SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ 19 જે પ્રશ્ન કરતી વખતે ચંદ્રસ્વરમાં પૃથ્વી કે જલતત્ત્વ ચાલતું હોય તે જાણવું કે રેગીના શરીરમાં એક રોગ છે. તથા જે પ્રશ્ન કરવાના વખતે ચંદ્રસ્વરમાં અગ્નિતત્ત્વ આદિ કોઈ તત્વ ચાલતું હોય તો કહેવું કે રેગીના શરીરમાં કેટલાક રોગ મિશ્રિત છે. જે પ્રશ્નન કરતી વખતે સૂર્યસ્વરમાં અગ્નિ, વાયુ કે આકાશ તત્ત્વ ચાલતું હોય તે જાણવું કે રેગીના શરીરમાં એક રોગ છે, પણ જે પ્રઝન કરતી વખતે સૂર્યસ્વરમાં પૃથ્વી કે જલતત્વ ચાલતું હોય તે જાણવું કે રેગીના શરીરમાં કેટલાક મિશ્રિત રેગ છે. યાદ રાખવાનું કે વાયુ અને પિત્તને સ્વામી સૂર્ય છે, કફને સ્વામી ચંદ્ર છે તથા સન્નિપાતને સ્વામી સુખમના છે. જે કઈ પુરુષ ચાલતા સ્વરની તરફથી આવીને ચાલતા સ્વરની બાજુએ ઉભા રહીને કે બેસીને પ્રશ્નન કરે તે કહેવું કે તમારું કામ અવશ્ય સિદ્ધ થશે. જે કઈ પુરુષ ખાલી સ્વરની તરફથી આવીને ખાલી સ્વરની બાજુએ ઉભા રહીને કે બેસીને પ્રશ્ન કરે તે કહેવું કે તમારું કઈ પણ કામ સિદ્ધ નહીં થાય. જે કઈ પુરુષ ખાલી સ્વરની તરફથી આવીને ચાલતા સ્વરની બાજુએ ઉભું રહીને કે બેસીને પ્રશ્ન કરે તે કહેવું કે તમારું કામ નિઃસંદેહ સિદ્ધ થશે. જે કઈ પુરુષ ચાલતા સ્વરની તરફથી આવીને ખાલી સ્વરની બાજુએ ઉભું રહીને કે બેસીને પ્રશ્રન કરે તો કહેવું કે તમારું કામ સિદ્ધ નહીં થાય. જે ગુરુવારે વાયુતત્વ, શનિવારે આકાશતત્ત્વ, બુધવારે પૃથ્વીતત્વ, સોમવારે જલ તત્ત્વ તથા શુકવારે અગ્નિ તર વ પ્રાત:કાલમાં ચાલે તો જાણી લેવું કે શરીરમાં કઈ પહેલાંને રેગ છે તે અવશ્ય મટશે. આપણું શરીર, કુટુંબ અને ધન આદિકના વિચારની રીતિ જે ચિત્ર સુદિ પડવાને દિવસે પ્રાત:કાલે ચંદ્રસ્થર ન ચાલતું હોય તે જાણવું કે ત્રણ મહીનામાં હૃદયમાં બહુ ચિંતા અને કલેશ ઉત્પન્ન થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001538
Book TitleSwarodaygyan
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Science
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy