Book Title: Yog Purv Seva Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ સામાન્ય અર્થ છે. આશય એ છે કે માતાપિતાદિ ગુરુવર્ગને પૂર્વે જણાવ્યા મુજબ નિત્ય ત્રણ વાર પ્રણામાદિ કરવામાત્રથી ગુરુપૂજન થતું નથી. પરન્તુ તે માટે બીજું પણ જે કરવાનું છે તે જણાવતાં આ શ્લોકમાં ફરમાવ્યું છે કે પૂ. માતાપિતાદિ ગુરુજનોને જે ઈષ્ટ નથી (અનિષ્ટ છે) તેનો ત્યાગ કરવો જોઈએ. આમ જોઈએ તો વાત ખૂબ જ નાની છે. પરન્તુ તે મુજબ વર્તવાનું ઘણું જ આરું છે. માતાપિતાદિને જે ગમતું ન હોય તે કરવું નહિ - આ નિયમનું ચોક્કસપણે પાલન કરવા માટે સૌથી પહેલાં પોતાની ઇચ્છા મુજબ વર્તવાનું બંધ કરવું પડે. ગુરુજનો પ્રત્યે સદ્ભાવ હોય તોપણ આપણી ઈચ્છાના કારણે એ સદ્ભાવ એક વખત તો દૂર જ થતો હોય છે. ગમે તેટલું દુ:ખ હોય તો ય આપણી ઈચ્છા હોય તો મજેથી વેઠી લેવાય. પરન્તુ આપણી ઇચ્છા ન હોય તો સુખમાં ય મજા ન આવે. ઇચ્છા મુજબ જીવવા મળતું નથી - એ જ મોટામાં મોટું દુ:ખ છે. શરીર કે મન સંબન્ધી દુ:ખો તો સાધુપણામાં જ આવે છે અને ગૃહસ્થપણામાં આવતાં જ નથી-એવું નથી. બંન્ને સ્થાને દુ:ખ તો આવતાં જ હોય છે. પરન્તુ સાધુપણામાં પોતાની ઇચ્છા મુજબ જિવાતું નથી. અને ગૃહસ્થપણામાં તો થોડીઘણી રીતે ઈચ્છા · મુજબ જીવી શકાય છે – આવી સુદૃઢ માન્યતાના કારણે કંઈ કેટલાય આત્માઓ ચારિત્રધર્મનો સ્વીકાર કરતાં અચકાય છે. આ રીતે સમ્યક્ચારિત્રની પ્રાપ્તિમાં અવરોધ કરનારી, ઈચ્છા મુજબ જીવવાની આપણી મનોદશા છે. તે દૂર કરવાની શરૂઆત; યોગની પૂર્વસેવામાં ન થાય તો યોગની સાધનામાં કોઇ ભલીવાર આવે - એ શક્ય નથી. યોગની પૂર્વસેવાના અંગભૂત ગુરુપૂજનમાં આ રીતે ઈચ્છા મુજબ જ M CEBO 909967d4d7bd 'ECADE ૧૫ dddddd GUID

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82