SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરોદય જ્ઞાન જેઓ સમ અને વિષમપણે કરી, અનંતા ગુણ અને અનંતા પર્યાયવાળા છે અને જેના પ્રત્યેક આત્મ-પ્રદેશમાં મહાન શક્તિ જાગ્રત થયેલી છે; (૭) रूपातीत व्यतीतमल, पूर्णानंदी ईस । चिदानंद ताकुं नमत, विनय सहित निज सीस ॥ ८ ॥ જેઓ રૂપાતીત (અરૂપી) છે, જેઓને (કર્મરૂપી) મલ ચાલ્યા ગયે છે, જેમાં પૂર્ણ આનંદવાળા સિદ્ધ – ભગવંત છે તેઓને હં – ચિદાનંદ વિનય સહિત પોતાનું મસ્તક નમાવું છું (૮) कालज्ञानादिक थकी, लही आगम अनुमान । गुरु किरपा करी कहत हूं, शुचि स्वरोदय ज्ञान ॥ ९ ॥ અને કાલજ્ઞાનાદિ (એટલે કે કાલ, વર્ણ, માન, આકાર અને ફલનાં જ્ઞાન)થી આગમનું (શાસ્ત્રનું) અનુમાન લઈને (કરીને) ગુરુ-કૃપાથી પવિત્ર એવું ( અર્થાત્ શુભ કરે તેવું ) “સ્વરોદય જ્ઞાન” કહું છું. (૯) સ્વરનો ઉદય स्वरका उदय पिछाणीए, अतिही थिर चित्त धार । ताथी शुभाशुभ कीजिए, भावी वस्तु विचार ॥ १० ॥ (પ્રથમ) ચિત્તને અત્યંત સ્થિર કરીને જે સ્વરનો (પ્રાણ) ઉદય જાણવામાં આવે તો તેના વડે ભવિષ્યની શુભાશુભ વસ્તુને વિચાર કરાય. (૧૦) નાડી-વિચાર नाडी तो तनमें घणी, पण चौवीश प्रधान । तिनमें दस फुनि ताहुमें, तीन अधिक कर जान ॥ ११ ॥ શરીરમાં નાડીઓ તો ઘણી (૭૨,૦૦૦) છે પણ તેમાં વીસ નાડી મુખ્ય છે. તેમાં પણ દશ નાડીની પ્રધાનતા છે અને તેમાંય વળી ત્રણ નાડી વિશેષ પ્રધાન સમજવી. (૧૧) ૨ નવ ! નાડીઓનાં નામ, સ્થાન વગેરે માટે આ ગ્રંથમાં જ જુઓ - પદ્ય-ક્રમાંક : ૪૩૧ થી ૪૪૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001538
Book TitleSwarodaygyan
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Science
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy