SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ આ અને સ્પષ્ટ કરવા માટે એક ઉદાહરણ લઇને પ્રયત્ન કરીએ. ગીતકારને તખલચી સાથ આપે છે, અને સંગત કરે છે. સ'ગીતના સૂરાના આાહ અવરેાહ તથા તખલચીના તાલ, ખન્નેની ગતિ સ્વતંત્ર છે. સૂર અને તાલ પોતાના બંધારણુ અનુસાર સ્વયં ગતિ કરે છે. છતાં, તેમાંથી મધુર સ ંગીત નીપજે છે. તેનું કારણ છે માત્રામેળ રાગમાં ગવાતા સૂર તથા તેને અનુરૂપ તાલ બન્ને માટે ક્રમબદ્ધ માત્રાદ્નામાં એક સમ”ની મત્રા નિશ્ચિત કરવામાં આવી છે. તખલચી તથા ગીતકાર સ ંગતિ કરે છે તેના મૂળમાં તેએમાં રહેલી 'સમ'ની સમજણુ છે. માત્રામેળ સુર તથા તાલને જેવી રીતે લયબદું ક્રમમાં નિય ંત્રિત કરે છે ત્યારે તે સંગીતમાં પરિણમે છે. તેવા પ્રકારનું અમુક અંશે સમાન કાય કરીને મંત્ર, મન તથા શ્વાસમાં ગતિ કરતા પ્રાણનું સમમાં નિયંત્રણ કરે છે, ત્યારે તેઓનુ સમતામાં પરિણમન થાય છે. મ ંત્રાચ્ચારમાં માત્રાને વિચાર કરવામાં આન્યા છે તેની આ સદ'માં નૈધ લેવા જેવું છે છતાં આ ઉદાહરણના હેતુ ભાવ સ્પષ્ટ કરવા પૂરતા જ છે તે વીસરવું જોઇએ નહીં. માચ્ચાર માત્ર ભૌતિક ક્રિયા નથી. મત્રમય શબ્દ સામર્થ્યયુક્ત હોવાથી મનનું ત્રાણુ કરનારા છે. મત્રાચ્ચારની પાવન કરનારી સહાયતાથી, વિષયરૂપી વિક્ષેપો અને કષાયરૂપી મળેા દૂર કરીને, ઊધ્વગામી ધ્યેયમાં સ્થિર થવાની આંતરિક યોગ્યતાનેા, સાધકમાં વિકાસ થાય છે. યેાગ્યતા પ્રાપ્ત થાય પછી તેનું યેાજન, પ્રથમ સ્વરાયની સિદ્ધિ દ્વારા શીઘ્ર આત્મિક વિકાસ કરવા માટે કરવું અથવા, અન્ય કાઈ યાગમાગ દ્વારા સ્વવિકાસ માટે કરવું, તે સાધકની અભિરુચિ ઉપર આધાર રાખે છે. મંત્રજાપ અને પરમાત્માના સ્વરૂપ ચિતનના ઉપાયથી પ્રાણાયામ ધ્યાનનાં સ્વરૂપા એટલે કે ચિત્તની ભાવ–અવસ્થા અને સ્વરાય જ્ઞાનપ્રાપ્તિના માર્ગને સંકલિત કરીને અત્રે જે વ્યવસ્થિત વિચાર રજૂ થઈ શકયેા છે તેના મૂળમાં પિંડસ્થ ધ્યાનના સમાન આશય રહેલા છે. ‘સ્વ’નું સંવેદન કરવું અને આત્માને પિંડથી જુદા અનુભવવા તે આશય છે. આ ગ્રંથમાં પણ તે કારણુસર સ્વાય સાધના ઉપર પ્રકાશ પાડતી વખતે મંત્રજાપ તથા આધ્યાત્મિક ઉલ્લેખાના સંદર્ભે વારવાર જોષા મળે છે. સ્વાદયનું જ્ઞાન માત્ર બૌદ્ધિક જ્ઞાન નથી પણુ અંતર્માંન છે. તે આધ્યાત્મિક વિકાસનું ફળ છે. Jain Education International 17 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001538
Book TitleSwarodaygyan
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Science
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy