના પ્રકાશ તરીકે નિરૂપણ કરે છે. પિંઠસ્થ ધ્યાન દ્વારા આત્માનો પિંડથી પૃથક્ અનુભવ કરવા માટે દૈતમાં વિશ્વાસ કરતી જેનદષ્ટિ, ભેદ વિજ્ઞાનને વિકાસ કરીને આ પરમ અનુભવમાં, કમક્ષય અને તેના પરિણામે પ્રકૃતિના સમાગમને નહીં પરંતુ આસંગમુકિતને નિહાળે છે. તથા તેના ફળસ્વરૂપે થતા આત્મદર્શનને વર્ણવે છે. વસ્તુતઃ ઘટના એક જ છે પરંતુ તેનું અર્થઘટન બદલાય છે. અંતિમ પ્રાપ્તિને 23 WWW.jainelibrary.org Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ સાથેના મિલનનું ફળ માનીએ કે વિચ્છેદનું, પરંતુ આ વિશુદ્ધ ચૈતન્યને પૂર્ણ પ્રકાશ છે. સ્વ-સ્વરૂપનું અનુસંધાન છે અને તેનાથી મહાન મનુષ્ય માટે કોઈ ઉદ્દેશ નથી તે નિર્ણયમાં બે મત નથી. આ ગ્રંથમાં આસન, બંધ, મુદ્રા, પંચવાયુ, પંચ પ્રધાન બીજે, કુંડલિની શક્તિનું ઉત્થાન, યોગક્રિયાઓ વગેરે અનેક સાધના માર્ગ માટે આવશ્યક પદાર્થોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ લેખમાં તેને નિર્દેશ કરવામાં આવ્યો નથી. કારણ કે તેને આશય રવોદય જ્ઞાન કેવી રીતે મનુષ્યને જીવનના વ્યવહારમાં સહાયભૂત થાય છે તે, તથા યોગની દ્રષ્ટિએ આધ્યાત્મિક વિકાસમાં તેના અભ્યાસનું જે મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે તેની યથાર્થતા સમજાવવાનું છે. વિકાસલક્ષી જીવન જીવવાની એક કળા સ્વરોદય જ્ઞાનમાં પડેલી છે તે કળાના સ્વરૂપ ઉપર યથાશકિત પ્રકાશ પાડવાનો છે. અંતમાં ચિદાનંદજીએ સાધકને સાવધાન કરવા કહ્યું છે. “સ્વર” ના પૃથ્વી વગેરે તત્વનું નિરૂપણ સંજ્ઞારૂપ છે. દા. ત. “સંજ્ઞા છે. તેને આશય પરમાત્મા ભાવની અનુભૂતિ પ્રતિ સંકેત કરવાનું છે. “” ને માત્ર શાબ્દિ અર્થ દર્શાવવા નથી. તે મુજબ આ ગ્રંથમાં ભૌતિક પંચતની લીલાનું રવરૂપ લૌકિક સુખમાં રાચવા માટે કરવામાં નથી આવ્યું, પરંતુ જીવન માટે જે બંધન કરનારું રહસ્ય છે તેને સમજીને તેની મેહમયી જાળમાંથી મુક્ત થઇને તસ્વાતીત તેવા આત્મતત્તવમાં અહમ ને લીન કરવા માટે ઉપદેશવામાં આવ્યું છે. સ્વદય જ્ઞાનના નિરૂપણમાં ગ્રંથકારનું આ મુખ્ય પ્રયોજન છે તેથી તે સંકેતમાં અટવાઈ નહીં જવાનું પણ સંકેતના આશયને તેઓ ગ્રહણ કરવાનું કહે છે. રવોદયને ગર્ભિત ભાવાર્થ સ્પષ્ટ કરવા માટે કરવામાં આવેલી આ વિચારણું સ્વયં પણ શબ્દરૂપ હોવાથી સંકેત રવરૂપ જ છે. જેનો નિર્દેશ કરવાને આ નમ્ર પ્રયાસ છે તે સ્વાનુભૂતિ પ્રતિ પ્રયાણ કરવાની વાચકમાં અભિરુચિ પ્રગટે એ જ અભ્યર્થના. ત” ઈરલા બ્રીજ, ૧૫, સ્વામી વિવેકાનન્દ રેડ, વિલે-પારલે (પશ્ચિમ), ચન્દ્રકાન્ત અમૃતલાલ દેશી મુંબઈ-૪૦૦ ૦૫૬. તા. ૧-૮-૧૯૮૬ 24 Page #26 -------------------------------------------------------------------------- ________________ 27 Aી - = = ૧૬, = w ? અનુક્રમણિકા ક્રમાંક વિષય ૧. પ્રકાશકીય નિવેદન ૨. વિશેષ શુદ્ધિપત્રક ૩. મુખપૃષ્ઠ : ચિત્ર પરિચય ૪. વિષય-પ્રવેશઃ ગદ્યબદ્ધ સ્વદય જ્ઞાન ૫. શુદ્ધિપત્રક ક્રમાંક વિષય ૧. મંગલાચરણ ૧ થી ૯ ૨. સ્વરનો ઉદય ૧૦. ૩ નાડી-વિચાર ૧૧ થી ૧૨ ૪. નાડીના ગુણ તથા ધામ ૧૩ થી ૧૫ ૫. સ્વદયની વ્યાખ્યા ૬. સ્વરેનાં કાર્ય ૧૭ થી ૧૯ ૭. પક્ષના સ્વામી તથા તિથિના ભાગ ગણવાની રીત ૮ વાર, નક્ષત્ર, રાશિ-વગત-દિન ૨૩ થી ૩૩ ૯. પ્રશ્નકરણ-સ્વાદય જ્ઞાન ૩૪ થી ૪૭ ૧૦. પ્રાણાયામ ૪૮ થી ૬૦ ૧૧. બીજ સંચાર-પાંચ વાયુ ૬૧ થી ૬૬ ૧૨. વર્ણસંચાર – અનાહત-ધ્વનિ, કુંડલિની ૬૭ થી ૭૪ ૧૩. મુદ્રા, બંધ, આસન વગેરે– રેગ મટાડવા માટે ૭૫ થી ૭૮ ૧૪. ગની આઠ દૃષ્ટિ અને ધ્યાનવ્યવહાર તથા નિશ્ચય ૭૯ થી ૯૧ ૧૫. ડિસ્થાદિ ધ્યાન, નાદ ૨ થી ૧૦૪ ૧૬. પ્રાણાયામની દશ ભૂમિ, પાંચ તત્વ ૧૦૫ થી ૧૦૭ ૧૭. પાંચ તત્ત્વની ઓળખ વર્ણ, માન, આકાર, કાલ અને ફળ દ્વારા ૧૦૮ થી ૧૧૮ ૧૮. વર્ષ દિવસના કાલ અને સમયનું જ્ઞાન ૧૧૯ થી ૧૩૩. ૧૯. વર્ષફળ જેવાની ત્રણ રીત ૧૩૪ થી ૧૬૩ ૨૦. પાંચ તત્વમાં પ્રશ્નનો પ્રસંગ ૧૬૪ થી ૧૬૮ ૧૩ ૧૫ ૨૩ ૨૭ ૩૦ ર Page #27 -------------------------------------------------------------------------- ________________ વિષય પ૦ ઇe. પર ૫૫ ૫૬ પ૭ પ૭ પ પ૮ ક્રમાંક પદ્ય ૨૧. રંગ અને રોગી વિષે પ્રશ્ન ૧૬૯ થી ૧૨ ૨૨. ચંદ્રસ્વરમાં અને સૂર્યસ્વરમાં કરવા યોગ્ય કાર્યો ૧૩ થી ૨૨૪ ૨૩. સુષુષ્ણસ્વરમાં કરવા યોગ્ય કાર્યો ૨૧૫ થી ૨૩૧ ૨૪. તત્ત્વ સ્વરૂપ નિહાળવાના ઉપાયો વિચાર રર૩ થી ૨૩૧ ૨૫ તનાં સ્થાન અને તેનાં કાર્ય ૨૩૨ થી ૨૪ ૨૬. તમાં પદાર્થોની ચિન્તા ૨૪૫ – ૨૪૬ ર૭. તાના સ્વામી, ગ્રહ તથા વાર ૨૪૭ થી ૨૯ ૨૮. ચંદ્રસ્વરની બાર અવસ્થાએ ૨૫૦ થી ૨૫૨ ૨૯. તાના રસ ૨૫૩ – ૨૫૪ ૩૦. તનાં નક્ષેત્રે ૨૫૫ થી ૨૫૮ ૩૧. તની ઉત્પત્તિને કમ ૨૫૯ ૩૨. તમાં કેધાદિને ઉદય ૨૬૦ ૩૩. તરાના આધાર, આહાર અને નિહાર ૨૬૧ - ૨૬૨ ૩૪. યુદ્ધકરણ માટે સ્વર તથા યુદ્ધપ્રસંગના પ્રશ્નો ૨૩૩ થી ૨૮૯ ૩પ. ગર્ભ-અધિકાર ૨૦ થી ૩૧૭ ૩૬. પરદેશ–ગમનનો વિચાર ૩૧૮ થી ૩૩૨ ૩૭. વાર અને તિથિનું તત્ત્વજ્ઞાન ૩૩૩ થી ૩૩૬ ૩૮. સ્વરજ્ઞાનને મહિમા ૩૩૭ થી ૩૪૨ ૩૯. નીરોગી શરીર માટે સ્વરજ્ઞાન ૩૪૩ થી ૩૪૮ ૪૦. કાલ-પરીક્ષાનું જ્ઞાન ૩૯ થી ૩૭૦ ૪૧. અધ્યાત્મ જ્ઞાન ૩૭૧ થી ૪૦૩ ૪૨. શ્વાસોચ્છવાસ અને આયુ ૪૦૪ થી ૪૧૫ ૪૩. પ્રાણાયામ અને અજપ-સ્મરણ ૪૧૬ થી ૩૦ ૪૪. દેહમાં નાડીને વિસ્તાર અને તેનું જ્ઞાન ૪૩૧ થી ૪૪૭ ૪૫. સ્વર બહાર અને અંદર ચાલતાં ફલાદેશ ૪૪૮ – ૪૪૯ ૪૬. પંચતત્ત્વ : સંજ્ઞારૂપ ૫૦ ૪૭. ઉપસંહાર ૫૧ થી ૪૫ર ૪૮. રચનાકાળ ૫૩ પલ ૭૦ ७४ ७६ ૧. s ૧૦૦ U Page #28 -------------------------------------------------------------------------- ________________ –: પ્રકાશકીય નિવેદન : ' શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દેાશીએ નમસ્કાર મહામત્ર . ઉપર સંશાધન શરૂ કર્યુ. ત્યારે તેઓએ મ ંત્રજાપ અને ધ્યાનના વિષયેામાં ઊંડા અભ્યાસ કર્યાં. સ ંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યમાં પ્રાપ્ત થતા કેટલાક ઉલ્લેખામાંથી સ્વાદયવિજ્ઞાનની માહિતી પ્રાપ્ત થઈ. નમસ્કાર—સ્વાધ્યાય સંસ્કૃતવિભાગ'માં સગૃહીત શ્રાદ્ધવિધિ' પ્રકરણાન્તગ ત સદ'માં શ્રાવકે પ્રાતઃકાળે નિદ્રા યાગ ખાદ નાડી-પરીક્ષા અને તત્ત્વ-નિ`ય કરીને ધર્માં ક્રિયા કરવી જોઇએ' એવે નિર્દેશ મળ્યા. નમસ્કાર–સ્વાધ્યાય પ્રાકૃતવિભાગ’માં ‘નમસ્કાર સાર થવષ્ણુ'માં પ’ચપરમેષ્ઠિ–સાધન—વિધિ કાષ્ટક’ આપવામાં આવ્યું છે તેમાં ૫'ચપરમેષ્ઠિ મંત્રજાપ કરવા માટે પ્રત્યેક મંત્ર માટે સુનિશ્ચિત કરવામાં આવેલા સ્વર, તત્ત્વ, મંડળ, દિશા, ગ્રહ, તિથિ વગેરેની વ્યવસ્થિત વિગતા મળી આવી. કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાય વિરચિત પ્રાકૃતયાશ્રય કાવ્યની ટીકા, સગð-૮, પૃષ્ઠ : ૨૭૨-૨૭૩ માં સમાલખન'ની વિશિષ્ટ ધ્યાન–પ્રક્રિયા વિશેના વણૅનમાં પ્રાણાયામનું મહત્ત્વ દર્શાવતાં જણાવવામાં આવ્યું છે કે ઃ नाडीपवनसंयोगपरिज्ञानविकलेन बहुक्लिश्यताऽपि योग : साधयितुं न शक्यत इति મા:। ભાવાથ કે નાડી પવન સયાગના પરિજ્ઞાનથી કે પાંચ સમીરના ઉત્થાનની પ્રક્રિયાના જ્ઞાનથી રહિત પુરુષ ધણા લેશે પણ ચેામ સાધી શકતા નથી. શ્રીશુભચન્દ્રાચાય રચિત ‘ જ્ઞાના'વ'માં પ્રાણાયામના પ્રકરણમાં સ્વરોદય વિજ્ઞાન ઉપર ૧૦૨ શ્ર્લાક પ્રમાણુ વિશદ નિરૂપણુ જોવા મળ્યું. તેમાં જણાવ્યું છે કે શરીરમાં રહેલા પવન મુખ–નાસિકા દ્વારા શ્ર્વાસાવાસમાં જાણી શકાય છે. આ પવન મનની ચંચળતાનું કારણુ છે અને પવનને વશ કરવાથી મન વશમાં આવે છે. તેમાં પ્રાણાયામનાં એ મુખ્ય Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રજનો આપવામાં આવ્યાં છેઃ (૧) ધ્યાનની સિદ્ધિ અને (૨) મનને એકાગ્ર કરીને આત્મ–રમણમાં સ્થિર કરવું તે શ્રીચિદાનંદજી રચિત “સ્વદય જ્ઞાનમાં તથા ૩૦૦ વર્ષ પહેલાં કવિરાજ શ્રીનેમિદાસ રામજી શાહ પ્રણીત “પંચ પરમેષ્ટિ મંત્રરાજ ધ્યાનમાલા” માં શેઠશ્રી અમૃતલાલભાઈને સ્વરોદય વિજ્ઞાનની યોગ-સાધનાની દષ્ટિએ પુષ્કળ માહિતી મળી આવી. તેમાં પંચ સમીર, વાયુનાં સ્થાન, પંચ તત્વ, ચાર મંડળ, વર્ણ, સ્પર્શ, ગંધ, રસ વગેરેનું વર્ણન જોવા મળ્યું. તેમાં દ્રવ્ય–પ્રાણાયામ તથા ભાવ–પ્રાણાયામનું સ્વરૂપ સમજાવી ભાવ-પ્રાણાયામની પ્રધાનતા સ્થાપવામાં આવી છે. આ સાધના માટે ઉપયોગી સામગ્રીની સમજણ આપવામાં તેઓએ, શ્રીચિદાનંદજી કૃત રદય જ્ઞાનના ઘણું આધારોની નોંધ પોતાના ગ્રંથમાં કરી છે તથા તે સાથે, આધ્યાત્મિક-વિકાસમાં ચાવી રૂ૫ આ શાસ્ત્રાભ્યાસમાં ગુગમ અને આમ્નાયના અભાવ માટે તેઓએ ખેદ જાહેર કર્યો છે. શ્રી શુભચન્દ્રાચાર્યના “નાનાવણમાં, શ્રી હેમચન્દ્રાચાર્યના યોગશાસ્ત્રમાં, તથા “પંચ પરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાળામાં અને શ્રીચિદાનંદજી કૃત “સ્વદય જ્ઞાનમાં સ્વર વિજ્ઞાનને પ્રધાન હેતુ શારીરિક કે ભૌતિક લાભ મેળવવાને નહીં પણ આધ્યાત્મિક વિકાસનું મહત્વપૂર્ણ સાધન પૂરું પાડવાનો છે તેમ સ્પષ્ટ જણુંવવામાં આવ્યું છે. “સ્વરોદય જ્ઞાનમાં પ્રતિપાદિત ભૌતિક સિદ્ધિઓ અને ફળાદેશ, “તેજ – સ્વરોદય', નાથ-સ્વરોદય’, ‘શિવ- દય’ની જેમ ઉપરોક્ત જેન-ગ્રંથમાં પણ જોવા મળે છે; પણ જૈનગ્રંથોમાં પ્રધાનપણે પ્રતિપાદિત અધ્યાત્મ પિષક અભિગમ અન્ય ગ્રંથોમાં તે પ્રકારે જોવા મળતો નથી. જેન-ગ્રંથોની ધ્યાન ખેંચે તેવી આ વિશેષતા લક્ષમાં લઈને શેઠશ્રી અમૃતલાલભાઈએ સ્વરોદય જ્ઞાનને ધ્યાનના વિષયમાં પૂર્તિગ્રંથ તરીકે ગુજરાતી ભાવાનુવાદ તૈયાર કર્યો, જે ગ્રંથાકારે પ્રકાશિત કરતાં અમને આનંદ થાય છે. સ્વદય જ્ઞાન ની સિદ્ધિ માટે લૌકિક કાર્યોની ભાવના છેડીને, ચિત્તને એકતાન કરીને કરવામાં આવતા પ્રાણાયામ-ધ્યાનની વ્યવસ્થિત સાધના પદ્ધતિ આ ગ્રંથમાંથી મળતી નથી. ગુરુ-મુખથી સ્વરદય જ્ઞાન પરંપરામાં મળતું હોવાથી તેનો આમ્નાય અત્યારે લુપ્ત થઈ ગયું હોય એવું જણાય છે; છતાં કૃતનિશ્ચયી સાધક માટે પ્રગતિ કરવાનું અવશ્ય સંભવિત છે કારણ કે Page #30 -------------------------------------------------------------------------- ________________ 5 ચિત્તરૂપી દર્પણું જેટલે અંશે સ્વચ્છ થઈ શકે તેટલા અંશે તેમાં જ્ઞાનનું પ્રતિબિં‘ખ પડ્યા વગર રહે નહીં. ‘શિવ સ્વરાદય’માં જે જ્ઞાનને જીવન માટે આવશ્યક, પરમ ઉપકારક, પવિત્ર, સકાય સાધક, સર્વ'જ્ઞાનનું કારણ તથા ગ્રંથ દર્શાવવામાં આવ્યુ છે, જે જ્ઞાન દ્વારા સુયેાગ' હોય ત્યારે યોગ-સાધના કરવાથી શીઘ્ર ફળદાયી બને છે, તે જ્ઞાન પ્રત્યે વાચકને આદરભાવ પ્રગટે અને મુમુક્ષુઓ આત્મકલ્યાણ માટે તેને સદુપયેાગ કરવા પ્રેરાય તે પ્રસ્તુત ગ્રંથ સ્વરોદય જ્ઞાન'ના પ્રકાશનના મુખ્ય આશય છે. ‘સ્વરાદય જ્ઞાન’ના ભાવાનુવાદ તૈયાર કરતી વખતે પાઠાંતરો કઈ કઈ પ્રતના આધારે નેાંધવામાં આવ્યા છે તે જાણી શકયુ નથી. શા. ભીમસિંહ માણેક ઈસ્વી સન ૧૯૨૨ માં ‘સ્વરેાદય જ્ઞાન' ગ્રંથ પુસ્તિકા રૂપે ગુજરાતીમાં પ્રકાશિત કર્યાં છે, જેમાં શ્રીચિદાનંદજી કૃત ‘સ્વરાદય જ્ઞાન' પદ્યમાં આપવામાં આવ્યું છે. આ વિષયમાં પ્રવેશ કરવા સરળ પડે તે હેતુથી તેને ગદ્યબદ્ધ કરીને પશુ છાપ્યું છે. આ ગદ્યરચના ગ્રંથા વિષય સુસ્પષ્ટ કરવા માટે ઉપયેાગી જણાતા આ ગ્રંથમાં તેને ‘વિષય-પ્રવેશ’ શીષ ક નીચે સમાવિષ્ટ કરવામાં આવી છે. પરંતુ શ્રીચિદાનંદજીને આધ્યાત્મિક દૃષ્ટિક્રાણુ સમજવા માટે મૂળ રચનાનુ પાન અનિવાય છે. શ્વાસાચ્છ્વાસની ભૌતિક-ક્રિયા માત્ર પરંપરાગત માન્યતાના ખળ ઉપર સ્વરજ્ઞાનની નિર્દેશક જ નથી તથા તેના વિષ્ટિ જ્ઞાનનુ ક્ષેત્ર વ્યાવહારિક લાભાલાભના ઉપયેાગ પૂરતું જ સીમિત નથી; પરંતુ તેના મૂળમાં આધ્યાત્મિક સમ`ન પડેલું છે. અને આધુનિક વૈજ્ઞાનિક દષ્ટિક્રાણુ પણ તેની યથાતા પૂરવાર કરવા માટે રસપ્રદ માહિતી પૂરી પાડે છે, તે સર્વે ઉપર પ્રકાશ પાડતા સંસ્થાના મેનેજી'ગ-ટ્રસ્ટી શ્રી ચન્દ્રકાન્ત અમૃતલાલ દાશીના મનનીય લેખ સ્વાદય સ્વાધ્યાય' પણ અમે અહીં રજૂ કરેલ છે. તેમાં સ્વર તથા જપયેાગની સાધનાના અનુસ ંધાનમાં પ્રાણાયામ-ધ્યાનની સાત ભૂમિકાઓનું તેઓએ કરેલું નિરૂપણું ધ્યાન કષક છે. પ્રાયઃ લુપ્ત થઈ ગયેલા સ્વાદય જ્ઞાનમાં વિશેષ પુરુષાથ દ્વારા પુનઃજીવનનું સંચારણ કરવા માટે આ લેખ પૂર્વભૂમિકારૂપ છે તદુપરાંત વાચકમાં વિષય પ્રત્યે આદરભાવ કુળવવા માટે તો તે સહાયભૂત છે જ. Page #31 -------------------------------------------------------------------------- ________________ કેટલીક ઉપયોગી વિગતે લક્ષ્યમાં આવતાં તે શુદ્ધિપત્રકમાં પાદનોંધ રૂપે તથા વિશેષ શુદ્ધિપત્રક રૂપે લેવામાં આવી છે. ઉપયોગી માહિતી આપતી પાદનોંધે છત્યાદિ પાછળ શ્રી ગિરીશકુમાર પરમાનંદ શાહને પરિશ્રમ રહેલો છે, તેથી તેનું શ્રેય તેઓને જાય છે. ગ્રંથના સંપાદનમાં છવાસ્થતા, અનુપગ, પ્રેસ-વેષ આદિથી કઈ ત્રુટિ રહી જવા પામી હોય અથવા જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયું કે છપાવાયું હોય તે બદલ અમે તેને મિચ્છા મિ દુ૬િ દઈએ છીએ. અંતે આ ગ્રંથ સાધકોને “સ્વરોદય’ વિષયક માગદશન આપનાર બની રહે – એ જ અભ્યર્થના. ૯૬ બી, સ્વામી વિવેકાનંદ માર્ગ, ઇરલા, વિલે-પારલે (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ ૦૫૬, તા. ૧-૮–૧૯૮૬ લિ. કનૈયાલાલ પી. શાહ મેનેજર, જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ Page #32 -------------------------------------------------------------------------- ________________ વિશેષ શુદ્ધિપત્રક પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ શુદ્ધ ૫ ૯ વકનાલ વૈનાલ [ આ એક વિશેષ નાડી (બ્રહ્મનાડી) છે, જે મૂલાધારથી નીકળી નાભિની ડાબી માંથી બાજુથી ઉપર જઈ હૃદય અને વક્ષ:સ્થલને સ્પર્શ કરતી આજ્ઞાચક્રમાં રુદ્રગ્રંથિને મળે છે તથા તેમાંથી નીકળી આગળ વધતાં ક્રમશઃ બ્રહ્મરિન્દ્રમાં પહોંચે છે, તદુપરાન્ત મસ્તકની પાછળની બાજુએ લટકતી રહી ફરી ઉપર તરફ જાય છે. અહીં આ નાડી અધ ચન્દ્રાકાર દેખાય છે, તેથી આ સ્થાન પર તેને વંકનાળ” કહે છે. ત્યાર પછી તે મહાશૂન્યના છેડા પર આવેલ “ભ્રમર-ગુહામાં પ્રવેશ કરે છે. ] ૧૨ ૨૪ -- સંયમના ભેદ ૧૭ છે. તે આ પ્રમાણે ૧. પૃથ્વીકાય સંયમ, ૨. અપૂકાયસંયમ, ૩. તેજસ્કાય સંયમ, ૪. વાયુકાય સંયમ, ૫. વનસ્પતિકાય સંયમ, ૬. કીન્દ્રિય સંયમ, ૭. ત્રીન્દ્રિય સંયમ, ૮. ચતુરિન્દ્રિય સંયમ, ૯. પંચેન્દ્રિય સંયમ, ૧૦. અજીવકાર્ય સંયમ, ૧૧. પ્રેક્ષા સંયમ, ૧૨. ઉપેક્ષા સંયમ, ૧૩. અપહૃત્ય સંયમ, ૧૪. પ્રમાજના સંયમ, ૧૫. મન સંયમ, ૧૬. વચન સંયમ અને ૧૭. કાય સંયમ. પ૬ ૧૮ પરદેશમાં ગયેલી વ્યક્તિની અવસ્થા (પછી ઉમેરે) જાણવા માટે ઉપયેગી એવી પ૭ ૨૪ શ્રવણનક્ષત્રા શ્રવણ નક્ષત્રના પ્રથમ ચરણના પ્રથમ ૧/૧૫ ભાગ સુધી અંત સુધી ૬૧ ૧૨ પહેલાં જેનું નામ પહેલા જેનું નામ લીધું હોય તે લીધું હોય તે હારે અને બીજે Page #33 -------------------------------------------------------------------------- ________________ કરીને પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ શુદ્ધ ૮૬ ૨૫ -- બીજી રીતે સાત પ્રકારના ભય : (પછી ઉમેરે) ૧. ઈહલોકભય, ૨. પરલોકભય, ૩. આદાનભય, ૪. અકસ્માતભય, ૫ આજીવિકાભય, ૬ મરણય અને ૭. અશ્લાઘાભય. ૯૨ ૧૧/૧૨ (અર્થાત ભૂ-મધ્યે (“ભ્રમર-ગુફ” અર્થાત્ “ભ્રમરધ્યાન કેન્દ્રિત ગુહા –એ સત્ય-રાજ્યનું દ્વાર છે; જે અતિમહાશૂન્ય – ચરમ-શૂન્ય પછી અને પૂર્ણસત્ય પહેલા બંનેના સંધિ-સ્થાનમાં આવેલું છે, ત્યાં સ્થિત થઈને [ અહીં અથ પાઠાન્તર લક્ષમાં રાખી કરેલ છે. ] [ોંધઃ –– “વંકનાલ” તથા “ભ્રમર-ગુહા માટે જુઓ – મહામહોપાધ્યાય ડૉ. શ્રી ગોપીનાથ કવિરાજ લિખિત “ભારતીય સંસ્કૃતિ ઔર સાધના” (દ્વિતીય ખંડ) પૃષ્ઠ : ૪૪-૪૫ અને “તાંત્રિક વાડમય શાક્તદષ્ટિ – પૃષ્ઠ: ૧૦૩–૧૦૪. ] મુખપૃષ્ઠ : ચિત્રપરિચય સ્વરોદય’– પ્રાણાયામની પ્રથમ ભૂમિકા છે. “જ્ઞાનાર્ણવતન્ત્રના દ્વિતીય પટલમાં “પ્રાણાયામ–મુદ્રા'નું વર્ણન કરતાં કહ્યું છે કે – " कनिष्ठानामिकाङ्गुष्ठैर्यन्नासापुटधारणम् ॥ २७ ॥ પ્રાથમિક સ વિશે રતનમણ્યમે વિના ” તર્જની અને મધ્યમા વિના, કનિષ્ઠા-અનામિકા અને અંગુષ્ઠ વડે નાસિકાપુટને પકડવું તે પ્રાણાયામ જાણ. સ્વરદયમાં “સ્વર– વિચાર મુખ્ય હેવાથી આ ગ્રન્થના મુખપૃષ્ઠ પર, ડાબે કે જમણો કયે “સ્વર” સહજ રીતે ચાલે છે અર્થાત્ નાસિકાના કયા રન્દ્રમાંથી “વાયુ ” બહાર આવે છે – તે જાણવા માટેની “મુદ્રા દર્શાવી છે. આ ચિત્રમાં જમણે સ્વર ચાલતે બતાવ્યું છે અર્થાત્ સૂર્યસ્વર” (“પિંગલા'નાડી)નો ઉદય દર્શાવેલ છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ વિષય-પ્રવેશ ગદ્યબદ્ધ સ્વરદય જ્ઞાન વિચાર કરવાથી જણાય છે કે સ્વરોદયની વિદ્યા એક મોટી પવિત્ર તથા આત્માના કલ્યાણની કરવાવાલી વિદ્યા છે. કેમકે એનો અભ્યાસ કરીને પૂર્વ કાલના મહાનુભાવ પિતાના આત્માનું કલ્યાણ કરી અવિનાશી પદને પ્રાપ્ત કરી ચુક્યા છે. જ, શ્રી જિનેશ્વરદેવ અને શ્રી ગણધર મહારાજ એ વિદ્યાના પૂરા જ્ઞાતા હતા અર્થાત્ તેઓ એ વિદ્યાના પ્રાણાયામ આદિ સર્વ અંગ અને ઉપાંગને સારી રીતે જાણતા હતા. જ કે જેનાગમમાં લખ્યું છે કે “શ્રી મહાવીર અરિહંત પછી ચૌદ પૂર્વધારી શ્રી ભદ્રબાહુસ્વામી જ્યારે થયા હતા તથા તેઓશ્રીએ સૂક્ષ્મ પ્રાણાયામના સ્થાનનું પરાવર્તન કર્યું હતું તે વખતે સમસ્ત સંઘે મલને તેઓને વિજ્ઞપ્તિ કરી હતી ” ઈત્યાદિ. ઈતિહાસનું અવલોકન કરવાથી જણાય છે કે જૈનાચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ તથા દાદાસાહેબ શ્રી જિનદત્તસૂરિ આદિ અનેક જૈનાચાર્ય એ વિદ્યાના પૂરેપૂરા અભ્યાસી હતા, તેથી ન્યારા થડા સિકા પૂર્વે આનંદઘનજી મહારાજ, ચિદાનંદજી મહારાજ (કપૂરચંદજી) તથા જ્ઞાનસારજી (નારાયણજી) મહારાજ આદિ મોટા મોટા આધ્યાત્મિક પુરુષ થઈ ગયા છે કે જેના કરેલા ગ્રંથ પરથી જણાય છે કે આત્માના કલ્યાણને વાસ્તે પૂર્વકાલમાં સાધુ લોકો ભેગાભ્યાસથી ઘણી સારી રીતે ક્રિયા કરતા હતા, પરંતુ હાલમાં કઈ કારણોથી તે વ્યવહાર દેખવામાં આવતો નથી. કેમકે પ્રથમ તો અનેક કારણો વડે શરીરની શક્તિ ઘટી ગઈ છે, બીજુ ધર્મ તથા શ્રદ્ધા પણ ઘટવા લાગ્યાં છે, ત્રીજુ સાધુ લોકે પુસ્તકાદિ પરિગ્રહને એકઠા કરવામાં અને પોતાના માન મહિનામાં સાધુત્વ (સાધુપણ) સમજવા લાગ્યા છે, લોભે પણ કાંઈક કાંઈક પિતાનો પજે તેમના પર ફેલાવ્યો છે, કહે, હવે સ્વરોદયજ્ઞાનને ઝગડે શી રીતે સારે લાગે? કેમકે આ કામ તો નિર્લોભીપણાનું તથા આત્મજ્ઞાનીઓનું છે. વલી આ પણ કહી દેવામાં અતિશયોક્તિ નહીં લાગે કે મુનિઓના આત્મકલ્યાણનો મુખ્ય માર્ગ આ છે. હવે બીજી વાત એ છે કે મુનિઓ Page #35 -------------------------------------------------------------------------- ________________ 10 પોતાના આત્મકલ્યાણનો માર્ગ છોડીને અજ્ઞાન સંસારી જનો પર પોતાના ઢોંગ દ્વારા એ પિતાનું સાધુત્વ પ્રગટ કરે છે. પ્રાણાયામ ગની દશ ભૂમિ છે જેમાં પહેલી જ ભૂમિ સ્વરોદયજ્ઞાન જ છે. આ જ્ઞાનના અભ્યાસ દ્વારા એ મેટા ગુપ્ત ભેદોને મનુષ્ય સુગમતાપૂર્વક જાણી શકે છે તથા ઘણા રોગોની ઓષધિ પણ કરી શકે છે. સ્વરદય પદને શબ્દાથ શ્વાસનું નીકળવું થાય છે, એટલા માટે આમાં માત્ર શ્વાસનીજ એલખાણ કરવામાં આવે છે અને નાક પર હાથને રાખતાંજ “ગુપ્ત વાતનું રહસ્ય ચિત્રની માફક સારું આવે છે, અને અનેક સિદ્ધિઓ ઉત્પન્ન થાય છે; પરંતુ આ વાત નક્કી છે કે આ વિદ્યાને અભ્યાસ સારી રીતે ગૃહસ્થાથી થઈ શકતો નથી, કેમકે પ્રથમ તે આ વિષય ઘણો કઠીન છે અર્થાત્ આમાં અનેક સાધનની આવશ્યકતા હોય છે, બીજુ આ વિદ્યાને જે ગ્રંથ છે તેમાં આ વિષયનું અતિ કઠીનતાની સાથે ઘણું સંક્ષેપથી વાર્ણન કરેલું છે. જે સર્વ સાધારણ મનુષ્યોથી સમજવામાં આવી શકતું નથી. ત્રીજું આ વિદ્યાના સારી રીતે જાણવાવાલા તથા બીજાને સુગમતાપૂર્વક અભ્યાસ કરાવી શકે એવા પુરુષે પણ વિરલ સ્થલે જોવામાં આવે છે. માત્ર એજ કારણ છે કે વર્તમાન કાલે આ વિદ્યાના અભ્યાસ કરવાની ઈચ્છાવાલા પુરુષ આમાં પ્રવૃત્ત થઈને લાભને બદલે અનેક હાનિઓ કરી બેસે છે, અસ્તુ. આ સર્વ વાતને વિચાર કરી તથા ગૃહસ્થને પણ આ વિદ્યાના કાંઈક અભ્યાસની આવશ્યકતા સમજીને તે ગૃહસ્થથી સિદ્ધ થઈ શકવા ગ્ય આ વિદ્યાનું કાંઈક વિજ્ઞાન અત્રે આપવામાં આવે છે – આશા છે કે ગૃહસ્થ આ પુસ્તકના આધારથી આ વિદ્યાના અભ્યાસ દ્વારા લાભ પામશે, કેમકે આ વિદ્યાને અભ્યાસ આ ભવ અને પરભવ નિઃસંદેહપણે સુખની પ્રાપ્તિ કરાવી શકે છે. સ્વરદયનું સ્વરૂપ તથા આવશ્યક નિયમ નાસિકાની અંદરથી જે શ્વાસ નીકળે છે તેનું નામ સ્વર છે. તેને સ્થિર ચિત્તે કરી એલખાણ કરી શુભાશુભ કાર્યને વિચાર કરે. રવરનો સંબંધ નાડીઓથી છે. જો કે શરીરમાં નાડીઓ ઘણું છે, પરંતુ તેમાં ૨૪ પ્રધાન છે. તેમાં પણ નવ અતિ પ્રધાન છે. તેમાં પણ ૩ને ઘણી જ Page #36 -------------------------------------------------------------------------- ________________ 11 પ્રધાન માનેલી છે. તેનાં નામ ઈંગલા, પિંગલા અને સુષુમણા (સુખમના) છે. તેનું વર્ણન આગલ કરવામાં આવશે, યાદીમાં રાખવું જોઈ એ કે બ્રૂની વચમાં જે ચક્ર છે ત્યાંથી શ્વાસના પ્રકાશ થાય છે . અને પાછલી વંકનાલમાં થઇને નાભિમાં જઈ સ્થિર થાય છે. દક્ષિણ અર્થાત્ જમણી બાજુ જે શ્વાસ નાક દ્વારાએ નીકળે છે તેને પિંગલા નાડી કે સૂર્યસ્વર કહે છે. વામ અર્થાત્ ડાબી બાજુ જે શ્વાસ નાકદ્વારાએ નીકળે છે તેને ઇંગલા (ઇંડા ) નાડી કે ચંદ્રસ્વર કહે છે અને અને તરફ અર્થાત્ નાસિકાની જમણી અને ડાબી એમ બંને માજુ သူ့ શ્વાસ નીકળે છે તેને સુખમના નાડી કહે છે. આમાં જયારે ડાબી બાજુ સ્વર ચાલે ત્યારે ચંદ્રના ઉદય જાણવા અને જ્યારે જમણી બાજુ સ્વર ચાલે ત્યારે સૂર્યના ઉદય જાણવા. શીતલ અને સ્થિર કાર્ય ચંદ્રસ્વરમાં કરવાં જેવાં કેઃ-નવા મંદિરનું બનાવવું, નવા મંદિરના પાયાનું ખેાદાવવું, મૂર્તિની પ્રતિષ્ઠા કરવી, મૂલ નાયકની મૂતિને સ્થાપિત કરવી, મંદિર પર દંડ તથા કલશનું ચડાવવું, ઉપાશ્રય, ધર્મશાળા, દાનશાલા, પુસ્તકાલય, ઘર, હાટ, મહેલ અને ગઢનું મનાવવું, સંઘની માલાનું પહેરાવવું, દાન દેવું, દીક્ષા દેવી, યજ્ઞાપવિત દેવું, નગરમાં પ્રવેશ કરવા, નવા મકાનમાં પ્રવેશ કરવા, લુગડાં અને ઘરેણાંનું કરાવવું અથવા મોલ્સ ( કિંમત ) લેવું, નવાં ઘરેણાં તથા લુગડાનું પહેરવું, પદવી લેવી. ઔષધિ બનાવવી, ખેતી કરવી, ભાગ, બગીચા બનાવવા, રાજા વગેરે મોટા મોટા પુરુષાની સાથે મિત્રતા કરવી, રાજ્યસિંહાસન પર બેસવું, ચેાગાભ્યાસ કરવા ઇત્યાદિ. તાત્પર્ય એ છે કે આ સર્વ કાર્યા ચંદ્રસ્વરમાં કરવાં જોઈ એ, કેમકે ચંદ્રસ્વરમાં ઉપરનાં કાર્યા કરવાથી સુખકારી થાય છે, ક્રૂર અને ચર કાર્યને સૂર્યસ્વરમાં કરવાં જોઈ એ. જેવાં કે;-વિદ્યા શિખવાના પ્રારંભ કરવા, ધ્યાન સાધવું, મંત્ર તથા દેવની આરાધના કરવી, રાજા કે હાકમને અરજ કરવી, વકીલાત અથવા મુખત્યારી લેવી, વૈરીની સાથે મલતાપણું કરવું, સર્પનું વિષ તથા ભૂતનું ઉતારવું, રોગીને દવા દેવી, વિઘ્નની શાંતિ કરવી, કષ્ટવાળી સ્ત્રીને ઉપાય કરવા, હાથી, ઘેાડા, રથ વગેરે લેવાં, ભેાજન કરવું, સ્નાન કરવું, સ્ત્રીને રુતુદાન દેવું, નવી વહી લખવી, વ્યાપાર કરવેા, રાજાના શત્રુની સાથે લડાઈ કરવા જવું, વડાણુ Page #37 -------------------------------------------------------------------------- ________________ કે આગબેટને સમુદ્રમાં ચલાવવી, વરીના મકાનમાં પગ મૂકે, નદી વગેરેમાં તરવું, કોઈને રૂપીયા ઉધાર દેવા અથવા કેઈની પાસેથી ઉધાર લેવા ઇત્યાદિ. તાત્પર્ય એ છે કે આ સર્વ કાર્યો સૂર્ય સ્વરમાં કરવાં. કેમકે તેમ કરવાથી સર્વ કાર્યો સિદ્ધ થાય છે. જે સમયે ચાલતા ચાલતા એક સ્વર બંધ થઈને બીજે સ્વર થાય છે અર્થાત જ્યારે ચંદ્રસ્વર બદલીને સૂર્યાસ્વર થાય છે કે સૂર્યસ્વર બદલીને ચંદ્રસ્થર થાય તે વખતે પાંચ સાત મિનિટ સુધી બંને સ્વર ચાલવા લાગે છે તેને સુખમના સ્વર કહે છે. આ સ્વરમાં કઈ પણ કામ ન કરવું, કેમકે આ સ્વરમાં કઈ પણ કામ કરવાથી તે નિષ્ફળ નિવડે છે, તથા તેથી કલેશ પણ ઉત્પન્ન થાય છે. કૃણ (વદિ) પક્ષને સ્વામી સૂર્ય છે અને શુકલ (સુદ) પક્ષને સ્વામી ચંદ્ર છે. કૃષ્ણપક્ષના પડવાના પ્રાતઃકાલે જે સૂર્યસ્વર ચાલે છે તે પક્ષ ઘણું આનંદની સાથે વીતે. શકલપક્ષના પડવાના પ્રાતઃકાલે જે ચંદ્રસ્વર ચાલે તે તે પક્ષ પણ સુખ અને આનંદની સાથે વીતે. જે ચંદ્રની તિથિમાં (શુકલપક્ષના પડવાના પ્રાત:કાલે) સૂર્યસ્વર ચાલે તે કલેશ અને પીડા થાય છે તથા કાંઈક દ્રવ્યની પણ હાનિ થાય છે. - સૂર્યની તિથિમાં (કૃષ્ણપક્ષના પડવાના પ્રાતઃકાલે) જે ચંદ્રસ્વર ચાલે તો પીડા, કલેશ તથા રાજ તરફથી કઈ પણ પ્રકારને ભય થાય છે અને ચિત્તમાં ચંચલતા ઉત્પન્ન થાય છે. જે કદાચિત્ બંને પક્ષના (સુદિ અને વદિમાં) પડવાના સવારમાં સુખમના ચાલે તે તે મહીનામાં લાભ હાનિ સમાન થાય છે. કૃષ્ણપક્ષની ૧૫ તિથિમાં કમથી ત્રણ ત્રણ તિથિએ સૂર્ય અને ચંદ્રની થાય છે. જેમકે પડ, બીજ, ત્રીજ એ ત્રણ તિથિ સૂર્યની છે તથા ચોથ, પાંચમ અને છઠ્ઠ એ ત્રણ ચંદ્રની તિથિ છે. એ રીતે અમાવાસ્યા સુધી બાકીની તિથિઓ વિષે પણ સમજવું. આમાં જ્યારે પિતાપિતાની તિથિએ બંને સ્વર (ચંદ્ર અને સૂર્ય) ચાલે છે ત્યારે તે કલ્યાણકારી થાય છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ 13 શુકલપક્ષની ૧૫ તિથિઓમાં કમથી ત્રણ ત્રણ તિથિઓ ચંદ્ર અને સૂર્યની થાય છે અર્થાત્ પડે, બીજ અને ત્રીજ એ ત્રણ તિથિ ચંદ્રની છે તથા ચોથ, પાંચમ અને છઠ એ ત્રણ તિથિ સૂર્યની છે. એ રીતે પૂર્ણિમા સુધી બાકીની તિથિઓ વિષે પણ સમજવું, આમાં પણ આ બંને સ્વર (ચંદ્ર અને સૂર્ય) પિતપતાની તિથિએ પ્રાત:કાલે ચાલે તે શુભકારી થાય છે. વૃશ્ચિક, સિંહ, વૃષ અને કુંભ એ ચાર રાશિ ચંદ્ર સ્વરની છે. તથા એ રાશિઓ સ્થિર કાર્યમાં શ્રેષ્ઠ છે. કર્ક, મકર, તલ અને મેષ એ ચાર શશિ સૂર્યસ્વરની છે અને ચરકાર્યમાં શ્રેષ્ઠ છે. મીન, મિથુન, ધન અને કન્યા એ ચાર રાશિ સુખમનાની બંને સ્વભાવવાળી છે. આમાં કાર્યો કરવાથી હાનિ થાય છે. ઉપરની બાર રાશિઓથી બારે મહિનાઓ પણ જાણી લેવા અર્થાત્ ઉપર લખેલ જે સંક્રાંતિ લાગે તેજ ચંદ્ર, સૂર્ય અને સુખમનાના મહીના સમજી લેવા. જે કંઈપણ મનુષ્ય પિતાના કેઈ પણ કામને માટે પ્રશ્ન પૂછવા આવે અને આપણા સામે તથા ડાબી બાજુ અથવા તે ઉચે બેસીને પ્રશ્ન કરે અને તે સમયે આપણે ચંદ્રસ્વર ચાલતો હોય તે કહેવું કે તારું કામ સિદ્ધ થશે. જો કેઈ માણસ આપણી નીચે પાછલકે જમણી બાજુ ઉભે રહીને પ્રશ્નકરે અને તે સમયે સૂર્યસ્વર ચાલતો હોય તે કહેવું કે તારું કામ સિદ્ધ થશે. જે કઈ માણસ જમણી બાજુ ઉભું રહીને પ્રશ્ન કરે અને તે સમયે આપણે સૂર્યસ્વર ચાલતો હોય તથા લગ્ન, વાર અને તિથિના સઘલા ચગ જે મલી જાય તે કહેવું કે તારું કામ નક્કી સિદ્ધ થશે. + જો કેઈ પ્રશ્ન કરવાવાળે જમણી બાજુ ઉભા રહીને કે બેસીને પ્રશ્ન કરે અને તે સમયે આપણે ચંદ્રસ્વર ચાલતું હોય તે સૂર્યની તિથિ અને વાર વિના તે શૂન્ય દિશાને પ્રશ્ન સિદ્ધ થઈ શકતું નથી. + મંગલ, શનિ અને રવિ એ ત્રણ વાર સૂર્યના છે તથા સોમ, બુધ, ગુરુ, શુક્ર એ ચાર વાર ચંદ્રના છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ 14 જે કઈ પાછળ ઉભું રહીને પ્રશ્ન કરે અને તે સમયે આપણે ચંદ્રસ્વર ચાલતો હોય તે કહી દેવું કે કાર્ય સિદ્ધ નહીં થાય. જે કઈ ડાબી બાજુ ઉભું રહીને પ્રશ્ન કરે તથા તે સમયે આપણો સૂર્યવિર ચાલતો હોય તે ચંદ્રગ સ્વર વિના તે કાર્ય સિદ્ધ નહીં થાય. એ રીતે જે કઈ આપણા સામે અથવા આપણાથી ઉચે રહીને પ્રશ્ન કરે તથા તે સમયે આપણે સૂર્યસ્વર ચાલતું હોય તે ચંદ્રસ્વરના સર્વ યોગે મલ્યા વિના તે કાર્ય કદી સિદ્ધ નહીં થાય. વેરેમાં પાંચ તત્વોની ઓળખાણ ઉપર કહેલ ચંદ્ર અને સૂર્ય એ બંને સ્વરેમાં પાંચ તત્તવ ચાલે છે અને તે તેના રંગ, પરિમાણ, આકાર અને માપ પણ હોય છે. એ વાસ્તે સ્વદય વિષયમાં એ વિષય પણ જાણી લેવું આવશ્યક છે. કેમકે જે પુરુષ આ વાતના વિજ્ઞાનને બરાબર જાણે છે તેની કહેલી હકીકત અવશ્ય મળે છે. એ વાતે આ વિષયનું વર્ણન જરૂરી છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ તત્વ છે. તેમાં પૃથ્વી અને જલને સ્વામી ચંદ્ર છે અને અગ્નિ, વાયુ અને આકાશ એ ત્રણનો સ્વામી સૂર્ય છે. પૃથ્વીને રંગ પીલે, જલને રંગ સફેદ, અગ્નિને રંગ લાલ, વાયુને રંગ લીલા અને આકાશને રંગ કાલે છે. પૃથ્વી તત્ત્વ સામું ચાલે છે તથા નાકથી બાર આંગલ સુધી દૂર જાય છે અને તેના સ્વરની સાથે સમરસ આકાર થાય છે. જલ તત્વ નીચે ચાલે છે તથા નાકથી સેલ આંગલ સુધી દૂર જાય છે અને તેને આકાર ચંદ્રમા જે ગેળ છે. અગ્નિ તત્વ ઉપર ચાલે છે તથા નાકથી ચાર આંગળ સુધી દૂર જાય છે અને તેને ત્રિકોણ આકાર છે. વાયુ તત્વ ત ચાલે છે તથા નાકથી આઠ આંગળ સુધી દૂર જાય છે અને તેને આકાર દેવા જેવું છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ 15 આકાશ તત્ત્વ નાકની અંદરજ ચાલે છે અર્થાત અને સ્વરેશમાં (સુખમના સ્વરમાં ) ચાલે છે તથા તેના આકાર કાંઈ નથી. એક એક સ્વર અઢી ઘડી એકેક કલાક ચાલે છે અને એમાં આ પાંચે તત્ત્વ રાત દિવસ આ રીતે ચાલે છે. પૃથ્વી તત્ત્વ પચાસ પલ, જલ તત્ત્વ ચાલીસ પલ, અગ્નિ તત્ત્વ ત્રીશ પલ, વાયુ તત્ત્વ વીશ પલ અને આકાશ તત્ત્વ દેશ પલ, એ રીતે ત્રણે નાડીઓ ઉપર કહેલાં પાંચે તત્ત્વોની સાથે રાત્રિ દિવસ પ્રકાશિત રહે છે. પાંચે તત્ત્વોના જ્ઞાનની રીતિ પાંચ રગની પાંચ ગાળી અને વિચિત્ર ર`ગની એક ગેાળી બનાવી એ છ ગાળીઆને આપણી પાસે રાખવી અને જ્યારે મનમાં ઈચ્છા થાય કે હાલ કયું તત્ત્વ છે ત્યારે આંખ મીંચીને એક ગેાળી લઇ લેવી. તે મનમાં ધારેલ તથા ગેાળીના રગ એકજ જાતનેા નીકળે તે તે તત્ત્વ છે એમ જાણવું. અથવા ખીજા કોઈ પુરુષને કહેા કે તમે કોઈ રંગ ધારા, જ્યારે તે પોતાના મનમાં ૨ંગ ધારે ત્યારે આપણા નાકના સ્વરમાં તત્ત્વ જોઈ લેવું તથા આપણા તત્ત્વના વિચાર કરીને તે પુરુષના ધારેલ રંગ બતાવવા કે તમે અમુક રંગ ધારેલ છે, જો તેણે ધારેલ રગ રેાખર મલી જાય તે જાણવું કે તત્ત્વ ખરાખર મલે છે. અથવા અરીસાને આપણા હાઠની પાસે લગાડીને તેની ઉપર અલ પૂર્વક નાકના શ્વાસ છેડવા. એ પ્રમાણે કરવાથી તે અરીસા પર જે આકારનું ચિહ્ન પડે તે આકાર પ્રથમ લખેલ તત્ત્વાના આકાર સાથે મળવે જોઈ એ. અને તે તત્ત્વના આકાર સાથે આ આકાર મલે તે તત્ત્વ તે વખતે છે એમ જાણવું. અથવા એ અંગુઠાથી એ કાનને, બંને તર્જનીથી એ આખાને, બંને મધ્યમ આંગલીથી એ નાકનાં છિદ્રો બંધ કરીને અને બંને અનામિકા તથા કનિષ્ટિકા આંગલીથી એટલે ચાર આંગલીથી હાઠની ઉપર નીચેથી ખૂબ દબાવીને ગુરુની બતાવેલી રીતિથી મનને ભ્રકુટીમાં લઈ જવું. પછી તે જગાએ જેવું અને જે રંગનું બિંદુ માલમ પડે તે તત્ત્વ છે એમ જાણવુ. Page #41 -------------------------------------------------------------------------- ________________ ઉપર કહેલ રીતિથી થોડા દિવસ સુધી સાધન કરવું જોઈએ. કેમકે અભ્યાસથી મનુષ્યને તનું જ્ઞાન થવા લાગે છે અને તેનું જ્ઞાન થવાથી તે પુરુષ શુભાશુભ કાર્ય શીવ્રતાથી જાણી શકે છે. વરમાં પ્રગટ થયેલ તત્ત્વો દ્વારા વર્ષફલ જાણવાની રીતિ હમણાં કહ્યું કે પાચે તનું જ્ઞાન થયાથી મનુષ્ય થવાવાળાં કાર્યો જાણી શકે છે. એ નિયમને અનુસારે પાંચે તત્ત દ્વારા વર્ષમાં થવાવાઇ શુભાશુભ ફળ પણ જાણી શકે છે. તે જાણવાની રીત નીચે મુજબ છે. જે વખતે મેષની સંક્રાંતિ લાગે તે વખતે શ્વાસને રેકીને સ્વરમાં કયું તત્ત્વ ચાલે છે તે જોવું જોઈએ. જે ચંદ્રસ્વરમાં પૃથ્વીતત્વ ચાલતું હોય તે જાણી લેવું કે જમાને બહુ શ્રેષ્ઠ થશે અર્થાત્ રાજા અને પ્રજા સુખી રહેશે. પશુઓને માટે ઘાસ વગેરે ઘણું થશે તથા રોગ અને ભય વગેરેની શાંતિ રહેશે ઈત્યાદિ. જે તે વખતે ચંદ્રસ્વરમાં જલતત્વ ચાલતું હોય તે જાણવું કે વરસાદ બહુ થશે, પૃથ્વી ઉપર અન્ન ઘણું થશે, પ્રજા સુખી રહેશે, રાજા અને પ્રજા ધર્મના માર્ગે ચાલશે, પુણ્ય, દાન, ધર્મની વૃદ્ધિ થશે સર્વ પ્રકારે સુખસંપત્તિ વધશે ઈત્યાદિ. જે તે વખતે સૂર્યસ્વરમાં પૃથ્વી અને જલ તત્વ ચાલતાં હોય તે જાણી લેવું કે કાંઈક ઓછું ફલ થશે. જે તે વખતે બંને સ્વરેમાંથી ગમે તે સ્વરમાં અગ્નિ તત્વ ચાલતું હોય તે જાણવું કે વરસાદ કમતી થશે રેગ પીડા અધિક થશે, દુભિક્ષ, થશે, દેશ ઉજડ થશે તથા પ્રજા દુઃખી થશે ઈત્યાદિ. જે તે વખતે ગમે તે સ્વરમાં વાયુતત્ત્વ ચાલતું હોય તે જાણવું કે રાજ્યમાં કાંઈક વિગ્રહ થશે, વરસાદ થેડે થશે, જમાને સાધારણ થશે તથા પશુઓને માટે ઘાસ-ચાર પણ છેડે થશે ઈત્યાદિ. જે તે વખતે આકાશ તત્ત્વ ચાલતું હોય તે જાણી લેવું કે બહુ ભારી દુભિક્ષ થશે તથા પશુઓ માટે ઘાસ આદિ કાંઈ પણ નહીં થાય ઈત્યાદિ. Page #42 -------------------------------------------------------------------------- ________________ 17 વર્ષફલને જાણવાની બીજી રીતિ જે ચૈત્ર સુદિ પડવાને દિવસે પ્રાત:કાલે ચંદ્રસ્વરમાં પૃથ્વી તત્ત્વ ચાલતું હોય તો એ ફલ જાણવું કે વરસાદ બહુ થશે, જમાનો શ્રેષ્ઠ થશે, રાજા અને પ્રજામાં સુખસંચાર થશે તથા કેઈ પ્રકારને ભય કે ઉત્પાત આ વર્ષમાં નહીં થાય ઈત્યાદિ. જે તે દિવસે પ્રાતઃકાલે ચંદ્રસ્વરમાં જલ તત્વ ચાલતું હોય તે એ ફલ જાણવું કે આ વર્ષ અતિ શ્રેષ્ઠ છે અર્થાત આ વર્ષમાં વરસાદ, અન્ન અને ધર્મની અતિશય વૃદ્ધિ થશે. તથા સર્વ પ્રકારે આનંદ રહેશે ઈત્યાદિ. જે તે દિવસે પ્રાતઃકાલે સૂર્યસ્વરમાં પૃથ્વી કે જલતત્ત્વ ચાલતું હોય તે મધ્યમ ફલ જાણવું. જે તે દિવસે પ્રાતઃકાલે ચંદ્રસ્વરમાં કે સૂર્યસ્વરમાં અગ્નિ, વાયુ અને આકાશ એ ત્રણ તત્વ ચાલતાં હોય તો તેનું ફલ આ પ્રમાણે સમજી લેવું કે પૂર્વે મેષ સંક્રાંતિના વિષયમાં લખાઈ ગયેલું છે તે પ્રમાણે જે સૂર્યસ્વરમાં અગ્નિ તત્વ ચાલતું હોય તે જાણવું કે પ્રજામાં રેગ અને શેક થશે. દુભિક્ષ પડશે તથા રાજાના ચિત્તને આનંદ નહીં રહે છત્યાદિ. જે સૂર્યસ્વરમાં વાયુતત્વ ચાલતું હોય તે સમજવું કે રાજ્યમાં કાંઈક વિગ્રહ થશે અને વૃષ્ટિ થેડી થશે તથા જે સૂર્યસ્વરમાં સુખમના ચાલે તે જાણવું કે પિતાનું મૃત્યુ થશે અને છત્રભંગ થશે તથા કેઈકેઈ ઠેકાણે થોડું અન્ન અને ઘાસ થશે અને કઈ કઈ ઠેકાણે બિલકુલ નહીં થાય ઈત્યાદિ. વર્ષફલ જાણવાની ત્રીજી રીતિ જે માઘ સુદિ સાતમ અથવા અક્ષય તૃતીયાના પ્રાતઃકાલે ચંદ્રસ્વરમાં પૃથ્વી કે જલતત્ત્વ ચાલતું હોય તે અગાઉ કહ્યા મુજબ શ્રેષ્ઠ ફલ છે એમ જાણી લેવું. જે તે દિને પ્રાતઃકાલે અગ્નિ આદિ ત્રણ તત્ત્વ ચાલતાં હોય તો પૂર્વ કહ્યા મુજબ નિકૃષ્ટ ફલ છે એમ જાણું લેવું. Page #43 -------------------------------------------------------------------------- ________________ 18 જો તે ક્રિને પ્રાતઃકાલે સૂર્યસ્વરમાં પૃથ્વી કે જલતત્ત્વ ચાલતું હાય તે સાધારણ ફૂલ જાણી લેવું. જો તે દિને પ્રાત:કાલે શેષ ત્રણ તત્ત્વ ( અગ્નિ, વાયુ અને આકાશ) ચાલતાં હોય તેા તેનું કુલ પણ પૂર્વે કહ્યા મુજબ સમજી લેવુ. પાંચ તત્ત્વોમાં પ્રશ્નનો વિચાર જો ચંદ્રસ્વરમાં પૃથ્વી તત્ત્વ કે જલતત્ત્વ ચાલતું હાય અને તે સમયે જો કોઈ કાંઈ પણ કાર્યને માટે પ્રશ્ન કરે તેા કહેવું કે અવશ્ય કાર્ય સિદ્ધ થશે. જો ચંદ્રસ્વરમાં અગ્નિ, વાયુ કે આકાશ તત્ત્વ ચાલતું હાય અને તે વખતે કોઈ પણ માણસ કાંઇ કાર્યને લીધે પ્રશ્ન કરે તેા કહેવુ કે કાર્ય કેાઈ પણ પ્રકારે સિદ્ધ નહીં થાય. યાદ રાખવાનું એટલું છે કે ચંદ્રસ્વરમાં જલતત્ત્વ અને પૃથ્વીતત્ત્વ સ્થિર કાર્યને માટે સારાં છે પરંતુ ચર કાર્યને માટે સારાં નથી. તથા વાયુ, અગ્નિ અને આકાશ એ ત્રણ તત્ત્વ ચર કાર્યને માટે સારાં છે; પરંતુ તે પણ સૂર્યસ્વરમાં સારાં છે, પણ ચંદ્રસ્વરમાં સારાં નથી. જો કોઈ પુરુષ આવીને રોગીને વિષે પ્રશ્ન કરે તથા તે સમયે ચંદ્રસ્વરમાં પૃથ્વીતત્ત્વ કે જલતત્ત્વ ચાલતું હાય અને પ્રશ્ન પૂછવાવાળા પણ ચંદ્રસ્વરની (ડાબી) બાજુએ બેઠેલ હાય તા કહેવું કે રાગી નહીં મરે. જો ચંદ્રસ્વર બંધ હોય એટલે સૂર્યસ્વર ચાલતા હાય અને પ્રશ્ન કરવાવાળા ડાબી બાજુ એકે હાય તે કહેવુ કે કોઈ પણ પ્રકારે રાગી નહીં જીવે. જો કોઈ પુરુષ ખાલી દિશામાં જે ક્રિશાનેા સ્વર ચાલતા હોય (તે દિશા છેાડીને બીજી કઈ દિશામાં ) આવીને પ્રશ્ન કરે તેા કહેવુ કે રાગી નહીં ખેંચે, પણ જો ખાલી દિશાથી આવીને ભરી દિશામાં (જે દિશાના સ્વર ચાલતા હેાય તે દિશામાં ) બેસીને પ્રશ્ન કરે તે કહેવું કે રાગીને સારૂં થઈ જશે. Page #44 -------------------------------------------------------------------------- ________________ 19 જે પ્રશ્ન કરતી વખતે ચંદ્રસ્વરમાં પૃથ્વી કે જલતત્ત્વ ચાલતું હોય તે જાણવું કે રેગીના શરીરમાં એક રોગ છે. તથા જે પ્રશ્ન કરવાના વખતે ચંદ્રસ્વરમાં અગ્નિતત્ત્વ આદિ કોઈ તત્વ ચાલતું હોય તો કહેવું કે રેગીના શરીરમાં કેટલાક રોગ મિશ્રિત છે. જે પ્રશ્નન કરતી વખતે સૂર્યસ્વરમાં અગ્નિ, વાયુ કે આકાશ તત્ત્વ ચાલતું હોય તે જાણવું કે રેગીના શરીરમાં એક રોગ છે, પણ જે પ્રઝન કરતી વખતે સૂર્યસ્વરમાં પૃથ્વી કે જલતત્વ ચાલતું હોય તે જાણવું કે રેગીના શરીરમાં કેટલાક મિશ્રિત રેગ છે. યાદ રાખવાનું કે વાયુ અને પિત્તને સ્વામી સૂર્ય છે, કફને સ્વામી ચંદ્ર છે તથા સન્નિપાતને સ્વામી સુખમના છે. જે કઈ પુરુષ ચાલતા સ્વરની તરફથી આવીને ચાલતા સ્વરની બાજુએ ઉભા રહીને કે બેસીને પ્રશ્નન કરે તે કહેવું કે તમારું કામ અવશ્ય સિદ્ધ થશે. જે કઈ પુરુષ ખાલી સ્વરની તરફથી આવીને ખાલી સ્વરની બાજુએ ઉભા રહીને કે બેસીને પ્રશ્ન કરે તે કહેવું કે તમારું કઈ પણ કામ સિદ્ધ નહીં થાય. જે કઈ પુરુષ ખાલી સ્વરની તરફથી આવીને ચાલતા સ્વરની બાજુએ ઉભું રહીને કે બેસીને પ્રશ્ન કરે તે કહેવું કે તમારું કામ નિઃસંદેહ સિદ્ધ થશે. જે કઈ પુરુષ ચાલતા સ્વરની તરફથી આવીને ખાલી સ્વરની બાજુએ ઉભું રહીને કે બેસીને પ્રશ્રન કરે તો કહેવું કે તમારું કામ સિદ્ધ નહીં થાય. જે ગુરુવારે વાયુતત્વ, શનિવારે આકાશતત્ત્વ, બુધવારે પૃથ્વીતત્વ, સોમવારે જલ તત્ત્વ તથા શુકવારે અગ્નિ તર વ પ્રાત:કાલમાં ચાલે તો જાણી લેવું કે શરીરમાં કઈ પહેલાંને રેગ છે તે અવશ્ય મટશે. આપણું શરીર, કુટુંબ અને ધન આદિકના વિચારની રીતિ જે ચિત્ર સુદિ પડવાને દિવસે પ્રાત:કાલે ચંદ્રસ્થર ન ચાલતું હોય તે જાણવું કે ત્રણ મહીનામાં હૃદયમાં બહુ ચિંતા અને કલેશ ઉત્પન્ન થશે. Page #45 -------------------------------------------------------------------------- ________________ 20 જે ચૈત્ર સુદ બીજને દિવસે પ્રાતઃકાલે ચંદ્રસ્થર ન ચાલતું હોય તે જાણી લેવું કે પરદેશમાં જવું પડશે અને ત્યાં અધિક દુઃખ ભેગવવું પડશે, જે ચિત્ર સુદિ ત્રીજને દિવસે પ્રાતઃકાલે ચંદ્રસ્વર ન ચાલતું હોય તે જાણવું કે શરીરમાં ગરમી, પિત્તવર તથા રક્તવિકાર આદિકને રેગ થશે. એ ચિત્ર સુદિ ચોથને દિવસે પ્રાતઃકાલે ચંદ્રસ્વર ન ચાલતો હોય તે જાણવું કે નવ મહીનામાં મૃત્યુ થશે. જે ચિત્ર સુદિ પાંચમને દિવસે પ્રાત:કાલે ચંદ્રસ્વર ન ચાલતું હોય તે જાણી લેવું કે રાજ્યથી કઈ પ્રકારની તકલીફ તથા દંડની પ્રાપ્તિ થશે. જે ચિત્ર સુદિ છઠ્ઠને દિવસે પ્રાતઃકાલે ચંદ્રસ્વર ન ચાલતું હોય તે જાણવું કે આ વર્ષમાં ભાઈનું મૃત્યુ થશે. - જે ચૈત્ર સુદિ સાતમને જ પ્રાતઃકાલે ચંદ્રવર ન ચાલતું હોય તે જાણવું કે આ વર્ષમાં પોતાની સ્ત્રી મરી જશે. જે ચિત્ર સુદિ આઠમને દિવસે પ્રાત:કાલે ચંદ્રસ્થર ન ચાલતું હોય તે જાણવું કે આ વર્ષમાં કચ્છ તથા પીડા અધિક થશે. અર્થાત્ ભાગ્યગેજ સુખની પ્રાપ્તિ થાય ઈત્યાદિ. એ સિવાય જે ઉપર કહેલ દિવસમાં પ્રાતઃકાલે ચંદ્રસ્વરમાં પૃથ્વી તત્વ અને જલતવ આદિ શુભ તવ ચાલતાં હોય તો બીજું પણ શ્રેષ્ઠ ફલ જાણી લેવું. - - સ્વર દ્વારા પરદેશ ગમન વિચાર જે પુરુષ ચંદ્ર સ્વરમાં દક્ષિણ અને પશ્ચિમ દિશામાં પરદેશ જાય તે પરદેશથી પાછો આવીને પિતાના ઘરમાં સુખ ભેગવે છે. સૂર્યસ્વરમાં પૂર્વ અને ઉત્તર દિશા તરફ જવું તે શુભકારી છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રસ્વરમાં પૂર્વ અને ઉત્તર દિશા તરફ પરદેશ જવું તે ઠીક નથી. સૂર્યસ્વરમાં દક્ષિણ અને પશ્ચિમ દિશા તરફ પરદેશ જવું તે ઠીક નથી. ઊર્વ દિશા ચંદ્રસ્વરની છે, તે માટે ચંદ્રસ્વરમાં પર્વત આદિ ઊર્ધ્વદિશામાં જવું સારું છે. પૃથ્વી નીચેના ભાગને સ્વામી સૂર્ય છે, તે માટે સૂર્યસ્વરમાં પૃથ્વીની નીચેના ભાગમાં જવું સારું છે, પરંતુ સુખમના સ્વરમાં ત્યાં જવું ઠીક નથી. પરદેશમાં રહેલ મનુષ્યના વિષયમાં પ્રશ્ન-વિચાર પ્રશ્ન કરતી વખતે જે સ્વરમાં જલ તત્ત્વ ચાલતું હોય તે પ્રશ્ન કરનારને કહેવું કે તે (પરદેશાં ગયેલ માણસ) સર્વ કાર્યો સિદ્ધ કરીને તુરત આવશે. જે પ્રશ્ન કરતી વખતે સ્વરમાં પૃથ્વી તત્ત્વ ચાલતું હોય તે પ્રકન કરનારને કહેવું કે તે (પરદેશમાં ગયેલ માણસ) ઠેકાણે બેઠેલ છે અને તેને કઈ વાતની ચિંતા નથી. જે પ્રશ્ન કરતી વખતે વાયુ તત્વ ચાવતું હોય તે પ્રશ્ન કરનારને કહેવું કે તે (પરદેશમાં ગયેલ માણસ) તે સ્થલેથી બીજે સ્થલે ગયે છે અને તેના હૃદયમાં ચિંતા ઉત્પન્ન થઈ રહી છે. જે પ્રશ્ન કરતી વખતે અગ્નિ તત્વ ચાલતું હોય તે પ્રશ્ન કરનારને કહેવું કે તેના પરદેશ ગયેલ માણસના શરીરમાં રોગ છે. જે પ્રશ્નન કરતી વખતે સ્વરમાં આકાશ તત્ત્વ ચાલતું હોય તો પ્રશ્રન કરનારને કહેવું કે તે (પરદેશ ગયેલ) પુરુષ મરી ગયે. વરે દ્વારા ગર્ભસંબંધી પ્રશ્ન-વિચાર જે ચંદ્રસ્વર ચાલતો હોય તથા તે બાજુથી આવીને કોઈ પ્રશ્ન કરે કે ગર્ભવતી સ્ત્રીને પુત્ર થશે કે પુત્રી થશે તે કહેવું કે પુત્રી થશે. intri Page #47 -------------------------------------------------------------------------- ________________ 22 જે સૂર્યસ્વર ચાલતું હોય ને તે બાજુથી આવીને કોઈ પ્રશ્ન કરે કે ગર્ભવતી સ્ત્રીને પુત્ર થશે કે પુત્રી થશે તો કહેવું કે પુત્ર થશે. જે સુખમના સ્વર ચાલતી વખતે કઈ આવીને પ્રશ્ન કરે કે ગર્ભવતી સ્ત્રીને પુત્ર થશે કે પુત્રી થશે તે કહેવું કે નપુંસક જન્મશે. જે આપણે સૂર્યસ્વર ચાલતો હોય તથા તે બાજુથી આવીને કઈ ગર્ભ વિષે પ્રશ્ન કરે અને પ્રશ્ન કરનારને ચંદ્રસ્વર ચાલતું હોય તે કહેવું કે પુત્ર થશે. પણ તે જીવશે નહીં. - જે આપણો તથા પ્રશ્ન કરનાર બંનેને સૂર્યસ્વર ચાલતું હોય તે કહેવું કે પુત્ર જન્મશે અને તે ચિરંજીવી થશે. જે આપણે ચદ્રસ્વર ચાલતું હોય અને પ્રશ્રન કરનારને સૂર્યસ્વર ચાલતો હોય તો કહેવું કે પુત્રી થશે, પણ તે જીવશે નહીં. આ બન્નેને (આપણે અને પ્રશ્ન કરનારને) ચંદ્રસ્વર ચાલતા હોય તે કહેવું કે પુત્રી થશે તથા તે દીર્ધાયુષી થશે. જે સૂર્યસ્વરમાં પૃથ્વી તત્વમાં તથા તે દિનને માટે કઈ ગર્ભ સંબંધી પ્રશ્ન હોય તે કહેવું કે પુત્ર થશે તથા તે રૂપવાન, રાજ્યવાન અને સુખી થશે. જે સૂર્ય સ્વરમાં જલતત્ત્વ ચાલતું હોય અને તેમાં કેઈ ગર્ભ સંબંધી પ્રશ્ન કરે તે કહેવું કે પુત્ર થશે તથા તે સુખી, ધનવાન અને છ રસને જોક્તા થશે. જે ગર્ભ સંબંધી પ્રત્રન કરતી વખતે ચંદ્રસ્વરમાં પૃથ્વી તત્વ અને જલ તત્વ ચાલતાં હોય તે કહેવું કે પુત્રી થશે તથા તે ઉપર લખ્યાં લક્ષણવાલી થશે. જે ગર્ભ સંબંધી પ્રશ્ન કરતી વખતે ચંદ્રસ્વરમાં અગ્નિ તત્વ ચાલતું હોય તે કહેવું કે ગર્ભ પડી જશે તથા જે સંતતિ થશે તે તે જીવશે નહીં. જે ગર્ભ સંબંધી પ્રકન કરતી વખતે ચંદ્વસ્વરમાં વાયુ તત્વ ચાલતું હોય તો કહેવું કે કાં તે પિંડાકૃતિ થશે અથવા ગર્ભ ગલી જશે. Page #48 -------------------------------------------------------------------------- ________________ જો ગર્ભ સંબંધી પ્રશ્ન કરતી વખતે સૂર્યસ્વરમાં આકાશ તત્ત્વ ચાલતું હોય તો નપુંસકની તથા ચંદ્રસ્વરમાં આકાશ તત્વ ચાલતુ હોય તે વંધ્યા જેવી પુત્રીની ઉત્પત્તિ કહેવી. ને કેઈ સુખમના સ્વરમાં ગર્ભને પ્રશ્ન કરે તે કહેવું કે બે દીકરી જન્મશે. જે કઈ બંને સ્વરે ચાલતી વખતે ગર્ભવિષયક પ્રશ્રન કરે તથા તે સમયે જે ચંદ્રવર તેજ ચાલતો હોય તે કહી દેવું કે બે કન્યા થશે તથા જે સૂર્યસ્વર તેજ ચાલતો હોય તે કહી દેવું કે બે પુત્ર થશે. બીજા આવશ્યક વિષને વિચાર કેઈ ઠેકાણે જવાની વખતે અથવા ઉંઘમાંથી ઉઠીને બીછાનાથી નીચે પગ મૂકતી વખતે જે ચંદ્રસ્વર ચાલતો હોય તથા ચંદ્રમાનોજ વાર હેય તો પહેલાં ચાર પગલાં ડાબી બાજુથી ચાલવું જોઈએ. જે સૂર્યને વાર હોય તથા સૂર્યસ્વર ચાલતો હોય તો ચાલતી વખતે પ્રથમ ત્રણ પગલાં દક્ષિણ પગથી ચાલવું. જે મનુષ્ય તત્વની ઓળખાણ કરી પોતાનાં સર્વ કામ કરશે તેના સર્વ કામ અવશ્ય સિદ્ધ થશે. પશ્ચિમ દિશા જલ તત્ત્વરૂપ છે, દક્ષિણ દિશા પૃથ્વી તત્વરૂપ છે, ઉત્તર દિશા અગ્નિ તત્વરૂપ છે, પૂર્વ દિશા વાયુ તત્ત્વરૂપ છે તથા આકાશની સ્થિર દિશા છે. જય. તુષ્ટિ, પુષ્ટિ, રતિ ખેલવું કૂદવું અને હાસ્ય એ છ અવસ્થા ચંદ્રસ્વરની છે. વર, નિદ્રા, પરિશ્રમ અને કંપન એ ચાર અવસ્થા જ્યારે ચંદ્રસ્વરમાં વાયુ તત્વ તથા અગ્નિ તત્વ ચાલતાં હોય તે સમયે શરીરમાં હોય છે. જ્યારે ચંદ્રસ્વરમાં આકાશ તત્વ ચાલે છે ત્યારે આયુષ્યને ક્ષય તથા મૃત્યુ થાય છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ 24 પાંચે તત્ત્વના મલવાથી ચ`દ્રસ્વરની ઉપર જણાવેલી ખાર અવસ્થા થાય છે. જો પૃથ્વી તત્ત્વ ચાલતું હાય તે જાણવું કે પૂછનારના મનમાં મૂલની ચિંતા છે. જો જલતત્ત્વ અને વાયુ તત્ત્વ ચાલતાં હાય તે જાણવું કે પૂછનારના મનમાં જીવ સંબંધી ચિંતા છે. અગ્નિ તત્ત્વમાં ધાતુની ચિંતા જાણવી. આકાશ તત્ત્વમાં શુભ કામની ચિંતા જાણવી. પૃથ્વી તત્ત્વમાં બહુ પગવાલાની ચિંતા જાણવી, જલ અને વાયુ તત્ત્વમાં એ પગવાલાની ચિંતા જાણવી. અગ્નિ તત્ત્વમાં ચાર પગવાલાની ચિંતા જાણવી. આકાશ તત્ત્વમાં પગ વિનાના પદાર્થની ચિંતા જાણવી. વિ, રાહુ, મંગલ અને શનિ એ ચાર સૂર્યસ્વરનાં પાંચે તત્ત્વનાં સ્વામી છે. ચંદ્રસ્વરમાં પૃથ્વી તત્ત્વના સ્વામી બુધ, જલ તત્ત્વના સ્વામી ચંદ્ર, અગ્નિ તત્ત્વના સ્વામી શુક્ર અને વાયુ તત્ત્વના સ્વામી ગુરુ છે. એ વાસ્તે પોતપોતાના તત્ત્વમાં એ ગ્રહ અથવા વાર શુભ ફલદાયક થાય છે. પૃથ્વી આદિ ચારે. તત્ત્વમાં અનુક્રમે મીઠે, કષાયેલા, ખારા અને ખાટે એ ચાર રસ છે, એ વાસ્તે જે વખતે જે રસની ખાવાની ઈચ્છા થાય તે વખતે તે તત્ત્વ ચાલે છે એમ સમજવું. અગ્નિ તત્ત્વમાં ક્રોધ, વાયુ તત્ત્વમાં ઈચ્છા તથા જલ અને પૃથ્વી તત્ત્વમાં ક્ષમા અને નમ્રતા આદિ યતિધર્મરૂપ દેશ ગુણ ઉત્પન્ન થાય છે. શ્રવણ, ધનિષ્ઠા, રોહિણી, ઉત્તરાષાઢા, અભિજિત, જ્યેષ્ઠા અને અનુરાધા એ સાત નક્ષત્ર પૃથ્વી તત્ત્વનાં છે તથા શુભ લદાયી છે. મૂલ, ઉત્તરાભાદ્રપદ, રેવતી, આર્દ્ર પૂર્વાષાઢા, શતભિષા અને આશ્લેષા એ સાત નક્ષત્ર જલતત્ત્વનાં છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ 25 એ ચાદ નક્ષત્રો સ્થિર કાર્યમાં પોતપોતાના તત્ત્વના ચાલતા સમયમાં જાણવાં. મઘા, પૂર્વાફાલ્ગુની, પૂર્વાભાદ્રપદ, સ્વાતી, કૃતિકા, ભરણી અને પુષ્ય એ સાત નક્ષત્ર અગ્નિ તત્ત્વનાં છે. હસ્ત, વિશાખા, મૃગશિર, પુનર્વસુ, ચિત્રા, ઉત્તરાફાલ્ગુની અને અશ્વિની એ સાત નક્ષત્ર વાયુ તત્ત્વનાં છે. પ્રથમ આકાશ, તેની પાછળ વાયુ, તેની પાછળ અગ્નિ, તેની પાછળ પાણી, તેની પાછળ પૃથ્વી એ ક્રમથી એક એક તત્ત્વ એકેકની પાછળ ચાલે છે. પૃથ્વી તત્ત્વના આધાર ગુદા, જલ તત્ત્વના આધાર લિગ, અગ્નિ તત્ત્વના આધાર નેત્ર, વાયુ તત્ત્વને આધાર નાકે તથા આકાશ તત્ત્વના આધાર કાન છે. જો સૂર્યસ્વરમાં ભાજન કરે તથા ચંદ્રસ્વરમાં જલ પીએ અને ડાબી બાજુ સુવે તે રોગ કદિ ન થાય. જો ચંદ્રસ્વરમાં ભોજન કરે અને સૂર્યસ્વરમાં જલ પીએ તે તેના શરીરમાં અવશ્ય રોગ થાય. ચંદ્રસ્વરમાં શૌચને માટે ( દિશા માટે ) જવું જોઇએ. સૂર્યસ્વરમાં પેશાબ કરવા જોઈએ તથા સુવું જોઇ એ. જો કાઈ પુરુષ સ્ત્રીને એવા અભ્યાસ રાખે કે તેને ચંદ્રવરમાં દિવસના ઉદય હાય તથા સૂર્યસ્વરમાં રાત્રિના ઉદય હાય તો તે પૂરી અવસ્થા ભગવે છે. પરંતુ જો એથી વિપરીત હાય તે જાણવું કે માત નજીક છે. અઢી અઢી ઘડી સુધી બંને ( સૂર્ય અને ચંદ્ર ) સ્વર ચાલે છે અને તેર શ્વાસ સુધી સુખમના ચાલે છે. જો આ પહેાર સુધી (ચાવીશ કલાક સુધી ) સૂર્યવરમાં વાયુ તત્ત્વજ ચાલતા રહે તે ત્રણ વર્ષનું આયુષ્ય જાણવું. Page #51 -------------------------------------------------------------------------- ________________ 26 જે સેલ પહેર સુધી સૂર્યસ્વરજ ચાલતું રહે (ચંદ્રસ્વર આવેજ નહીં) તે બે વર્ષમાં મૃત્યુ જાણવું. જે ત્રણ દિવસ સુધી બરાબર સૂર્યસ્વર જ ચાલતું રહે તે એક મદીનામાં મૃત્યુ જાણવું જે એક મહીના સુધી સૂર્યસ્વર હંમેશાં ચાલતો રહે તે બે દિવસનું આયુષ્ય જાણવું. જે સૂર્ય, ચંદ્ર અને સુખમના એ ત્રણે સ્વર ન ચાલે અર્થાત્ મેઢેથી શ્વાસ લેવું પડે તો ચાર ઘડીમાં મૃત્યુ જાણવું. જે આખો દિવસ ચંદ્રસ્વર ચાલે અને આખી રાત સૂર્યસ્વર ચાલે તે મેટું આયુષ્ય જાણવું. જે આ દિવસે સૂર્યવર અને આખી રાત બરાબર ચંદ્રશ્વર ચાલે તે છ મહીનાનું આયુષ્ય જાણવું. જે ચાર, આઠ, બાર, સેળ અથવા વશ દિવસ રાત બરાબર ચંદ્રસ્વર ચાલતું રહે તે માટું આયુષ્ય જાણવું. જે ત્રણ રાતદિવસ સુધી સુખમના સ્વર ચાલતું રહે તે એક વર્ષનું આયુષ્ય જાણવું. જે ચાર દિવસ સુધી બરાબર સુખમના સ્વર ચાલતું રહે તે છે મહિનાનું આયુષ્ય જાણવું. Page #52 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ 1 ૧૧ ૧૧ ૧૩ ૧૪ ૧૫ ૧૫ ૧૬ ૧૮ ૧૯ ૧૯ ૨૦ ૨૧ ૨૧ ૨૨ પંક્તિ ૧૬ ૧૯ તિથિાઓના અશુદ્ધ તીથંકર આદિ ૧૪ કહ્યાં ૧૯ તે(પ્રશ્નકર્તા)નુ ६विवार ૨૪ (૪) પ્રત્યાહાર ૧ (૨) પૂરક, ૧૫ નિજ જોગ' શુદ્ધિપત્રક ૨૦ વણ-સંચાર ૨૨ સુષુમ્બ્રા(સરસ્વતી)– ૧૨ દશમ દ્વારે ६ तामे ૧૦ આદૃષ્ટિ ૨૧ || શ્રૢ || ૨૪ સ્ત્રીકથા, ૧ નિદા શુદ્ધ આદિ તીથંકર તિથિના કહ્યા તે(પ્રશ્નકર્તા)નું विचार (૪) પ્રત્યાહાર, (૨) પૂરક ‘નિજ-જોગ’ વર્ણ-સંચાર સુષુમ્જા(સરસ્વતી) અથવા ઇડા(યમુના), પિંગલા (સરસ્વતી) અને સુષુમ્હા(ગંગા)* દશમ-દ્વારે ता આષ્ટિ || ૨૪ ॥ સ્ત્રીકથા નિંદા * સરખાવેા :–– पिङ्गला यमुना नदी । इडा गङ्गेति विज्ञेया, मध्ये सरस्वतीं विद्यात्, प्रयागादिसमं तथा ॥ ( ‘ શિવસ્વરાય;’ શ્લાક : ૩૭૪ ) અથવા इडायां यमुना देवी, पिङ्गलायां सरस्वती । सुषुम्नायां वसेद् गङ्गा, तासां योगस्त्रिधा भवेत् ॥ सङ्गता ध्वजमूले च, विमुक्ता भ्रूवियोगतः । त्रिवेणीयोगः सा प्रोक्ता, तत्र स्नानं महाफलम् ॥ ( ‘ષટ્ચક્ર-નિરુપણમ્;' શ્લોક : ૧ ની ટીકા ) Page #53 -------------------------------------------------------------------------- ________________ 28 ૨૪ શુદ્ધ અંશથી અગુરુલઘુ भेद भवि જીવ (આત્મા) અને કાયા (દેહ) तेजकांति ૨૬ પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ ૭ અશથી ૨૩ અગર-લઘુ ૨૫ ૬ મેમવિ ૨૦ કાયા (દેહ) અને જીવ (આત્મા) ६ तजकांति ૨૪ વિનનો ૨૦ જ્યારે ૪ ચદ્રસ્વર ૧૪ તે તે ને –રામન ૧૮ વત, ૨૫ “નિમુદ્રા ૩૭ વિનાને ૪૧ ચંદ્રસ્વર તે તેને વિન–શમન वदत એનિમુદ્રા, “ તદય', ‘પમુખીકરણ વગેરે ४७ પ૨ પઝ )ના ૨૫ કર ૧૮ “ધાતુ' ? ૯ પાંચ (ત ૧૭ જે તે ૨૨ (પૂર્ણ ૧૨ રનમેં ૧૫ ગર્ભપાત ૨૪ પ્રશ્ન ૨૫ ચદ્રસ્વરમાં २६ पहचान २४ बिब ૧૪ સક્ષેપથી ૪ કાર્ય-સિદ્ધ ૧૩ રવી ૧૦ લાગલગાટ ૧૬ થી ૧૮ સુમનામી ધાતુ પાંચ(ત)ના જે તેને પૂર્ણ जनमे ગર્ભપાત પ્રન ચંદ્રસ્વરમાં पहचान बिंब સંક્ષેપથી કાર્ય સિદ્ધ રવિ લાગલાગટ તથા ६७ ૭૦ 9Y 9 ૭૮ ७८ सुखमन भी Page #54 -------------------------------------------------------------------------- ________________ 29 હિાય “આ મારું', પ્રઠ પંક્તિ અશુદ્ધ શુદ્ધ ૭૯ ૨૨ હેયા ૮૨ ર૧ ધર્મ ધર્મ રર ધર્મ ધર્મ ૩ ૩૭૬ I૩૭૬+ ૧૭ “આ મારુ” “આ માર” આ માર; ૨૨ જોઈએ. જોઈએ— ર૫ નાનાં નાનો ૧૪ fધી अधिका ૧૭ બે ઘડી ૪૮ મિનિટમાં બે ઘડી અથવા ૪૮ મિનિટમાં ૧૯ આખા દિવસમાં એક દિવસમાં ૨૫ “શ્વાસને અથ શ્વાસને અથ ૯૦ ૨૪ અથવા કે અથવા + ધર્મ, અર્થ કામ અને મોક્ષ, એવા ચાર પુરુષાથ પ્રાપ્ત કરવાનો સપુરુષોને ઉપદેશ છે. એ ચાર પુરુષાર્થ નીચેના બે પ્રકારથી સમજવામાં આવ્યા છે : ૧. ધર્મ વસ્તુના સ્વભાવને ધર્મ' કહેવામાં આવ્યું છે. ૨. જડ-ચૈતન્ય સંબંધીના વિચારોને “અર્થ' કહ્યો છે. ૩. ચિત્તનિરોધને “કામ”. ૪. સર્વબંધનથી મુક્ત થવું તે “મોક્ષ. - એ પ્રકારે સર્વસંગપરિત્યાગીની અપેક્ષાથી કરી શકે છે. સામાન્ય રીતે નીચે પ્રમાણે –– ધમ-સંસારમાં અધોગતિમાં પડતા અટકાવી ધારી રાખનાર તે ધર્મ. અર્થ––વૈભવ-લક્ષ્મી, ઉપજીવનમાં સંસારિક સાધન કામ--નિયમિત રીતે સ્ત્રીપરિચય. મોક્ષ--સવ બંધનથી મુકિત તે મોક્ષ. (“શ્રીમદ્ રાજચંદ્ર; ખંડ-૨, આધ્યાત્મિક-તત્વજ્ઞાન, ગુજરાતી લિપિની આવૃત્તિ ૩ , પૃષ્ઠ : ૯ – ૧૦૦ ). Page #55 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પંક્તિ ૯૦ ૨૬ ૯૧ ૯૨ ૫૬ ૯૨ ૯૨ ૯૩ ૯૩ ૯૩ ૯૪ ૯૪ ૯૫ ૯૬ ૯૬ ૬ ૯૬ ૯૬ ૯૬ ૯૬ ૨૩/૨૪ ‘અલજીષા', છે ૯૬ ૨૫ મુખ્ય ૧૦૦ ૧૦ पाठांतर ૧૦૦ ૧૧ વિત અશુદ્ધ શસ્ત્રશાસ્ત્રના ૧૧ મોરયતાં રુચક-પ્રદેશ’થી અજપા-સ્મરણ ૮ ૨૨ ૧૬ ૧૯ ૧૯ વધાર. ૧ ચદાનંદ ૧૮ ॥૪૨॥ ૧૫ અર્થાત્ આંટા છે ૧૪ ઈંગલા ૧૫ નાસિના તેમ કરે અને પ્રેમ નસકૈારામાં ૧૫ ૧૬ સુષુમ્ગ્રા’ ૧૭ રક્ષિળ, ૨૩ ‘યશસ્વિની, 30 (૨) હજારો નિમે પ્રોત્ત્ત:, સહારે शुद्ध શસ્ત્રાસ્ત્રના भोगवतां રુચક-પ્રદેશ’થી ‘અજપા-સ્મરણુ’ તેમ તેમ કરીને પ્રેમ’ વધારે. ચિદાનંદ ॥૪૨॥* અર્થાત્ અઢી આંટા છે ઇંગલા નાસિકાનાં નસકેારાંમાં 品 ‘સુષુમણા’ दक्षिण ‘યશસ્વિની’ ‘અલૈષુષા’ છે, (મુખ્ય पाठांतर - चित्त * સરખાવા ઃ , (૨) ‘કચ્છ્વાસે શૈવ નિઃશ્વાસે, સ યંક્ષરયમ્ । ' ઇત્યાદિ (૨)સ:જારેન વર્યાિતિ,ારે વિરોત પુનઃ ।' ( વિશેષ સ્પષ્ટીકરણ માટે જુએ :– વિશ્વનાથકૃતા--‘ષચક્રવિવૃત્તિઃ'). અથવા પ્રવેશનમ્ । ( ‘શિવ સ્વાદય’; ક્ષ્ાક : ૫૧ ). Page #56 -------------------------------------------------------------------------- ________________ સ્વરોદય જ્ઞાન ૪ * * * Page #57 -------------------------------------------------------------------------- ________________ Page #58 -------------------------------------------------------------------------- ________________ I શ્રી રામ નમઃ | શ્રી ચિદાનંદજી મહારાજ કૃત સ્વરોદય જ્ઞાન મંગલાચરણ (તીથ કર-વંદના) [ नमो आदि अरिहंत, देव देवनपति राया। जास चरण अवलंब, गणाधिप गुण निज पाया ।। धनुष पंचशत मान, सप्त कर परिमित काया। वृषभ आदि अरु अंत, मृगाधिप चरण सुहाया ॥ आदि अंत युत मध्य, जिन चोवीस इम ध्याइये । चिदानंद तस ध्यानथी, अविचल लीला पाइये ॥ १ ॥ જે (સર્વ) દેવે તથા દેના સ્વામી-ઇન્દ્રોના રાજા છે અર્થાત દેવદેવેન્દ્ર–પૂજ્ય છે તથા જેનાં ચરણોના અવલંબન વડે ગણધર ભગવતે પણ પોતાના ગુણે પ્રાપ્ત કરે છે – તેવા અરિહંત ભગવંતોને સર્વપ્રથમ નમસ્કાર થાઓ. તીર્થકર આદિ શ્રી ત્રાષભદેવ, જેની કાયા પાંચ ધનુષના Page #59 -------------------------------------------------------------------------- ________________ સ્વરાય જ્ઞાન માનવાળી છે અને જેના ચરણમાં વૃષભનું લાંછન છે તેનું તથા અંતિમ તીર્થંકર શ્રી વર્ધમાન સ્વામી, જેની કાયા સાત હાથના માનવાળી છે અને જેના ચરણમાં સિંહનું લાંછન છે તેનું – એટલે કે આદિ તથા અત્યથી યુક્ત મધ્યવતી સહિત – એવા ચાવીસેય તીથંકરોનું આ પ્રકારે ( ગ્રંથના આરંભમાં ) ધ્યાન કરીએ છીએ. (ગ્રંથકાર) શ્રી ચિદાનંદ કહે છે કે તેમના ધ્યાનથી અવિચલ લીલા અર્થાત્ માક્ષનું શાશ્વત સુખ પામીએ. (૧) ( સરસ્વતી-ચંદ્રના ) [ છપ્પય ] इक कर वीणा धरत, इक कर पुस्तक छाजे । चंदवदन सुकुमाल, भाल जस तिलक विराजे ॥ हार मुकुट केयूर, चरण नृपुरधुनि बाजे । अद्भुत रूप स्वरूप, निरख मन रंभा लाजे || लीलायमान गजगमनी नित, ब्रह्मसुता चित्त ध्याइये | चिदानंद तस ध्यानथी, अविचल लीला पाइये ॥ २ ॥ જેણે એક હાથમાં વીણા ધારણ કરેલી છે અને જેના એક હાથમાં પુસ્તક શાલે છે, જેનું વદન ચન્દ્ર જેવું સૌમ્ય છે તથા જેના લલાટમાં તિલક વિરાજે છે, જેના દેહ હાર, મુકુટ અને કેયૂરથી અલંકૃત છે અને જેનાં ચરણમાં નૂપુર ઝંકાર કરી રહ્યાં છે, જેનું આવું અદ્ભુત રૂપ તથા આકૃતિ જોઈ ને રંભા પણ મનમાં લજ્જિત થઈ જાય છે એવી લીલાયમાન ગજગામિની બ્રહ્મસુતા( બ્રાહ્મી ) – શ્રીસરસ્વતીનું નિય ચિત્તમાં ધ્યાન ધરીએ. શ્રી ચિદાનંદ કહે છે કે તેના ધ્યાનથી મેાક્ષનું શાશ્વત સુખ પામીએ, (૨) [ વોહા ] उदधिसुता सुत तास रिपु, वाहन संस्थित बाल | बाल जाणी निज दीजिए, वचन विलास रसाल || ३ || ઉદધિ-સુતા જે લક્ષ્મી, તેના પુત્ર જે પ્રદ્યુમ્ન, તેના શત્રુ જે કાતિ કેય, તેનું વાહન જે મયૂર, તેના પર રહેલી હે ખાલે ! સરસ્વતિ! મને (ચિદાનંદને) પોતાના બાળક જાણી રસવાળા વચન–વિલાસ આપે. (૩) Page #60 -------------------------------------------------------------------------- ________________ દય જ્ઞાન ( સિદ્ધ-વંદના) [ રો ] अज अविनाशी अकल जे, निरंकार निरधार । निर्मल निर्भय जे सदा, तास भक्ति चित्त धार ॥ ४ ॥ સિદ્ધ ભગવંતે કે જેમને પુનર્જન્મ નહીં હોવાથી જેઓ અજ કહેવાય છે, વિનાશ નહીં હોવાથી જેઓ અવિનાશી કહેવાય છે, જેમનું સ્વરૂપ સમજાવી શકાય તેવું (આકલન કરાય તેવું) નહીં હોવાથી જેઓ અકલ કહેવાય છે, જેઓ પેતિ-સ્વરૂપ હેવાથી નિરાકાર કહેવાય છે, જેઓ નિરંજન હોવાથી નિર્મલ કહેવાય છે અને જેઓ સદાય ભયરહિત હવાથી નિર્ભય કહેવાય છે – તેઓની ભક્તિ દૃઢતાપૂર્વક ચિત્તમાં ધારણ કરીને; (૪) जन्म जरा जाकुं नहीं, नहीं सोग संताप । सादि अनंती स्थिति करी, स्थितिबंधनै रुचि काप ॥ ५ ॥ જેઓને જન્મ, જરા, શેક અને સંતાપ નથી, જેમની સ્થિતિની આદિ છે પણ અંત નથી તથા જેઓએ કર્મના સ્થિતિબંધની રુચિ કાપી નાખી છે અર્થાત જેઓએ કર્મના ‘સ્થિતિબંધના કારણને સમૂળ નાશ કર્યો છે; (૫) तीजे अंश रहित शुचि, चरम पिंड अवगाह ।। एक समे समश्रेणिए, अचल थयो शिवनाह ॥ ६ ॥ જેઓની અવગાહના પવિત્ર એવા ચરમ દેહથી ત્રીજા અંશે ન્યૂન પરિમાણવાળી છે, જેમાં એક સમયમાં સમશ્રેણિથી લેકના અગ્રભાગે જઈ અચલ બનીને મોક્ષપદના નાથ થયા છે; (૬) सम अरु विषमपणे करी, गुण पर्याय अनंत । एक एक परदेशमें, शक्ति सुजग महंत ॥ ७ ॥ १ निर्मम। २ थिति। ३ थिति बंधन । Page #61 -------------------------------------------------------------------------- ________________ સ્વરોદય જ્ઞાન જેઓ સમ અને વિષમપણે કરી, અનંતા ગુણ અને અનંતા પર્યાયવાળા છે અને જેના પ્રત્યેક આત્મ-પ્રદેશમાં મહાન શક્તિ જાગ્રત થયેલી છે; (૭) रूपातीत व्यतीतमल, पूर्णानंदी ईस । चिदानंद ताकुं नमत, विनय सहित निज सीस ॥ ८ ॥ જેઓ રૂપાતીત (અરૂપી) છે, જેઓને (કર્મરૂપી) મલ ચાલ્યા ગયે છે, જેમાં પૂર્ણ આનંદવાળા સિદ્ધ – ભગવંત છે તેઓને હં – ચિદાનંદ વિનય સહિત પોતાનું મસ્તક નમાવું છું (૮) कालज्ञानादिक थकी, लही आगम अनुमान । गुरु किरपा करी कहत हूं, शुचि स्वरोदय ज्ञान ॥ ९ ॥ અને કાલજ્ઞાનાદિ (એટલે કે કાલ, વર્ણ, માન, આકાર અને ફલનાં જ્ઞાન)થી આગમનું (શાસ્ત્રનું) અનુમાન લઈને (કરીને) ગુરુ-કૃપાથી પવિત્ર એવું ( અર્થાત્ શુભ કરે તેવું ) “સ્વરોદય જ્ઞાન” કહું છું. (૯) સ્વરનો ઉદય स्वरका उदय पिछाणीए, अतिही थिर चित्त धार । ताथी शुभाशुभ कीजिए, भावी वस्तु विचार ॥ १० ॥ (પ્રથમ) ચિત્તને અત્યંત સ્થિર કરીને જે સ્વરનો (પ્રાણ) ઉદય જાણવામાં આવે તો તેના વડે ભવિષ્યની શુભાશુભ વસ્તુને વિચાર કરાય. (૧૦) નાડી-વિચાર नाडी तो तनमें घणी, पण चौवीश प्रधान । तिनमें दस फुनि ताहुमें, तीन अधिक कर जान ॥ ११ ॥ શરીરમાં નાડીઓ તો ઘણી (૭૨,૦૦૦) છે પણ તેમાં વીસ નાડી મુખ્ય છે. તેમાં પણ દશ નાડીની પ્રધાનતા છે અને તેમાંય વળી ત્રણ નાડી વિશેષ પ્રધાન સમજવી. (૧૧) ૨ નવ ! નાડીઓનાં નામ, સ્થાન વગેરે માટે આ ગ્રંથમાં જ જુઓ - પદ્ય-ક્રમાંક : ૪૩૧ થી ૪૪૧. Page #62 -------------------------------------------------------------------------- ________________ સ્વરાય જ્ઞાન इंगला पिंगला सुखमना, ये तीनूंके नाम । भिन्न भिन्न अब कहत हूं, ताके गुण अरु धाम ॥ १२ ॥ એ ત્રણ નાડીનાં નામ - ઇંગલા(ઇંડા), પિંગલા અને સુષુમ્જા છે. એ ત્રણેનાં જુદાં જુદાં ગુણ અને સ્થાન હવે હું કહું છું. (૧૨) 19 નાડીના ગુણ તથા ધામ भृकुटी चक्रसं होत हैं, स्वासाको परकास । वंकनालके ढिग थइ, नाभी करत निवास ॥ १३ ॥ બ્રટિ-ચક્ર( આજ્ઞાચક્ર )થી શ્વાસના ઉદ્દભવ થાય છે અને તે વેંકનાલ( બ્રહ્મનાડી )માંથી પસાર થઈ નાભિમાં નિવાસ કરે છે. (૧૩) नाभीतें फुनि संचरत, इंगला पिंगला धाम । दक्षण दिश हैं पिंगला, इंगला नाडी वाम ॥ १४ ॥ તે શ્વાસ નાભિથી પાછા ઇંગલા(ઇડા) અને પિંગલાનાં સ્થાનમાં સંચાર કરે છે. જમણી તરફની નાડી પિંગલા છે અને ડાબી તરફની નાડી તે ઇંગલા(ઇડા) છે. (૧૪) इण दोउंके मध्य में, सुखमन नाडी जोय । सुखमनके परकासमें, स्वर फुनि चालत दोय ।। १५ ।। આ બંનેની મધ્યમાં સુષુમ્હા નાડી છે. સુષુમ્હાના ઉદય વખતે અને નસકેારામાંથી સ્વર(શ્વાસ) ચાલતા હેાય છે. (૧૫) સ્વરોદયની વ્યાખ્યા डाबा स्वर जब चलत हैं, चंद उदय तब जान । जब स्वर चालत जीमणो, उदय होत तब भान ॥ १६ ॥ જ્યારે ડાખા સ્વર ચાલતો હોય ત્યારે ચન્દ્રનાડીના ઉદય જાણવા અને જ્યારે જમણા સ્વર ચાલતા હોય ત્યારે સૂર્યનાડીના ઉદય જાણવા. (૧૬) Page #63 -------------------------------------------------------------------------- ________________ સ્વદય જ્ઞાન સ્વરોનાં કાર્ય સભ્ય વાસ ગુમ શશિ, સૂર વામ સૂર ! इणि विधि लख कारज करत, पामे सुख भरपूर ।। १७ ।। સૌમ્ય(શીતલ અને સ્થિર કાર્ય માટે ચન્દ્રનાડી શુભ છે અને કૂર (તથા ચર)કાર્યો માટે સૂર્યનાડી શુભ છે – આ રીતે નાડીચાર (નાડીસંચાર) ઓળખીને કાર્ય કરે તે અત્યંત સુખ પામે. (૧૭) दोउं स्वर सम संचरे, तब सुखमन पहिचांन । तामें कोउं कारज करत, अवस होय कछु हांन ॥ १८ ॥ બંને સ્વર જ્યારે સરખા ચાલે ત્યારે સુષુમણું નાડી જાણવી. તે નાડીમાં કઈ પણ કાર્ય કરવાથી અવશ્ય કાંઈક હાનિ થાય છે. (૧૮) चंद्र चलत कीजे सदा, थिर कारज स्वर भाल । चर कारज सूरज चलत, सिद्ध होय ततकाल ॥ १९ ॥ સ્વર જોઈને ચન્દ્રસ્વર ચાલતાં હમેશાં સ્થિર કાર્યો કરવાથી અને સૂર્યવર ચાલતાં ચર કાર્યો કરવાથી તે કાર્યો તત્કાલ સિદ્ધ થાય છે. (૧૯) પક્ષના સ્વામી તથા તિથિના ભાગ ગણવાની રીત कृष्णपक्ष स्वामी रवि, शुक्लपक्ष पति चंद । तिथिभाग इनका लही, कारज करत आनंद ।। २० ॥ કૃષ્ણપક્ષને સ્વામી સૂર્ય છે અને શુકલપક્ષને સ્વામી ચન્દ્ર છે, તેથી (નીચે દર્શાવ્યા પ્રમાણે) આ તિથિાઓના ભાગ કરી, કાર્ય કરવાથી આનંદ થાય છે. (૨૦) कृष्णपक्षकी तीन तिथि, प्रथम रविकी जांन । तीन शशिकी फुनि रवि, इण अनुक्रम पहिचांन ॥ २१ ॥ કૃષ્ણપક્ષની પ્રથમ ત્રણ તિથિએ સૂર્યની જાણવી, તે પછીની ત્રણ ચન્દ્રની, ફરી ત્રણ સૂર્યની – આ અનુક્રમથી બાકીની તિથિઓ જાણવી. (૨૧) Page #64 -------------------------------------------------------------------------- ________________ સ્વદય જ્ઞાન शुक्लपक्षकी तीन तिथि, चंद तणी कही मीत । फुन रवि फुन शशि फुन रवि, शशि गिणवाकी रीत ॥ २२ ॥ હે મિત્ર! શુકલ પક્ષની (પ્રથમ) ત્રણ તિથિઓ ચન્દ્રની છે, તે પછીની ત્રણ સૂર્યની, પછીની ત્રણ ચન્દ્રની પછીની ત્રણ સૂર્યની (અને પછીની છેલ્લી ત્રણ ચન્દ્રની) છે – આ ગણવાની રીત છે. (૨૨) વાર, નક્ષત્ર, રાશિ–વર્ણત-દિન [ છપ્પય ] - मंगल शनि आदित्य, वार स्वामी रवि जाणो । सुरगुरु बुध अरु सोम, शुक्र पति चंद वखाणो इणविधि स्वर तिथि वार, भिन्न कर नक्षत्र पिछाणो । शुभ कारिजकू योग्य, सकल इणविधि मन आणो ॥ निरगम सुरगम विध, भाव इणविधकें लखो* । तत्त्व तणो परकाश, सुधारस इम चखो' ॥ २३ ॥ મંગલ, શનિ અને રવિ- આ ત્રણ વારને સ્વામી સૂર્ય છે; ગુરુ, બુધ, સમ અને શુક – આ ચાર વાર સ્વામી ચન્દ્ર છે. આ પ્રમાણે સ્વર, તિથિ, વાર તથા નક્ષત્રને પૃથપૃથક જાણે અને શુભ - કાર્યો માટે १ स्व स्व ।। २ इणके । ३ चाखो V । * ૧. સગુણસ્વર- નાસિકાના છિદ્રમાં પ્રવેશત સ્વર. ૨. નિર્ગુણસ્વર- નાસિકાના છિદ્રમાંથી બહાર નીકળતો સ્વર ૩, ઉદયસ્વર – નાસિકાના એક છિદ્રમાંથી બદલાઈને બીજા છિદ્રમાં નવ શરૂ થતો સ્વર. ૪, અસ્તસ્વર – નાસિકાના એક છિદ્રમાંથી બીજા છિદ્રમાં બદલાતી વખતે વિરામ પામતો સ્વર. સ્વરની “સગુણ” અને “ઉદય” અવસ્થા હોય તે કાર્ય સિદ્ધિ થાય અને જે સ્વરની “નિર્ગુણ” અને “અસ્ત” અવસ્થા હોય તે કાર્ય હાનિ થાય. Page #65 -------------------------------------------------------------------------- ________________ સ્વરદય જ્ઞાન ગ્ય બધા (ગે) મનમાં લાવે. એ જ રીતે નિર્ગુણસ્વર અને સગુણસ્વરના આ પ્રકારના વિવિધ ભાવે જાણે અને (પૃથ્યાદિતના પ્રકાશરૂપ “સુધારસ”ને એ રીતે ચાખે. (૨૩) [વો ] कृष्णपक्ष एकम दिने, प्रातः सूर जो होय । तो ते पक्ष प्रवीण नर, आनंदकारी जोय ॥ २४ ॥ કૃષ્ણપક્ષની એકમના દિવસે પ્રાત:કાલમાં (સૂર્યોદય સમયે) જે સૂર્યસ્વર હોય તે તે પક્ષ, કુશળ મનુષ્ય માટે આનંદકારી વીતે છે. (૨૪) शुक्लपक्षके आदि दिन, जो शशि स्वर उद्योत । तो ते पक्ष विचारीए, सुखदायक अति होत ॥ २५ ॥ શુકલપક્ષના પ્રથમ દિવસે (પ્રાતઃકાલમાં) જે ચન્દ્રવર ચાલે તો તે પક્ષ અત્યંત સુખદાયક થાય – એમ વિચારવું. (૨૫) चंद्रतिथिमें चंद्र स्वर, सूरतिथि वहे सूर । कायामें पुष्टि करे, सुख आपत भरपूर ॥ २६ ।। (સૂર્યોદય સમયે) ચન્દ્રવરની તિથિમાં જે ચન્દ્રસ્વર ચાલે અને સૂર્યસ્વરની તિથિમાં જે સૂર્યસ્વર ચાલે તે કાયાની પુષ્ટિ કરે અને ભરપૂર સુખ આપે. (૨૬) चंद्रतिथिमें आय जो, भानु करत प्रकाश । तो कलेश पीडा हुवे, किंचित वित्त विनाश ॥ २७ ॥ (સૂર્યોદય સમયે) ચન્દ્રસ્વરની તિથિમાં જે સૂર્યસ્વર ચાલે તે કલેશ તથા પીડા થાય અને કંઈક ધનને નાશ પણ થાય. (૨૭) सूरजतिथि पडिवा दिने, चले चंद्र स्वर भोर । ગૃપ મ રે, વિત્ત સંવ8 વિવું જોર | ૨૮ (સૂર્યોદય સમયે) સૂર્યની તિથિ(કૃષણપક્ષના) પડવાના દિવસે જે ચસ્વર ચાલે તે પીડા, કલહ તથા રાજાથી ભય કરનાર થાય અને ચારે તરફથી ચિત્તની ચંચલતાના પ્રસંગો સર્જાય. (૨૮) Page #66 -------------------------------------------------------------------------- ________________ સ્વરાય જ્ઞાન दोउं पक्ष पडिवा दिने, सुखमन स्वर जो होय | लाभ हाण सामान्यथी, ते निहचे करी जोय ॥ २९ ॥ બંને પક્ષના પડવાના દિવસે (પ્રાતઃકાળમાં – સૂદિય સમયે) જો સુષુમ્ગાસ્વર ચાલે તો (સમાન પ્રકારે) લાભ-હાનિ બંને થાય – એમ નક્કી જાણવું. (૨૯) વૃશ્ચિષ્ઠ સિંહૈં વૃષ યુંમ પુન, શશિ સ્વરની ઇ રાસ | चंद्रजोग इणके मिलत, शुभ कारज परकाश ॥ ३० ॥ વૃશ્ચિક, સિંહ, વૃષભ અને કુંભ – આ (ચાર) રાશિઓ ચન્દ્રસ્વરની છે. આ રાશિમાં ચન્દ્રસ્વરના યાગ મળતો હાય તો શુભ કાર્યાના થાય. (૩૦) પ્રકાશ कर्क मकर तुल मेष पुन, चर राशि ए चार । रवि संग ए संचरत, चर काजे सुखकार ॥ ३१ ॥ કર્ક, મકર, તુલા અને મેષ – આ ચાર ચર રાશિએ છે. જો આ રાશિમાં સાથે સૂર્યસ્વરના યોગ હોય તા ચરકાર્યમાં એ સુખ કરનાર થાય. (૩૧) मीन मिथुन धन कन्यका, द्विस्वभाव ए जान । सुखमन स्वरसुं मिलत हैं, काज करत होय हान ॥ ३२ ॥ મીન, મિથુન, ધન અને કન્યા – આ ( ચાર ) દ્વિસ્વભાવ રાશિએ જણાવી. જો આ રાશિમાં સુષુમ્હાર ચાલતો હોય તા કા કરતાં અવશ્ય હાનિ જ થાય. (૩ર) ससि सूरजके मास इम, भिन्न भिन्न करी ए जाण । राशि वर्गित दिन थकी, अधिक भेद मन आण* ॥ ३३ ॥ ચન્દ્ર અને સૂર્યના માસ – આ રીતે જુદા જુદા કરીને જાણા અને તેના વિશેષ ભેદે ૩૬૦ થાય છે-તે મનમાં ધારણ કરી, (૩૩) * ૧૨ માસ અને ૧૨ રાશિને ગુણતાં ૧૨ ના વર્ગ ૧૪૪ થાય; તેને એક રાશિમાં ચન્દ્ર ૨ દિવસ રહેતા હેાવાથી ર થી ગુણતાં તેના વિશેષ ભેદ્દે ૧૪૪૪ ૨૧ = ૩૬૦ થાય. Page #67 -------------------------------------------------------------------------- ________________ ↑ પ્રશ્નકરણ – સ્વરોદય જ્ઞાન प्रश्न करणकूं कोउ नर, आवत हिरदे धार । પૃષ્ઠ' નની વિશિ તળો, નિર્ણય જૂદું વિચાર || ૪ | સ્વરાય જ્ઞાન પ્રશ્ન પૂછવા માટે કોઈ માણસ હૃદયમાં પ્રશ્ન ધારીને આવે ત્યારે પ્રશ્નકર્તાની દિશા પરથી થતા નિર્ણય હું વિચાર પૂર્વક કહું છું. (૩૪) सनमुख डाबी ऊर्ध्व दिशि, रही प्रश्न करे कोय । चंद्रजोग हे ता समे, तो कारिज सिद्धि होय ॥ ३५ ॥ ( ઉત્તરદાતાની ) સામે, ડાખી તરફ યા તે ઉપરની દિશા તરફ રહી કોઈ પ્રશ્ન કરે અને તે વખતે ‘ચન્દ્રયાગ’ હાય (અર્થાત્ ઉત્તરદ્માતાને ચન્દ્રસ્વર ચાલતા હાય તથા ચન્દ્રસ્વરના લગ્ન, વાર, તિથિ આદિના ચાગ મળતા હોય ) તે। (પ્રશ્નકર્તાનું) કાર્ય સિદ્ધ થાય. (૩૫) नीचे पीछे जमणो, जो कोइ पूछे आय । भानुजोग स्वर होय तो, तस कारज हो जाय || ३६ || ( ઉત્તરદાતાની ) નીચે, પાછળ કે જમણી તરફ રહીને જો કેઇ આગંતુક પ્રશ્ન પૂછે અને તે વખતે સૂર્યયાગ’ હાય (અર્થાત્ ઉત્તરદાતાના સૂર્યસ્વર ચાલતા હાય તથા સૂર્યસ્વરના લગ્ન, વાર, તિથિ આદિના ચેગ (મળતા હાય ) તા પણ તે (પ્રશ્નકર્તા)નું કાર્ય સિદ્ધ થાય. (૩૬) पूछे दक्षिण भुज रही, सूरज स्वरमें वात । लगन वार तिथि जोग मिली, सिद्ध कार्य अवदात ॥ ३७ ॥ (ઉત્તરદાતાના) જમણા હાથ તરફ ઊભેા રહી, (ઉત્તરદાતાના) સૂર્યસ્વર ચાલતી વખતે જો કોઈ વાત પૂછે અને તે વખતે જો લગ્ન, વાર, તિથિના યાગ મળતો હાય ( અર્થાત્ સૂર્યસ્વરનું લગ્ન, સૂર્યવરના વાર અને સૂર્યવરની તિથિ હોય ) તે ( પ્રશ્નકર્તાનું ) કાર્ય સારી રીતે સિદ્ધ થાય છે. (૩૭) वाम भाग रही जो कहे, प्रश्न तणो परसंग | શાંશ સ્વર નો પૂરળ ધ્રુવે, તો તસ જાન અમન | ૨૮ ॥ ? પ્રøનિ V I ૨ રની V | ३ जीमणो । ૪ ાન V | Page #68 -------------------------------------------------------------------------- ________________ સ્વરદય જ્ઞાન (ઉત્તરદાતાના) ડાબા ભાગ તરફ રહી જે કોઈ પ્રશ્ન કરે અને તે વખતે ઉત્તરદાતાને ચન્દ્રસ્વર પૂર્ણ હોય (એટલે કે લગ્ન, વાર, તિથિના બધા વેગે મળતા હોય) તે તે પ્રશ્નકર્તા)નું કાર્ય અભંગ છે ( અર્થાત્ પૂર્ણ થશે)- એમ કહેવું. (૩૮) પૂછે ર ી , શશિ સ્વર વો જ ! रवि तत्त्व तिथ वार बिन, तस कारज नवि होय ॥ ३९ ॥ (ઉત્તરદાતાના) જમણા હાથ તરફ ઊભો રહી કેઈ પ્રશ્ન કરે ત્યારે (ઉત્તરદાતાનો) ચન્દ્રસ્વર ચાલતું હોય અને તે વખતે સૂર્યનાં તત્ત્વ, તિથિ અને વારને વેગ ન હોય તે કહેવું કે તે પ્રશ્નકર્તા)નું કાર્ય નહીં થાય. (૩૯) अधो पृष्ठ पाछल रही, पृच्छकनो परिमाण । चंद चलत फल तेहy, पूर्व कथित पहिछाणे ॥ ४० ॥ પૃચ્છકને ઘેર નીચે કે પીડ પાછળ રહેલ હોય અને ત્યારે (ઉત્તરદાતાને) ચન્દ્રસ્વર ચાલતું હોય તે તેનું ફળ પણ પૂર્વે કહ્યા પ્રમાણે જ જાણવું અર્થાત્ કાર્ય નહીં થાય – એમ કહેવું. (૪૦) चलत सूर स्वर जीमणो, (रही ) पूछे डाबी ओर । चंद्रजोग बिन तेहनो, नवि कारिज विधि कोर ॥ ४१ ॥ (ઉત્તરદાતાનો) જમણો– સૂર્યસ્વર ચાલતું હોય તથા પૃચ્છક ડાબી તરફ રહીને પૂછે અને જે ચન્દ્રયોગ ન હોય તે કહેવું કે તે પ્રશ્નકર્તા)નું કાર્ય થશે જ નહીં. (૪૧) सनमुख ऊर्ध्व दिशा रही, पूछे जो रवि मांहि । चंद्रजोग बिन तेहy, कारज सीजे नांहि ॥ ४२ ॥ (તેવી જ રીતે જે કઈ) સામેયા ઉપરના ભાગમાં રહી, (ઉત્તરદાતાના) સૂર્યસ્વર વખતે પ્રશ્ન કરે અને ચન્દ્રગ ન હોય તે તે(પ્રશ્નકર્તા)નું કાય પણ સિદ્ધ ન થાય. (૪૨) હું પાછો v ૨ પાન vi Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧૨ लग्न वार तिथि तच्च पुन, रास जोग दिसि शोध । कारजके अक्षर गिणे, होवे साचो बोध ॥ ४३ ॥ ', સ્વરોદય જ્ઞાન લગ્ન, વાર, તિથિ, તત્ત્વ, રાશિ, યાગ તથા ક્રિશાની શેાધ કરીએ, પછી કાર્યના અક્ષર ગણીએ તે ( તે પરથી ) સત્ય બેધ થાય. (૪૩) सम अक्षर ससिकूं भलो, विषम भानु परधान । तिनकी संख्या करनकूं, कहुं एम अनुमान ॥ ४४ ॥ સમ અક્ષર એ ચન્દ્રસ્વરને અનુકૂળ છે, વિષમ અક્ષર સૂર્યસ્વરને માટે શ્રેષ્ઠ છે. તેની સંખ્યા કરવા માટે હું આ રીતે અનુમાન કહું છું. (૪૪) चार आठ द्वादश युगल, पट दश चवदे' जाण । पोडशथी ससि योग ए, महा शुद्ध पहिछाण ॥ ४५ ॥ ચાર, આઠ, ખાર, એ, છ, દશ, ચૌદ અને સોળ ઇત્યાદિ(સમઅક્ષરા )થી એ ‘ચન્દ્રયાગ’ છે – એમ અતિ શુદ્ધ રીતે સમજ, (૪૫) एक तीन सरें + सात नव, एकादश अरु तेर । તિથિ સંયમ* પદ્મવીર પુન, વિજ્ઞોશ રૂમ હેર | o ્ || એક, ત્રણ, પાંચ, સાત, નવ, અગ્યાર, તેર, પંદર, સત્તર, પચીસ ઇત્યાદિ(વિષમ અક્ષરી)થી એ ‘વિયેાગ’ છે – એમ જાણુ. (૪૬) लोककाज सहु परिहरे, धरे सुनिहचल ध्यान । श्रवण मनन चिंतन करत, लहत स्वरोदय ज्ञान ॥ ४७ ॥ સઘળાં લોકિક કાર્યાના ત્યાગ કરે, સુનિશ્ચલપણે ધ્યાન ધરે; શ્રવણુ, મનન અને ચિન્તન કરે તો તે ‘સ્વરેાદય જ્ઞાન’ મેળવે છે. (૪૭) ૨ માન V | ૨ ૬કરે V | ર્વદિશ્વાન V | ૪ વર્ V | + સર અર્થાત્ ( કામદેવનાં) ખાણ પ છે. ૦ તિથિઓ ૧૫ છે. સંયમના ભેદ ૧૭ છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ સ્વરાય જ્ઞાન પ્રાણાયામ* अथवा प्राणायाम जे, साधे चित्त लगाय । ताकूं पहेली भूमिका, सिद्व स्वरोदय थाय ॥ ४८ ॥ અથવા તે જે ચિત્તને એકતાન કરી પ્રાણાયામ સાધે, તેને પ્રથમ ભૂમિકારૂપ સ્વરેાદય જ્ઞાન' સિદ્ધ થાય છે. (૪૮) प्राणायाम विवार तो, हे अति अगम अपार । भेद दोय तस जाणिये, निश्वे अरु व्यवहार ॥ ४९ ॥ પ્રાણાયામના વિચાર તે અતિશય અગમ્ય અને પાર ન પમાય તેવે છે. તેના બે ભેદ જાણવા- (૧) નિશ્ચય-પ્રાણાયામ અને (૨) વ્યવહારપ્રાણાયામ. (૪૯) निचेथी निज रूप में, निज परिणति होय लीन । श्रेणीगत ज्यों संचरे, तो जोगी परवीण ॥ ५० ॥ પોતાના સ્વરૂપમાં પોતાની પરિણતિ લીન થાય – તે નિશ્ચયપ્રાણાયામ’ છે અને તેના યોગે ( ક્ષપક કે ઉપશમ ) શ્રેણિમાં સંચાર કરે તા તે યાગી પ્રવીણ કહેવાય. (૫૦) उपसम क्षपक कही जुगल, तिणको काल स्वभाव वस, ૧૩ श्रेणी प्रवचन मांहि । साधन हिवणी नांहि ॥ ५१ ॥ (૧) ઉપશમ શ્રેણ અને (૨) ક્ષેપક શ્રેણિ – એમ બે શ્રેણિ શાસ્ત્રમાં કહી છે; પણ હમણાં કાલ અને સ્વભાવના કારણથી તેની સાધના થઈ શકતી નથી. (૫૧) अहनिसि ध्यान अभ्यासथी, मनथिरता जो होय । तो अनुभव लव आज फुने, पावे विरला कोय ॥ ५२ ॥ * પ્રાણાયામ : ‘ પ્રાણ ' એટલે કે શ્વાસ-પ્રશ્વાસની ગતિ, તેને આયામ’ અર્થાત્ વિચ્છેદ કે અવરોધ કરવો તે. ૨ રૂમનાં V | ૨ ૬ V | Page #71 -------------------------------------------------------------------------- ________________ સ્વદય જ્ઞાન દિવસ રાત યાનના અભ્યાસથી જે મનની સ્થિતા થાય તે અનુભવને બહુ જ થોડે અંશ આજે પણ કઈક વિરલા પામે છે. (પર) निज अनुभव लवलेशथी, कठिन कर्म होय नाश । अल्प भवे भवि ते लहे, अविचलपुरको वास ॥ ५३ ॥ પોતાના અનુભવના લવલેશ(બહુ જ છેડા અંશ થી પણ કઠિન કર્મોને નાશ થાય છે અને તેથી તે(અનુભવી) ભવ્યાતિમા અપ-ભવમાં જ મોક્ષપુરીમાં નિવાસ પ્રાપ્ત કરે છે. (૧૩) व्यवहारे ये ध्यानको, भेद नवि कहीवाय । भिन्न भिन्न कहितां थकां, ग्रंथ अधिक हो जाय ॥ ५४ ॥ વ્યવહારથી આ (પ્રાણાયામ, ધ્યાનના ભેદ કહી ન શકાય તેટલા છે, તે બધા ભેદ જુદા જુદા કહેતાં ગ્રંથને અત્યંત વિસ્તર થઈ જાય – ગ્રંથ બહુ મેટ થઈ જાય. (૧૪) नाममात्र अब कहत हुँ, याको किंचित भाव । अधिक भथि तुम जाणजो, गुरुगम तास लखावे ।। ५५ ॥ માટે હવે હું આને કંઈક ભાવાર્થ નામમાત્રથી કહું છું; બાકી એને અધિક વિસ્તર હૈ ભવ્યજને! તમે ગુરુગમથી જાણજે. (૫૫) अष्ट भेद है जोगके, पंचम प्राणायाम ।* ताके सप्त प्रकार है, सकल सिद्ध के धाम ॥ ५६ ।। યોગના આઠ ભેદ(અંગ) છે, તેમાં પાંચમો ભેદ પ્રાણાયામ છે અને તેના સાત પ્રકાર છે કે જે સકલ સિદ્ધિનાં સ્થાન છે. (૫૬) रेचक पूरक तीसरो, कुंभक भेद पिछाण । शांतिक समता एकता, लीन भाव चित आण ॥ ५७ ।। શું કટિલ V. ૨ સ્વાય છે *ગનાં આઠ અંગ – (૧) યમ, (૨) નિયમ, (૩) આસન, (૪) પ્રત્યાહારી (૫) પ્રાણાયામ, (૬) ધારણા, (૭) ધ્યાન અને (૮) સમાધિ– આ ક્રમથી લેવામાં આવે તો “પ્રાણાયામ” પાંચમે આવે છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ સ્વદય ગાન (૧) રેચક, (૨) પૂરક, અને (૩) ત્રીજે કુંભક નામનો ભેદ જાણ (૪) શાંતિક, (૫) સમતા, (૬) એકતા અને (૭) લીન-ભાવને ચિત્તમાં આણ (એટલે કે પ્રાણાયામના આ સાતેય ભેદનાં સ્વરૂપને સમજી તેમાં મન લગાડ). (૫૭) पूरक पवन गहत सुधी, कुंभक थिरता तास । रेचक बाहिर संचरे, शांतिक ज्योति प्रकाश ॥ ५८ ॥ (૧) પવનને ગ્રહણ કરે તે પૂરક છે, (૨) તે(ગ્રહણ કરેલા પવન)ને સ્થિર કરે તે કુંભક છે, (૩) (પવન) બહાર નીકળે તે રેચક છે, (૪) (અંદર) તેજને પ્રકાશિત કરનારે તે “શાંતિક છે, (૫૮) समता ध्येय स्वरूपमें, तिहां सूक्ष्म उपयोग । गहे एकता गुण विपे, लीन भाव निज जोग ॥ ५९ ॥ (૫) ત્યાં – બેયના સ્વરૂપમાં જ સૂક્ષમ ઉપયોગ તે “સમતા છે, (૬) (ચેયના) ગુણમાં સૂકમ ઉપયોગ થાય તે “એકતા” છે અને (૭) નિજ-જોગ” અર્થાત્ સ્વ-સ્વરૂપાનુસંધાન તે લીન-ભાવ છે. (૫) लीन दशा व्यवहारथी, होत समाधि रूप । निहचेथी चेतन ए, होवे शिवपुर भूप ॥ ६० ॥ વ્યવહારથી – લીન-દશા તે સમાધિ સ્વરૂપ છે અને નિશ્ચયથી–લીનદશા આવે તે) આ ચેતન(આત્મા) મેક્ષનગરીને સ્વામી બને છે. (૬) બીજ સંચાર – પાંચ વાયુ स्वासाकू अति थिर करे, ताणे नहीं लिगार । मूल बंध दृढ लायके, करे बीज संचार ॥ ६१ ॥ શ્વાસને અત્યંત સ્થિર કરે, જરા પણ ખેંચે નહીં, મૂલબંધ દઢ કરીને (પાંચ બીજો ) સંચાર કરે. (૬૧) वायु पांच शरीरमें, प्राण समान अपान । उदान वायु चोथो कह्यो, पांचम अनिल अव्यान ॥ ६२ ।। Page #73 -------------------------------------------------------------------------- ________________ સ્વદય જ્ઞાન શરીરમાં પાંચ વાયું છે. પ્રાણ, સમાન, અપાન, ચેાથે વાયુ ઉદાન કહ્યો છે અને પાંચમે વાયુ વ્યાન છે. (૬૨) प्राण हिये पुन सर्वगत, तनमें रहत समान । आधार चक्रगति जाणिये, तीजो वायु अपान ॥ ६३ ॥ પ્રાણવાયુ હૃદયમાં વસે છે, સમાનવાયુ શરીરમાં સર્વવ્યાપી રહે છે, આધાર(મૂલાધાર)ચકમાં ગતિ કરતા ત્રીજે અપાનવાયુ છે. (૬૩) उदान वासह कंठमें, संधिगति ए अव्यान । पंच वायके बीज पुन, पंच हिये इम आन ॥ ६४ ॥ ઉદાન-વાયુને વાસ કંઠમાં છે અને વ્યાનવાયુ સઘળા સાંધાઓમાં રહે છે. આ પાંચ વાયુનાં બીજે અનુક્રમે આ પ્રમાણે હૃદયમાં ધારણ કરો. (૬૪) છે છે " " સુધી, વંર વીર પરવાના इनके गर्भित भेदको, कहत न आवे मान ॥ ६५ ॥ જે શૈક - આ પાંચ પ્રધાન બીજે છે. આના અવાંતર ભેદને કહેતાં પાર ન આવે. (૬૫). पंच बीज संचारथी, अनहद धुन जे होय । निर्गम भेद धुनि तणो, जोगीश्वर लहे कोय ॥ ६६ ॥ પાંચે બીજોના સંચારથી જે અનહદ(અનાહત) ધ્વનિ થાય છે તે ધ્વનિ પ્રગટ થવાને ભેદ કેઈ યેગીશ્વર જ જાણે છે. (૬૬) વણ-સંચાર – અનાહત-ધ્વનિ, કુંડલિની वरण मात्र इण बीजके, कमल कमल थित जाण । મિન મિજ પુ તેનો, સાવ થી મન શાખ+ + ૬૭ | આ બીજેના (અન્ય) બધા વર્ષો પ્રત્યેક કમળ(ચક્ર)માં રહેલાં જાણે અને તેને ભિન્ન ભિન્ન ગુણ શાસ્ત્ર થકી મનમાં સમજે. (૬૭) * v ૨ મો v1. + વિશેષ સ્પષ્ટીકરણ માટે જુઓ –પનિરૂપણમ્ Page #74 -------------------------------------------------------------------------- ________________ સ્વરોદય જ્ઞાન सकल सिद्धि इणमें वसे, सर्व लब्धि इण मांहि । * केतिक आज हूं संपजे, केतिक तो अब नांहि ॥ ६८ ॥ સઘળી સિદ્ધિએ એમાં વસે છે તથા સઘળી લબ્ધિએ (પણ) એમાં (૪) વસે છે. જે પૈકી કેટલીક તે આજે પણ ઉત્પન્ન થાય છે જ્યારે કેટલીક હાલમાં ઉત્પન્ન થતી નથી. (૬૮) वरण नाभी में संचरे, सोहं शब्द उद्योत । બનનાર તે નાળિયે, અનુમવ માત્ર ઉદ્યોત | ૬૬ ।।+ વર્ણ(અર્થાત્ પ્રાણસમ થયેલા મન્ત્રાક્ષ) જ્યારે નાભિમાં સંચાર કરે છે ( ત્યારે ) ‘કોડË' શબ્દ પ્રકાશિત થાય છે અને તે અજપાજપ છે. તેનાથી અનુભવ– ભાવના પ્રકાશ (અર્થાત્ રવસંવેદન) થાય છે. (૧૯) नाभीथी हिये संचरे, तिहां रंकार प्रकाश । ૧૭ मनथिरता तामे हुवे, अशुभ संकल्प होये नाश ॥ ७० ॥ (પછી વર્ણ) નાભિથી હૃદયમાં સંચાર કરે છે (ત્યારે) ત્યાં (અગ્નિખીજ) કારના પ્રકાશ થાય છે. તેમાં મનની સ્થિરતા થાય તે નાશ થાય છે. (૭૦) અશુભ સંકલ્પાના ૨ છળ V | ૨ વળ V | ૨ સોડě V | XX VI * સિદ્ધિઓ ૮ છેઃ- (૧) અણિમા, (૨) મહિમા, (૩) લઘિમા, (૪) ગરમા, (૫) વિશતા, (૬) પ્રાકામ્ય, (૭) ઈશિતા અને (૮) પ્રાપ્તિ, લબ્ધિઓ ૨૮ છે = (૧) આમૌષધિ, (૨) વિૌષધિ, (૭) ખેલૌષધિ, (૪) જલૌષધિ, (૫) સૌષધિ, (૬) સંભિન્નશ્રોતા, (૭) અવધિ, (૮) મન:પર્યાય, (૯) વિપુલમતિ, (૧૦) ચારણુ, (૧૧) આશિવિષ, (૧૨) કેવલ, (૧૩) ગણધર, (૧૪) પૂર્વધર, (૧૫) અરિહંત, (૧૬) ચક્રવતી, (૧૭) બલદેવ, (૧૮) વાસુદેવ, (૧૯) અમૃતશ્રાવ, (૨૦) કોઇ, (૨૧) પદ્માનુસારી, (૨૨) ખીજબુદ્ધિ, (૨૩) તેજો લેશ્યા, (૨૪) આહારક, (૨૫) શીતલેશ્યા, (૨૬) વૈક્રિય, (૨૭) અક્ષીણમહાનસ અને (૨૮) પુલાક. + અજપાજપ, અનાહતનાદ, સોરૢ ઇત્યાદિના વિશેષ સ્પષ્ટીકરણ માટે જુએઃ ‘ યોગશાસ્ત્ર – અષ્ટમ પ્રકાશનું સવિસ્તર વિવરણુ, [ વિભાગ-૧].’ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સ્વદય જ્ઞાન सुरतडोरं लावे गगन, तिरवेणी* कर वास । तिहां अनहद धुनि उपजे, थिर जोती परकास ॥ ७१ ॥ સુરતદેર(અર્થાત્ સુષુણ્યવાહી પ્રાણ-પ્રવાહ - કુંડલિની શક્તિ)ને ત્રિવેણું(આજ્ઞાચક)માં સ્થિર કરી ગગન(બ્રહ્મરંધ્ર)માં લાવવામાં આવે તે ત્યાં (અર્થાત્ “આજ્ઞાચક્ર' અને “બ્રહ્મરંધ્રમાં ક્રમશ:) અનાહત-વનિ ઉત્પન્ન થાય છે અને સ્થિતિને પ્રકાશ દેખાય છે. (૧) [ રોપા ] अनहद अधिष्ठाय जे देवे, थिर चित देख करे तसु सेव । ऋद्धि अनेक प्रकार देखावे, अद्भुत रूप दृष्ट तस आवे ॥७२॥ અનાહત – અધિષ્ઠાયક દેવ છે, તેને સ્થિર ચિત્ત કરીને દેખે અને તેની સેવા કરે તો તે અનેક પ્રકારની ત્રાદ્ધિ દેખાડે છે અને તેનું અદ્ભુત રૂપ પણ (સાધકની) દષ્ટિમાં આવે છે. (૨) ऋद्धि देख नवि चित्त चलावे, ज्ञान समाधि ते नर पावे । वेदभेद+ समाधि कहीये, गुरुगम लक्ष तेहनो लहीये ॥ ७३ ॥ એ અદ્ધિ દેખીને ચિત્તને ચલિત ન કરે (અર્થાત તેના મેહમાં પડે નહીં) તે મનુષ્ય “જ્ઞાન-સમાધિ પામે છે. સમાધિના ચાર ભેદ કહ્યા છે, તેને ઉદ્દેશ ગુરુગમથી જાણીએ. (૭૩) नाभी पास हे कुंडलि नाडी, बंकनाल हे तास पिछाडी । દ્રશન દ્વારા મારા સૌ૬, ૩ર વાર પાવે નહીં મક્કા ૨ સુરત ડોઢv ૨ દેવા v ૨ સેવા VI ૪ જિન vI * “તિ વેળી' અર્થાત “ત્રિવેણી'– ભ્રમ એ જ્યાં ઈડા(ગંગા), પિંગલા (યમુના) અને સુષષ્ણા(સરસ્વતી) – એ ત્રણે નાડીઓ મળે છે તે સ્થાન – 'આજ્ઞાચક્ર'. દશમસ્કારે (અર્થાત બ્રહ્મરંધ્રમાં) કુંડલિની શકિત તિરૂપતાને ધારણ કરે છે. વિશેષ માટે જુઓઃ “યોગશાસ્ત્ર – અષ્ટમ પ્રકાશનું સવિસ્તર વિવરણ, [ વિભાગ–૧ ].” + વદ ૪ છે- (૧) અન્વેદ, (૨) યજુર્વેદ, (૩) સામવેદ અને (૪) અથર્વવેદ. Page #76 -------------------------------------------------------------------------- ________________ સ્વરોદય જ્ઞાન નાભિની પાસે કુંડલિની નાડી છે. તેની પાછળ વંકનાલ છે. દશમ દ્વારે જવાને માર્ગ તે જ છે. તેનાથી ઊલટા રસ્તે કેઈ જાય તો ત્યાં પહોંચી ન શકે. (૭૪) મુદ્રા, બંધ, આસન વગેરે – રોગ મટાડવા માટે मुद्रा पंच बंध त्रिय जाणो, आसण चोरासी पहिचाणो ।+ ताने आसण *युगपरधान, मूलासग पद्मासण जाण ॥ ७५ ।। પાંચ મુદ્રાઓ તથા ત્રણ બંધને જાણો અને ચોરાસી આસનનું જ્ઞાન મેળવે. તે આસનમાં બે પ્રધાન આસન છે : (એક) મૂલાસન ( સિદ્ધાસન) અને (બીજુ) પદ્માસન. (૭૫) अस्तविस्त वायु संचरे, कारण विशेषे षट कर्म करे । नेती धोती नवली कही, भेद चतुर्थ त्राटक फुनि लही ॥ ७६ ॥ वस्ती पंचम भेद पिछानो, रस कपाल भाती मन आनो। किंचित आरंभ लख इण मांहि, जैनधरममें करीये नांहि ॥७७॥ જ્યારે વાયુ અસ્ત-વ્યસ્ત સંચાર કરતો હોય (અર્થાત્ જે સમયે જે સ્વર ચાલ જોઈએ તે ન ચાલતું હોય) ત્યારે કારણ વિશેષે (તે દોષ દૂર કરવા માટે) ષટકર્મ કરે. + પાંચ મુદ્રાઓ – (૧) બેચરી, (૨) ભૂચરી, (૩) ચાંચરી, (૪) અગોચરી અને (૫) ઉન્મની. ત્રણબંધઃ- (૧) મૂલબંધ, (૨) ઉડ્ડયાન બંધ અને (૩) જાલંધરબંધ. ચોરાસી આસન- સિદ્ધાસન, પદ્માસન, ભદ્રાસન, સ્વસ્તિકાસન, વાસન, ચક્રાસન વગેરે યોગનાં ચોરાસી આસને છે. જિજ્ઞાસુ સાધકે મુકા, બંધ, આસન આદિનું વિવેચન ઈતર યોગગ્રં થે દ્વારા જાણવું માર્ગદર્શન માટે જુઓ : “હયોગ પ્રદીપિકા'. * યુગ = યુગલ કે યુગ્મ અર્થાત બે. રસ ૬ છે – (૧) ખાર, (૨) ખાટ, (૩) ગજે, (૪) તીખો, (૫) કડવો અને (૬) તૂર. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સ્વરોદય જ્ઞાન (૧) નેતી, (૨) ધોતી, (૩) નોલી (૪) ત્રાટક, (૫) બસ્તિ અને (૬) કપાલ ભાતી. આ ક્રિયાઓમાં કંઈક આરંભ-સમારંભ થતે જાણુને જૈન ધર્મમાં પકર્મ કરવામાં આવતાં નથી. (૭૬-૭૭) त्राटक नवली ये दोय भेद, करत मिटे सहुँ तनका खेद । रोग नवि होवे तन मांहि, आलस ऊंघ अधिक होये नांहि ॥ ७८ ॥ (છતાં) ત્રાટક અને નૌલી' –આ બે પ્રકારે કરવામાં આવે તે સમગ્ર શરીરને ખેદ નાશ પામે છે, શરીરમાં રેગ થતો નથી, આળસ અને ઊંઘ અધિક થતાં નથી. (૭૮) યેગની આઠદૃષ્ટિ અને ધ્યાન – વ્યવહાર તથા નિશ્ચય दृष्टि अष्ट योगनी कही, ध्यान करत ते अंतर लही। कीजे ए सालंबन ध्यान, निरालंबता प्रगटत ज्ञान ॥ ७९ ।। (જૈન-દર્શનમાં) ગની આઠ દૃષ્ટિઓ કહી છે; દયાન કરતાં તે અંતરમાં ઉતારીને (અર્થાત્ અંતરમાં સ્થાપીને) “સાલંબન-ધ્યાન કરીએ તે “નિરાલબનધ્યાન માટેનું જ્ઞાન પ્રકટ થાય છે (એટલે કે નિરાલંબનધ્યાન માટેની યોગ્યતા વિકસે છે). (૭૯) मित्रा तारा दूजी जाण, बला चतुर्थी दीप्ता मन आण । थिरा दृष्टि कांता फुनि लहीये, प्रभा परा अष्टम दृग कहीये ॥८०॥* પ્રથમ મિત્રા, બીજી “તારા', ત્રીજી ‘બલા, ચેથી દીપ્તા, પાંચમી ‘સ્થિરા', છઠ્ઠી કાન્તા', સાતમી પ્રભા અને આઠમી ‘પરી’ –(એમ યોગની આડ) દષ્ટિએ કહી છે. (૮૦) છે તેના v | ૨ ટીu v | ને સરખા – નિત્રા તાર વાઢી હા, થિરા વત્તા પ્રમા vsr | નામાનિ યોrછીનાં, રુક્ષ જ નિવધત / શરૂ છે. [વો દષ્ટિસમુચયઃ”] Page #78 -------------------------------------------------------------------------- ________________ સ્વરાય જ્ઞાન सघन अघन दिन रयणी कही, ताका अनुभव यामें लही । निरउपाधि एकांते स्थान, तिहां होय ए आतमध्यान ॥ ८१ ॥ મેઘવાળા અને મેઘ વિનાના દિવસ તથા મેઘવાળી અને મેઘ વિનાની રાત આદિનો અનુભવ આ(યોગ-દૃષ્ટિઓના ભેદ સમજવા)માં મેળવે અને ઉપાધિ વિનાનું એકાન્ત સ્થાન હોય ત્યાં આ ‘આત્મ-ધ્યાન’ કરવું. (૮૧) अल्प आहार निद्रा वश करे, हित सनेह जगथी परिहरे । लोकलाज नवि करे लिगार, एक प्रीत प्रभुथी चित्त धार ॥ ८२ ॥ (આવું ‘આત્મ-ધ્યાન’ કરનારા યોગી) આહાર અલ્પ કરે, નિદ્રાને કાબૂમાં રાખે, જગતના લાકેથી પોતાનું હિત સધાશે– એમ માની કરવામાં આવતા સ્નેહને ત્યાગ કરે, લગાર પણ લોક-લાજ ન રાખે, માત્ર એક પ્રભુથી જ પ્રેમને ચિત્તમાં ધારણ કરે, (૮૨) आशा एक मोक्षकी होय, बीजी दुविधा नवि चित्त कोय | ' ध्यान जोग्य जाणो ते जीव, जे भवदुःखथी डरते सदीव ॥ ८३ ॥ (જેને) આશા એક મોક્ષની જ હાય, બીજી કોઈ જ દ્વિધા મનમાં ન હોય; એવા આત્માને જ ધ્યાન માટે ચૈાગ્ય જાણા કે જે સંસારનાં દુઃખાથી સદૈવ ડરતા હાય, (૮૩) परनिंदा मुखी नवि करे, स्वनिंदा सुणी शमता धरे । करे सहु विकथा परिहार, रोके कर्म आगमन धारें * ॥ ८४ ॥ ? સકત V I ૨ દ્વાર V | + સરખાવાઃ- સમેત્રાડમેધરાવ્યા, સપ્રાદ્યર્માવિવત્ । ર૧ . બોધદષ્ટિહિ જ્ઞેયા, મિથ્યાદર્શીતરાશ્રયા ॥ ૨૨ ॥ ['યોગદષ્ટિતમુચ્ચય:'] ‘વિકથા’= શાસ્ત્રવિરુદ્ધ નિરુપયેાગી વાતે; તેના ચાર પ્રકાર છે : ૧. રાજકથા, ર. દેશકથા, ૩. સ્ત્રીકથા, અને ૪. ભકત( = ભેાજન) કથા. * કર્મ આગમન ધાર (દ્વાર) ' અર્થાત્ આશ્રવ-હેતુઓ, તે પાંચ છેઃ ૧. મિથ્યાત્વ, ૨. અવિરતિ, ૩. પ્રમાદ, ૪. કષાય અને ૫. યાગ. Page #79 -------------------------------------------------------------------------- ________________ સ્વદય જ્ઞાન - ( સાધક આત્મા) પિતાના મુખે કોઈની નિદાન કરે, પિતાની નિંદા સાંભળી મનમાં સમભાવને ધારણ કરે, સઘળી વિકથાને ત્યાગ કરે અને કર્મના આગમન-દ્વારેને રેકે. (૮૪) हरख शोक हरिदे नवि आने, शत्रुमित्र बराबर जाने । परआशा तजी रहे निराश, तेहथी होय ध्यान अभ्यास ।। ८५ ।। હૃદયમાં હર્ષ કે શેકને સ્થાન ન આપે, શત્રુ અને મિત્રને સમાન જાણે તથા પારકી આશાઓને ત્યાગ કરી નિરાશ (અર્થાત નિરપેક્ષ) બનીને રહે, તેવા આમાથી જ આ ધ્યાનને અભ્યાસ થાય. (૮૫) ध्यान अभ्यासी जो नर होय, ताकू दुःख उपजे नवि कोय । इन्द्रादिक पूजे तसं पाय, ऋद्धि सिद्धि प्रगटे घट आय ॥ ८६ ।। જે મનુષ્ય સ્થાનને અભ્યાસ કરનાર હોય તેને કોઈ દુઃખ ઉત્પન્ન ન થાય. ઈન્દ્ર આદિ દેવતાઓ પણ તેના પગ પૂજે અને ઋદ્ધિ-સિદ્ધિ તેના અંતરમાં આવીને- (સ્વયમેવ) પ્રગટ થાય. (૮૬) पुष्पमाल सम विषधर तास, मृगपति मृग सम होवे जास । पावक होय पाणी ततकाल, सुरभिसुत सदृशे जस व्याल ।। ८७ ।। વિષધર (અર્થાત્ સર્પ) તેને પુષ્પની માળા જે થાય છે, સિંહ તેની આગળ હરણ જેવું બને છે. અગ્નિ તત્કાલ જળ જે (શીતળ) બને છે અને ચિત્તા તથા વાઘ જેવાં જંગલી જનાવર પણ ગાયનાં વાછરડાં જેવાં બને છે. (૮૭) सायर गोपदनी परे होय, अटवी विकट नगर तस जोय । रिपु लहे मित्राइ भाव, शस्त्र तणो नवि लागे घाव ॥ ८८ ॥ તે સાધકોને સાગર ગાયના પગલાં જે નાને થાય છે, ભયંકર અટવી નગર જેવી બને છે, શત્રુ મિત્રતાને પામે છે અને શસ્ત્રના ઘા તેને લાગતા નથી. (૮૮). ? સ v. ૨ સમુદ્રશ્ય v! Page #80 -------------------------------------------------------------------------- ________________ સ્વદય જ્ઞાન कमलपत्र करवाल* वखानो, हालाहल अमृत करी जानो। दुष्ट जीव आवे नहीं' पास, जो आवे तो लहे सुवास ॥ ८९ ।। તલવાર કમળના પત્ર જેવી (કેમલ) બને છે, હલાહલ (અર્થાત્ વિષ) અમૃતતુલ્ય થાય છે, દુષ્ટ જીવો તેની પાસે આવતા નથી અને જે આવે તે પણ સુવાસ પ્રાપ્ત કરે છે (અર્થાત્ પ્રભાવિત થઈને મિત્ર બની જાય છે). (૮૯) जो विवहार ध्यान इम ध्यावे, इन्द्रादिक पदवी ते पावे । निहचे ध्यान लहे जब कोय, ताकुं अवश्य सिद्धपद होय ॥९० ॥ જે આત્મા આ પ્રકારે વ્યવહાર-ધ્યાનને દયાવે છે તે ઈન્દ્ર વગેરેની પદવીને પામે છે અને જ્યારે કેઈ નિશ્ચય-ધ્યાનને પામે છે ત્યારે તેને અવશ્ય સિદ્ધિપદ (મેક્ષ) પ્રાપ્ત થાય છે. (૦) सुख अनंत विलसे तिहुं काल, तोडी अष्ट कर्मकी+ जाल। एसा ध्यान धरो नितमेव, चिदानंद लही गुरुगम भेवे ॥९१ ।। જેનાથી આઠેય કર્મની જાળને તેડીને આત્મા ત્રણે કાળ અનંતા સુખમાં વિલસે છે – એવા ધ્યાનને ભેદ ગુરુગમથી જાણીને તેનું હમેશ ધ્યાન ધરે – એમ ચિદાનંદ કહે છે. (૧) પિંડસ્થાદિ ધ્યાન, નાદ ध्यान चार भगवंत बताये, ते मेरे मन अधिके भाये । रूपस्थ पदस्थ पिंडस्थ कहीजे, रूपातीत साध शिव लीजे ॥१२॥ ભગવતે ચાર પ્રકારનાં ધ્યાન બતાવ્યાં છે -(૧) રૂપસ્થ, (૨) પદસ્થ, (૩) પિંડસ્થ અને (૪) રૂપાતીત. આ ચારેય પ્રકારનાં ધ્યાન સાધવાથી મેક્ષ ૬ નવિ માવે છે. ૨ મે v ! * “કરવાલ” અર્થાત્ તલવાર. + અષ્ટકમ - ૧. જ્ઞાનાવરણીય, ૨. દર્શનાવરણીય, ૩. વેદનીય, ૪. મેહનીય, ૫. આયુ, ૬. નામ. ૭. ગોત્ર અને ૮ અંતરાય. Page #81 -------------------------------------------------------------------------- ________________ સ્વરદય જ્ઞાન પ્રાપ્ત થાય છે, તેથી તે ચારેય પ્રકારનાં ધ્યાન મારા(અર્થાત્ ચિદાનંદના મનને અત્યંત રુચે છે. (૯૨) रहत विकार स्वरूप निहारी, ताकी संगत मनसा धारी । निजगुण अंस लहे जब कोय, प्रथम भेद तिण अवसर होय ॥९३॥ (જે કઈ શ્રીઅરિહંતાદિનું) વિકાર રહિત સ્વરૂપ જોઈ મનથી તે સ્વરૂપ સાથે અનુસંધાન જોડી (અર્થાત્ તેમાં લીન થઈને), તે સ્વરૂપને અંશથી પણ પોતાના જ ગુણ તરીકે ગ્રહણ કરે છે તે સમયે (તે સાધક દયાનનો) પ્રથમ-ભેદ અર્થાત્ “રૂપસ્થિ-ધ્યાન' પ્રાપ્ત કરે છે. (૯૩) तीर्थंकर पदवी परधान, गुण अनंतको जाणी थान । गुण विचार+ निजगुण जे लहे, ध्यान पदस्थ सुगुरु इम कहे ॥९४| ‘તીર્થકર પદ' એ શ્રેષ્ઠ પદ છે, અનંતા ગુણોનું તે સ્થાન છે. તેના ગુણોને વિચારી સાધક પોતે પોતાના આત્મામાં તે ગુણેને ગ્રહણ કરે તે પદસ્થાન છે – એમ સદ્ગુરુ દર્શાવે છે. (૯૪) भेदज्ञान अंतरगत धारे, स्वपरपरिणति भिन्न विचारे । सकति विचारी शांतता पावे, ते पिंडस्थ ध्यान कहीवावे ॥९५।। - “ભેદ-જ્ઞાનને અંતરમાં ધારણ કરે, સ્વ(આત્મા) અને પરદેહાદિની પરિણતિ ભિન્ન-ભિન્ન છે–એમ વિચારી, પોતાની શક્તિ અનુસાર શાંતપણને (અર્થાત્ સમતાને) પામે તે પિંડ-ધ્યાન' કહેવાય છે. (૫) रूप रेख जामें नवि कोइ, अष्टगुणां* करी शिवपद सोइ । ताकू ध्यावत तिहां समावे, रूपातीत ध्यान सो पावे ॥९६ ॥° + ખરી રીતે વિચાર તે જ ‘તાત્ત્વિક–પદ' છે. * સિદ્ધ-ગુણાષ્ટક – ૧. અનંત જ્ઞાન, ૨. અનંત દર્શન, ૩. અનંત ચારિત્ર, ૪. અનંત સુખ, ૫. અક્ષય–સ્થિતિ, ૬. અપી, ૭. અગર–લઘુ અને ૮. અવ્યાબાધસ્થિતિ. ધ્યાનના રૂપસ્થ, પદસ્થ, પિંડસ્થ, રૂપાતીત –એ ચાર ભેદ પર વિશેષ પ્રકાશ પાડતી આ વ્યાખ્યાઓ મૌલિક જણાય છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ સ્વદય જ્ઞાન જેમાં કેઈ પણ રૂપ કે આકાર નથી, જે આઠ ગુણોથી યુક્ત છે, જે શિવપદ પ્રાપ્ત કરી ચૂકયા છે – એવા સિદ્ધોના આઠ ગુણોનું ધ્યાન કરતાં (સાધક) સ્વયં તેમાં જ તલ્લીન થઈ જાય તો તે રૂપાતીત ધ્યાનને પામે प्राणायाम ध्यान जे कहीये, ते पिंडस्थ भेदभवि लहीये । मन अरु पवन समागम जानो, पवन साध मन निज घर आनो ॥ ९७ ॥ જે “પ્રાણાયામ-ધ્યાન કહેવાય છે તે પિંડસ્થ-ધ્યાનને ભેદ છે – તેમ હે ભમનમાં આણો. તેમાં “મન અને પવનને સમાગમ છે – એમ જાણે અને પવનને સાધીને (અર્થાત્ વશ કરીને) મનને પોતાના ઘરમાં લાવે (એટલે કે પોતાના આત્મામાં જ લીન કરો). (૭) अहनिसि अधिका प्रेम लगावे, जोगानल घट मांहि जगावे । अल्प आहार आसन दृढ करे, नयण थकी निद्रा परिहरे ॥९८ ॥ દિન-રાત નિરંતર અત્યંત પ્રેમપૂર્વક યોગાનલને (અર્થાત ગરૂપી અગ્નિને) અંતરમાં પ્રગટાવે, આહાર અ૫ કરે, આસનને દઢ કરે અને નેત્રથી નિદ્રાને પરિહાર કરે. (૮) काया जीव भिन्न करी जाणे, कनक उपलनी पर पहिछाणे । भेददृष्टि राखे घट मांहि, मन शंका आणे कछु नाहि ।। ९९ ॥ સુવર્ણ અને પથ્થરની જેમ કાયા(દેહ) અને જીવ(આત્મા) ભિન્નભિન્ન છે – એમ અનુભવે; અંતરમાં આવી “ભેદ-ષ્ટિ” જીવંત રાખે અને મનમાં કઈ પણ પ્રકારની શંકા ન રાખે. (૯) कारज रूप कथे मुखवाणी, अधिक नाहि बोले हित जाणी। स्वपन रूप जाणे संसार, तन धन जोबन लखे असार । १०० ॥ કામ પૂરતું જ મુખથી બોલે અને તેમાં જ પિતાનું હિત જાણી અધિક ન બોલે. સંસારને સ્વપ્નરૂપ જાણે તથા શરીર, ધન અને વનને અસાર માને. (૧૦૦) Page #83 -------------------------------------------------------------------------- ________________ સ્વરદય જ્ઞાન श्रीजिनवाणी हिये दृढ राखे, शुद्धध्यान अनुभवरस चाखे । विरला ते जोगी जग मांहि, ताकू रोग सोग भय नांहि ॥१०१॥ શ્રીજિનવાણુને હૈયામાં દઢ રાખે અને “શુદ્ધધ્યાનના અનુભવરૂપી રસને ચાખે, આવા રોગી જગતમાં વિરલા છે. આવા આત્માઓને રેગ, શેક કે ભય રહેતો નથી. (૧૦૧) तजकांति तनमें अति वाधे, जे निश्चल चित ध्यान आराधे । अल्प आहार तन होप निरोग, दिनदिन वधे अधिक उपयोग ॥१०२॥ - જે પ્રાણું નિશ્ચલચિત્તથી દયાનને આરાધે, તેના શરીરમાં તેજ અને કાતિ અતિશય વધે આડાર અ૯૫ થઈ જાય, શરીર ની રેગી રહે તથા દિનપ્રતિદિન અધિક ઉપયોગ વર્ત. (૧૨) नासा अग्रभाग दृग धरी, अथवा दोउं संपुट करी । हिये कमल नवपद जे ध्यावे, ताकुं सहज ध्यानगति आवे ॥१०३॥ નાસિકાના અગ્રભાગ ઉપર દષ્ટિ સ્થાપના કરી અથવા બંને નેત્રે બંધ કરી – સંપુટ કરી એટલે કે “શાંભવી મુદ્રા કરી હૃદય-કમલમાં જે નવપદનું ધ્યાન કરે તેની સ્વાભાવિક રીતે જ ધ્યાનમાં ગતિ થાય છે (અર્થાતુ ધ્યાનસિદ્ધિ સહેલાઈથી – સહજ રીતે થાય છે). (૧૩) मायाबीज प्रणव धरी आद, वरण बीज गुण जाणे नाद । चढता वरण करे थिर स्वास, लख धुर नाद तणो परकास ॥१०४॥ માયાબીજ(૬) તથા પ્રણવને આદિમાં સ્થાપીને, વર્ણ, બીજ, ગુણ અને નાદનું જ્ઞાન કરે તથા ચઢતા વર્ણમાં (અર્થાત્ વર્ણના ઉચ્ચારણ વખતે) શ્વાસને સ્થિર કરે તે નાદના પ્રકાશને જાણે છે – (અર્થાત્ નાદાનુસંધાન કરી શકે છે). (૧૦૪) - ૪ “નવપદ – નવપદના ધ્યાન માટે જુઓ : “યોગશાસ્ત્ર પ્રકાશ : ૮, શ્લેક: ૩૩-૩૪ તથા “જ્ઞાનાર્ણવ”; પ્રકરણ : ૩૮, લેક : ૩૯-૪૦. * “શાંભવી-મુદ્રા'—જુઓ : “હગ પ્રદીપિકા'; ઉપદેશઃ ૪, કઃ ૩૫ થી ૩૮. Page #84 -------------------------------------------------------------------------- ________________ સ્વરદય જ્ઞાન ૭. પ્રાણાયામની દશભૂમિ, પાંચતત્ત્વ प्राणायाम ध्यान विस्तार, कहेतां सुरगुरु न लहे पार । तातें नाम मात्र ए कह्यां, गुरु मुख जाण अधिक जे रह्यां ॥१०५।। પ્રાણાયામ-ધ્યાનને વિસ્તાર એટલો છે કે તે કહેતાં બૃહસ્પતિ પણ પાર ન પામે. મેં તે તેમાંથી નામ માત્ર જ અહીં કહ્યો છે, બાકી જે અધિક વિસ્તાર છે તે ગુરુમુખથી જાણજે. (૧૫) प्राणायाम भूमि दश जाणो, प्रथम स्वरोदय तिहां पिछाणो। स्वर परकाश प्रथम जे जाणे, पंच तत्त्व फुनि तिहां पिछाणे ॥१०६॥ પ્રાણાયામની દશ ભૂમિકા છે. તેમાંની પ્રથમ ભૂમિકા સ્વરદય છે. સર્વપ્રથમ સ્વરના પ્રકાશને (અર્થાતુ પ્રાણના ઉદયને, જાણે, પછી તે(સ્વર)માં પાંચ તને ઓળખે. (૧૬) कहूं अधिक अब तास विचार, सुणो अधिक चित्त थिरता धार । म्वरमें तत्त्व लखे जब कोइ, ताकू सिद्ध स्वरोदय होइ ।। १०७ ।। હવે તેને અધિક વિચાર કહું છું તે તમે ચિત્તમાં અધિક સ્થિરતા રાખીને સાંભળે. જ્યારે કોઈ પણ સાધક) સ્વરમાં તને (બરાબર) ઓળખે છે ત્યારે જ તેને ‘સ્વરોદય સિદ્ધ થાય છે-(અન્યથા નહીં). (૧૦૭) પાંચતત્ત્વની ઓળખ વર્ણ, માન, આકાર, કાલ અને ફળ દ્વારા [ ગઢિ ઇંદ્ર ] . दोय स्वरोमें पांच तत्त्व पहिचाणीये, वर्ण मान आकार काल फल जाणीये । इणविध तत्त्व लखाव साधता जे लहे, સાચી વસવાવીસ વાત નર તે વાદે ૨૦૮ . * વિભિન્ન ગ્રંથોમાં તવોનાં વર્ણ, માન, આકાર આદિમાં મતાન્તર જોવા મળે છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ સ્વરદય જ્ઞાન (સૂર્ય અને ચંદ્ર) બંને સ્વરોમાં એ પાંચ તત્ત(પૃથ્વી, અમ્, તેજ, વાયુ અને આકાશ)ને જાણીને તેમનાં (૧) વર્ણ, (૨) માન, (૩) આકાર, (૪) કાલ અને (૫) ફળ જાણવાં જોઈએ. આ પ્રકારે તનાં લક્ષણને જે જાણે તે મનુષ્ય વીસેવા (અર્થાત્ પૂરેપૂરી) સાચી વાત કહે. (૧૦૮) पृथ्वी जल पावक अनिल, पंचम तत नभ जान । पृथ्वी जल स्वामि शशि, अपर तीनको भान ।। १०९ ।। પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને પાંચમું તત્ત્વ આકાશ જાણે. પૃથ્વી અને જલ(ત)ને સ્વામી ચંદ્ર છે; બાકીના ત્રણ(તો)ને સ્વામી સૂર્ય છે. (૧૯) पीत श्वेत रातो वरण, हरित श्याम पुन जान । पंचवर्ण ये पांचके, अनुक्रमथी पहिछाण ॥ ११० ॥ પીળે, ત, લાલ, લીલ અને શ્યામ – એ કમશઃ પાંચ(ત)ના પાંચ વર્ણો છે – એમ જાણ. (૧૧૦) पृथिवी सनमुख संचरे, करपल्लव* षट् दोय । समचतुरंस आकार तस, स्वर संगममें+ होय ॥ १११ ॥ પૃથ્વી તત્ત્વ સમ્મુખ ચાલે છે, તેનું માન બાર આંગળનું છે, તેને આકાર સમચોરસ છે અને તે સ્વરેના સંગમ વખતે હોય છે. (૧૧૧) अधोभाग जल चलत है, षोडश आंगुल मान । वर्तुल है आकार तस, चंद्र सरीखो जाण ॥ ११२ ॥ જલ તત્ત્વ નીચે તરફ ચાલે છે, તેનું માન સેળ આંગળનું છે, તેને આકાર ચંદ્ર સમાન (વર્તુળ) છે – એમ જાણે. (૧૧૨) હું તરવે v * કર પલ્લવી = આંગળ. “પ દેય= ૬ ૪૨= ૧૨. + 'સ્વરસંગમ' –એક સ્વરને અસ્ત અને બીજા સ્વરનો ઉદય થતો હોય તે કાળ. Page #86 -------------------------------------------------------------------------- ________________ સ્વદય જ્ઞાન चारांगुल पावक चले, ऊर्ध्व दिशा स्वर माह । त्रिकोणा आकार तस, बाल रवि सम आह* ॥ ११३ ।। સ્વરમાં અગ્નિ તત્ત્વ ઊર્વ દિશામાં ચાલે છે, તેનું માન ચાર આંગળનું છે, તેને આકાર ત્રિકેણુ છે અને તેની આભા બાલ સૂર્યસમાન (અર્થાત્ રક્તવર્ણની) છે. (૧૧૩) वायु तिच्छी चलत है, अष्टांगुल नितमेव । ध्वजा रूप आकार तस, जाणो इणविध भेव ॥ ११४ ॥ વાયુ તત્વ તીર છું ચાલે છે, તેનું માન હમેશાં આઠ આંગળનું છે, તેને આકાર ધ્વજ જે છે – આ રીતે તેના ભેદને જાણો. (૧૧૪) नासासंपुटमें चले, बाहिर नवि परकास । सुन्न अहे आकार तस, स्वर युग चलत आकाश ॥ ११५ ॥ આકાશ તત્વ નાસિકનાં બંને નસકેરામાં ચાલે છે, તે બહાર દેખાતું નથી, તે આકાર-શૂન્ય છે અર્થાત તેને કેઈ નિશ્ચિત આકાર નથી, તે (સૂર્ય -ચંદ્ર) બંને સ્વરમાં ચાલે છે. (૧૧૫) प्रथम पच्चास पल+ दूसरो, चालीश त्रीजो त्रीश । वीशरु दश पल चलत है, तत स्वरमें निशदीश ॥ ११६ ॥ પ્રથમ(પૃથ્વી તત્વોનું કાળમાન પચાસ પળ, બીજા(જલ તત્ત્વ)નું ચાલીસ પળ, ત્રીજા(અગ્નિ તત્વ)નું ત્રીસ(પળ), ચેથા(વાયુ તત્વ)નું વીસ(પળ) અને પાંચમા(આકાશ તત્ત્વ)નું દશ પળ છે – આ રીતે ત સ્વરમાં રાત-દિવસ ચાલે છે. (૧૧૬) घडी अढाइ पांच तत, एक एक स्वर मांहि । अहनिशि इणविध चलत है, यामें संशय नांहि ॥ ११७ ॥ એક-એક સ્વરમાં અઢી અઢી ઘડી પર્યન્ત ચાલતાં આ પાંચ તત્વે આ પ્રકારે દિવસ-રાત ચાલ્યા કરે છે – આમાં સંશય નથી. (૧૧૭) ગુI Vા ૨ વીર મv * “આહ = આભા. ૦ “ભવ = ભેદ. + ૧ પલ = ૨૪ સેકંડ. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩s સ્વદય જ્ઞાન पंच तत्व स्वरमें लखे, भिन्न भिन्न जब कोय । कालसमयका ज्ञान तस, वरस दिवसका होय ।। ११८ ॥ જ્યારે કોઈ સ્વરની અંદર આ પાંચ તને ભિન્ન-ભિન્ન ઓળખી શકે ત્યારે (મંડળમાં પ્રવેશ અને નિસરણ) કાળ સમજાતાં તેને વર્ષફળનું અને સમયના વરતારાનું જ્ઞાન થાય છે. (૧૧૮) વર્ષ દિવસના કાલ અને સમયનું જ્ઞાન प्रथम मेष संक्रांतिको, व्है प्रवेश जब आय । तबही तत्त्व विचारीये, स्वासा थिर ठहराय ॥ ११९ ॥ પ્રથમ જ્યારે મેષ-સંક્રાન્તિ(વૈશાખ માસ – સૂર્ય માસ) શરૂ થાય ત્યારે શ્વાસને સ્થિર કરીને તત્વને વિચારીએ. (૧૧૯) डाबा स्वरमें होय ज्यो, मही तणौ परकास । उत्तम जोग वखाणीये, नीको फल है तास ॥ १२० ॥ તે વખતે ચંદ્રશ્વરમાં જે પૃથ્વી તત્વ ચાલતું હોય તે તે ઉત્તમ રોગ છે-એમ જાણીએ અને તેનું ફળ આ પ્રમાણે છેઃ (૧૦૦) परजाकुं सुख व्है घणो, समो होय श्रीकार । धान होय महीयल घणो, चोपदकुं' अति चार ॥ १२१ ॥ પ્રજાને ઘણું સુખ થાય, સમય ધન-પ્રાપ્તિ માટે અનુકૂળ થાય, પૃથ્વીમાં ધાન્ય ઘણું નીપજે અને પશુઓ માટે ઘાસ વગેરે પણ પુષ્કળ પેદા થાય. (૧૨૧) ईत भीत उपजे नहीं, जनवृद्धि पण थाय । इत्यादिक बहु श्रेष्ठ फल, सुख पामे अति राय ॥ १२२ ।। ઈતિ, ભીતિ વગેરે હોય નહીં, મનુષ્યની વૃદ્ધિ થાય ઈત્યાદિ ઘણું શ્રેષ્ઠ ફળ મળે અને રાજા પણ અત્યંત સુખ પામે. (૧૨) Page #88 -------------------------------------------------------------------------- ________________ સ્વદય જ્ઞાન चलत तत्त्व जल तिण समे, शशि स्वरमें जो आय । ताको फल अब कहत हूं, मुणजो चित्त लगाय ॥ १२३ ॥ તે વખતે (અર્થાત્ મેષ-સંક્રાન્તિના પ્રારંભમાં) જે ચંદ્રસ્વરમાં જલ તત્ત્વ ચાલતું હોય તે તેનું ફળ હવે કહું છું; જે તમે ધ્યાન દઈને सामने. (१२3) मेघवृष्टि होवे घणी, उपजे अन्न अपार । सुखी होय परजा सहु, चिदानंद चित्त धार ॥ १२४ ।। મેઘવૃષ્ટિ સારી થાય, અપાર અન્ન નીપજે, પ્રજા સઘળી સુખી थाय - सभ बिहान ४ छ, ते वित्तमा धार. (१२४) धर्मबुद्धि सहुकू रहे, पुण्य दानथी प्रीत । आनंद मंगल उपजे, नृप चाले शुभ नीत ॥ १२५ ॥ સહુને ધર્મબુદ્ધિ રહે, પુણ્ય અને દાન તરફ પ્રીતિ રહ્યા કરે, આનંદમંગલ ઉત્પન્ન થાય અને રાજા પણ શુભ-નીતિથી ચાલે. ( ૧૫) शशि स्वरमें ये जाणीये, तत्त्वयुगल. सुखकार । तत्त्व तीन आगल रहे, तिनको कहूं विचार ॥ १२६ ॥ ચંદ્રસ્વરમાં (પૃથ્વી અને જલ) આ બે તત્તે ચાલતાં હોય તે તે સુખ કરનાર છે. હવે બાકીનાં જે ત્રણ (અગ્નિ, વાયુ અને આકાશ) તા રહ્યાં તેને વિચાર કહું છું. (૧૬) लगे' मेष संक्रांत तब, प्रथम घडी स्वर जोय । जैसो स्वरमें तत्त्व व्है, तैसोही फल होय ॥ १२७ ॥ જ્યારે મેષ-સંક્રાન્તિને પ્રારંભ થાય ત્યારે પ્રથમ ઘડીમાં સ્વર જે. તે સ્વરમાં જેવું તત્ત્વ ચાલતું હોય તેવું જ ફળ મળે. (૧૭) जो स्वरमें पावक चले, अल्प वृष्टि तो होय । रोग दोख होवे सही, काल कहे सहु कोय ॥ १२८ ॥ १ लखे ।। Page #89 -------------------------------------------------------------------------- ________________ સ્વદય જ્ઞાન જો બેમાંથી કોઈ પણ) સ્વરમાં અગ્નિ તત્વ ચાલતું હોય તે અલ્પવૃષ્ટિ થાય, રોગ અને દુઃખ થાય – બધા લોકો કહે કે કાળ(દુકાળ) આવ્યા છે. (૧૨૮) देशभंग परजा दुःखी, अग्नि तत्व परकाश । दोउं स्वरमें होय तो, अशुभ अहे फल तास ॥ १२९ ॥ બંને સ્વરમાં અગ્નિ તત્વ ચાલતું હોય તે તેનું અશુભ ફળ મળે. દેશભંગ થાય અને પ્રજા દુઃખી થાય. (૧૨૯) वायु तत्त्व स्वरमें चलत, नृप विग्रह कछु थाय । अल्प मेघ वरसे मही, मध्यम वर्ष कहाय ॥ १३० ॥ अर्धांसा अन्न नीपजे, खड थोडासा होय । अनिल तत्त्वका इणी परे, मन मांहि फल जोय ॥ १३१ ॥ - જે વાયુ તત્વ (બંને સ્વરમાંથી કઈ પણ) સ્વરમાં ચાલતું હોય તે રાજાઓ વચ્ચે વિગ્રહ થાય, પૃથ્વી પર મેઘ એ છો વરસે અને વર્ષ મધ્યમ ગણાય. અન્ન અધું નીપજે, ઘાસ ડું ઊગે – વાયુ તત્ત્વનું ફળ આ રીતે મનમાં સમજવું. (૧૩૦-૧૩૧) स्वर मांहि जो प्रथमही, वहे तत्त्व आकाश । तो ते काल पिछाणीये, होय न पूरा घास ॥ १३२ ।। બેમાંથી કેઈપણ) સ્વરમાં જે આકાશ તત્ત્વ પ્રારંભમાં જ ચાલતું હોય તે તે વર્ષે દુષ્કાળ જાણો કે જેમાં પૂરું ઘાસ પણ ન થાય. (૧૩૨) इणविधथी ए जाणीये, तत्त्व स्वरनके मांहि । फल मनमें पण धारीये, यामें संशय नांहि ॥ १३३ ॥ આ રીતે સ્વરમાં એ ત જાણવાં અને તે મુજબ ફળ પણ મનમાં ધારવું – આ વાતમાં સંશય નથી. (૧૩૩) વર્ષફળ જવાની ત્રણ રીત मधु मास सित प्रतिपदा, कर तस लगन विचार । चलत तत्त्व स्वर तिण समे, ताको वर्ण निहार ॥ १३४ ॥ Page #90 -------------------------------------------------------------------------- ________________ સ્વદય જ્ઞાન ૩૩ ચૈત્ર માસના શુકલ-પક્ષની પ્રતિપદાએ (અર્થાત એકમે) તે વખતના લગ્નને વિચાર કરી, તે સમયે સ્વરમાં કયું તત્ત્વ ચાલે છે, તેને વર્ણ જે. (૧૩) प्रातसमे ससि स्वर विषे, मही तत्व जो होय । तातें सर्व' विचारीये, सुखदायक अति होय ॥ १३५ ॥ (તે સમયે) પ્રાતઃકાળમાં જે ચંદ્ર સ્વરમાં પૃથ્વી તત્ત્વ ચાલતું હોય તે તેનાથી સર્વ અતિ સુખદાયક થાય – એમ માનવું. (૧૩૫) घनवृष्टि होवे घणी, समो होय श्रीकार । राजा परजाके हिये, हर्ष संतोष विचार ॥ १३६ ॥ - મેઘવૃષ્ટિ ઘણું થાય, સમય મંગલકારી હોય તથા રાજા અને પ્રજાના હૈયામાં હર્ષ અને સંતેષ રહે-એમ વિચારવું. (૧૩૬) ईत भीत उपजे नहीं, महोटा भय नवि कोय । चिदानंद इम चंदमें, क्षिति तत्त्व फल जोय ॥ १३७ ।। ઈતિ કે ભીતિ ઉત્પન્ન ન થાય, કેઈ મોટો ભય ન આવી પડે; ચિદાનંદ કહે છે કે ચંદ્ર સ્વરમાં પૃથ્વી તત્ત્વનું – આ ફળ જાણો. (૧૩૭) चिदानंद जो चंदमें, प्रात उदक परवेश । तो ते समो मुभिक्ष अति, वर्षा देश विदेश ।। १३८ ।। ચિદાનંદ કહે છે કે જે ચંદ્રસ્વરમાં પ્રાતઃકાળમાં જલ તત્ત્વને પ્રવેશ થાય તે તે અતિ સુકાળનો સમય છે; દેશ-વિદેશમાં સર્વત્ર વર્ષા થશે. (૧૩૮) शांति पुष्टि होवे घणी, धर्म तणो अति राग। भविक हिये अति उपजे, दान अर्थ धन त्याग ॥ १३९॥ શાંતિ અને પુષ્ટિ ઘણી થાય, ધર્મને ઘણે રાગ (સર્વત્ર જોવા મળે) તથા દાન માટે ધનને ત્યાગ (કરવાની ભાવના) ભવ્ય જીના હૃદયમાં અતિશય ઉત્પન્ન થાય. (૧૩) ૬ વરસ vI Page #91 -------------------------------------------------------------------------- ________________ ३४ સ્વરદય જ્ઞાન जल धरणी दोउं वहे', दिवसपति घर आय । प्रातकाल तो ते वरस, मध्यम समो कहेवाय ॥ १४० ॥ જે પ્રાતઃકાલે સૂર્યના ઘરમાં (અર્થાત્ સૂર્યસ્વરમાં) આવીને પૃથ્વી કે જલ તત્ત્વ ચાલતું હોય તે તે વર્ષ મધ્યમ કહેવાય. (૧૪૦) तीन तत्त्व अब शेष जे, स्वरमें तास विचार ।। मध्यम निष्ठ कह्यो तिको, पूर्वकथित चित्त धार ॥ १४१ ॥ હવે સ્વરમાં જે ત્રણ તત્વ (અગ્નિ, વાયુ અને આકાશ) બાકી રહ્યાં તેનો વિચાર મધ્યમ અને કનિષ્ઠ જે પહેલાં કહ્યો તે પ્રમાણે જ અહીં ५] nो . (१४१) राजभंग परजा दुःखी, जो नभ वहे स्वर मांहि । पडे काल बहु देशमें, यामें संशय नांहि ॥ १४२ ॥ જે (સૂર્ય)સ્વરમાં આકાશ તત્ત્વ ચાલે તે છત્રભંગ થાય, પ્રજા દુઃખી थाय, देशमा भोट हुआ ५ - मामा संशय नथी. (१४२) स्वर सूरजमें अग्निको, होय प्रात परवेश। रोग सोगथी जन बहु, पावे अधिक कलेश ॥ १४३ ॥ - સૂર્યસ્વરમાં અગ્નિ તત્ત્વને પ્રાતઃકાલે પ્રવેશ થાય તે રોગ અને શેકથી ઘણા માણસે અત્યંત કલેશને પામે. (૧૪૩) काल पडे महीयले विषे, राजा चित्त नवि चेन । सूरजमें पावक चलत, एम स्वरोदय वेन ।। १४४ ॥ પૃથ્વીમાં દુષ્કાળ પડે, રાજાને ચિત્તમાં ચેન ન હોય; સૂર્યસ્વરમાં અગ્નિ તત્વ ચાલવાનું આ ફળ છે – એમ સ્વદયશાસ્ત્રનું વેણ(વચન) छ. (१४४) नृप विग्रह कछु उपजे, अल्प वृष्टि पुन होय । सूरजमें अनिलको, चिदानंद फल जोय ॥१४५॥ १ चलेई v। २ महीयाल V। ३ स्वर सुरजमे VI Page #92 -------------------------------------------------------------------------- ________________ સ્વરોદય જ્ઞાન * જે સૂર્યસ્વરમાં વાયુ તવ ચાલે તે રાજાઓ વચ્ચે કયાંક લડાઈ થાય, વૃષ્ટિ અલ્પ થાય – આ ફળ જાણ, એમ ચિદાનંદ કહે છે. (૧૪) सुखमन स्वर जो ता दिवस, प्रातसमय जो होय । जोवणहार मरे सही, छत्रभंग पुन जोय ।। १४६ ।। ચૈત્ર સુદ પ્રતિપદાના દિવસે, પ્રાતઃકાલમાં જે સુષુણ્ણ સ્વર ચાલતે હોય તો જેનારે (તે વર્ષમાં) મરે અને છત્રભંગ પણ જે પડે. (૧૪૬) कहूक थोडो उपजे, कहूक तेहुं नांहि । सुखमन स्वरको इन परे, फल जाणो मन मांहि ॥ १४७ ॥ કયાંક થોડી ઉપજ થાય અને કયાંક ઉપજ ન પણ થાય - આ પ્રમાણે સુષુષ્ણસ્વરનું ફળ મનમાં જાણવું. (૧૪૭) दूविध रीत जोवण तणी, कही वरषनी एम । त्रीजी आगल जाणजो, धरी हियडे अति प्रेम ॥ १४८ ॥ આ રીતે વર્ષ(ફળ) જોવાની બે રીત કહી. ત્રીજી રીત હું આગળ કહીશ; તે હૈયે પ્રેમ ધરીને તમે જાણજે. (૧૪૮) माघ मास सित सप्तमी, फुनि वैशाखी त्रीज । प्रातसमयको जोइये, वरष दिवसको बीज ॥ १४९ ॥ - મહા સુદ સાતમ અને વૈશાખ સુદ ત્રીજના દિવસે પ્રાતઃકાલે સમગ્ર વર્ષનું બીજ(ફળ) જોઈએ. (૧૪૯) निशापतिके गेहमें, जल धरणी परवेश । करे आय जो तिण समे, तो सुख देश विदेश ॥ १५० ॥ ચંદ્રસ્વરમાં જે તે સમયે જલ તત્વ કે પૃથ્વી તત્વને પ્રવેશ થત હોય તે દેશ-વિદેશમાં સુખ થાય. (૧૫) अपर तत्त्व निजनाथ घर, वहे' अधम फल जाण । उदक मही जो भानु घर, तो मध्यम चित आण ॥ १५१ ॥ १ हुआ VI Page #93 -------------------------------------------------------------------------- ________________ સ્વરાય જ્ઞાન (તે દિવસે, પ્રાતઃકાલે) અન્ય તત્ત્વા (અગ્નિ, વાયુ કે આકાશ તત્ત્વ) પોતાના સ્વામીના ઘરમાં (અર્થાત્ સૂર્યસ્વરમાં ) ચાલે તે તેનું ફળ અધમ જાણવું પરંતુ જલ અથવા પૃથ્વી તત્ત્વ જો સૂર્યસ્વરમાં ચાલે તે તેનું મધ્યમ ફળ જાણવું. (૧૫૧) ૩૬ एक अशुभ फुन एक शुभ, तीनुंमें जो होय | सिद्ध होय फल तेहनुं, मध्यम निहचे जोय ॥ १५२ ॥ (તે દિવસે, પ્રાતઃકાલે) ઉપર દર્શાવેવી ત્રણે રીતિમાં જોતાં જો નાડી અને તત્ત્વ – આ બેમાંથી એકનું લક્ષણ શુભ હોય અને અન્યનું લક્ષણ જો અશુભ હાય તે તેનું મધ્યમ ફળ નિશ્ચયપૂર્વક થાય છે. (૧પર) सहु परीक्षा भावमें, मेष भाव बलवान । ता दिन तच्च निहारीके, फल हिरदे दृढ आन || १५३ ॥ સર્વ ભાવેાની પરીક્ષામાં મેષ-સંક્રાન્તિવાળા ભાવ બલવાન છે માટે તે દિવસે તત્ત્વ જોઈ ને તેનું ફળ હૃદયમાં નિશ્ચિત માનવું. (૧૫૩) अब जे जोवणहार नर, तेहनो कहूं विचार । आप लखी अपणे हिय, अपगो करहुं विचार ॥ १५४ ॥ હવે જે લક્ષણા જોનાર મનુષ્ય છે તેના વિચાર કહું છું. પોતે પોતાના સ્વર ઓળખીને પોતાના હૃદયમાં પેાતાના વિષે વિચાર કરે. (૧૫૪) चैत्र सुदि एकम दिने, शशि स्वर जो नवि होय । तो तेहने तिहुं मासमें, अति उदवेगसुं जोय ॥ १९५ ॥ ચૈત્ર સુદી એકમને દિવસે જો ચંદ્રસ્વર ન ચાલે તો જાણવું જોઈ એ કે તેના (પાતાના) ત્રણ માસ અતિ ઉદ્વેગપૂર્વક વીતશે. (૧૫૫) मधु मास सित बीज दिन, चले न जो स्वर चंद । ગમન હોય પરદેશમ, તિાં ૩ને દુઃવત ॥ ૬ ॥ ચૈત્ર માસની સુદ બીજના દિવસે જો ચંદ્રસ્વર ન ચાલે તે પરદેશમાં ગમન થાય અને ત્યાં ભારે દુઃખ અને દ્વન્દ્વ ઉત્પન્ન થાય. (૧૫૬) Page #94 -------------------------------------------------------------------------- ________________ ३७ સ્વદય જ્ઞાન चैत्र मास सित त्रीजकू, चंद चले नहि आय । तो ताके तनमें सही, पित्तज्वरादिक थाय ॥ १५७ ।। ચૈત્ર સુદ ત્રીજના દિવસે ચંદ્રસ્વર ન ચાલે તે તેના શરીરમાં પિત્ત-જવર, રક્ત-જ્વર આદિ રેગ થાય. (૧૫૭). मरण होय नव मासमें, जो स्वर जाणे तास । मधु मास सित चोथकू, जो नवि चंद्र प्रकाश ॥ १५८ ॥ ચૈત્ર સુદ ચોથના દિવસે જે ચંદ્રસ્વર ન ચાલે તે જે રવર જેના હોય તેનું નવ માસમાં મરણ થાય. (૧૫૮) निशापति स्वर चैत सुदि, पांचमको नवि होय । राजदंड महोटा हूवे, संशय इहां न कोय ॥ १५९ ॥ ચૈત્ર સુદ પાંચમના દિવસે જે ચંદ્રસ્વર ન ચાલે તે માટે રાજદંડ થાય – એમાં સંશય નથી. (૧૫૯) चैत्र सुदि छठके दिवस, चंद्र चले नहि जास । वरष दिवस भीतर सही, विणसे बंधव तास ॥ १६० ॥ ચિત્ર સુદ છઠના દિવસે જેને ચંદ્રસ્વર ચાલે નહીં તે મનુષ્યના ભાઈને (કે મિત્રને) એક વર્ષની અંદર નાશ થાય. (૧૬) चले न चंदा चैत सित, सप्तम दिन लवलेश । तस नर केरी गेहिनी, जावे जमके देश ॥ १६१ ॥ ચૈત્ર સુદ સાતમના દિવસે થોડા સમય માટે પણ જે ચંદ્રસ્વર ન ચાલે તે તે મનુષ્યની પત્ની યમના દેશમાં જાય (અર્થાત્ તેનું મૃત્યુ થાય). (૧૧) तिथि अष्टमी चैत्र सुदि, चंद विना जो जाय । तो पीडा अति उपजे, भाग्य योग सुख थाय ॥ १६२ ॥ ચૈત્ર સુદ આઠમને દિવસ જે ચંદ્રવર વિનનો પસાર થાય તે તેને અત્યંત પીડા ઉપજે, કદાચ અતિ ભાગ્ય હોય તે જ સુખ થાય. (૧૨) Page #95 -------------------------------------------------------------------------- ________________ સ્વદય જ્ઞાન तिथि अष्टमनो चैत सितं, दीनौ फल दरसाय । होय ससि शुभ तत्त्वमें, तो उलटुं मन भाय ॥ १६३ ॥ ચૈત્રના શુકલ પક્ષના (ચંદ્રસ્વર વિનાના) આઠ દિવસનું ફળ દર્શાવ્યું પરન્તુ તે દિવસમાં જે ચંદ્ર શુભતત્ત્વમાં (અર્થાત્ પૃથ્વી અને જલ તત્વમાં) હોય તે આનાથી ઊલટું (અર્થાત્ શુભ ફળ જાણવું. (૧૬૩) પાંચ તત્ત્વમાં પ્રશ્નને પ્રસંગ तत्त्व बाणमें* कहत हूं, प्रश्न तणो परसंग । इण विध हिये विचारके, कथीये वचन अभंग ॥ १६४ ॥ હવે પાંચ તત્તમાં પ્રશ્ન સંબંધી વિચાર કહું છું, તે પ્રમાણે હૃદયમાં વિચારીને પ્રશ્ન પૂછનારને ફળ કહેવાથી – તે વચન સત્ય કરે છે. (૧૬૪) जल धरणीके जोगमें, प्रश्न करे जे कोय । निशानाथ पूरण वहत, तस कारज सिद्ध होय ॥ १६५ ॥ જે ચંદ્રસ્વર સંપૂર્ણ ચાલતું હોય અને તેમાં પૃથ્વી કે જલ તત્વને રોગ હોય તે સમયે કોઈ પ્રશ્ન કરે તે તેનું કાર્ય સિદ્ધ થાય. (૧૫) अनिल अगन आकाशको, जोगि ससि स्वर मांहि । होय प्रश्न करता थका, तो कारज सिद्ध नांहि ।। १६६ ॥ જે ચંદ્રવરમાં વાયુ, અગ્નિ કે આકાશ તત્ત્વને વેગ હોય અને તે સમયે (કેઈ) પ્રશ્ન કરે તે તેનું કાર્ય સિદ્ધ ન થાય. (૧૬) क्षिति उदक थिर काजकू, उडुगणपति स्वर मांहि । तत्त्वयुगल ए जाणीये, चर कारजकू नांहि ॥ १६७ ॥ ૨ ચંદ્ર વિન vો. * “બાણ” = પાંચ, “કામદેવનાં બાણ પાંચ છે – ૧. સહન, ૨. ઉન્માદન, ૩. સ્તંભન, ૪. શેષણ અને ૫. તાપન અથવા ૧. અરવિંદ, ૨. અશે, ૩. આમ્ર, ૪. નવલિકા અને ૫. નીલેલ્પલ. Page #96 -------------------------------------------------------------------------- ________________ સ્વદય જ્ઞાન ચંદ્રસ્વરમાં પૃથ્વી અને જલ તત્ત્વ ચાલતાં હોય તે સ્થિર કાર્ય માટે તે શુભ છે પણ આ ત ચર કાર્યો માટે સારાં નથી. (૧૬૭) वायु अगनि नभ तीन ए, चर काजे परधान । तत्त्व हियेमें जानीये, उदय होत स्वर भान ॥ १६८ ॥ જ્યારે સૂર્યસ્વરને ઉદય હોય ત્યારે વાયુ, અગ્નિ અને આકાશ – આ ત્રણ ત ચર કાર્યોમાં શ્રેષ્ઠ છે – આ રહસ્ય હૃદયમાં ધારણ કરે. (૧૬૮) રોગ અને રોગી વિષે પ્રશ્ન रोगी केरो प्रश्न नर, जो कोउ पूछे आय । ताळू स्वास विचारके, इम उत्तर कहेवाय ॥ १६९ ॥ જે કઈ મનુષ્ય આવીને રેગી સંબંધી પ્રશ્ન પૂછે તે તેને, (આપણા) શ્વાસને (અર્થાત્ સ્વરને) વિચાર કરીને આ પ્રમાણે ઉત્તર કહેઃ (૧૬૯) ससि स्वरमें धरणी चलत, पूछे तस दिस मांहि । तासे निहचे करी कहो, रोगी विणसे नांहि ॥ १७० ॥ ચંદ્રસ્વરમાં જે પૃથ્વી તત્વ ચાલતું હોય અને તે સ્વરની (અર્થાત ચંદ્રશ્વરની) દિશામાં ઊભા રહી તે પ્રશ્ન કરે તે કહેવું કે રેગીને નાશ નહીં થાય. (૧૭૦). चंद्र बंध सूरज चलत, पूछे डावी ओड । रोगीको परसंग तो, जीवे नहीं विधि कोड ॥ १७१ ॥ ચંદ્રસ્વર બંધ હોય, સૂર્યસ્વર ચાલતો હોય અને તે પ્રશ્નકર્તા ડાબી તરફ રહીને પૂછે તે રેગીના પ્રશ્નમાં કહેવું કે કરોડ ઉપાયે પણ તે જીવશે નહીં. (૧૭૧). पूरण+ स्वरशुं आयके, पूछे खाली मांहि । तो रोगीकू जाणजो, साता होवे नांहि ॥ १७२ ॥ + જે “સ્વર ચાલતો હોય તેને “પૂર્ણ સ્વર અને તેની દિશાને પૂર્ણ દિશા' કહે છે. * જે “સ્વર ચાલતો ન હોય તેને “ખાલી સ્વર અને તેની દિશાને ખાલી દિશા કહે છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ સ્વરોદય જ્ઞાન પૂર્ણ સ્વર તરફથી આવીને ખાલી સ્વર તરફ ઊભો રહી તે પ્રશ્ન કરે તે જાણવું કે રેગીને શાતા નહીં થાય. (૧૭૨) खाली स्वरशुं आयके, वहते स्वरमें वात । जो कोउ रोगीनी कहे, तो तस नाहिंज घात ॥ १७३ ॥ ખાલી સ્વર તરફથી આવીને વહેતા સ્વર તરફ ઊભું રહી જે કઈ રેગી અંગે પ્રશ્ન કરે તે કહેવું કે રેગીને ઘાત થશે નહીં. (૧૩) वाय पित्त कफ तीन भये, यो पिंडत्रय जोग। समथी सुख होय देहमें, विषम हुआ होय रोग ॥ १७४ ॥ આ શરીર વાયુ(વાત), પિત્ત અને કફ – આ ત્રણથી બનેલું છે. એ ત્રણે સમ હોય તે શરીરમાં સુખ થાય અને વિષમ હોય તે રોગ થાય. (૧૭) वाय चोराशी पिंडमें, पित्त पचीश प्रकार । कफ त्रिय भेद वखाणीये, द्वादश सत चित्त धार ॥ १७५ ।। શરીરમાં ચેરાસી પ્રકારના વાયુ છે, પચીસ પ્રકારના પિત્ત છે અને કફ ત્રણ પ્રકારના છે – આમ કુલ એક સે બાર પ્રકાર થાય છે – તે ચિત્તમાં ધારો (૧૭૫) वायु निवास उदर विषे, स्वामी हे तस सूर । फुनि' शत धमणी मांहि ते, रहत सदा भरपूर ॥ १७६ ॥ વાયુનું સ્થાન પેટમાં છે અને તેને (અર્થાત વાયુનો) સ્વામી સૂર્ય છે. તે (વાયુ) એ ધમનીમાં સદા ભરપૂર રહે છે. (૧૭૬) खंद मांहि पुन जाणजो, पित्त तणो नित वास । जठरागनिमें संचरत, दिवानाथ पति तास ॥ १७७ ॥ પિત્તને વાસ હમેશાં ખભામાં છે અને તે જઠરાગ્નિમાં સંચાર કરે છે. તેને સ્વામી સૂર્ય છે. (૧૭૭) ૨ મુનિ v. ૨ જ છે! Page #98 -------------------------------------------------------------------------- ________________ સ્વદય જ્ઞાન ___ ४१ नाभिकमलथी वाम दिस, करपल्लव त्रय जाण । नाडि युगल हे कफ तणी, रही हैयेमें आण ॥ १७८ ॥ - નાભિકમલથી ડાબી તરફ ત્રણ આગળ દૂર કફની બે નાડીઓ છે; तेय सुधा मावे छ. (१७८) ससि स्वामि तुस जाणजो, ये विवहारी वात । निश्चेथी लख एकमें, तीन आय समात ॥ १७९ ॥ તેને (અર્થાત્ કફનો) સ્વામી ચંદ્ર છે – એ વ્યવહાર પ્રસિદ્ધ વાત છે. નિશ્ચયથી તે ત્રણે (વાત, પિત્ત અને કફ) એક સ્થાનમાં જ सभाय छ - तेभ. anjl. (१७८) अपणी अपणी ऋत विषे, वाय पित्त कफ तीन । जोर जणावत देहमें, तस उपचार प्रवीन ॥ १८० ॥ वैद्यकग्रंथनथी लख्यो, तिणका अधिक प्रकार । मूल तीनसं होत है, रोग अनेक प्रकार ॥ १८१ ॥ - પિતાપિતાની ઋતુમાં વાત, પિત્ત અને કફ શરીરમાં પિતાનું જોર બતાવે છે. પ્રવીણ (માણસે) વેદક-ગ્રંથમાંથી તેના અધિક પ્રકાર તથા તેના ઉપચાર જાણી લેવા (કારણ કે) મૂળ (આ) ત્રણમાંથી જ (વિકારને ४२) मने प्रारना । थाय छे. (१८०-१८१) अपणे' अमल विसारके, बीजाने घर जाय । रोग कफादिथी जुइमे', सन्निपात कहीवाय ॥ १८२ ।। પિતાનો અમલ(ક્ષેત્ર) વિસરીને જ્યારે આ ત્રણે બીજાના ઘરમાં नयत ४३ २माथी थोश 'सन्निपात' उपाय छे. (१८२) रोमरोममा जगत गुरु, पोणा चे बे रोग । भाख्या प्रवचन मांहि ते, अशुभ उदय तस भोग ॥ १८३ ।। "पणो V। २ जो इम v। ३ पोणा बे २ VI Page #99 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સ્વરદય જ્ઞાન જગદ્ગુરુ શ્રી તીર્થકર દેવે આગમાં ફરમાવ્યું છે કે પ્રત્યેક રેમમાં પણ બબ્બે રોગ વસે છે અને અશુભ કર્મના ઉદયથી તે ભેગવવા પડે છે. (૧૮૩) प्रश्न करे रोगी तणो, जैसा स्वरमें आय । स्वर फुनि तत्त्व विचारके, तैसा रोग कहाय ।। १८४ ॥ (જો કેઈ પ્રશ્નકર્તા) આવીને રોગીના રેગ અંગે પ્રશ્ન પૂછે ત્યારે (ઉત્તરદાતાએ પોતાને જે) સ્વર ચાલતો હોય તેને તથા તે સમયે તે સ્વરમાં જે તત્ત્વ ચાલતું હોય તેનો વિચાર કરીને તદનુસાર રોગ કહે. (૧૪) अपणे स्वरमें आपणा, तत्त्व चले तिण वार । तो रोगीना पिंडमां, रोग एक थिर धार ॥ १८५ ॥ પિતાના સ્વરમાં પિતાનું તત્વ (અર્થાત્ ચંદ્રસ્વરમાં પૃથ્વી કે જલ તત્વ અને સૂર્યસ્વરમાં વાયુ, અગ્નિ કે આકાશ તત્ત્વ) ચાલતું હોય તે રોગીના શરીરમાં એક જ રોગ છે – એમ નિર્ણય કરવો. (૧૮૫) स्वरमें दूजा स्वर तणो, प्रश्न करत तत होय । मिश्रभावथी रोगनी, उतपत्ति तस जोय ॥ १८६ ।। (કેઈ) પ્રશ્નન કરે ત્યારે ચાલતા સ્વરમાં જે બીજા સ્વરનું તત્ત્વ ચાલતું હોય તો તેના (અર્થાત રેગીના) રોગની ઉત્પત્તિ મિશ્ર ભાવથી છે- તેમ કહેવું. (૧૮૬) पूरण स्वरथी आयके, पूछे पूरण मांहि । सकल काज संसारके, पूरण संशय नांहि ।। १८७ ॥ પૂર્ણ સ્વર તરફથી આવીને, પૂર્ણ સ્વર તરફ (જ) ઊભું રહી (કેઈ) પ્રશ્ન કરે તે સંસારનાં સઘળાં કાર્યો એટલે કે કોઈ પણ કાર્ય હાય તે તે પૂર્ણ થાય તેમાં સંશય નથી. (૧૮૭) खाली स्वरमें' आयके, पूछे खाली मांहि । जे जे काज दुनी तणो, ते ते होवे नांहि ॥ १८८ ॥ ૨ ચમુ v | ર તે vI Page #100 -------------------------------------------------------------------------- ________________ દય જ્ઞાન ૪૩ તલ, શીદ વિ જ કાઈ ના થાય ખાલી સ્વર તરફથી આવીને, ખાલી સ્વર તરફ (જ) ઊભું રહી (ઈ) પ્રશ્ન કરે તે દુનિયા સંબંધી જે જે કામ હોય તે કઈ કામ (પૂર્ણ) થાય નહીં. (૧૮૮) खाली स्वरमें' आयके, पूछे वहते मांहि । सिद्ध काज कहो तेहनो, यामें दुविधा नांहि ॥ १८९ ॥ ખાલી સ્વર તરફથી આવીને વહેતા સ્વર તરફ ઊભે રહી (કેઈ) પ્રશ્ન કરે તે કહે કે તેનું કાર્ય સિદ્ધ થશે – એમાં કઈ જાતની શંકા નથી. (૧૮૯). पूछे पूरण स्वर तजी, खाली स्वरकी औड । प्रश्न तास निफल हौ', सफल नहीं विधि कोड ॥ १९० ॥ પૂર્ણ સ્વરને ત્યાગ કરીને, ખાલી સ્વર તરફ રહી (કેઈ) પ્રશ્ન કરે તો તેને પ્રશ્ન નિષ્ફળ થાય, (તે કાર્યો કરેડ ઉપાયે પણ સફળ થાય નહીં. (૧૦) गुरुवार वायु भलो, शनि दिवस आकाश । चलत तत्त्व इम कायमें, पूरव रोग विनाश ॥ १९१ ॥ ગુરુવારે વાયુ તત્વ હોય તે સારું અને શનિવારના દિવસે આકાશ તા હોય તે સારું. જે ત આ પ્રમાણે શરીરમાં ચાલે તે પૂર્વ ઉત્પન્ન થયેલા રેગેને નાશ થાય છે. (૧૯૧) प्रातसमय बुधवारकू, क्षिति तत्त्व शुभ जाण । सोमवार जल शक्रकू, तेज हियेमें आण ॥ १९२५ ॥ બુધવારે પ્રાત:કાલે જે પૃથ્વી તત્વ હોય તે તે શુભ છે. સેમવારે જલ તત્ત્વ અને શુક્રવારે અગ્નિ તત્વ શુભ છે–એમ હૃદયમાં જાણ (૧૨) રદ્દો v ૨ ૨૨૨ V! 8 શુક્ર શું v | ? સ્વરથી v ! છે ??? vI Page #101 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ચંદ્રસ્વરમાં અને સૂર્યસ્વરમાં કરવા ચાગ્ય કાર્યો ससि सूर स्वरमा अबै, करण जोग जे काम । तस विचार शुभे कहत हूं, सुखदायक अभिराम ॥। १९३ ॥ હવે ચંદ્રસ્વર અને સૂર્યસ્વરમાં કરવા યાગ્ય જે કાર્યા છે તેની સુખદાયક અને મનેહુર વિચારણા હું કહું છું. (૧૯૩) (૪) ચંદ્રસ્વરમાં કરવા યાગ્ય કાર્યા देवल श्रीजिनराजनो, नवो निपावे कोय | खात महूरत अवसरे, चंद्रजोग तिहां जोय ॥ १९४ ॥ સ્વરાય જ્ઞાન કોઈ વ્યક્તિ શ્રીજિનેન્દ્ર ભગવંતના નૂતન મંદિરનું નિર્માણ કરતા હાય તે ત્યાં ખાત મુહૂર્તના અવસરે ચંદ્રયાગ હોય તેા તે શુભ છે. (૧૯૪) अमी स्रवत ससि जोगमें, अरुणद्युति थिर होय । करत प्रतिष्ठा बिंबनी, अति प्रभाव तस जोय ।। १९५ ।। ચંદ્રયાગમાં પ્રતિમામાંથી અમી ઝરે છે; સૂર્ય સમાન કાન્તિ સ્થિર રહે છે અને ત્યારે જ જે બિંબની પ્રતિષ્ઠા થાય તે તે ને અત્યંત પ્રભાવ જોવા મળે છે. (૧૯૫) तखत मूलनायक प्रभु, बैठावे तिण वार । जिनघर कलश चढावतां, चंद्रजोग सुखकार ।। १९६ ।। તખ્ત ઉપર મૂળનાયક ભગવંતને બિરાજમાન કરે તે વખતે તથા જિનમંદિર ઉપર કળશ ચઢાવે તે વખતે, ચંદ્રસ્વર ચાલે તે સુખકારી છે. (૧૯૬૯) पोषधशाल निपातां, दानशाल घर हाट | મહેરુ સૂર્ય ગઢ હોટનો, રવિત મુદ્દટ પુરવાર | ૨૧૭ || 3 * અવ V | ૨ ર્વત ર્વત V | ૨ હાટ v | Page #102 -------------------------------------------------------------------------- ________________ સ્વરદય જ્ઞાન ૪૫ संघमाल आरोपतां, करतां तीरथ दान । दीक्षा मंत्र बतावतां, चंद्रजोग परधान ॥ १९८ ।। પૌષધશાળા બંધાવતાં, દાનશાળા, ઘર, દુકાન, મહેલ, દુર્ગ કે ગઢને કેટ સુદઢ બનાવતાં, સંઘ કાઢયા પછી માલારેપણ કરતાં, તીર્થમાં દાન કરતાં, દીક્ષા આપતાં, મંત્ર બતાવતાં – આ સઘળાં કાર્યોમાં ચંદ્રસ્તર ચાલે તે શ્રેષ્ઠ છે. (૧૯૭–૧૮) घर नवीन पुर नगरमें, करता प्रथम प्रवेश । વાવ ગાયૂષા સંત, શ” રૂઝારે તેશ છે ? // जोगाभ्यास करत शुद्धि, औषध* भैषज+ मीत । खेती बाग लगावता, करता नृपथी प्रीत ॥ २०० ॥ राजतिलक आरोपता, करता गढ परवेश । चंदजोगमें भूपति, विलसे सुख सुदेश ॥ २०१ ॥ નવા ઘરમાં કે નવા નગરમાં પ્રથમ પ્રવેશ કરતાં યા તે વસ્ત્રો કે આભૂષણેને સંગ્રહ કરતાં યા તે દેશને ઈજા લેતાં, ગાભ્યાસ કરતાં શુદ્ધિ (અર્થાત્ શુદ્ધિ-પ્રાયશ્ચિત્ત) કરતાં, ઔષધ કે ભૈષજ્ય કરતાં, ખેતી કરતાં કે બાગ બનાવતાં યા તે રાજા સાથે પ્રેમ સંબંધ બાંધતાં, રાજ-તિલક કરતાં યા કરાવતાં, ગઢમાં પ્રવેશ કરતાં–જે ચંદ્રયોગ હોય તો રાજા સુખી થાય છે તેમ દેશ પણ સુખમાં રહે છે. (૧૯૯-૨૦૦-૨૦૦૧) राज्य सिंघासन पग धरत, करत और थिर काज ।। चंद्रयोग शुभ जाणजो, चिदानंद महाराज ॥ २०२ ॥ રાજ્યસિંહાસન ઉપર પગ મૂકતાં અને બીજાં પણ સ્થિર કર્યો કરતાં ચંદ્રગ હોય તે તે શુભ છે – એમ જાણજે. આ પ્રમાણે ચિદાનંદ મહારાજ કહે છે. (૨૨) ૨ હેત v ! * “ઔષધ – રોગ-નિવારણ માટે લેવાય તે. + “ભૈષજ” અર્થાત “ભૈષજ્ય' – શરીર-પુષ્ટિ માટે લેવાય તે. Page #103 -------------------------------------------------------------------------- ________________ સ્વદય જ્ઞાન [ चोपाई ] मठ देवल अरु गुफा बनावे, रतन धातुना घाट घडावे । इत्यादिक सहु जगमें काम, चंदयोगमें अति अभिराम ॥२०३।। મઠ, દેવળ કે ગુફા બનાવે યા તે રન કે ધાતુના ઘાટ ઘડાવે ઈત્યાદિ જગતમાં સઘળાં કામે જે ચંદ્રગમાં કરવામાં આવે તે અત્યંત સફલા थाय छे. (२०3) (ब) सूर्यस्वरमा ४२१॥ योज्य र्या चंद्रजोग थिर काज प्रधान, कह्यो तास किंचित अनुमान । स्वरसूरजमें करीये जेह, सुणो श्रवण दे कारज तेह ।।२०४॥ ચંદ્રગ સ્થિર કાર્યોમાં શ્રેષ્ઠ છે. તેનું કંઈક વર્ણન કર્યું, વિશેષ અનુમાનથી જાણવું. હવે સૂર્યસ્વરમાં જે કાર્યો કરવાનાં છે તે કાર્યો–કાન धने समा . (२०४). विद्या पढे ध्यान जो साधे, मंत्र साध अरु देव आराधे । अरजी हाकमके कर देव, अरिविजयका बीडा लेवे ॥ २०५ ॥ विष अरु भूत उतारण जावे, रोगीकू जो दवा खिलावे । विघन हरण शांतिजल नाखे, जो उपाय कष्टीकू भाखे । २०६ ॥ गज वाजी वाहन हथियार, लेवे रिपुविजय चित्त धार । खान पान कीजे असनान, दीजे नारीकू ऋतुदान ॥ २०७ ।। नया चोपडा लिखे लिखावे, वणिज करत कछु वृद्धि थावे । भानजोगमें ए सहु काज, करत लहे सुखचेन समाले ॥२०८ ॥ વિદ્યાને અભ્યાસ કરે, ધ્યાનની સાધના કરે, મંત્ર સાથે યા દેવની આરાધના કરે, માલિકને અરજી લખીને આપે, શત્રુને જીતવાનું બીડું १ समाज VI २ देवे ।। Page #104 -------------------------------------------------------------------------- ________________ સ્વદય જ્ઞાન ઝડપે વિષ ઉતારવા માટે કે ભૂત ઉતારવા માટે જાય, રેગીનું ઔષધ કરે, વિંદન-શમન માટે શાંતિ-જલને છંટકાવ કરે, કુષ્ઠથી પીડાતાને ઉપાય બતાવે, શત્રુ-વિજય મનમાં રાખીને હાથી, ઘોડા, વાહન કે શસ્ત્ર ખરીદે, ખાન-પાન કરે, સ્નાન કરે, સ્ત્રીને અતુદાન કરે, નવા ચેપડા લખવાની કે લખાવવાની શરૂઆત કરે, વ્યાપાર કરતાં કાંઈક વૃદ્ધિ થાય – આ સઘળાં કાર્યો સૂર્યસ્વર વખતે કરવાથી સમાજ સુખ અને શાન્તિ પ્રાપ્ત કરે છે. (૨૦૫-૨૦૬-૨૦૭–૨૦૮) भूपति दक्षण स्वरमें कोइ, युद्ध करण जावे सुण सोइ । रणसंग्राम मांहि जस पावे, जीत अरि पाछो घर आवे ॥ २०९ ॥ કેઈ રાજા પિતાનો સૂર્યસ્વર ચાલતું હોય ત્યારે જે યુદ્ધ કરવા માટે જાય તે તે રણ-સંગ્રામમાં યશ પામે અને શત્રુને જીતીને પાછો પોતાના નગરમાં આવે. (૨૯) सायरमें जे पोत चलावे, वंछित द्वीप वेगे ते पावे । वेरी भवन गवन पग दीजे, भानजोगमें तो जस लीजे ॥ २१० ॥ સૂર્યસ્વર ચાલતાં કઈ સમુદ્રમાં વહાણ ચલાવે છે તે પિતાના વાંછિત દ્વીપે શીવ્રતાપૂર્વક પહોંચે. સૂર્યસ્વરમાં જઈને શત્રુના ઘરમાં પ્રવેશ કરે તો પણ યશ મળે. (૧૦) उंट महीष गो संग्रह करतां, साट वदत, सरिता जल तरतां । करजद्रव्य, कांहूकुं देता, भानजोग शुभ अथवा लेतां ॥ २११ ॥ ઊંટ, પાડા, ગાયે વગેરેને સંગ્રહ કરતી વેળા, કેઈની સાથે સાટું કરતાં યા તે નદી આદિ તરતાં, કેઈને દ્રવ્ય કરજે આપતાં કે લેતાં, જે સૂર્યસ્વર હોય તો તે શુભ છે. (૨૧૧) इत्यादिक चर कारज जे ते, भानजोगमें करीये ते ते । लाभालाभ विचारी कहीये, नहिंतर मनमें जाणी रहीये ॥२१२ ॥ ઈત્યાદિ જે જે ચર કર્યો છે તે તે સૂર્યાસ્વરમાં કરવાં. આ બધી હકીકત લાભાલાભને વિચાર કરીને પૂછનારને વિવેક રાખીને કહેવી અન્યથા મનમાં જાણીને મૌન રહેવું. (૨૧૨) Page #105 -------------------------------------------------------------------------- ________________ સ્વરેાદય જ્ઞાન विवाहदान इत्यादिक काज, सौम्य चंद्रजोगे सुखसाज' । क्रूर काममें सूर प्रधान, पूर्व कथित मनमें ते जान ॥ २१३ ।। વિવાહ, દાન ઈત્યાદિક કામ સૌમ્ય એવા ચંદ્રગમાં કરાય તે સુખદાયક થાય છે અને ક્રૂર કામમાં સૂર્યસ્વર પ્રધાન છે – આ પૂર્વકથિત હકીકત મનમાં નિશ્ચિત રાખે. (૨૧૩). चंद्रजोग थिर काजकू, उत्तम महा वखाण । भानजोग चर काज, श्रेष्ठ अधिक मनमें आण ॥ २१४ ॥ સ્થિર કાર્યો માટે ચંદ્રસ્વર ઉત્તમ અને મહાપ્રશંસા પાત્ર છે. ચર કાર્યો માટે સૂર્યસ્વર અધિક શ્રેષ્ઠ છે – એમ મનમાં આણો. (૨૧૪) સુષુમ્ભરવામાં કરવા યોગ્ય કાર્યો सुखमन चलत न कीजीये, चर थिर कारज कोय । करत काम सुखमन विषे, अवस हाणि कछु होय ॥ २१५ ॥ સુષુમણું નાડી ચાલતી હોય ત્યારે ચર કે સ્થિર કઈ પણ કાર્ય ન કરવું. સુષષ્ણુસ્વરમાં કામ કરવાથી કંઈક ને કંઈક હાનિ અવશ્ય થાય છે. (૨૧૫) भवनप्रतिष्ठादिक सहू, वरजित सुखमन मांहि । गामांतर जावा भणी, पगला भरीये नांहि ॥ २१६ ॥ दुःख दोहग पीडा लहे, चित्तमें रहे कलेश। चिदानंद सुखमन चलत, जो कोइ जाय विदेश ॥ २१७ ।। મકાન બંધાવવાં, પ્રતિષ્ઠા કરાવવી આદિ સઘળાં કામ સુષુણા નાડીમાં વજિત છે. તે સ્વર ચાલતો હોય ત્યારે પરગામ જવા માટે પણ કદમ ઉઠાવવાં નહીં કારણ કે આ સ્વરમાં કઈ પરદેશ જાય તે દુઃખ દર્ભગ્ય તથા પીડા થાય છે અને ચિત્તમાં કલેશ થાય છે– એમ ચિદાનંદ કહે છે. (ર૧૬-૨૦૧૭) ? સુવાંગ v ! Page #106 -------------------------------------------------------------------------- ________________ સ્વદય જ્ઞાન कारजकी हानि हुवे, अथवा लागे वार । अथवा मित्र' मिले नहीं, सुखमन भाव विचार ॥ २१८ ॥ યા તે કાર્યની હાનિ થાય છે અથવા કામમાં વાર લાગે છે અથવા તે (જે મિત્રને મળવા જઈએ છીએ તે) મિત્ર મળતું નથી – આ સુષુણ્ણા સ્વરને વિચાર છે. (૨૧૮) श्वास शीघ्र अति पालटे, छीन चंद्र छीन मूर । ते सुखमन स्वर जाणजो, नाभ अनिल भरपूर ॥ २१९ ॥ શ્વાસ અત્યંત સપાટાબંધ પલટાય, ક્ષણમાં ચંદ્ર અને ક્ષણમાં સૂર્ય (ચાલે) તે સુષુણ્ણ નામને સ્વર છે – જેમાં આકાશ તત્ત્વવાળે પવન ભરપૂર વહે છે. (૧૯) सुखमन स्वर संचारमें, कीजे आतमध्यान । हिरदगति' अहिभक्षकी*, लहीये अनुभवज्ञान ॥ २२० ॥ સુષુણ્ણ સ્વર ચાલતું હોય ત્યારે આત્મ-ધ્યાન કરવું અને તે દરમ્યાન નાસિકાના વાયુની ગતિ, રુદ્ધ કરવાથી (એટલે કે કુંભક કરવાથી) અનુભવ-જ્ઞાન પ્રાપ્ત થાય છે. (૨૦) आतमतत्त्व विचारणा, उदासीनता भाव । भावत स्वर सुखमन विषे, होवे ध्यान जमाव ॥ २२१ ॥ આત્મ-તત્ત્વની વિચારણું અને ઉદાસીનતા ભાવ સુષુમણા સ્વરમાં ભાવવામાં આવે તે ધ્યાન દઢ થાય છે. (રર૧) चर थिर तीजीए कही, द्विस्वाभावकी बात । इण अनुक्रमथी आरभी', कारज सकल कहात ॥ २२२ ॥ ચર(સૂર્ય), સ્થિર(ચંદ્ર) અને ત્રીજી આ દ્વિસ્વભાવ(સુષુણા)ની વાત કરી; આ પ્રમાણેના અનુક્રમથી કરવા યોગ્ય કાર્યોને પ્રારંભ તે તે સ્વરમાં કરવામાં આવે છે તે અવશ્ય સફળ થાય છે. (૨૨૨) ? મિત v. ૨ અનz v| ૩ રાતિ vI ૪ ગૌર મી vો ૧ સર v ! * “અહિભક્ષ—“અહિ એટલે “સર્પ અને “ભક્ષ એટલે “ભોજન; તેથી “અહિભક્ષ” એટલે “સપનું ભેજને અર્થાત “વાયું’. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૫o સ્વરદય જ્ઞાન તત્ત્વ સ્વરૂપ નિહાળવાના ઉપાયને વિચાર तत्त्वस्वरूप नीहाळवां', कहुं उपाय विचार । भाव शुभाशुभ तेहने', अधिक हियामें धार ।। २२३ ॥ તનાં સ્વરૂપને જાણવા માટે ઉપાયની વિચારણા હું કહું છું; તેના શુભાશુભ ભાવને હૃદયમાં સંપૂર્ણ રીતે ધારણ કરવા જોઈએ (૨૨૩) श्रवण अंगुठा मध्यमां', नासापुट पर थाप । नयण तर्जनीथी ढकी, भृकुटीमा लख आप ।। २२४ ।। (બંને) કાન (બંને) અંગૂઠા વડે, નાસિકાપુટ (બંને) મધ્યમા વડે, (બંને) ને (બ) તર્જની વડે ઢાંકી ઝૂકુટિમાં લક્ષ આપ.” (૨૪) पडे बिंदु भृकुटी विषे, पीत श्वेत अरु लाल । नील श्याम जैसि हुवे, तैसी तिहां निहाल ॥ २२५ ॥ કુટિમાં પીળા, શ્વેત, લાલ, લીલા અને શ્યામ (રંગનું) જેવું બિંદુ દેખાય તેવું ત્યાં નિહાળ. (૨૨૫) जैसा वर्ण नीहारीये, तैसा तत्त्वविचार । श्वास गति स्वरमें लखो, इच्छा फुन' आकार ॥ २२६ ॥ જે વર્ણ દેખાય તેવા વર્ણના તત્વને વિચાર કરી-તે સાથે શ્વાસની ગતિ, મનની ઈચ્છા અને તત્વના આકારને ધ્યાનમાં રાખીને (તત્વનો નિર્ણય કર. (૨૬) प्रथम वायु स्वरमें वहे, दुतीय अगनि वखाण । त्रीजी भू चो\ सलिल, नभ पंचम मन आण ॥ २२७ ॥ સ્વરમાં સર્વ પ્રથમ વાયુ તત્વ, બીજું અગ્નિ તત્વ, ત્રીજુ પૃથ્વી તત્ત્વ, ચેળું જલ તત્ત્વ અને પાંચમું આકાશ તત્વ વહે છે – એમ મનમાં ધારે. (રર૭) ૨ નિહારવા v. ૨ તેનો VI રૂ ધ્યHIV ૪ jન v. * આ નિમુદ્રા છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ સ્વદય જ્ઞાન वाम दिशाथी स्वर उठी, वहे पिंगला मांहि । ताकू संक्रम कहत है, यामें संशय नांहि ॥ २२८ ॥ - વામ દિશાથી સ્વર ઉત્પન્ન થઈને પિંગલામાં વહે તેને “સંક્રમ” કહે છે – આમાં સંશય નથી. (૨૨૮) तत्त्व उदक भू शुभ कहे, तेज मध्य फलदाय । हाण मृत्यु दायक सदा, मारुत व्योम कहाय ॥ २२९ ॥ - જલ તત્વ અને પૃથ્વી તત્વ- એ શુભ છે, અગ્નિ તત્વ મધ્યમ ફલદાયક છે અને વાયુ તત્વ તથા આકાશ તત્ત્વ હાનિદાયક તથા મૃત્યુ દાયક છે. (રર૯) ऊर्ध्व अधो अरु मध्य पुट, तीर्छा संक्रमरूप । पंच तत्त्व यह वहत है, जाणो भेद अनूप ॥ २३० ॥ ઉપર (અગ્નિ તત્વ), નીચે જલ તત્ત્વ), મધ્યમાં (પૃથ્વી તત્તવ, તીર છું (વાયુ તત્ત્વ) અને સંક્રમ સ્વરૂપ (આકાશ તત્વ)- આ રીતે આ પાંચ તત્વે સ્વરમાં) વહે છે-એ અનુપમ ભેદ તમે જાણે (૩૦) ऊर्ध्व मृत्यु शांति अधो, उच्चाटण तिरिछाय । मध्य स्तंभन नभ विषे, वरजित' सकल उपाय ॥ २३१ ॥ મારણના પ્રવેગે ઊર્ધ્વ તત્ત્વમાં, શાંતિ(તુષ્ટિ, પુષ્ટિ વગેરે)ના પ્રયોગ અધઃ તત્ત્વમાં, ઉચ્ચાટનના પ્રાગે તીરછા તત્તવમાં, તંભનના પ્રયોગો મધ્યમ તત્વમાં કરવા; પરન્તુ આકાશ તત્વમાં સઘળા પ્રયોગો વર્જિત છે. (૩૧) તનાં સ્થાન અને તેનાં કાર્ય जंघ मही नाभी अनिल, तेज खंध जल पाय । मस्तकमें नभ जाणजो, दिये थान बताय ॥ २३२ ॥ ? વનિન vો ૨ રને v ! Page #109 -------------------------------------------------------------------------- ________________ ૫૨ સ્વદય જ્ઞાન પૃથ્વી તત્વ જંઘામાં, વાયુ તત્વ નાભિમાં, અગ્નિ તત્ત્વ ખભામાં, જલ તત્ત્વ પગમાં અને આકાશ તત્ત્વ મસ્તકમાં વસે છે – એમ જાણજે; (આ રીતે) તરોનાં સ્થાન (મું) બતાવ્યાં છે. (૨૩૨) थिर काजे परधान भू, चरमें सलिल विचार । पावक सम' कारज विषे, वायु उच्चाटण धार ॥ २३३ ।। સ્થિર કાર્યો કરવા માટે પૃથ્વી તત્વ પ્રધાન છે, ચર કાર્યો કરવા માટે જલ તત્વ પ્રધાન છે, સમ (અથવા કૂર) કાર્યો કરવા માટે અગ્નિ તત્વ અને ઉચ્ચાટન (તથા મારણ) કરવા માટે વાયુ તત્ત્વ પ્રધાન છે. (૨૩૩) व्योम चलत कारज सहू, करीये नाहि मीत । ध्यान जोग अभ्यासकी, धारो यामें रीत ॥ २३४ ॥ હે મિત્ર! આકાશ તત્વ ચાલતાં કઈ જ કામ ન કરીએ. માત્ર ધ્યાન અને ગાભ્યાસની રીત આમાં કરી શકાય છે. (૨૩૪) पश्चिम दक्षिण जल मही, उत्तर तेज प्रधान । पूरव वायु वखाणजो, नभ कहीये थिर थान ॥ २३५ ॥ પશ્ચિમ દિશામાં જલ તત્વ, દક્ષિણ દિશામાં પૃથ્વી તત્વ, ઉત્તર દિશામાં અગ્નિ તત્વ, પૂર્વ દિશામાં વાયુ તત્વ અને સ્થિર સ્થાનમાં આકાશ તત્વ (બલવાન) છે. (૩૫) सिद्धि पृथ्वी जल विषे, मृत्यु अगन विचार । क्षयकारी वायु सिद्धि', नभ निष्फल चित्त धार ॥ २३६ ॥ પૃથ્વી અને જલ તત્વમાં સિદ્ધિ થાય છે, અગ્નિ તત્ત્વમાં મૃત્યુ થાય છે, વાયુ તત્ત્વમાં ક્ષયકારી–સિદ્ધિ (અર્થાત્ અ૬૫ સિદ્ધિ થાય છે અને આકાશ તત્વમાં કાર્ય નિષ્ફળ થાય છે. (૨૩૬) धीरजथी पृथ्वी विषे, जल सिद्धि ततकाल । हाण अगनि वायु थकी, काज निष्फल नभ भाल ॥ २३७ ।। ? * V 1 ૨ માર v રૂ શુદ્ધિ vI Page #110 -------------------------------------------------------------------------- ________________ સ્વરોદય જ્ઞાન ૫૩ પૃથ્વી તત્ત્વમાં વિલંબથી અને જલ તત્ત્વમાં તત્કાલ સિદ્ધિ થાય છે, અગ્નિ અને વાયુ તત્ત્વમાં હીન-સિદ્ધ (અર્થાત્ મધ્યમ તથા જઘન્ય પ્રકારની સિદ્ધિ) અને આકાશ તત્ત્વમાં કાર્ય નિષ્ફળ થાય છે જાણુ. (૨૩૭) એમ संग्रामादि' कृत्यमें, प्रबल हुतासन होय । चंद्रसूर संग्रह विषे, फलदायक अति जोय || २३८ ॥ સંગ્રામ આદિ કાર્યમાં અગ્નિ તત્ત્વ પ્રબલ હોય છે, સંગ્રહ કરવા માટે ચંદ્રસ્વર અતિલદાયક (અર્થાત્ ઉત્તમ) છે. (૨૩૮) जीवित जय धन लाभ फुन े, मित्र अर्थ जुध रूप । गमनागमन विचार में, जानो मही अनूप ॥ २३९ ॥ જીવન, જય, ધન-લાભ, પુત્ર, મિત્ર, અ-ચિન્તા, યુદ્ધ-સ્વરૂપ તથા ગમન-આગમનના વિચારમાં પૃથ્વી તત્ત્વ અનુપમ છે. (૨૩૯) कलह शोक दुःख भय तथा, मरण कछू उतपात । મંત્રમભાવ સમીરમેં, જાંઘ વિવ્યાસ ॥ ૨૪૦ || જ્યારે વાયુ સંક્રમણ કરતા હાય તે વખતે કોઈ કાર્ય કરવામાં આવે તા કલહ, શાક, દુ:ખ, ભય, મરણુ તથા કંઈક ઉત્પાત થાય – ફળ વિચારવાની આ રીત પ્રસિદ્ધ છે. (૨૪૦) 1 राजनाश पावक चलत, पृच्छक नरनी हाण । दुर्भिक्ष होय महीयल विषे, रोगादिक फुनि जाण ॥ २४९ ॥ અગ્નિ તત્ત્વ ચાલતું હોય ત્યારે ( કેાઈ ) પ્રશ્ન કરે તેા રાજાના નાશ, પૃચ્છક મનુષ્યને પોતાને હાનિ, પૃથ્વીતલમાં દુષ્કાળ અને રોગાદિકની ઉત્પત્તિ થાય. (૨૪૧) दुर्भिक्ष घोर विग्रह सुधी, देशभंग भय जाण । चलत वायु आकाश तत, चौपद हानि वखाण ॥ २४२ ॥ 3 १ संग्रामादिक VI ૨ પુન V | રૂ વિટાળ V | Page #111 -------------------------------------------------------------------------- ________________ સ્વરોદય જ્ઞાન હે બુદ્ધિમાન ! વાયુ અને આકાશ તત્ત્વ ચાલતું હેાય ત્યારે (કેાઈ) પ્રશ્ન કરે તેા દુષ્કાળ, ભયંકર-યુદ્ધ, દેશભંગ, ભય અને ચાપગાં જાનવરાની હાનિ થાય. (ર૪૨) ૫૪ महेंद्र' वरुण जुग जोगमें, घनवृष्टि अति होय । રાનવૃદ્ધિ પરના મુથી, સમો શ્રેષ્ઠ ગતિ હોય ॥ ૨૪૨ ॥ માહેન્દ્ર(પૃથ્વી) અને વરુણ(જલ)- આ બન્ને તત્ત્વાના યોગમાં મેદ્યવૃષ્ટિ વિપુલ થાય; રાજાને સંપત્તિ તથા પ્રજાને સુખ થાય અને સમય અતિ શ્રેષ્ઠ વીતે. (૨૪૩) ➖➖ मही उदक दोउं विषे, चंद्रनाथ थिति रूप । चिदानंद फल तेहनुं, जाणो परम अनूप ॥ २४४ ॥ પૃથ્વી અને જલ અને તત્ત્વ ચંદ્રસ્વરમાં હોય અને ચંદ્રતિથિને યાગ થઈ જાય તો ચિદાનંદ કહે છે કે તેનું ફળ અનુપમ છે-તેમ જાણા. (૨૪૪) તવામાં પદાર્થાંની ચિન્તા मही मूल चिंता लखो, जीव वाय जल धार । तेज धातु चिंता लखो, शुभ आकाश विचार ॥ २४५ ॥ પૃથ્વી તત્ત્વ વખતે ( કોઈ ) પ્રશ્ન કરે તો ‘મૂલ’’ની ચિન્તા સમજવી, વાયુ અને જલ તત્ત્વમાં ‘જીવ'ની ચિન્તા તથા અગ્નિ તત્ત્વમાં ધાતુ’”ની ચિન્તા અને આકાશ તત્ત્વમાં શૂન્ય'ની ચિન્તા (અર્થાત્ વિચારશૂન્ય સ્થિતિ ) છે – એમ જાણેા. (૨૪૫) ૨ માહેન્દ્ર V | ૨ સમા V | રૂદે । ૧. ‘મૂલ’– તણખલાથી વૃક્ષ સુધીના પદાની ‘મૂલ' સંજ્ઞા જાણવી. ખેતીવાડી વગેરેની ચિન્તા તે ‘મૂલ-ચિન્તા' સમજવી. ૨. ‘જીવ’–પ્રાણી માત્રની ‘જીવ’સંજ્ઞા જાવી. મનુષ્ય, પશુ વગેરેની ચિન્તા તે જીવ-ચિન્તા' સમજવી. ૩. ‘ધાતુ’– માટીથી રત્ન સુધીના પદાથની ધાતુ’ સંજ્ઞા જાણવી. મકાન, ભૂમિ, ધન વગેરેની ચિન્તા તે ‘ધાતુ-ચિન્તા’ સમજવી. જ્યોતિષમાં ‘મૂક-પ્રશ્ન’ કે ‘મુષ્ટિ-પ્રશ્ન’ આદિમાં આ સંજ્ઞાઓ વપરાય છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ સ્વરાય જ્ઞાન बहुपाद पृथ्वी विषे, जुगपद जल अरु वाय । अनि चतुःपद नभ उदे, विगत चरण कहेवाय ।। २४६ ॥ પૃથ્વી તત્ત્વ વખતે પ્રશ્ન હોય તેા ઘણા પગવાળાના પ્રશ્ન છે, જલ અને વાયુ તત્ત્વ વખતે પ્રશ્ન હોય તો દ્વિપદ અંગે પ્રશ્ન છે, અગ્નિ તત્ત્વ વખતના પ્રશ્નમાં ચતુષ્પદ્મ અંગે પ્રશ્ન છે અને આકાશ તત્ત્વ વખતના પ્રશ્નમાં અપદ ( અર્થાત્ પરિવનાના પદાથ ) અંગે પ્રશ્ન છે- એમ જાણવું. (૨૪૬) તત્ત્વાના સ્વામી, ગ્રહ તથા વાર रवि राहु कुज तीसरो, शनि चतुर्थ वखाण । पंच तत्वके भानघर, स्वामी अनुक्रम जाण ॥ २४७ ॥ પાંચે તત્ત્વા સૂર્યના ઘરમાં હેાય ત્યારે તેના સ્વામી અનુક્રમે સૂર્ય, રાહુ, મંગળ અને શનિ છે. (૨૪૭)+ बुध पृथ्वी जलको ससि, शुक्र अगनि पति मीत | ; वायु गुरु सुर चंदमें, तत्त्व स्वाम इण रीत ॥ २४८ ॥ હે મિત્ર! ચંદ્રસ્વરમાં પૃથ્વી તત્ત્વના સ્વામી બુધ, જલ તત્ત્વના સ્વામી ચંદ્ર, અગ્નિ તત્ત્વનો સ્વામી શુક્ર, વાયુ તત્ત્વના સ્વામી ગુરુ – આ રીતે તત્ત્વના સ્વામી જાણવા. (૨૪૮) - स्वामी अपणो आपणो, अपणे घरके मांहि । शुभ फलदायक जाणजो, यामें संशय नांहि ॥ २४९ ॥ મ જ્યારે પોતાના સ્વામી પોતાના ઘરમાં હોય ત્યારે તે શુભફલને આપનાર છે – આ વાતમાં શંકા નથી (અર્થાત્ પેાતાના સ્વર અને તત્ત્વમાં આ ગ્રહ કે વાર શુભલ આપે છે). (૨૪૯) + અહીં વિશેષ સ્પષ્ટીકરણ આ પ્રમાણે જાણવું : - પૃથ્વી તત્ત્વને સ્વામી શિવ' છે, જલ તત્ત્વ અને વાયુ તત્ત્વના સ્વામી રાહુ-કેતુ' છે, અગ્નિ તત્ત્વના સ્વામી ‘મંગળ' છે તથા આકાશ તત્ત્વને સ્વામી શનિ' છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ સ્વદય જ્ઞાન ચંદ્ર સ્વરની બાર અવરથાઓ जय तुष्टि पुष्टि रति, क्रीडा हास्य कहाय । एम अवस्था चंदनी, पट जल भूमें थाय ॥ २५० ॥ પૃથ્વી તત્ત્વ અને જલ તત્ત્વમાં ચંદ્ર(સ્વર)ની છ અવસ્થાઓ છેઃ તે ક્રમશઃ જય', તુષ્ટિ, પુષ્ટિ, રતિ, ક્રીડા અને હાસ્ય નામની છે. (૨૫૦). ज्वर निद्रा परियास पुन, कंप चतुर्थी पिछाण । वेद+ अवस्था चंदनी, वायु अगनिमें जाण ॥ २५१ ॥ ( અગ્નિ તત્વ અને વાયુ તત્વમાં ચંદ્ર(સ્વર)ની ચાર અવસ્થાઓ છેઃ જ્વર, નિદ્રા, પ્રયાસ અને કંપ” – આ તેનાં નામ છે. (૨૧) प्रथम गतायु दूसरी, मृत्यु नभके संग । कही अवस्था चंदनी, द्वादश एम अभंग ॥ २५२ ॥ આકાશ તત્વના રોગમાં ચંદ્ર(સ્વર)ની બે અવસ્થાઓ છેઃ પહેલી ગતાયુ'' અને બીજી મૃત્યુ - આ રીતે ચંદ્ર(સ્વર)ની બાર અભંગ અવસ્થા છે. (ઉપર) + “વેદ” ૪ ની સંખ્યા દર્શાવનાર, કારણ કે વેદ ચાર છે - (૧) વેદ, (૨) યજુર્વેદ, (૩) સામવેદ અને (૮) અથર્વવેદ. * આ બાર અવસ્થાઓમાં પહેલી છ અવસ્થાઓ ચિત્તના વિકલ્પ કે વૃત્તિઓના કારણે તથા બીજી ચાર શારીરિક સ્થિતિથી અને છેલ્લી બે કાળની અપેક્ષાએ હોય તેમ લાગે છે; તદુપરાંત તેને તોની સાથે સંબંધ નીચે પ્રમાણે જણાય છે :તત્ત્વ અવસ્થા (૧) પૃથ્વી જય, તુષ્ટિ, પુષ્ટિ. (૨) જલ રતિ, ક્રીડા, હાસ્ય (૩) અગ્નિ જ્વર, નિદ્રા. (૪) વાયુ પ્રયાસ, કંપ. (૫) આકાશ ગતાયુ, મૃત્યુ Page #114 -------------------------------------------------------------------------- ________________ દય જ્ઞાન પ૭ તોના રસ मधुर कषायल तिक्त पुन, खाटा रस कहवाय । नभ अव्यक्त रस पंचके, अनुक्रम दीये बताय ॥ २५३ ।। (પૃથ્વી તત્વને) મધુર, (જળ તત્વને) કષાયેલે, (વાયુ તત્વનો) ખાટે, (અગ્નિ તત્વનો) તિક્ત અને (આકાશ તત્ત્વને) કડ અથવા અવ્યક્ત – આ પાંચ રસ અનુક્રમે પાંચ તત્વના છે. (૫૩) जैसा रस आस्वादनी, होय प्रीत मन मांहि । तैसा तत्त्व पिछाणजो, शंका करजो नांहि ॥ २५४ ।। (જે સમયે) જે રસ ચાખવાની પ્રીતિ મનમાં થાય તે સમયે સ્વરમાં) તેવું તત્વ ચાલે છે, એમ માનજે – એમાં શંકા ન કરશે. (૨૫૮) તોનાં નક્ષત્રો श्रवण धनिष्ठा रोहिणी, उत्राषाढ अभीच । ज्येष्ठा अनुराधा सपत*, श्रेष्ठ महीके बीच ।। २५५ ॥ (૧) શ્રવણ, (૨) ધનિષ્ઠા, (૩) રોહિણ, (૪) ઉત્તરાષાઢા, (૫) અભિજિતુ ૪ (૬) જયેષ્ઠા, (૭) અનુરાધા – આ સાત નક્ષત્ર પૃથ્વી તત્વનાં છે. (૫૫) मूल उत्तरा भाद्रपद, रेवती आर्द्रा जाण । પૂર્વાષાઢ વદ શમવા, વાજા ના રાજ || રપ૬ / (૮) મૂળ, (૯) ઉત્તરાભાદ્રપદા, (૧૦) રેવતી, (૧૧) આદ્ર, (૧૨) પૂર્વાષાઢા, (૧૩) શતતારા – શતભિષક, (૧૪) આશ્લેષા – આ સાત નક્ષત્રો જલ તત્ત્વનાં છે. (૨૫૬) * “સંપતી = “સપ્ત” અર્થાત્ ૭. X “અભિજિત નક્ષત્ર :– ૨૧ માં ઉત્તરાષાઢા નક્ષત્રના ચોથા ચરણના પ્રવેશથી ૨૨ મા શ્રવણ નક્ષત્રના પ્રથમ ચરણના અંત સુધી ‘અભિજિત્ ” નક્ષત્ર માત્ર બે ચરણનું ગણવામાં આવે છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સ્વદય જ્ઞાન मघा पूरवाफाल्गुनी, पूर्वभाद्रपद स्वात । कृत्तिका भरणी पुष्य ए, सप्त अग्नि विख्यात ।। २५७ ।। (૧૫) મઘા, (૧૬) પૂર્વાફાગુની, (૧૭) પૂર્વાભાદ્રપદા, (૧૮) સ્વાતિ, (૧૯) કૃત્તિકા, (૨૦) ભરણ, (૨૧) પુષ્ય – આ સાત નક્ષત્ર અગ્નિ તત્વનાં છે. (૨૫૭) हस्त विशाखा मृगसिरा, पुनर्वसु चित्राय । उत्राफाल्गुण' अश्विनी, अनिलधाम सुखदाय ॥ २५८ ।। (૨૨) હસ્ત (ર૩) વિશાખા, (૨૪) મૃગશીર્ષ, (૨૫) પુનર્વસુ, (૨૬) ચિત્રા, (૨૭), ઉત્તરાફાલ્ગની, (૨૮) અશ્વિની – આ સાત નક્ષત્રો વાયુ તત્વનાં છે અને તે સુખ આપનારાં છે. (૨૫૮) તત્ત્વોની ઉત્પત્તિનો ક્રમ नभथी पवन पवन थकी, पावक तत परकास । पावकथी पाणी लखो, मही लखो फुनि तास ॥ २५९ ॥ આકાશથી પવન, પવનથી અગ્નિ, અગ્નિથી જલ અને જલથી પૃથ્વી તત્વ પ્રકટ થાય છે. (૨૫૯)+ તમાં ક્રોધાદિનો ઉદય क्रोधादिक अगनि उदे, इच्छा वायु मझार । क्षात्यादिक गुण मन विषे, जल भू मांहि विचार ॥ २६० ॥ અગ્નિ તત્વના ઉદયથી ક્રોધાદિક થાય છે, વાયુ તત્વથી ઈચ્છાઓ ઉદ્દભવે છે તથા જલ અને પૃથ્વી તત્વથી મનમાં ક્ષમા આદિ ગુણોને વિચાર પ્રગટે છે. (૨૬૦) ૨ ૩ત્તર ગુન V + તત્વોની ઉત્પત્તિનો ક્રમ સૂક્ષ્મમાંથી સ્થૂલ તરફને છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ સ્વરાય જ્ઞાન તત્ત્વોના આધાર, આહાર અને નિહાર गुदाधार धरणी तणो, लिंग उदकनो जाण । तेज धार चक्षु सुधी, वायु घ्राण वखाण ॥ २६१ ।। श्रवण द्वार नभना कहा, शब्दादिक आहार । વિદ્યાનંત ફળ પાંચા, ગાળો ૩૨ નિદ્દાર ॥ ૨૬ર * પૃથ્વી તત્ત્વનો આધાર ગુદા છે, જલ તત્ત્વના આધાર લિંગ છે, અગ્નિ તત્ત્વોના આધાર ચક્ષુ છે, વાયુ તત્ત્વના આધાર નાસિકા છે અને આકાશ તત્ત્વને આધાર કપુટ છે. તે પાંચ(તત્ત્વો)ના શબ્દ આઢિ આડુાર તેમ જ તે પાંચ (તત્ત્વો)ના નિહાર પણ જાણા – એમ ચિદાનંદ કહે છે. (૨૬૧-૨૬૨) યુદ્ઘ-કરણ માટે વર તથા યુદ્ધ-પ્રસંગના પ્રશ્નો चंद चलत नवि चालीये, जुद्ध करणकूं मीत | રજત ચંદ્રË તેના, શત્રની દૌય ગીત ॥ ૨૬૩ ।। હે મિત્ર! ચંદ્રેશ્ર્વર ચાલતી વખતે યુદ્ધ કરવા માટે ન જઈએ (કારણ કે) ચંદ્રસ્વર ચાલતી વખતે (યુદ્ધ કરવા) જવાથી, તેના (અર્થાત્ યુદ્ધ કરવા જનારના) શત્રુના વિજય થાય છે. (૨૬૩) दिवसपति स्वर मांहि जे, युद्ध कारणकूं जाय । વિનય હદે સંગ્રામમ, શત્રુસૈન પાય || ૨૬૪ || સૂર્યવર ચાલતી વખતે જે મનુષ્ય યુદ્ધ કરવા માટે જાય તે સંગ્રામમાં વિજય પ્રાપ્ત કરે છે અને તેના શત્રુની સેના નાસી છૂટે છે. (૨૬૪) अपना स्वर दक्षण चले, शत्रुना पण तेह | जीत लहे संग्राम में, प्रथम चढे नर जेह ॥ २६५ ॥ www પદ * તત્ત્વાના આધાર આદિ ઇતર ગ્રન્થામાં ભિન્ન-ભિન્ન નજરે પડે છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ સ્વરોદય જ્ઞાન આપણે પિતાને સૂર્યસ્વર ચાલતો હોય અને ત્યારે જ જે શત્રુને પણ સૂર્યસ્વર ચાલતું હોય તે જે મનુષ્ય યુદ્ધ માટે પ્રથમ ચઢી આવ્યો હોય તે સંગ્રામમાં જીત મેળવે છે. (૬૫) ससि चलत को भूपति, मत जावो रण मांहि । खेतजीत अरियण लहे, यामें संशय नांहि ॥ २६६ ॥ હે ભૂપતિ! ચંદસ્વર ચાલતી વખતે યુદ્ધ માટે ન જાઓ. તે વખતે જવાથી તમારો શત્રુ તમારી ભૂમિને જીતી જશે – એમાં સંશય નથી. (૨૬૬) सुखमन स्वर संग्राममें, भला कहे नवि कोय । जावे सुखमन स्वर विषे, शीस कटावे सोय ॥ २६७ ।। સંગ્રામમાં સુષમ્ય સ્વરને કઈ સારે કહેતું નથી (કારણ કે) સુષુમણા સ્વર ચાલતું હોય ત્યારે જે (યુદ્ધમાં) જાય છે તે મસ્તક કપાવે છે (અર્થાત્ તેના પ્રાણુ અવશ્ય જાય છે, તેને કઈ બચાવી શકતું નથી). (૨૭) दूर देस संग्राममें, जाता शशि परधान । निकट युद्ध में जाणजो, जयकारी स्वर भान ॥ २६८ ।। દર દેશના સંગ્રામમાં જતી વખતે ચંદ્રસ્વર પ્રધાન છે અને નિકટના સ્થળે યુદ્ધમાં જતી વખતે સૂર્યસ્વર જય કરનારે છે – એમ જાણજે. (૨૬૮) સનમુ કાર્ચ વિશા રહી, ગુદ્ર પ્રશ્ન કરે છે ! सम अक्षर ससि स्वर हुआ, जीत तेहनी होय ॥ २६९ ॥ સમુખ યા તે ઊર્ધ્વ દિશા તરફ રહી જે કઈ યુદ્ધના વિષયને પ્રશ્ન કરે તે જે સમ-અક્ષરને પ્રશ્ન હોય અને જે ચંદ્રસ્વર ચાલતા હોય તો યુદ્ધમાં તે(પ્રશ્ન કરનાર)ની જીત થાય છે. (૨૬૯) पूछे दक्षण मध्यथी, दूत प्रश्न करे जेह । विषमाक्षर भानु हुआ, खेत विजय लहे तेह ॥ २७० ॥ Page #118 -------------------------------------------------------------------------- ________________ સ્વરોદય જ્ઞાન - દક્ષિણ દિશા તરફ ઊભે રહી હતી જે પ્રશ્ન કરે તે પ્રશ્ન જે વિષમઅક્ષર હોય અને જે સૂર્યસ્વર ચાલતો હોય તે પ્રશ્ન કરનાર (યુદ્ધમાં શત્રુની) ભૂમિ પર વિજય પ્રાપ્ત કરે છે. (ર૭૦). युद्धयुगलनी पूर्ण दिशि, रही प्रश्न करे कोय । प्रथम नाम जस उच्चरे, जीत लहे नर सोय ।। २७१ ॥ યુદ્ધ કરનારા બેમાંથી કેને વિજય થશે? એ પ્રશ્ન જે કોઈ આપણા પૂર્ણસ્વરની દિશા તરફ રહીને કરે તો જેના નામને પ્રથમ ઉચ્ચાર કરે તે મનુષ્યને વિજ્ય થાય. (ર૭૧) रिक्त पक्षमें आयके, मिथुन युद्ध परसंग । पूछत पहेला हरीये', दूजा रहत अभंग ॥ २७२ ॥ | (સ્વરથી) ખાલી પડખા તરફ આવીને કેઈ વ્યક્તિ બંનેના યુદ્ધપ્રસંગ અંગે જે પ્રશ્ન કરે તે પહેલાં જેનું નામ લીધું હોય તે અભગ્ન રહે અર્થાત્ તે હારે નહીં. (ર૭૨) करत युद्ध परियाण वा, रिक्त मांहे लहे हार । अल्पबली भूपति थकी, महाबली चित्त धार ॥ २७३ ॥ યુદ્ધ યા તે યુદ્ધ માટે પ્રયાણ અંગેના પ્રશ્નમાં (સ્વરથી) ખાલી પડખા તરફ રહી (ઈ) પ્રશ્ન કરે તે અલ્પબલી એવા રાજાથી પણ મહાબલી રાજા હારે છે –– એમ જાણવું. (ર૭૩) महाकटक सनमुख चले, थोडासा दल जोड । પૂર તરવ કાશ, નીર વિધિ વેર ૨૭૪ / મોટા સિન્ય સામે ડું સિન્ય લઈને જતો હોય તે (ભૂપતિ પણ) ઉત્તરદાતાના પૂર્ણ સ્વર તરફથી પ્રશ્ન પૂછાયે હોય તે તે કરડે રીતે (અવશ્ય) જીત મેળવે છે. (ર૭૪) मही तत्त्वमें युद्ध वा, करे प्रश्न परियाण । दोउ दल सम उतरे, इम निहचे करी जाण ॥ २७५ ॥ ? દાર vI Page #119 -------------------------------------------------------------------------- ________________ સ્વરોદય જ્ઞાન (ચંદ્ર કે સૂર્ય – કોઈ પણ સ્વરમાં) પૃથ્વી તત્ત્વમાં (કેઈ) યુદ્ધ યા યુદ્ધના પ્રશ્ન કે યુદ્ધ માટે પ્રયાણ કરે તે અને સૈન્યે સરખાં ઊતરશે-એમ નિશ્ચયથી જાણા. (૨૭૫) ૬૨ करे प्रश्न परियाण वा, वरुण* तच्चके मांहि । होय मेल तिहां परस्परी, युद्ध जाणजो नांहि ॥ २७६ ॥ ( કેઇ પણ સ્વરમાં ) જલ તત્ત્વમાં ( કોઈ ) યુદ્ધના પ્રક્ષ યા તે યુદ્ધ માટે પ્રયાણ કરે તે કહેવું કે પરસ્પર સંધિ થશે - થાય, (૨૭૬) યુદ્ધ નહીં मही उदक होय एककूं, दूजाकूं जो नांहि । मही वरुण तिहां जीतीये, यामें संशय नांहि ॥ २७७ ॥ ( કઈ પણ સ્વરમાં ) એકને પૃથ્વી યા જલ તત્ત્વ ચાલતું હોય અને જો બીજાને તે તત્ત્વ ન ચાલતું હોય તે પૃથ્વી યા જલ તત્ત્વ જેને ચાલતું હાય તે વ્યક્તિ જીતે - એમાં સંશય નથી. (૨૭૭) ― प्रश्न करे अथवा लडे, अथवा करे प्रयाण | વદ્યુત' દુતાશન તેનૂની, ર૫મેં હોવે હ્રાળ ॥ ૨૭૮ ॥ ( કોઈ પણ સ્વરમાં કાઈ ) યુદ્ધ માટે પ્રશ્ન કરે, યુદ્ધ કરે અથવા યુદ્ધ માટે પ્રયાણ કરે તે વખતે જો તે અગ્નિ તત્ત્વ ચાલતું હોય તેા તેના રણમાં નાશ થાય છે. (૨૭૮) प्रश्न प्रयाण युद्ध जे करे, अनिल तत्त्वमें कोय । નિશ્ચેથી સંગ્રામમેં, મળે પહેા સોય ॥ ૨૭૬ || ( કાઈ પણ સ્વરમાં ) વાયુ તત્ત્વ ચાલતું હાય તે વખતે યુદ્ધ માટે પ્રશ્ન, યુદ્ધ માટે પ્રયાણ કે યુદ્ધ જે કઈ કરે તે સંગ્રામથી નિશ્ચયપૂર્વક પહેલા ભાગી છૂટે અર્થાત્ તે અવશ્ય હારે, (૨૭૯) o શ્વત VI --- ‘વરુણ તત્ત્વ’– . ‘વરુણ' એ પાણીના અધિષ્ઠાતા દેવ છે; માટે ‘વષ્ણુ તત્ત્વ’ એટલે ‘જલ તત્ત્વ’. Page #120 -------------------------------------------------------------------------- ________________ સ્વદય જ્ઞાન व्योम वहत कोउ भूपति, करे प्रश्न परियाण । अथवा युद्ध तिण अवसरे, करत मरण तस जाण ॥ २८० ।। (કઈ પણ સ્વરમાં) આકાશ તત્વ ચાલતું હોય તે વખતે કઈ રાજા યુદ્ધ માટે પ્રેગ્ન, યુદ્ધ માટે પ્રયાણ કે યુદ્ધ કરે તે તેનું મરણ થાય – એમ જાણે. (૨૮૦) चंद्र चलत भूपति मरण, सम जोधा रवि मांहि । वायु वहत भंजे कटक, संशय करजो नांहि ॥ २८१ ।। ચંદ્ર સ્વરમાં વાયુ તત્વ ચાલતું હોય ત્યારે ભૂપતિનું મરણ થાય અને સૂર્યસ્વરમાં વાયુ તત્ત્વ ચાલતું હોય તે બંને દ્ધાઓ સમાન નીવડે પણ સૈન્યને નાશ થાય – એમાં સંશય કરશે નહીં. (૨૮૧) नामधेय सदृश कही, पूछे पूरण मांहि । प्रथम नाम जस उच्चरे, तस जय संशय नांहि ॥ २८२ ॥ બંનેનાં નામ સમાન હોય ત્યારે પ્રશ્નકર્તા પૂર્ણસ્વર તરફ રહી પ્રશ્ન કરે તે જેનું નામ પ્રથમ બેલે તેને જય થાય – તેમાં સંશય નથી. (૨૨) रणमें जे घायल हूवे, तेहनी पूछे वात । चिदानंद ते पुरुषकुं, उत्तर एम कहात ॥ २८३ ॥ જે યુદ્ધમાં ઘાયલ થયેલ હોય તેની વાત (કોઈ) પૂછે તે ચિદાનંદ કહે છે કે તે પુરુષને આ પ્રમાણે ઉત્તર આપો : (૨૮૩) आपणी दिशथी आयके, पूछ पूरण मांहि । जास नाम कहे तास सुण, घाव जाणजो नांहि ॥ २८४ ।। આપણુ (પૂર્ણ સ્વરની દિશામાંથી આવીને પૂર્ણ સ્વર તરફ રહી (કેઈ) પ્રશ્રન કરે તે જેનું નામ લઈને પ્રશ્ન કરે તેને ઘા નથી વાગે – એમ કહેવું. (૨૮૪). Page #121 -------------------------------------------------------------------------- ________________ સ્વરોદય જ્ઞાન पूछे खाली स्वर विषे, घायलका परसंग । जस पूछे तस रण विषे, घाव कहीजे अंग ॥ २८५ ॥ (જે કોઈ આપણ) રિક્ત સ્વર તરફ રહી. ઘાયલ માટે પ્રશ્ન પૂછે તે જેના અંગે પ્રશ્ન હોય તેને શરીરમાં ઘા વાગે છે – એમ કહેવું. (૨૮૫). पृश्वी उदर बताइये, जल चलता पग जाण । पावक उर हिरिदे विषे, वायु जंघा वखाण ।। २८६ ।। घाव शीसमें जाणजो, चलत तत्त्व आकाश । स्वरमें तत्त्व विचारके, पृच्छककू इम भाष ॥ २८७ ॥ - પૃથ્વી તત્વ ચાલતું હોય તો પેટ, જલ તવ ચાલતું હોય તે પગ, અગ્નિ તત્વ ચાલતું હોય તો છાતી તથા હૃદય, વાયુ તત્વ ચાલતું હોય તે જંઘા, આકાશ તત્ત્વ ચાલતું હોય તો મસ્તક - આ રીતે સ્વરમાં તત્વનો વિચાર કરીને, (ઘાયલ વ્યક્તિને તે તે અંગમાં ઘા વાગે છે) --એમ પૂછનારને કહેવું. (૨૮૬-૮૭) पूरण प्राण प्रवाह में, निज तत' घर स्वर होय । प्रबल जोग आवी मल्या, सुखे विजय लहे सोय ॥ २८८ ॥ સ્વર પૂર્ણ વહેતું હોય અને તત્વ પણ પોતાના સ્વરના ઘરમાં હોય –- આ રીતને પ્રબલ પેગ જેને આવી માન્ય હોય તે (યુદ્ધમાં) સુખપૂર્વક વિજય પ્રાપ્ત કરે છે. (૨૮૮) आपणे स्वर जल तत्त्व है', शत्रुकू नहि होय । रिपु मरण निज हाथथी, जीत आपणी होय ।। २८९ ॥ આપણું સ્વરમાં જલ તત્વ ચાલતું હોય અને શત્રુને તે ન ચાલતું હોય તો આપણું હાથથી શત્રનું મરણ થાય અને આપણે જય થાય. (૨૮૯) ૨ તા v ૨ વ v ! Page #122 -------------------------------------------------------------------------- ________________ દય જ્ઞાન ગર્ભ– અધિકાર गर्भ तणा परसंग अब, सुणजो चित्त लगाय । स्वर विचार तासुं कहो, जो कोइ पूछे आय ॥ २९० ।। હવે ગર્ભ અને અધિકાર મન દઈને સાંભળો. જે કઈ આવીને આ અંગે પૂછે તે સ્વરને વિચાર કરીને (ગર્ભ અંગે યોગ્ય ઉત્તર) તેને કહે. (૨©) क्लीव* कन्यका सुत जनम, गर्भपतन वा धार । दीर्घ अल्प आयु तणा, भाखो एम विचार ।। २९१ ॥ જન્મનાર બાલક નપુંસક થશે! કન્યા થશે! પુત્ર થશે! ગર્ભને નાશ થશે! દીર્ઘ આયુષ્યવાળે થશે ! અલ્પ આયુષ્યવાળો થશે! – આ બધા વિચાર સ્વર જોઈને કહે. (૨૯૧) चंद्र चलत पूछे कोउ, पूरण दिशिमें आय । गर्भवतीना गर्भमें, तो कन्या कहीवाय ॥ २९२ ॥ - ચંદ્રસ્વર ચાલતો હોય ત્યારે કોઈ આપણું પૂર્ણવરની દિશામાં રહીને પ્રશ્ન કરે તે કહેવું કે ગર્ભવતીના ગર્ભમાં કન્યા છે. (૨૨) दिवसपति पूरण चलत, पूछे पूरण मांहि । पुत्र पेटमें जाणजो, यामें संशय नांहि ॥ २९३ ।। સૂર્યસ્વર પૂર્ણ ચાલતું હોય ત્યારે આપણા પૂર્ણસ્વરની દિશા તરફ રહી (કોઈ) પ્રશ્ન કરે તે કહેવું કે પેટમાં પુત્ર છે –-- આ વાતમાં સંશય નથી. (૨૩) स्वर सुखमनमें आयके, पूछे गर्भ विचार । नारी केरी कूखमें, गर्भ नपुंसक धार ।। २९४ ॥ સુષુણ્ણ સ્વર ચાલતું હોય ત્યારે જે કઈ) ગર્ભ અને પ્રશ્નન કરે તે કહેવું કે સ્ત્રીની કુક્ષિમાં નપુંસક ગર્ભ છે. (૨૯૪) * “કલીબ” = નપુંસક. Page #123 -------------------------------------------------------------------------- ________________ સ્વરદય જ્ઞાન भान चलत पूछे कोउ, वाकुं चंदा होय । पुत्र जनम तो जाणजो, पण' जीवे नहि सोय ॥ २९५ ।। (આપણે) સૂર્યસ્વર ચાલતો હોય ત્યારે જે કંઈ ગર્ભ અંગે પ્રકન કરે અને ત્યારે તે(પૃચ્છક)ને જે ચંદ્રસ્વર ચાલતું હોય તે પુત્રનો જનમ થશે પણ તે પુત્ર જીવશે નહીં– એમ કહેવું. (૨૯૫) दिवसपति संचारमें, करे प्रश्न कोइ आय । स्वर सूरज वाकुं हुआ, सुखदायक सुत थाय ।। २९६ ।। (આપણે) સૂર્યસ્વર ચાલતું હોય ત્યારે કેઈ આવીને (ગર્ભ સંબંધી) પ્રશ્ન કરે અને તેને પણ સૂર્યસ્વર ચાલતું હોય તે કહેવું કે સુખ આપનાર પુત્ર થશે. (૨૯૬) करे प्रश्न ससि स्वर विषे, वाकुं जो रवि होय । होय सुता जीवे नहीं, कहो एम तस जोय ॥ २९७ ॥ આપણે ચંદ્રસ્વર ચાલતું હોય ત્યારે (કેઈ) પ્રશ્નન કરે અને તે(પૃચ્છક)ને સૂર્યસ્વર ચાલતો હોય તે કહેવું કે પુત્રી થશે પણ જીવશે નહીં. (૨૭) चंद चलत आवी कहे, वाकुं चंद उद्योत । कन्या निश्चे तेहने, दीर्घ स्थितिधर होत ॥ २९८ ॥ (આપણો) ચંદ્રસ્વર ચાલતો હોય ત્યારે આવીને (કોઈ ગર્ભ સંબંધી પ્રશ્ન કરે) અને તે(પૃચ્છક)ને પણ ચંદ્રસ્વર જ ચાલતો હોય તે કહેવું કે અવશ્ય કન્યાને જન્મ થશે અને તે દીર્ધાયુ હશે. (૨૯૮). चलत मही सुत जाणजो, प्रश्न करत तिण वार । राजमान सुखीया घणा, रूपे देव कुमार ॥ २९९ ॥ પૃથ્વી તત્વ ચાલતું હોય ત્યારે (કેઈ) પ્રશ્રન કરે તે કહેવું કે પુત્ર થશે અને તેને રાજ્યમાન મળશે, ઘણે સુખી થશે અને રૂપે દેવકુમાર જે હશે. (૨૯) નિ v ! ૨ રિથતિ ઘર Vછે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૬૭ સ્વદય જ્ઞાન उदक तत्त्वमें आयके, करे प्रश्न जो कोय । सुत सुखीया धनवंत तस, षड्रस भोगी होय ॥ ३०० ॥ જલ તત્ત્વ ચાલતું હોય ત્યારે કેઈ આવીને ગર્ભ સંબંધી) પ્રશ્ન કરે તે કહેવું કે પુત્ર થશે તથા તે સુખી, ધનવાન અને ષસને ભક્તા થશે. (૩૦૦) तत्त्व युगल जे भान घर, चलत पुत्र पहिछाण' । निसानाथ घर होय तो, कन्या हिरिदे आण ॥ ३०१ ॥ ઉપરોક્ત બને ત (પૃથ્વીતત્વ અને જલતત્વ) જે સૂર્યના ઘરમાં ચાલતાં હોય ત્યારે (કેઈ) પ્રશ્નન કરે તો (ઉપરોક્ત લક્ષણવાળો) પુત્ર જાણ અને જે ઉપરોક્ત બને ત ચંદ્રના ઘરમાં ચાલતાં હોય તે ઉપરોક્ત લક્ષણવાળી કન્યા થશે – એમ જાણવું. (૩૧) पूछत पावक तत्त्वमें, गर्भपतन तस होय । जनमें तो जीवे नहीं, विगत पुण्य नर सोय ॥ ३०२ ॥ જે અગ્નિ તત્વમાં (કેઈ) પ્રશ્ન કરે તે કહેવું કે, ગર્ભપાત થશે. કદાચ ગભપાત નહીં થાય અને બાળક જન્મશે તે પુણ્યહીન એ તે જીવશે નહીં. (૩૦૨). प्रश्न प्रभंजन तत्त्वमें, करतां छाया होय । अथवा विज्ञ विचारजो, गले गर्भ में सोय ॥ ३०३ ॥ જે વાયુ તત્વમાં (કેઈ) પ્રશ્ન કરે તે ગર્ભ ન હોય, ગર્ભની માત્ર છાયા પિંડાકૃતિ) જ હોય અથવા તે હે વિજ્ઞ-પુરુષ! તમે એમ જાણજે કે તે ગર્ભ ગળી જશે. (૩૦૩) पूछत नभ परकासमें, गर्भ नपुंसक जाण । चलत चंद कन्या कहो, वांझ भाव चित्त आण ॥ ३०४ ।। જે (સૂર્યસ્વરમાં) આકાશ તત્વ ચાલતું હોય ત્યારે (કેઈ) પ્રશ્ન કરે તે કહેવું કે ગર્ભ નપુંસક છે અને ચદ્રસ્વરમાં આકાશ તત્વ ચાલતું ? પાન V | ૨ વિ v ! Page #125 -------------------------------------------------------------------------- ________________ સ્વરોદય જ્ઞાન હોય ત્યારે (કેઈ) પ્રશ્ન કરે તો કહેવું કે ગર્ભમાં કન્યા છે પણ તે વંધ્યા થશે. (૩૦) शून्य युगल स्वर* मांहि जो, गर्भ प्रश्न करे कोय । ताथी निश्चय करी कहो, कन्या उपजे दोय ॥ ३०५ ॥ સુષુણાસ્વરમાં આકાશ તત્વ (ચાતું હોય ત્યારે ) જે કંઈ ગર્ભ અંગે પ્રશ્નન કરે તે તેને નિશ્ચયથી કહેવું કે (એકી સાથે) બે કન્યાઓની ઉત્પત્તિ થશે. (૩૫) चंद सूर दोउं चलत, चंद होय बलवान । गर्भवतीना गर्भमें, सुता युगल पहिचान ॥ ३०६ ॥ ચંદ્ર અને સૂર્ય બંને સ્વર ચાલતા હોય (પણ જે તેમાં) ચંદ્ર બળવાન હોય તે કહેવું કે ગર્ભવતીને ગર્ભમાં બે પુત્રીઓ છે. (૩૦૬) चंद सूर दोउं चलत, रवि होय बलवान । गर्भवतीना गर्भ में, पुत्र युगल पहचान ॥ ३०७ ॥ | ચંદ્ર અને સૂર્ય બંને સ્વર ચાલતા હોય (પણ જો તેમાં સૂર્ય બળવાન હેય તે કહેવું કે ગર્ભવતીના ગર્ભમાં પુત્રોનું જેટલું છે. (૩૦૭) जौण तत्त्वमें नारीकू, रहे गर्भओधान' । अथवा जनमे तेहनो, फल अनुक्रम पहिचान ॥ ३०८ ॥ જે જે તત્ત્વમાં નારીને એધાન રહે અથવા તે બાળક જન્મે તેનું ફળ અનુક્રમથી –-(આ પ્રમાણે) જાણે. (૩૦૮) राज्यमान सुखीया महा, अथवा आपहू भूप । रहे गर्भ धरणी चलत, होवे काम सरूप ॥ ३०९ ॥ જે પૃથ્વી તત્ત્વ ચાલતું હોય ત્યારે ગર્ભ રહે તે જન્મનાર બાળકને રાજ્યમાન પ્રાપ્ત થશે. તે મહાસુખી થશે અથવા તે તે પિતે રાજા થશે અને તે રૂપથી કામદેવ જે થશે. (૩૦૯) ૨ ગાથાન v ૨ | VT. * “યુગલ સ્વર” = સૂર્ય અને ચંદ્ર બંને સ્વર સાથે ચાલતા હોય તે અર્થાત સુષુણ્ણા”. Page #126 -------------------------------------------------------------------------- ________________ સ્વરોદય જ્ઞાન धनवंता भोगी भ्रमर, चतुर विचक्षण तेह | નીતયંત નારી ગરમ, નળ વળતાં રહે નેTM || ફ્o૦ || જો જલ તત્ત્વ ચાલતું હેાય ત્યારે સ્ત્રીને આધાન રહે તે જન્મનાર બાળક ધનવાન, ભોગી, ચતુર, વિચક્ષણ અને નીતિમાન થાય. (૩૧૦) रहे गर्भ पावक चलत, अल्प उमर ते जाण । નીવે તો દુ:ણીયા વે, ગમ્મત માતા હળ || ૨o ।। જો અગ્નિ તત્ત્વ ચાલતું હાય અને ગર્ભ રહે તેા (જન્મનાર બાળક) અલ્પ આયુષ્યવાળા હાય, કદાચ તે વધુ જીવે તેા દુ:ખી થાય અને તે જન્મતાની સાથે જ (તેની) માતાનેા નાશ થાય. (૩૧૧) दुःखी देश भ्रमण करे, विकल चित्त बुद्धिहीण । रहे गर्भ जो वायुमें, इम जाणो परवीण ।। ३१२ ॥ જો વાયુ તત્ત્વ ચાલતું હેાય અને ગર્ભ રહે તેા (જન્મનાર બાળક) દુઃખી, દેશ-વિદેશમાં પરિભ્રમણ કરનાર, બુદ્ધિહીન અને અવ્યવસ્થિત ચિત્તવાળા થાય છે –– તેમ હું પ્રવીણ ! (તમે) જાણા. (૩૧૨) रहे गर्भ नभ चालतां, गर्भ तणी होय हाण । जन्म तणो फल तत्त्वमें इणहि अनुक्कम जाण ।। ३१३ ॥ જો આકાશ તત્ત્વ ચાલતું હાય અને ગર્ભ રહેતા ગર્ભના નાશ થાય. એવી જ રીતે ઉપરોક્ત તત્ત્વામાં જન્મ થાય તે પણ અનુક્રમે ઉપર જણાવ્યા પ્રમાણે જ ફળ જાણવું. (૩૧૩) सुत पृथ्वी जलमें सुता', चलत प्रभंजन जाण । गर्भपतन पावक विषे, क्लीब गगन मन आन ॥ ३९४ ॥ ૬૯ પૃથ્વી તત્ત્વ ચાલતી વખતે (ગર્ભ રહે તેા) પુત્ર થાય, જલ તત્ત્વ ચાલતી વખતે (ગર્ભ રહે તેા) પુત્રી થાય, વાયુ તત્ત્વ અને અગ્નિ તત્ત્વ १ जन्मता VI * ગરભ' = ગર્ભ. Page #127 -------------------------------------------------------------------------- ________________ સ્વરાય જ્ઞાન ७० ચાલતી વખતે ગર્ભ રહે તે ગર્ભપતન થાય અને આકાશ તત્ત્વ ચાલતી વખતે ગર્ભ રહે તે બાળક નપુંસક થાય એમ મનમાં જાણે!. (૩૧૪) ―― अपना अपना स्वर विषे, है परधान विचार | तत्त्व पक्ष अवलोकतां, ये बीजा निरधार ॥ ३९५ ॥ આપણા પેાતાના સ્વર વિષે વિચાર કરવા તે મુખ્ય છે અને તત્ત્વ ખાખત અવલોકન કરવું તે બીજા પ્રકારના નિર્ણય છે. (૩૧૫) संक्रम अवसर आयके, प्रश्न करे जो कोय | अथवा गर्भ रहे तदा, नाश अवश्य तस जोय || ३१६ ।। (એક સ્વરમાંથી બીજા સ્વરમાં) સંક્રમણ થાય તે સમયે આવીને કોઈ પ્રશ્ન કરે અથવા તેા ત્યારે ( અર્થાત્ ) આવા સંક્રમણ સમયે ગર્ભ રહે તે (ગર્ભ)ને અવશ્ય નાશ થાય. (૩૧૬) का एम संक्षेपथी, गर्भ तणा अधिकार | करत गमन परदेशमें, ताका कहुं विचार ॥ ३१७ ॥ આ રીતે સક્ષેપથી મેં ગર્ભના અધિકાર કહ્યો, હવે પરદેશમાં કયારે જવું તે અંગેનું સ્પષ્ટીકરણ કરું છું. (૩૧૭) પરદેશ–ગમનનો વિચાર दक्षण पश्चिम दिशि विषे, चंद्रजोगमें जाय । गमन रहे परदेश में, सुख विलसे घर आय ॥ ३१८ ॥ (જો કેઈ) ચંદ્રવર ચાલતા હોય ત્યારે દક્ષિણ તથા પશ્ચિમ ઢિશામાં પરદેશ--ગમન કરે અને ત્યાં જઈને રહે તે (તે અવશ્ય ઉત્તમ) સુખ ભેગવીને ઘરે પાછા આવે. (૧૮) पूर्व उत्तर दिश विषे, भानुयोग बलवंत । वंछितदायक कहत हैं, जे स्वरवेदी संत ॥ ३१९ ॥ પૂર્વ તથા ઉત્તર દિશામાં (પરદેશમાં જઇને રહેવા માટે) સૂર્યસ્વર અલવાન અને ઇચ્છિત સિદ્ધિ આપનાર છે —એમ સ્વરાદય – શાસ્ત્રને જાણનારા સંતો કહે છે. (૩૧૯) -- Page #128 -------------------------------------------------------------------------- ________________ સ્વરાય જ્ઞાન विदिशि आपणी आपणी, अपणा घरमें लीन ! शुभ अरु इतर उभय विषे, समज लेहु परवीन ॥ ३२० ॥ તે તે વિદિશાનું ફળ, તે વિદિશા જે દિશાની હોય તે મુજબ જાણવું. પ્રવીણ જનાએ જે દિશા શુભ હેાય તેની વિદિશા શુભ જાણવી અને જે દિશા અશુભ હાય તેની વિદિશા પણ અશુભ જાણવી. (૩૨૦) चलत चंद नवि जाइये, पूरव उत्तर देश । गया न पाछा बाहुडे +, अथवा लहे कलेश ॥ ३२९ ॥ ખબર-અંતર ચંદ્રસ્વર ચાલતા હોય ત્યારે પૂર્વ કે ઉત્તર દિશાના દેશમાં ન જઈએ; કારણ કે તેવી રીતે ગયેલાના કાંઈ વાવડ આવતા નથી અથવા તેને ઘણા કલેશ ભાગવવા પડે છે. (૩૨૧) दक्षिण पश्चिम मत चलो, भानजोग में कोय । मरे न तोहु मरण सम, कष्ट अवस तस होय ॥ ३२२ ॥ સૂર્યવર ચાલતી વેળા દક્ષિણુ કે પશ્ચિમ દિશામાં ન જવું જોઈ એ; કારણ કે સૂર્યસ્વરમાં દક્ષિણ કે પશ્ચિમ દિશામાં જવાથી મરણ ન થાય તેય મરણુ સમાન કષ્ટ તેા અવશ્ય થાય જ છે. (૩૨૨) दूर गमनमें सर्वदा, प्रवल जोग चित्त धार । निकट पंथमें मध्यहु, जाणीजे सुखकार ।। ३२३ ।। દૂર દેશમાં ગમન કરવામાં પ્રબલ-યોગ અને નજીકના પ્રદેશમાં ગમન કરવામાં મધ્યમ કક્ષાના ચાગ સર્વદા સુખકારક થાય છે- એ વાત મનમાં નક્કી માન....(૩૨૩) तत्व युगल शुभ हे सुधी, करत प्रश्न परियान । नाम तेनुं चित्तमें, मही उदक मन आण ॥ ३२४ ॥ ૭૧ હું બુદ્ધિમાન ! ( કેઈ) પ્રયાણ સંબંધી પ્રશ્ન કરે ત્યારે, એ તત્ત્વા (જ) શુભ છે અને તેનાં નામ પૃથ્વીતત્ત્વ અને જલતત્ત્વ છે – એમ મનમાં જાણુ. (૩૨૪) - : * + · બાહુડે' અર્થાત્ ‘ વાહુડે ’ = વાવડ – ખબર-અંતર આવે તે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૭૨ સ્વરદય જ્ઞાન ऊर्ध्व दिशापति चंद है, अधो दिशापति भान । क्रूर सोम्य कारज लखी, गमन भाव पहिचान ॥ ३२५ ॥ ઉપરની દિશાને સ્વામી ચંદ્ર છે અને નીચેની દિશાનો સ્વામી સૂર્ય છે. જે કાર્ય કરવું છે તે કરે છે કે સૌમ્ય છે તે નક્કી કરી ગમન વગેરે કાર્યો કરવાં. (૩૫) सुखमन चलत न कीजीये, शुद्धि' प्रदेश प्रयाण । जावे तो जीवे नहीं, कारज हानि पिछाण ॥ ३२६ ॥ હે પંડિત! સુષુમણું નાડી ચાલતી હોય ત્યારે પરદેશમાં પ્રયાણ ન કરવું; (કારણ કે ત્યારે જે કઈ) પ્રયાણ કરે તે (તે) જીવે નહીં અથવા તે કાર્યની હાનિ થાય. (૩ર૬) तत्त्व पंचके गमनमें, होत भंग पचवीश ।* देशिक ग्रंथ करी सदा, बीतत जाण जोतीष ॥ ३२७ ॥ પરદેશગમનમાં પાંચ તત્વના પચીસ ભાંગા ભેદ) થાય છે – તે ગુરુગમથી કે શાસ્ત્રોથી જાણુને હમેશાં વિસ્તારથી જોતિષ જાણવું. (૩ર૭) जे नर वसत विदेशमें, ताकी पूछे वात । सुखी आहे अथवा दुःखी, ताथी एम कहात ॥ ३२८ ।। જે માણસ વિદેશમાં વસતે હોય તેના સમાચાર (કેઈ) પૂછે કે (તે માણસ) સુખી છે કે દુઃખી? તો તેને આ પ્રમાણે કહેવું (૩૨૮) ? સુવિ v ! * પાંચ તત્તના પચીસ ભાંગભેદ): પ્રથમ પૃથ્વી તત્વમાં પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ – એ પાંચ ત ક્રમશઃ ચાલે છે, તેવી જ રીતે જલ તત્વ વગેરે બાકીનાં તરોમાં પણ આ પાંચેય તો ક્રમશઃ ચાલતાં હોવાથી કુલ ૫૪ ૫ = ૨૫ ભાંગા(ભેદ) થાય છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ દય જ્ઞાન ૭૩ उदक तत्त्व जो होय तो, कहो तास धरी नेह ।। સુવે સિદ્ધ કારક વાર, વે' ગાવે તૈદ / રૂર. || જે તે વખતે જલ તત્વ ચાલતું હોય તે તે પૂછનારને સનેહ ધરીને કહો કે પરદેશમાં ગયેલો માણસ સુખ-પૂર્વક કાર્ય-સિદ્ધ કરી વહેલા આવશે. (૩૨૯) होय मही स्वरमें उदे, पूछे प्रश्न तिवार । तो थिर थानिक भाखीये, दुःख नहि तास लगार ॥ ३३० ।। જે તે વખતે પૃથ્વી તત્ત્વ ચાલતું હોય તે પ્રશ્ન કરનારને કહેવું કે તે નકકી કરેલા સ્થાને છે અને તેને જરા પણ દુઃખ નથી. (૩૩૦) परवासी निज थान तजी, गया दूसरे धाम । कछु चिंता चित्त तेहने, चलत वायु कहो आम ॥ ३३१ ॥ - જે વાયુ તત્ત્વ ચાલતું હોય તે કહેવું કે પ્રવાસી પોતાનું સ્થાન ત્યજીને બીજે સ્થાને ગમે છે અને તેના ચિત્તમાં કંઈક ચિન્તા વિદ્યમાન છે. (૩૩૧) रोग पीड तनमें महा, पावक चलत वखाण । नभ परकाश विदेशमें, मरण अवश तस जाण ॥ ३३२ ॥ જે અગ્નિ તત્ત્વ ચાલતું હોય તે પરદેશમાં ગયેલાને શરીરમાં રેગની મોટી પીડા છે – એમ કહેવું અને આકાશ તત્ત્વ ચાલતું હોય તે પરદેશમાં તેનું અવશ્ય મરણ થવાનું છે – એમ જાણવું. (૩૩ર) વાર અને તિથિનું તત્ત્વજ્ઞાન सूर विषम ससि मांहि सम, पगला भरतां मीत । वार तिथि इण विध करत, होवे सुण तस रीत ॥ ३३३ ॥ સૂર્યસ્વર ચાલતા હોય ત્યારે વિષમ(એકી સંખ્યાનાં પગલાં અને ચંદ્રસ્વર ચાલતું હોય ત્યારે સમ(એકી સંખ્યાનાં પગલાં ભરીએ અને ૬ વેશે છે ! ૨ થાનક v ! Page #131 -------------------------------------------------------------------------- ________________ ૭૪. સ્વદય જ્ઞાન ચંદ્રસૂર્યના વાર-તિથિમાં પણ એ પ્રમાણે કરવું. તેની રીત આ પ્રમાણે છે –તે તું સાંભળ. (૩૩૩) चंद चलत आगल धरी, डावा पगलां चार । गमन करत तिण अवसरे, होय उदधिसुतवार+ ॥ ३३४ ॥ स्वर सूरजमें जीमणा, पग आगल धरे तीन । चलत गमनमें होत है, दिनकर वार प्रवीन ॥ ३३५ ॥ स्वर विचार कारज करत, सफल होय ततकाल । तत्त्वज्ञान एहनां कह्यां', चमत्कार चित्त भाल ॥ ३३६ ।। ચંદ્રસ્વર ચાલતું હોય ત્યારે ડાબે પગ આગળ કરી તે પગનાં ચાર પગલાં પ્રથમ ભરીએ અને તે દિવસે ચંદ્રના વાર (સેમ, બુધ, ગુરુ અને શુક્ર) હોય તે ધારેલું કાર્ય તત્કાળ સફલ થાય. સૂર્યસ્વર ચાલતી વખતે જમણા પગનાં ત્રણ પગલાં આગળ કરીને ચાલવું જોઈએ અને તે દિવસે સૂર્યના વાર (રવી, મંગળ અને શનિ) હેય તે ધારેલું કાર્ય તત્કાળ સફળ થાય. આ રીતે સ્વરને વિચાર કરીને કાર્ય કરે છે તે કાર્ય તત્કાળ સફળ થાય છે. આ સ્વરના તત્વનું જ્ઞાન મેં દર્શાવ્યું છે કે જે ચિત્તમાં ચમત્કાર ઉપજાવે છે. (૩૩૪-૩૩૫-૩૩૬) સ્વરજ્ઞાનનો મહિમા तिथि वार नक्षत्र फुनि, करण योग', दिगशूल । लक्षणपात होरा लीये, दग्धतिथि अरु मूल ॥ ३३७ ॥ बृष्टिकाल कुलिका लगन, व्यतिपात स्वर भान । शुक्र अस्त अरु चोगणी', यमघंटादिक जान ।। ३३८ ॥ ? સ્ટહ્યાં છે. ૨ રણ નો વિમૂઢ V | અથવા ચોથી v ! + ‘ઉદધિસુતવાર = ‘ઉદધિસુત” એટલે “ચંદ્રમા માટે “ઉદધિસતવાર અર્થાત્ “સોમવાર'. Page #132 -------------------------------------------------------------------------- ________________ સ્વરદય જ્ઞાન इत्यादिक अपयोगको, यामें नहीं विचार । ऐसो ए स्वरज्ञान नित, गुरुगमथी चित्त धार ॥ ३३९ ॥ તિથિ, વાર, નક્ષત્ર, કરણ, યોગ, દિશાશૂળ, લક્ષણપાત, હેરા, દગ્ધતિથિ, મૂળ(નક્ષત્ર), વિષ્ટિકાલ, કુલિકા, લગ્ન, વ્યતિપાત, રાહુ(?), શકાસ્ત, ચોઘડિયાં, યમઘંટા ઈત્યાદિ કઈ જ દુષ્ટ યોગને આ સ્વરોદયમાં વિચાર કરવાને નથી; એવું આ સ્વરજ્ઞાન છે, તેને હમેશાં ગુરુગમથી ચિત્તમાં ધારણ કર. (૩૩૭–૩૩૮-૩૩૯) विगत उदक सर हंस विण, काया तरु विन पात । देव रहित देवल यथा, चंद्र विना जिम रात ।। ३४० ॥ शोभित नवि तप विण मुनि, जिम तप सुमता टार । तिम स्वरज्ञान विना गणक', शोभत नहिय लगार ॥ ३४१ ।। પાણી વિનાનું સરોવર, હંસ અર્થાત્ આત્મા વિનાની કાયા, પાંદડાં વગરનું વૃક્ષ, દેવભૂતિ વિનાનું મંદિર, ચંદ્ર વિનાની રાત્રિ, તપ વિનને મુનિ, તથા સમતા વિનાનું તપ – આ બધાં જેમ શોભતાં નથી તેમ સ્વરજ્ઞાન વિનાને ગણક અર્થાત્ જ્યોતિષી જરાય શોભત નથી. (૩૪૦–૩૪૧) साधन बिन स्वरज्ञानको, लहे न पूरण भेद । चिदानंद गुरुगम विना, साधनहु तस खेद ॥ ३४२ ॥ - સાધના વિના સ્વરજ્ઞાનને પૂર્ણભેદ કઈ પામી શકતું નથી (તેથી) ચિદાનંદ કહે છે કે ગુરુગમ વિના સાધના કરે તેને માત્ર તન–ખેદ અર્થાત્ કાય-કલેશ જ થાય છે. (૩૪૨) નરેગીશરીર માટે સ્વજ્ઞાન दक्षण स्वर भोजन करे, डावे पीये नीर । લાવી કાર + સુવતાં, હોક નિરા શરીર ને રૂ ૪૨ // છે નળ v. ૨ સરવર 1 + “કરવટ’ = પાસું, પડખું. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૭૬ સ્વદય જ્ઞાન જમણે સ્વર ચાલે ત્યારે ભજન કરે, ડાબો સ્વર ચાલે ત્યારે પાછું પીએ અને ડાબા પડખે (જે) સૂઈ રહે તેનું શરીર નીરોગી રહે છે. (૩૪૩) चलत चंद भोजन करत, अथवा नारी भोग । जल पीवे सूरज विषे, तो तन आवे रोग ॥ ३४४ ॥ होय अपच भोजन करत, भोग करत बलहीण । जल पीवत विपरीत इम, नेत्रादिक बल क्षीण ॥ ३४५ ॥ ચંદ્રવર ચાલતું હોય ત્યારે ભજન કરે અથવા સ્ત્રી–સંભોગ કરે અને સૂર્યસ્વર ચાલે ત્યારે પાણી પીએ તે શરીરમાં રોગ થાય છે, (કારણ કે ચંદ્રસ્વર ચાલતું હોય ત્યારે) ભજન કરવાથી અપચો થાય છે, ભેગ કરવાથી બલને નાશ થાય છે અને (સૂર્યસ્વર ચાલતો હોય ત્યારે) જલ પીવાથી નેત્ર આદિનું બલ ક્ષીણ થાય છે. (૩૪૪–૩૪૫) पांच सात दिन इणी परे, चले रीत विपरीत । होय पीड तनमें कछु, जाणो धरी परतीत ॥ ३४६ ॥ પાંચ સાત દિવસ આ રીતે જે વિપરીત સ્વરમાં ઉપર્યુક્ત કાર્યો ચાલે તે શરીરમાં કંઈને કંઈ પીડા થાય છે – એ વાત નકકી માનવી. (૩૪૬) बहिरभूमि* इंगला चलत, पिंगलामें लघुनीत+ । सयनदिसा सूरज विषे, करीये निसदिन मीत ॥ ३४७ ॥ હે મિત્ર! હમેશાં ચંદ્રનાડી ચાલતી વખતે મળત્યાગ અને સૂર્યનાડી ચાલતી વખતે મૂત્રત્યાગ કરે જોઈએ તથા સૂર્યસ્વર ચાલે તેવી રીતે (ડાબું પડખું ફરીને) સૂવું જોઈએ. (૩૪૭) दिवस चंदस्वर संचरे, निशा चलावे सूर । स्वर अभ्यास एसो करत, होय उमर भरपूर ॥ ३४८ ॥ * “ બહિરભૂમિ' = મળ ત્યાગ. + “લઘુનીત” = મૂત્ર- ત્યાગ. Page #134 -------------------------------------------------------------------------- ________________ સ્વરોદય પાન દિવસે ચંદ્રસ્વર ચાલે અને રાતે સૂર્યસ્વર ચાલે એ રીતને સ્વરને અભ્યાસ કરે તે (તે) ભરપૂર ઉંમરને થાય છે. (૩૪૮) - કાલ-પરીક્ષાનું જ્ઞાન कथित भाव विपरीत जो, स्वर चाले तन मांहि । मरण निकट तस जाणजो, यामें संशय नांहि ।। ३४९ ॥ ઉપર કહેલી રીતથી શરીરમાં જે સ્વર વિપરીત રીતે ચાલે તે તે માણસનું મરણ નિકટ છે –– એ વાત નિશ્ચિત માનજે, તેમાં સંશય નથી. (૩૪૯) सार्द्ध युगल घटिका चले, चंद सूर स्वर वाय । स्वास त्रयोदश सुखमना, जाणो चित्त लगाय ॥ ३५० ॥ અઢી અઢી ઘડી પયંત ચંદ્ર અને સૂર્ય સ્વરમાં વાયુ ચાલતા હોય છે અને સુષુણ્ણ સ્વરમાં વાયુ ૧૩ શ્વાસોચ્છવાસ પર્યંત ચાલતું હોય છે – એ વાત મનમાં નિશ્ચિત જાણે. (૩૫૦) अष्ट पहर जो भानघर, चले निरंतर वाय । तीन वरसका जीवणा, अधिक रहे न काय ॥ ३५१ ।। આઠ પ્રહર પર્યત જે શ્વાસ આંતરા વિના સૂર્યના ઘરમાં (એટલે કે સૂર્યસ્વરમાં) ચાલે તે જાણવું કે ત્રણ વર્ષનું જીવન બાકી છે, તેથી વધારે સમય કાયા રહી શકે નહીં. (૩૫૧) चले निरंतर पिंगला, षोडश प्रहर प्रमान । दोय वरस काया रहे, पीछे जावे पान ॥ ३५२ ॥ જે આંતરા વિના પિંગળા (સૂર્યસ્વર) સેળ પ્રહર પર્યંત ચાલે તે જાણવું કે બે વર્ષ પર્યત કાયા ટકે અને પછી પ્રાણ ચાલ્યા જાય. (૩૫ર) भान निरंतर जो चले, रात दिवस दिन तीन । वरस एक रही होय फुनि, दीरघ निद्रा लीन ॥ ३५३ ॥ xपाठांतर - यामें संशय नांहि । Page #135 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સ્વરદય જ્ઞાન સૂર્યસ્વર જે આંતરા વિના ત્રણ દિવસ અને ત્રણ રાત ચાલે તો જાણવું કે એક વર્ષનું આયુષ્ય બાકી છે એટલે કે તે પછી દીર્ઘ-નિદ્રામ લીન થાય. (૩૫૩) सोलस दिन जो भानघर, चले रात दिन स्वास । चिदानंद निश्चल करी, जीवे ते इक मास ॥ ३५४ ॥ સેળ દિવસ સુધી જે સૂર્યસ્વર લાગેલાટ રાત અને દિવસ ચાલે તે ચિદાનંદ કહે છે કે નિશ્ચય તે મનુષ્ય એક માસ (પર્યંત) જીવે. (૩૫) मास एक अहनिसि वहे, सूरज स्वर तन मांहि । दोन' दीनाका जीवणा, यामें संशय नांहि ॥ ३५५ ।। એક મહિના પત રાત અને દિવસ લાગલગાટ જે સૂચસ્વર ચાલે તે મનમાં (સમજવું કે) માત્ર બે દિવસનું જ જીવન બાકી છે – આ વાતમાં સંશય નથી. (૩૫૫) चले निरंतर सुखमना, पांच घडी स्वर भाल । पांच घडी सुखमन चलत, मरन होय ततकाल ॥ ३५६ ॥ - જે નિરંતર સુષુમણું નાડી પાંચ ઘટિકા પર્યંત ચાલે અને ત્યાર બાદ પાંચ ઘટિકા સૂર્યસ્વર ચાલે તથા ફરી પાંચ ઘટિકા સુષુમણું ચાલે તે તત્કાલ મૃત્યુ થાય. (૩પ૬) नहीं चंद सूरज नहीं, सुखमनभी नहीं होय । मुखसेंती स्वासा चलत, चार घडी थिति जोय ॥ ३५७ ॥ - ચંદ્રસ્વર પણ ન ચાલે. સૂર્યસ્વર પણ ન ચાલે અને સુષુમણુસ્વર પણ ન ચાલે પરંતુ મુખથી જ શ્વાસ ચાલે તે સમજવું કે ચાર ઘટિકા પર્યતનું જ જીવન શેષ રહ્યું છે. (૩૫૭) दिनमें तो ससि स्वर चले, निशा भान परकाश । चिदानंद निश्चे अति, दीरघ आयु तास ॥ ३५८ ।। ? હોય v | Page #136 -------------------------------------------------------------------------- ________________ સ્વરાય જ્ઞાન ૭૯ દિવસે ચંદ્રસ્વર ચાલે અને રાત્રિએ સૂર્યસ્વર ચાલે તા ચિદાનંદ અતિ નિશ્ચય-પૂર્વક કહે છે કે તેનું આયુષ્ય લાંબું છે. (૩૫૮) दिवानाथ होय दिवसमें, निसा निसाकर स्वास । चिदानंद पटमास तस, जीवितव्यनी आश ॥ ३५९ ॥ દિવસે સૂર્યસ્વર ચાલતા હાય અને રાતે ચંદ્રસ્વર ચાલતા હાય, તે ચિદાનંદ કહે છે કે તેનાં જીવનની આશા માત્ર છ મહિના જાણવી. (૩૫૯) चार आठ द्वादश दिवस, षोडश वीश विचार | चलत चंद नितमेव इम, आयु दीरघ धार ॥ ३६० ॥ ચાર, આઠ, ખાર, સોળ કે વીસ દિવસ ચંદ્રનાડી રાત-દિવસ ચાલ્યા કરે તો આયુષ્ય દીર્ઘ છે—તેમ ધારવું. (૩૬૦) रात दिवस जो तीन दिन, चले तत्त्व आकाश | वरस दिवस कायाथिति, तिस उपरांत विनाश ॥ ३६१ ॥ જો ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી આકાશ તત્ત્વ ચાલે તે ૧ વર્ષ પર્યંત કાયા ટકે, તે પછી તેના વિનાશ થાય છે, (૩૬૧) अहोराति दिन चार जो, चले तत्त्व आकाश | थिरता तनकी जाणजो, उत्कृष्टी षटमास || ३६२ ॥ જો ચાર દિવસ અને ચાર રાત નિર ંતર આકાશ તત્ત્વ ચાલે તે આયુષ્ય વધારેમાં વધારે છ માસ શેષ રહ્યું છે — એમ જાણવું, (૩૬૨) अरुणघृती' ध्रुव बालिका, मातृमंडले जोय । ए चारुं नवि लखी शके, आयु हीन नर कोय ॥ ३६३ ॥ અરુંધતી, ધ્રુવ, બાલિકા* અને માતૃમંડલ-આ ચાર પદાને જે મનુષ્યનું આયુષ્ય સમાપ્ત થવા આવ્યું હૈયા તે દેખી શકત્તા નથી. (૩૬૩) ? અહળપતિ V I * બાલિકા’ = ભ્રૂ કુટીના મધ્યભાગ. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૮૦ નિર્દેાં' નાસા ગ્રે નિ, મૂજો મધ્ય વિષાર । ઘર ગોવા' નીર્જી દી, શ્રમથી વિત્ત ધાર | ૩૬૪ ||* જીભ, નાસિકાના અગ્રભાગ, ભ્રૂકુટિના મધ્યભાગ અને પોતાના નેત્રાની કીકી એ અનુક્રમથી અરુંધતી વગેરેને જાણવા. (૩૬૪) रसना ससि दिवस थिति, घ्राण हुतासन जान । बालिका नव तारका, पंच काल पहिचान || ३६५ ॥ જીભ ન દેખાય તે એક દિવસ, નાસિકાના અગ્રભાગ ન દેખાય તે ત્રણ દિવસ, ભ્રૂકુટિના મધ્યભાગ ન દેખાય તેા નવ દિવસ તથા કીકી ન દેખાય તે પાંચ દિવસનું આયુષ્ય શેષ છે એમ જાણવું. (૩૬૫) * નૌહા V | ૨ શ્રૃો ન સરખાવાઃ अरुंधतीं ध्रुवं चैव, विष्णोस्त्रीणि पदानि च । ક્ષીળાયુષો ન વસ્તિ, ચતુર્થ માતૃમ જીમ્ ॥ સ્વરોદય જ્ઞાન ર્વજોયા V | अरुन्धती भवेज्जिह्वा, ध्रुवो नासाग्रमुच्यते । तारा विष्णुपदं प्रोक्तं, भ्रुवौ स्यान्मातृमण्डलम् ॥ ( યોગાસ્ત્ર : પંચમ-પ્રારા, સ્ટો, ૨૬ ની ટીકા ) અ:- લૌકિકો પણ કહે છે કે ક્ષીણ થયેલા આયુષ્યવાળા અરુ ધતી એટલે જિહ્વા, ધ્રુવ એટલે નાસાગ્ર ભાગ, વિષ્ણુનાં ત્રણ પગલાં (આકાશ) એટલે તારા(આંખની કીકી) અને ચોથું માતૃમંડલ એટલે બ્રૂ-મધ્ય ભાગ દેખી શકતા નથી. અરુ ધતી એટલે જીભ, ધ્રુવ એટલે નાસિકાના અગ્રભાગ, તારા એટલે આકાશ અને ભૂ-મધ્ય એટલે ભમ્મરના મધ્યભાગ સમજવે. +પાઠાંતર-ક્ષક્ષ વાળિા તારા, વાહ મા[વાળ] હિાન ॥ Page #138 -------------------------------------------------------------------------- ________________ સ્વદય જ્ઞાન लघुनीति वडिनीत पुन, वायुश्रव सम काल । होय दिवस दस तेहनी, कायथिति बुध भाल ॥ ३६६ ॥* હે સુજ્ઞ! લઘુનીતિ, વડીનીતિ અને વાયુશવ (છીંક તથા વીર્યસ્ત્રાવ) એકસાથે થાય છે તેનું આયુષ્ય માત્ર દશ દિવસ જ બાકી છે – એમ ડાહ્યા માણસે જાણવું. (૩૬૬) गाज वीज दोउं नहीं, मेघ न खंचे धार । कागवास आवास तस, हंसा गमन विचार ॥ ३६७ ॥ ગાજવીજ બને ન હોય તથા મેઘ વરસતે ન હોય (છતાં તે ભાસ થાય) અને તેના આવાસ ઉપર કાગડાઓ બેસવા લાગે તે પ્રાણ ચાલ્યા જવાના છે – તેમ જાણવું. (૩૬૭) अधिक चंद्र सुख भाल जस, चलत कायमें जान । चंद सूर दोउं गया, मरन समो पहिचान ॥ ३६८ ॥ જેન (સૂર્યસ્વર કરતાં) ચંદ્રસ્વર અધિક ચાલે તેને કાયામાં સુખ પ્રાપ્ત થાય તથા ચંદ્ર અને સૂર્ય બંને સ્વર ચાલ્યા જાય તે સમજવું કે મરણ સમીપ છે. (૩૬૮) एक पक्ष विपरीत स्वर, चलत रोग तन थाय । दोउं पक्ष सज्जन अरि, त्रीजे मरण कहाय ॥ ३६९ ॥ એક પખવાડિયા સુધી જે સ્વર વિપરીત રીતે ચાલે તો શરીરમાં રેગ થાય છે. બે પખવાડિયા પર્યત જે સ્વર વિપરીત રીતે ચાલે તે સજજને (અર્થાત્ મિત્રો પણ) દુશમન થાય છે અને ત્રણ પક્ષ પયંત જે સ્વર વિપરીત રીતે ચાલે તે મરણ-સૂચક છે. (૩૬૯) * સરખા :-- क्षुत-विण्भेद-मूत्राणि, भवन्ति युगपद् यदि । मासे तत्र तिथौ तत्र, वर्षान्ते मरणं तदा।। (યોગરાત્રિ : પંચમ-પ્રારા સ્ટોઃ ૨૩૬) અર્થ-જે કઈ મનુષ્યને એકીસાથે છીંક, વિષ્ટા, વીર્યસ્ત્રાવ અને મૂત્ર થઈ જાય, તે તેનું તે વર્ષના અંતે તે જ મહિને અને તે જ દિવસે મૃત્યુ થાય. Page #139 -------------------------------------------------------------------------- ________________ સ્વદય જ્ઞાન अग्नि बाण बिंदु लखण, इत्यादिक बहु रीत । काल परीक्षाकी सहु, जाणो गुरुगम मीत ।। ३७० ॥ અગ્નિ, બાણ, બિન્દુ તથા લક્ષણ ઇત્યાદિ ઘણી રીતે આયુષ્ય જાણવાની છે. હે મિત્ર! તે (સર્વ રીતે ) ગુરુગમથી જાણવી જોઈએ. (૩૭૦) અધ્યાત્મ જ્ઞાન अवसर निकट मरण तणो, जब जाणे बुधलोय । तब विशेष साधन करे, सावधान अति होय ॥ ३७१ ।। પંડિત પુરુષ “મરણને અવસર નિકટ આવ્યું છે–એમ જ્યારે જાણે ત્યારે અતિશય સાવધાન થઈને વિશેષ પ્રકારે ધર્મ-સાધન કરે અર્થાત્ ધર્મની ઉપાસના કરે. (૩૭૧) धर्म अर्थरु काम शिव, साधन जगमें चार । व्यवहारे व्यवहार लख, निहचे निज गुण धार ॥ ३७२ ॥ (૧) ધર્મ, (૨) અર્થ, (૩) કામ અને (૪) મેક્ષ–જગતમાં આ ચાર સાધને (પુરુષાર્થો) છે; (વળી વ્યવહાર અને નિશ્ચયમાં) વ્યવહારને વ્યવહાર પૂરતે રાખો પણ નિશ્ચયને આત્માના ગુણ તરીકે ધારણ કરે. (૩૭૨) (૧) ધર્મની વ્યાખ્યા मूरख कुल आचारकू, जाणत धरम सदीव । वस्तुस्वभाव धरम+ सुधी, कहत अनुभवी जीव ।। ३७३ ।। મૂર્ખ માણસ કુલ-આચારને સદાય ધર્મ તરીકે જાણે છે જ્યારે પંડિત અનુભવી જીવ વસ્તુ–સ્વભાવને ધર્મ કહે છે. (૩૭૩) + સરખાવોઃ- “વરઘુરાવો ધમ્મો” Page #140 -------------------------------------------------------------------------- ________________ સ્વરદય જ્ઞાન (૨) અર્થની વ્યાખ્યા खेह खजाना• अरथ, कहत अज्ञानी जीह' । कहत द्रव्य दरसावकू, अर्थ सुज्ञानी भीह ॥ ३७४ ॥ અજ્ઞાની જીવ ધન-ભંડારને “અર્થ” તરીકે પિછાણે છે જ્યારે જ્ઞાની આત્મ-દ્રવ્યના સ્વરૂપ દર્શનને “અ” કહે છે. (૩૭) (૩) કામની વ્યાખ્યા दंपतिरति क्रीडा, प्रत्ये, कहत दुर्मति काम । काम चित्त अभिलाखकू, कहत सुमति गुणधाम ॥ ३७५ ।। દુષ્ટ બુદ્ધિવાળો જીવ દંપતીની રતિક્રીડાને “કામ” કહે છે જ્યારે ગુણેના ધામ જે સદ્બુદ્ધિવાળે આત્મા ચિત્તના અભિલાષને “કામ” કહે છે. (૩૭૫) (૪) મોક્ષની વ્યાખ્યા इंद्रलोककू कहत शिव, जे आगमग हीण । વંધમાર વરિ, માયત નિત પરવીન રૂદ્દ જે (જીવ) આગમ રૂપી નેત્રે વિનાને છે તે ઈન્દ્રલેકને “મેક્ષ' કહે છે જ્યારે પ્રવીણ પુરુષ હમેશાં જ્યાં કર્મના બંધને અભાવ છે, જ્યાંથી કદી પાછા આવવાનું નથી – એવી અચલ-ગતિને મોક્ષ' કહે છે. (૩૭૬). इम अध्यातमपद लखी, करत साधन' जेह । चिदानंद निज धर्मनो, अनुभव पावे तेह ॥ ३७७ ॥ આ રીતે ઉપર જણાવેલા) અધ્યામ-પદોને ઓળખી જે સાધના કરે છે, તે (ચિદાનંદ કહે છે કે, પોતાના ચિદાનંદ ધર્મને (અર્થાતુ પિતાના અનંત જ્ઞાનાદિ ગુણોને) અનુભવ પ્રાપ્ત કરે છે. (૩૭૭) ૨ નેહ Vા ૨ હૈદ v\ રૂ સાધના v ! Page #141 -------------------------------------------------------------------------- ________________ સ્વરદય જ્ઞાન समयमात्र परमाद नित, धर्मसाधना मांहि । કથિત સંસાર ત્રિા, રે નર વાર નહિરૂ૭૮ ! . હે મનુષ્ય! આ સંસારને અસ્થિર સ્વરૂપ જાણીને નિત્ય ધર્મસાધનામાં સમયમાત્ર પણ પ્રમાદ ન કરીશ. (૩૭૮) छीजत छिन छिन आउखो, अंजलि जल जिम मीत । कालचक्र माथे भमत, सोवत कहा अभीत ॥ ३७९ ॥ હે મિત્ર! અંજલિમાં રહેલું જલ જેમ સમયે સમયે ઝરતું જાય છે તેમ આયુષ્ય ક્ષણે ક્ષણે ઘટી રહ્યું છે. કાલચકમાથે ભમ્યા કરે છે તે. પછી નિભીક બનીને તું શા માટે સૂઈ રહ્યો છે? (૩૭૯) तन धन जोबन कारिमा, संध्या राग समान । सकल पदारथ जगतमें, सुपन रूप चित्त जान ॥ ३८० ॥ શરીર, ધન, વન – આ બધા સંધ્યાના રંગ જેવા ક્ષણ-સ્થાયી છે અને આ વિશ્વમાં દેખાતા સઘળા પદાર્થો સ્વપ્ન જેવા (અસત) છે – એમ ચિત્તમાં સમજ. (૩૮૦) मेरा मेरा मत करे, तेरा है नहीं कोय । चिदानंद परिवारका, मेला है दिन दोय ॥ ३८१ ॥ તું “આ મારું” “આ મારું;” – એમ ન કર. અહીં તારું કંઈ નથી. ચિદાનંદ કહે છે કે સ્વજન પરિવારને આ બે દિવસને મેળે છે. (૩૮૧) ऐसा भाव निहारी नित, कीजे ज्ञान विचार । मिटे न ज्ञान विचार बिन, अंतरभाव विकार ॥ ३८२ ॥ આ બધા ભાવે જોઈ હમેશાં જ્ઞાનને વિચાર કરે જોઈએ - જ્ઞાનના વિચાર વિના અંતરના ભાવ (અર્થાત વૃત્તિઓ) અને વિકાર મટતા નથી – દૂર થતાં નથી. (૩૮૨) Page #142 -------------------------------------------------------------------------- ________________ સ્વરોદય જ્ઞાન ज्ञानरवि वैराग जस, हीरिदे चंद समान । તાસ નિટ જ્હો શિમ રહે, મિથ્યા તમ' દુઃ૬ જ્ઞાન | ૨૮૨ ॥ જેના હૃદયમાં જ્ઞાનરૂપી સૂર્ય અને વૈરાગ્યરૂપી ચંદ્ર સદા વસે છે, તેની નજીક દુઃખની ખાણુ સમાન મિથ્યાત્વરૂપી અંધકાર કેમ રહે ? (૩૮૩) आप आपणे रूप में, मगन ममत मल खोय | રહે નિરંતર સમરસી, તાસ બંધ નાવ જોય | ૨૮૪ || જે આત્મા પોતાના સ્વરૂપમાં મગ્ન બની મમત્વરૂપી મલનો નાશ કરે છે અને સદાકાળ સમરસ ભાવમાં જ રહે છે. તેને કોઈ જાતના કર્મબંધ થતા નથી. (૩૮૪) परपरणित परसंगशुं, उपजत विणसत जीव । મિથ્યા મોઢ પમાય છે, પણ બધિત શિવ || ૨૮૧ ॥ ર આ જીવ પર-પરિણતિથી પર-સ્વભાવમાં રમણ કરવાના કારણે જ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે પણ જ્યારે મેહરૂપી પરભાવ દૂર થાય છે ત્યારે તે અચલ અને અવ્યાબાધ એવા માક્ષરૂપી સ્થાનને પ્રાપ્ત કરે છે. (૩૮૫) जैसे कंचुक' त्यागथी, विणसत नहीं भुयंग | ટૂદત્ત્વાળી નીય થળ, તૈસે રત લમંદ ॥ ૨૮૬ ॥ ૮૫ જેવી રીતે કાંચળીના ત્યાગથી સર્પના નાશ નથી થતા, તેવી જ રીતે જીવ પણ દેહના ત્યાગથી અભંગ જ રહે છે અર્થાત્ નાશ પામતા નથી. (૩૮૬) जो उपजे सो तुं नहीं, विणसत ते पण नांहि । छोटा मोटा तुं नहीं, समज देख दिल मांहि ॥ ३८७ ॥ જેના જન્મ થાય છે તે તું ( અર્થાત્ આત્મા) નથી અને જે નાશ પામે છે તે (અર્થાત્ શરીર) પણ તું નથી; જે નાનાં કે મોટા થાય છે તે પણ તું નથી – આ વસ્તુ સમજ અને ચિત્તમાં વિચાર. (૩૮૭) મત V ૨ અાષિત-V | રૂઆ ંધ્રુજી V । Page #143 -------------------------------------------------------------------------- ________________ સ્વરદય જ્ઞાન वरणभांति तोमें नहीं, जात पात कुल रेख । राव रंक तुं है नहीं, नहीं बाबा नहीं भेख ॥ ३८८ ॥ તારામાં કેઈ વર્ણ ( બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર ) નથી, જાતિ-પતિ કે કુલની રેખા નથી, તું રાજા કે રંક નથી કે તે સાધુ કે વેશ નથી. (૩૮૮) तुं सहुमें सहुथी सदा, न्यारा अलख सरूप । અથ થા તેરી મહા, વિદ્વાનંદ વિદ્રા ૨૮૨ / તું સહુમાં છે, છતાં સહુથી ન્યારે અલખ અથતુ ન સમજાય તેવા સ્વરૂપવાળે છે. તારી કથા અકથ અર્થાત ન કહી શકાય તેવી છે તથા જ્ઞાન અને આનંદ એ જ તારું સ્વરૂપ છે. (૩૮૯) जनम मरण जिहां है नहीं, ईत+ भीत* लवलेश । नहीं शिर आण नरिंदकी, सोही अपणा देश ॥ ३९० ॥ (હે ચેતન!) જ્યાં જન્મ કે મરણ નથી, જ્યાં કોઈ પણ જાતની ઈતિ કે લવલેશ ભય નથી, જ્યાં માથે કે રાજાની આણ નથી, તે જ (મેલ) આપણો દેશ છે. (૩૯૦). विनाशिक पुद्गल दिशा', अविनाशी तुं आप । आपा आप विचारतां, मिटे पुण्य अरु पाप ॥ ३९१ ।। પુદ્ગલની દશા વિનાશ પામનારી છે, જ્યારે તું સ્વયં અવિનાશી છે – (આવા) આત્મસ્વરૂપને પોતે પોતાનામાં વિચાર કરે તે (શીધ્ર) પુણ્ય અને પાપને અર્થાત્ શુભાશુભ કર્મને નાશ થાય છે. (૩૯૧) ૨ પુત્ર શા v . + ઈતિના સાત પ્રકાર છે:- (૧) અતિવૃષ્ટિ, (૨) અનાવૃષ્ટિ, (૩) તીડ, (૪) ઉંદર, (૫) પિપટ-સુડા, (૬) સ્વ-ચક્ર અને (૭) પર -ચક્ર. * ભયના સાત પ્રકાર છે:-(૧) રાગભય, (૨) જલભય, (૩) અગ્નિભય, (૪) સપૈભય, (૫) સિંહભય, (૬) ગજભય અને (૭) રણુભય. Page #144 -------------------------------------------------------------------------- ________________ સ્વરોદય જ્ઞાન बेडी लोह कनकमयी, पाप पुण्य युग जाण । दोउंथी न्यारा सदा, निज सरूप पहिछाण ॥ ३९२ ॥ પાપ અને પુણ્ય—એ બંને લેાઢાની અને સાનાની મેડીએ છે; એ બંનેથી સદા ન્યારું એવું તારું સ્વ-સ્વરૂપ છે-તેને તું ઓળખ. (૩૯૨) जुगल गति शुभ पुण्यथी, इतर पापथी जोय । चारुं गति निवारीये, तब पंचमगति होय ॥ ३९३ ॥ જ્યારે આ એ (શુભ)ગતિ (દેવ – મનુષ્ય) પુણ્યથી પ્રાપ્ત થાય છે બાકીની એ (અશુભ)ગતિ (નારક – તિર્યંચ) પાપથી પ્રાપ્ત થાય છે ચારે ગતિનું નિવારણ કરીએ ત્યારે પાંચમી ગતિ (મેક્ષ ) પ્રાપ્ત થાય છે. (૩૯૩) पंचमगति विण जीवकूं, सुख तिहुं लोक मजार । चिदानंद नवि जाणजो, ए महोटो निरधार ।। ३९४ ॥ પાંચમી તિ (મેાક્ષ) વિના આ જીવને ત્રણે લેાકમાં કયાંય ચિદાનંદ અર્થાત્ આત્મિક-સુખ નથી; એમ જાણો – આ જ મહા નિરધાર છે – એમ ચિદાનંદ કહે છે. (૩૪) इम विचार हरिदे करत, ज्ञान ध्यान रस लीन । निरविकल्प रस अनुभवी, विकल्पता होय छीन ॥ ३९५ ॥ ૨૭ આ પ્રમાણે હૃદયમાં વિચાર કરતાં જે જ્ઞાન અને ધ્યાનના રસમાં લીન થાય છે તે નિવિકલ્પ-રસને અનુભવે છે અને તેની વ્યાકુલતા નાશ પામે છે. (૩૫) निरविकल्प उपयोगमें, होय समाधिरूप | अचलज्योति जलके तिहां, पावे दरस अनूप ॥ ३९६ ॥ આત્મા નિવિકલ્પ ઉપયાગમાં સમાધિસ્વરૂપ બને છે, ત્યારે ત્યાં નિશ્ચલ (જ્ઞાન)જ્યેાતિ ઝગમગે છે અને અનુપમ (એવા સ્વ-સ્વરૂપનાં) દર્શન થાય છે. (૩૯૬) Page #145 -------------------------------------------------------------------------- ________________ સ્વદય જ્ઞાન देख दरस अद्भुत महा, काल त्रास मिट जाय । ज्ञानयोग उत्तम दिशा', सद्गुरु दीये बताय ॥ ३९७ ॥ (સાધક) જ્યારે આવા મહા અદ્દભુત (આત્મ-સ્વરૂપનું) દર્શન કરે છે ત્યારે કાળને ત્રાસ મટી જાય છે; સદગુરુએ જ્ઞાન-ગની આ ઉત્તમભૂમિકા (દશા) વર્ણવી છે. (૩૭) ज्ञानालंबन दृढ ग्रही, निरालंबता भाव । चिदानंद नित आदरो, एहिज मोक्ष उपाय ॥ ३९८ ॥ જ્ઞાનના આલંબનને લક્ષ્યમાં રાખી નિરાલંબનતાને ભાવ હમેશાં આદરેએ જ મોક્ષનો ઉપાય છે–એમ ચિદાનંદ કહે છે. (૩૮) थोडासामें जाणजो, कारज रूप विचार । कहत सुणत श्रुतज्ञानका, कबहुं न आवे पार ॥ ३९९ ॥ કહેતાં અને સાંભળતાં મૃત-જ્ઞાનને પાર કદી આવતું જ નથી, તેથી સંક્ષેપમાં કહેલા કર્તવ્ય-વિચારને તમે (બરાબર ધ્યાનથી ) સમજજે. (૩૯) में मेरा ए जीवकू, बंधन महोटा जान । में मेरा जाकुं नहीं, सोही मोक्ष पीछान ।। ४०० ॥ “હું” અને “મારું”—એ જ જીવને મેટામાં મેટું બંધન છે. “હું” અને “મારું”-જેને નથી તેને જ મેક્ષ છે – એમ તું સમજ. (૪૦૦) में मेरा ए भावथी, वधे राग अरु रोष । राग रोष जौं लों हिये, तौं लों मिटे न दोष ॥ ४०१ ॥ હું” અને “મારું” – આ ભાવથી રાગ અને દ્વેષ થાય છે, જ્યાં સુધી હૈયામાં રાગ અને દ્વેષ હશે ત્યાં સુધી (જન્મ-મરણ આદિ) દોષ મટશે નહીં. (૪૧). ૨ વર VT. Page #146 -------------------------------------------------------------------------- ________________ સ્વરોદય જ્ઞાન रागद्वेष जाकुं नहीं, ताकुं काल न खाय । कालजीत जगमें रहे, महोटा बिरुद धराय ॥ ४०२ ॥ જેને રાગ અને દ્વેષ નથી તેને કાલ કદી ખાઈ શકતો નથી; તે મનુષ્ય કાલને જીતી, મોટા બિરૂદને ધારણ કરીને જગતમાં (સદા અમર) રહે છે. ( ૨) चिदानंद नित कीजीये, समरण श्वासोश्वास । वृथा अमूलक जात है, श्वास खबर नहीं तास ॥ ४०३ ॥ (ચિદાનંદ કહે છે કે હે જીવ!) પ્રત્યેક શ્વાસોચ્છવાસમાં હમેશાં ચિદાનંદનું (અર્થાત્ પોતાના શુદ્ધ આત્મ-સ્વરૂપનું) સ્મરણ કરવું જેને, શ્વાસની (અર્થાત્ સ્વરદયની) ખબર નથી, તેનાં અમૂલ્ય શ્વાસ ફેગટ જઈ રહ્યા છે. (૪૦૩). શ્વાસે શ્વાસ અને આયુ एक मुहूरत मांहि नर, स्वरमें श्वास* विचार । तिहुंतर अधिका सातसो, चालत तीन हजार' ॥ ४०४ ।। एक दिवसमें एक लख, सहस्र त्रयोदश धार । एकशत नेवू जात है, श्वासोश्वास विचार ॥ ४०५ ।। મનુષ્યને એક મુહૂર્તમાં (અર્થાત બે ઘડી ૪૮ મિનિટમાં) – કેટલા શ્વાસ ચાલે છે? એને વિચાર કરીએ તે એક મુહૂર્તમાં ૩૭૭૩ ત્રણ હજાર, સાત સો અને તાંત૨ શ્વાસ ચાલે છે, અને આખા દિવસમાં ૧૧૩૧૯૦ એક લાખ, તેર હજાર, એક છે અને નવુ ધાસ ચાલે છે. (૪૦૪-૪૦૫) फुनि शत सहस पंचाणवे, भाखे तेत्रीश लाख । एक मासमें श्वास इम, एहवी प्रवचन शाख ॥ ४०६ ॥ ? રૂ૭૭રૂ v ! ૨ શરૂ ૧૬૦ vરૂ મુનિ v. ૪ રૂરૂ૫૬૭૦૦ VI * અહીં ‘શ્વાસનો અર્થ ‘હૃદયનો ધબકારો' હોય તેમ જણાય છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ સ્વદય જ્ઞાન (અને) એક મહિનામાં ૩૩૫૭૦૦ તેત્રીસ લાખ, પંચાણુ હજાર અને સાત સે ધાસ ચાલે છે –એવી શાસ્ત્રની સાક્ષી છે. (૪૦૬) चउसत अडताली सहस, सप्त लक्ष स्वर मांहि । चार क्रोड इक वरसमां, चालत संसय नांहि ॥ ४०७ ।। (અને એક વર્ષમાં ૪૦૭૪૮૪૦૦ ચાર કેડ, સાત લાખ, અડતાલીસ હજાર અને ચાર સો –– એટલા શ્વાસ ચાલે છે. (૪૦૭) चार अबज कोडी सपत, पुनः अडतालीस लाख । स्वास सहस चालीस सुधी, सो वरसामें भाख ॥ ४०८ ॥ (અને) હે સુધી ! સે વર્ષમાં ૪૦૭૪૮૪૦૦૦૦ ચાર અબજ, સાત કેડ, અડતાલીસ લાખ અને ચાલીસ હજાર શ્વાસ થાય છે. (૪૦૮) वर्तमान ए कालमें, उत्कृष्टी थिति जोय । एक शत सोले वर्षनी, अधिक न जीवे कोय ॥ ४०९ ।। આ વર્તમાન કાળમાં (મનુષ્યના આયુષ્યની) ઉત્કૃષ્ટ સ્થિતિ એક સોળ વર્ષની હોય છે – એથી અધિક કેઈ જીવતું (જણાતું) નથી. (૪૦૯) सोपक्रम आयु* कह्यो, पंचमकाल मजार । सोपक्रम आयु विषे, घात अनेक विचार ॥ ४१० ॥ પાંચમા આરામાં સેપક્રમ-આયુષ્ય કહ્યું છે અને સેપક્રમઆયુષ્યમાં અનેક ઘાતે આવે છે–તેને તે વિચાર કર. (૧૦) मंद स्वास स्वरमें चलत, अल्प उमर होय खीण । अधिक स्वास चालत अधिक, हीण होत परवीण ॥ ४११ ॥ ૨ ૪૦૭૪૮૪૦૦ v. ૨ ૪૦૭૪૮૪૦૦૦૦ VI * આયુષ્ય બે પ્રકારનાં છે : જે આયુષ્યનો વિષપ્રયોગ કે શસ્ત્રાસ્ત્રના આઘાત આદિથી એકદમ ક્ષય થઈ જાય અને મૃત્યુ થાય તેવા આયુષ્યને અપવર્તનીયઆયુષ્ય અથવા કે “સોપક્રમ-આયુષ્ય' કહે છે; જ્યારે જે આયુષ્ય તેના પૂરેપૂરા સમય સુધી ભગવાય અને પછી જ મૃત્યુ થાય અર્થાત વિષ-પ્રયોગ કે શસ્ત્રશાસ્ત્રના આઘાત આદિથી જેનો ક્ષય ન થાય તેવા આયુષ્યને અનપવર્તનીયઆયુષ્ય” અથવા “નિપક્રમ – આયુષ્ય' કહે છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૯૧ સ્વરોદય જ્ઞાન હે પ્રવીણુનર! સ્વરમાં જ્યારે શ્વાસ મંદ ચાલે ત્યારે આયુષ્ય ઓછું ક્ષીણ થાય છે અને જ્યારે શ્વાસ અધિક ચાલે ત્યારે આયુષ્ય પણ અધિક ક્ષીણ થાય છે. (૧૧) चार समाधि लीन नर, षट शुभध्यान मजार । तुष्णा' भाव बेठा जु दस, बोलत द्वादश धार ॥ ४१२ ॥ સમાધિમાં લીન મનુષ્યના જેટલા સમયમાં ચાર શ્વાસોશ્વાસ ક્ષણ થાય છે તેટલા જ સમયમાં શુભધ્યાન વખતે છ વાસ ક્ષીણ થાય છે, મનપણે બેઠેલાના દસ શ્વાસ ક્ષીણ થાય છે અને બેલતી વખતે બાર વાસ ક્ષીણ થાય છે. (૧૨) चालत सोलस सोवतां, चलत स्वास बावीश । नारी भोगवतां जाणजो, घटत स्वास छत्रीश ॥ ४१३ ॥ ચાલતી વખતે સેળ શ્વાસ ક્ષીણ થાય છે, સૂતી વખતે બાવીસ વાસ ચાલે છે અને સ્ત્રી-સંગ કરતાં છત્રીસ શ્વાસ ઘટે છે. (૧૩) थोडी वेला मांहे जस, वहत अधिक स्वर श्वास । आयु छीजे बल घटे, रोग होय तन तास ॥ ४१४ ॥ ઘેડી વારમાં જે માણસને સ્વરમાં અધિક શ્વાસ ચાલે છે, તેનું આયુષ્ય ક્ષીણ થાય છે, બળ ઘટે છે અને તેના શરીરમાં રોગ થાય છે. (૪૧૪) अधिका नांहि बोलीये, नहीं रहीये पड सोय । अति शीघ्र नवि चालीये, जो विवेक मन होय ।। ४१५ ॥ જે તમારા મનમાં વિવેક હોય તે અધિક બેલવું ન જોઈએ. અધિક પડ્યા રહેવું કે સૂઈ રહેવું ન જોઈએ તથા અતિ શીવ્રતાથીઉતાવળથી ચાલવું પણ ન જોઈએ. (૧૫) પ્રાણાયામ અને અજપ-સ્મરણ जाण गति मन पवनकी, करे स्वास थिर रूप । सोही प्राणायामको, पावे भेद अनूप ।। ४१६ ॥ ? તૂur v ! Page #149 -------------------------------------------------------------------------- ________________ સ્વદય જ્ઞાન | મન અને પવનની ગતિને જાણને જે મનુષ્ય શ્વાસને સ્થિર કરે છે, તે જ પ્રાણાયામને અનુપમ ભેદ પામે છે. (૧૬) मेरु रुचक प्रदेशथी*, सूरतडोरकु+ पोय । कमलबंध छोडया थकां, अजपा समरण होय ॥ ४१७ ॥ મેરુના મધ્યભાગમાં – નાભિ સ્થાને રહેલા આત્માના આઠ ચકપ્રદેશથી કુંડલિનીને સુષુમણામાં પરોવીને (અર્થાત્ નાદાનુસંધાનની એકાગ્રતાથી પ્રવિષ્ટ કરીને) કમળ-બંધને છોડવાથી (અર્થાતુ ષકભેદનથી) અજપા-મરણ નિરંતર થાય છે. (૪૧૭) भमर गुफामें जायके, करे अनिलकू पान । पछे हुतासन ते हने', मिले दसम अस्थान ॥ ४१८ ॥ ભ્રમર-ગુફામાં જઈને પવનનું પાન કરે (અર્થાત્ ભૂ-મથે ધ્યાન કેન્દ્રિત કરીને વાયુને અંદર ખેંચીને કુંભક કરે), પછી તે(સાધક)ને દશમ–સ્થાનમાં (અર્થાત્ બ્રહ્મરંધ્રમાં) અગ્નિનાં ( અર્થાત જ્યોતિનાં ) દર્શન થાય છે. (૪૧૮) मारगमें जातां थकां, जे जे अचरिज थाय । शांतदशामें वर्तता', मुखथी कही न जाय ॥ ४१९ ॥ તે (સમાધિ)માર્ગમાં જતાં અને શાન્ત-દશામાં વર્તતા જે જે આશ્ચર્યો અનુભવાય છે તે મુખથી વર્ણવી શકાય તેવાં નથી. (૧૯) वधे भावना शित्तमें, तन मन वचन अतीत । तिम तिम सुखसायर तणी, उठे लहर सुण मीत ।। ४२० ।। હે મિત્ર! જેમ જેમ ચિત્તમાં ઉપશમ–ભાવના (અર્થાત્ કેધાદિ કષાયને શાંત કરવાની ભાવના) વધે છે, તેમ મન, વચન અને કાયાના છે તેને v. ૨ વરતતા vવિત્તર્મ VI ૪ ૩ v * “ચક–પ્રદેશ”– આત્માના આઠ પ્રદેશ જેના ઉપર ક્યારેય કર્મ લાગતાં નથી તે. + “સુરતડેર'= કુંડલિની. Page #150 -------------------------------------------------------------------------- ________________ સ્વરોદય જ્ઞાન ગથી અતીત અર્થાત્ પર થતાં જવાય છે અને (આત્મામાં નિરંતર) સુખ-સાગરની (અદ્દભુત અને અપૂર્વ) લહેર ઉઠે છે. (૪ર૦) इंद्र तणां सुख भोगतां, जे तृप्ति नवि थाय । ते सुख सुण छिन एकमें, मिले ध्यानमें आय ॥ ४२१ ।। હે મિત્ર ! ઈન્દ્રનાં સુખ ભેગવતાં જે તૃપ્તિ થતી નથી, તેવું (તૃપ્તિનું) સુખ ધ્યાન કરતાં એક ક્ષણમાં પ્રાપ્ત થાય છે. (૪૨૧) ध्यान विना नवि लखी शके, मन कल्लोल स्वरूप । लख्या विना किम' उपशमे, येहू भेद अनूप ।। ४२२ ॥ ધ્યાન વિના મનુષ્ય, મનના તરંગે જેવા ચંચલ સ્વરૂપને જાણી શકતું નથી અને તે સ્વરૂપને જાણ્યા વિના ઉપશમ પણ કેવી રીતે થાય? – આ એક અનુપમ રહસ્ય છે. (૪૨) आसण पद्म लगायके, मूलबंध* दृढ लाय । मेरुमंड सीधा करे, भेद द्वारकों पाय ।। ४२३ ॥ करे स्वास संचार तव, विकल्प भाव निवार । जिम जिम थिरता उपजे, तिम तिम प्रेम वधार ॥ ४२४ ॥ પદ્માસન લગાડીને, મૂળબંધને દઢ કરીને, મેરુદંડ સીધે કરે અને દ્વારેનું અર્થાત્ ચક્રનું રહસ્ય જાણીને, પછી તે(ચકા)માં શ્વાસને સંચાર કરે ત્યારે વિકલ્પ-ભાવનું નિવારણ થતાં, જેમ જેમ સ્થિરતા ઉતપન્ન થાય તેમ તેમ (ધ્યાનાભ્યાસને) પ્રેમ (અર્થાત્ “પ્રીતિ') વધાર. (૪ર૩-૪૪૪) प्रेम विना नवि पाइये, करता जतन अपार । प्रेम प्रतीतें है निकट, चिदानंद चित्त धार ॥ ४२५ ॥ અપાર પ્રયત્ન કરવા છતાં પણ પ્રેમ (અર્થાત્ “પ્રીતિ) વિના ૨ નવ v ૨ મેટુંs v, * “મૂલબંધ માટે જુઓ : “હઠગ-પ્રદીપિકા;” ઉપદેશ-૩, શ્લોક : ૬૧ થી ૬૯ Page #151 -------------------------------------------------------------------------- ________________ સ્વદય જ્ઞાન કંઈ જ પામી શકાતું નથી. “પ્રેમથી પ્રતીતિ થતાં ચદાનંદ (અર્થાત આત્માથી ઉત્પન્ન થતો આનંદ) નિકટ છે – એમ ચિત્તમાં ધારે. (૪૨૫) जो रचना तिहुँ लोकमें, सो नर तनमें जान ।। अनुभव विण होवे नहीं, अंतर तास पीछान ॥ ४२६ ॥ જે રચના ત્રણે લેકમાં છે તે રચના મનુષ્યદેહમાં છે પણ અનુભવ વિના તેની પિછાન અંતરમાં થતી નથી – તેમ જાણે. (ર૬) अंतरभाव विचारतां, मनवायु थिर थाय । तिम तिम नाभीकमलमें, पूरक थइ समाय ।। ४२७ ॥ પિતાના દેહમાં લેક રચનાનું ભાવન કરતાં જેમ જેમ મન અને વાયુ સ્થિર થાય છે તેમ તેમ નાભિ-કમલમાં વાયુ પૂરક થઈને સમાય છે. (૪ર૭) नाभी स्वास समायके, उर्द्ध रेचसि होय । अजप जाप तिहां होत है, विरला जाणे कोय ॥ ४२८ ॥ નાભિમાં શ્વાસને સમાવેશ કર્યા પછી (અર્થાત અત્યંતર “કુંભક’ કર્યા પછી) જ્યારે ઊર્વ રેચક થાય છે (અર્થાત શ્વાસ બહાર નીકળે છે) ત્યારે અજપા-જાપ ચાલુ થાય છે જેને કેઈ વિરલ વ્યક્તિ જ જાણું શકે છે. (૪૨૮). हंकारे स्वर उठत हे, थइ संकार समाय । अजपजाप तिहां होत है, दीनो भेद बताय ॥ ४२९ ॥ “ઈં કારથી સ્વર ઊઠે છે અને “ર” કારથી તે સમાય છે –(આમ) ત્યાં (અર્થાત પ્રવાસોશ્વાસમાં જ) અજપા-જાપ થાય છે-- આ રહસ્ય મેં તને કહ્યું છે. (૪૨૯) जोगार्णवथी जाणजो, अधिक भाव चित्त लाय । थाय ग्रंथ गोरव घणो, तामें' कह्या न जाय ॥ ४३० ॥ આથી અધિક વિસ્તાર ગાર્ણવ” (“જ્ઞાનાર્ણવ ?) ગ્રંથથી જાણજે અને મનમાં વિચારે. જે હું તે બધું કહેવા બેસું તે ગ્રંથનું ગૌરવ ઘણું ૨ તાસૈ vI Page #152 -------------------------------------------------------------------------- ________________ સ્વરોદય જ્ઞાન થાય (અર્થાત્ ગ્રંથ ઘણા મોટા થાય ) – તેથી (તે બધા ભાવા) મેં (અહીં) કહ્યા નથી. (૪૩૦) દેહમાં નાડીના વિસ્તાર અને તેનું જ્ઞાન ४३१ ॥ ફેહિ મઢ' નારી તળો, ચડુ ૨૫ વિસ્તાર ! पिंड स्वरूप निहारवा, जाणो तास विचार ॥ અંદર નાડીના બહુવિધ વિસ્તાર છે અને પિંડનું સ્વરૂપ નિહાળવા માટે તેને વિચાર ઉપયોગી છે - માટે તે ( અવશ્ય ) જાણા. (૪૩૧) દેહની —— वटशाखा जिम विस्तरी नाभी कंदथी जेह । મેટ્ દુતાસન નાળનો, પાન નિસાર તિમ તેજ્જ ॥ ‰૩૨ || (તદુપરાંત) નાભિ-કંદથી વડની શાખાની જેમ જે વિસ્તાર પામી છે, જે સુષુપ્ત અને હુતાશન સ્વરૂપ છે તેને ભેદ જાણજો. (૪૩૨) જે 3 अह' भुजंगाकार ते, वलय अढाइ तास । ગાળ અંહિ નાડી તે, નામી માંહે નિવાસ || ૪૩૨ || જે સર્પના આકારે છે, જેના અઢી વલય ( અર્થાત્ આંટા છે – એવી કુંડલિની નાડીને જાણે કે જેના નાભિમાં નિવાસ છે. (૪૩૩) ऊर्ध्वगामिनी तेहथी, नाडी दश तन मांहि । अधोगामिनी दश सुगुण, लघु गणित कछु नांहि ॥ ४३४ ॥ શરીરમાં નાભિથી ઉપરની તરફ જનારી ક્રશ નાડીઓ છે તથા દશ નાડીઓ નીચેની તરફ જનારી છે. (આમાં) નાની નાડીઓની ગણતરી કરી નથી. (૪૩૪) दो दो तिरछी सहु मली, चतुर्विंशति जाण । दश वायु परवाहिका, दश प्रधान मन आण ॥। ४३५ ॥ ૨ વેમ V | રૂ હૈv | ૨ નસા V | Page #153 -------------------------------------------------------------------------- ________________ સ્વરોદય જ્ઞાન એ-એ નાડીએ તીરછી જાય છે – આમ સઘળી મલી ચાવીસ નાડીઓ છે. આમાં જે દશ નાડીએ વાયુને વહેનારી છે તે છે – એમ મનમાં નક્કી માન. (૪૩૫) મુખ્ય નાડીએ ૯૬ इंगला पिंगला सुखमना, गांधारि कहीवाय । દન્ત નીદ પંચમ સુધી, પુષ્ના તેર વતાય ! ૪૨૬ || सप्तम जाण यशस्विनी, अलंबुखा चित्त धार । હું સંલળી નારી', ઢાળે નામ વિચાર ॥ ૪૩૭ ॥ (૧) ઇંગલા, (૨) પિંગલા, (૩) સુષુમ્જા, (૪) ગાંધારી, (૫) હસ્તિજિન્ના, (૬) પૂષા, (૭) યશસ્વિની, (૮) અલંષુષા, (૯) કુહૂ અને (૧૦) શંખિની - એ ( ઉપર્યુક્ત ) દશ નાડીઓનાં દશ નામ છે. એમ જાણ. (૪૩૬–૪૩૭) d वामभाग हे इंगला, पिंगला दक्षण धार | नासापुटमें संचरत, सुखमन मध्य निहार ॥ ४३८ ॥ (૧) ડાખી તરફ ‘ઈંગલા' છે, (૨) જમણી તરફ ‘પિંગલા' છે, (૩) નાસાપુટમાં ( અર્થાત્ નાસિના મધ્યભાગમાં બંને નસકારામાં) સંચાર કરતી ‘સુષુણ્ણા' મધ્યમાં છે— એ તું જો. (૮૩૮) વામનક્ષુ બંધારિયા, ક્ષિળ, નયન મનાર | દૂતનીઃ પુષ્યા સુધી, ક્ષળ જાન મચાર || ૪૩૬ || હૈ સુધી! (૪) ડાબા નેત્રમાં ‘ગાંધારી’ છે, (૫) જમણા નેત્રમાં ‘હસ્તિજિહ્વા’ છે તથા (૬) જમણા કાન તરફ ‘પૂષા’ ફેલાયેલી છે. (૪૩૯) 11 वामे कान यशस्विनी, अलंबुखा मुखधान । ' कहुं लिंग अस्थान है, गुदा संखणी जाण ॥ ४४० ॥ (૭) ડાબા કાન તરફ ‘યશસ્વિની,’ છે, (૮) મુખ-સ્થાનમાં ‘અલંષુષા’, છે (૯) લિંગ-સ્થાનમાં ‘કુહૂ’ છે અને (૧૦) ગુદામાં ‘ખિની’ છે પ્રમાણે મુખ્ય નાડીઓનાં સ્થાન ) જાણુ. (૪૪૦) o નાડીÇ V | ૨ પુTM V | Page #154 -------------------------------------------------------------------------- ________________ સ્વરોદય જ્ઞાન दिग+ धमणी ये कायमें, प्राणाश्रित नित जाण । वायु आश्रित जे रही, ते दश कहुं वखाण ॥ ४४१ ॥* આ કાયામાં આ દશ નાડીઓ નિરંતર “પ્રાણીને આશ્રીને રહેલી છે – તે મેં કહી. હવે જે દશ (નાડીઓ) વાયુને આશ્રીને રહેલી છે – તે બતાવું છું. (૪૪૧). प्राणापान समान जे, उद्यान अव्हान' विचार । ये प्रधान' वायु धमण, पंच अनुक्रम धार ॥ ४४२ ॥ नाग कूर्म अरु किरकरा, देवदत्त कहीवाय ।। नाडी धनंजय पांचमी, गवणि दीन बतलाय ॥ ४४३ ॥ (૧) પ્રાણ, (૨) અપાન, (૩) સમાન, (૪) ઉદાન અને (૫) વ્યાન – આ પાંચ અનુક્રમે પ્રધાન “વાયુની નાડીઓ છે અને (૬) નાગ, (૭) કર્મ, (૮) કૃકલ, (૯) દેવદત્ત અને (૧૦) ધનંજય – એ પાંચ ગૌણ વાયુની. નાડીઓ છે--જે બતાવી દીધી. (જર-૪૪૩) हिया गुदा नाभी गला, तन संधि चित्त धार । प्राणादिकनी इण परे, अनुक्रम वास विचार ॥ ४४४ ॥ હૃદય, ગુદા, નાભિ, ગળું અને શરીરના સાંધા – આ તેનાં (અર્થાત્ પ્રધાન વાયુનાં) સ્થાન છે, એટલે અનુક્રમે પ્રાણ આદિ વાયુને ત્યાં વાસ છે – એમ સમજ. [અર્થાત્ (૧) “પ્રાણ વાયુ હૃદયમાં, (૨) “અપાન વાયુ ગુદામાં, (૩) “સમાન” વાયુ નાભિમાં, (૪) “ઉદાન” વાયુ ગળામાં અને (૫) વ્યાન વાયુ શરીરના સાંધાઓમાં વસે ૨ અવ્યાન v. ૨ થાન vI + “દિગ' અર્થાત્ “દિશા”, તે ૧૦ છે – (૧) પૂર્વ, (૨) પશ્ચિમ, (૩) ઉત્તર, (૪) દક્ષિણ, (૫) ઈશાન, (૬) અગ્નિ, (૭) નૈઋત્ય, (2) વાયવ્ય, (૯) ઊર્વ અને (૧૦) અધઃ. * અહીં “પ્રાણ” અને “વાયુને ફરક કરવામાં આવે છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ સ્વરદય જ્ઞાન नागवायु परकाशथी, प्रगट होय उद्गार । कूर्मवायु नाडी उदे, उन्मीलन चित्त धार ।। ४४५ ।। (6) 'ना' वायुना योगे साउ२ मावे छे, (७) 'भ' वायुना ઉદયથી ઉમીલન (અર્થાત્ આંખના પલકારા) થાય છે – એમ ચિત્તમાં धारा ४२. (४४५) छींक किरकराथी हूवे, देवदत्त परकाश । जंभाये आवे सुथिर, जाण धनंजय वास ॥ ४४६ ॥ (८)'स' वायुथा छौं थाय छ, (6) वहत्त' वायुना प्रशथी બગાસાં આવે છે અને (૧૦) ધનંજય” વાયુને આખા શરીરમાં વાસ छे, (४४६) इत्यादिक नाडी तणो, कह्यो अल्प विस्तार । अधिक हीयामें धारजो, गुरुगम' तास विचार ॥ ४४७ ॥ ઈત્યાદિ નાડીને સામાન્ય વિસ્તાર મેં કહ્યો, તેને અધિક વિચાર शुरुमथा भवी .यामा धा२१ ४२०. (४४७) સ્વર બહાર અને અંદર ચાલતાં ફલાદેશ जब स्वर बाहिरकू चले, तव कोइ पूछे आय । कोटी यतनथी तेहनो, कारज सिद्ध न थाय ॥ ४४८ ॥ જ્યારે સ્વર બહાર નીકળતો હોય તે વખતે કઈ આવીને પૂછે તે ४। प्रयत्नाथी ५ तनुंभ (सद्ध न थाय. (४४८) स्वर भीतरकों चालतां, आवी पूछे कोय । कोटी भ्रांति' करी तहेनां, कारज सिद्ध न थाय ॥ ४४९ ।। १ गुरुमुख ।। २ कोट भात ॐ कोटी भांति V। ३ सिद्धि होय V। Page #156 -------------------------------------------------------------------------- ________________ ૯૯ સ્વરાય જ્ઞાન સ્વર જ્યારે અંદર પ્રવેશ કરતા હોય તે વખતે આવીને કઈ પૂછે તા કરોડ પ્રકારે કરી તેના કાર્ય સિદ્ધ થાય. (૪૪૯) પંચતત્ત્વ સંજ્ઞારૂપ पंच तत्व जो ये कहे, ते तो संज्ञारूप । ફન ઉપર ને મન' પ્રઘો, તે તો સ્વરોમાં પાંચ તત્ત્વ જે કહ્યાં તે તે સંજ્ઞા સ્વરૂપ છે, એના ઉપર જ મન રાખવું તે તે ફાગટ છે. (૪૫૦) ઉપસંહાર ગામનાયયે દે મુધી, સ્વર વિચારજા' જાન ! સમ્યા દાથી' નો પ્રદે, સોરુ હૈ મુવ્ખ સમાન ॥ ૨ ॥ મિથ્યા વ* ॥ ૪૫૦ || ‘સ્વર-વિચાર' માટે આ આમ્નાય છે. તેને જે સભ્યષ્ટિથી ગ્રહણ કરશે તે સુખ પામશે. (૪૫૧) को एह संक्षेपथी, ग्रंथ स्वरोदय सार+। भणे गुणे ते जीवकं चिदानंद सुखकार ।। ४५२ ।। " આ રીતે સંક્ષેપથી મૈં ‘સ્વરોદય સાર’ કહ્યો. જે આને ભણે ગણે છે, તે જીવને આ શાસ્ત્ર સુખ કરનારું થાય છે એમ ‘ ચિદાનંદ’કહે છે. (૪પર) o મત V ! २ आमनाय ये है VI સો રુદે સુન્ન V ૪ ડ્ડિથી V | રૂ સુરવિવારે V | * ‘મિથ્યા રૂપ’ અર્થાત્ ‘મિથ્યાત્વના કૂવા સમાન’ આધ્યાત્મિક દૃષ્ટિએ નિરક. + આ ગ્રંથનું નામ ‘સ્વરાદય સારી ’ પણ છે, Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સ્વરદય જ્ઞાન રચનાકાળ कृष्णासाढी दसमी दिन, शुक्रवार सुखकार । निधिx इंदु सर+ पूरणता, चिदानंद चित्त धार ॥ ४५३ ।।* સંવત ૧૯૦૫ના આષાઢ માસના કૃષ્ણપક્ષની દશમના દિવસે સુખ કરનાર શુક્રવારે આ ગ્રંથ પૂર્ણ થયે. (૫૩) ॥ इति श्रीकपूरचंदजी महाराज [अपरनाम चिदानंदजीकृत “રોય જ્ઞાન સંપૂર્ણ II આ પ્રમાણે કપૂરચંદજી મહારાજ (અપરનામ ચિદાનંદજી કૃત સ્વદય જ્ઞાન સંપૂર્ણ થયું. * પાદતર સંવત્સર મુનિ પૂર્ણતા, __ नंद चंद चित धार ॥ १९०७ ॥ ४५३ ॥ » ‘નિધિ—“નિધિ” શબ્દ અહીં ની સંખ્યા દર્શાવે છે. કુબેરના ૯ રત્નોને “નિધિ' કહે છે, જે નીચે પ્રમાણે છે: (૧) પદ્મ, (૨) મહાપદ્મ, (૩) શંખ, (૪) મકર, (૫) ક૭૫, (૬) મુકુંદ, (૭) કુંદ, (૮) નીલ અને (૯) ખર્વ. + “સર અર્થાત્ બાણ. અહીં તે પ ની સંખ્યા દર્શાવે છે, કારણ કે કામદેવનાં પાંચ બાણ છે, જે નીચે મુજબ છે : " अरविन्दमशोकं च चूतं च नवमल्लिका । नीलोत्पलं च पञ्चैते पंचबाणस्य सायकाः ॥" Page #158 -------------------------------------------------------------------------- ________________ સ્વરોદય જ્ઞાન : પુરુષાર્થ-રહસ્ય धर्म अर्थरु काम शिव, साधन जगमें चार। व्यवहारे व्यवहार लख, निहचे निज गुण धार // 372 // (1) ધર્મ, (2) અર્થ, (3) કામ અને (4) મોક્ષ-જગતમાં આ ચાર - સાધને (પુરુષાર્થો) છે; (વળી વ્યવહાર અને નિશ્ચયમાં) વ્યવહારને વ્યવહાર પૂરતે રાખો પણ નિશ્ચયને આત્માના ગુણ તરીકે ધારણ કરે. (372) मूरख कुल आचारकू, जाणत धरम सदीव / वस्तुस्वभाव धरम सुधी, कहत अनुभवी जीव / / 373 // મૂર્ખ માણસ કુલ-આચારને સદાય “ધર્મ” તરીકે જાણે છે જ્યારે પંડિત અનુભવી જીવ વસ્તુનરવભાવને ‘ધર્મ કહે છે. (373) खेह खजानाकू अरथ, कहत अज्ञानी जीह / कहत द्रव्य दरसावकू, अर्थ सुज्ञानी भीह // 374 // અજ્ઞાની જીવ ધન-ભંડારને ‘અર્થ” તરીકે પિછાણે છે જ્યારે જ્ઞાની આત્મ-દ્રવ્યના સ્વરૂપ-દર્શનને ‘અથ” કહે છે. (374) दंपतिरति क्रीडा, प्रत्ये, कहत दुर्मति काम / काम चित्त अभिलाखकू, कहत सुमति गुणधाम // 375 // દુષ્ટ બુદ્ધિવાળા જીવ દંપતીની રતિ-ક્રીડાને “કામ” કહે છે જ્યારે ગુણાના ધામ જે બુદ્ધિવાળો આત્મા ચિત્તના અભિલાષને “કામ” કહે છે. (375) इंद्रलोककू कहत शिव, जे आगमग हीण / बंधअभाव अचलगति, भाखत नित परवीन // 376 // જે (જીવ) આગમ રૂપી નેત્ર વિનાનો છે તે ઈન્દ્રલેકને મોક્ષ” કહે છે જ્યારે પ્રવીણ પુરુષ હમેશાં જ્યાં કર્મના બંધને અભાવ છે, જ્યાંથી કદી પાછા આવવાનું નથી - એવી અચલગતિને “મેક્ષ' કહે છે. (376) www.jainelibrat