________________
भवाभिनन्दिनां सा च भवशर्मोत्कटेच्छया । श्रूयन्ते चैतदालापा लोके शास्त्रेऽप्यसुन्दराः ॥१२- २३॥
‘‘મોક્ષના વિષયમાં અનિષ્ટની પ્રતિપત્તિ; ભવશર્મા-વિષયસુખની ઉત્કટ ઈચ્છાને લઈને ભવાભિનન્દી જીવોને થાય છે. મોક્ષના વિષયમાં તે તે જીવોને થયેલી અનિષ્ટપ્રતિપત્તિને જણાવનારાં એ અહિતકર વચનો લોકમાં અને શાસ્ત્રમાં પણ સંભળાય છે.’ - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે મોક્ષ પ્રત્યે અનિષ્ટ - પ્રતિપત્તિ(અરુચિ) થવાનું કારણ વિષય- સુખની ઉત્કટ ઇચ્છા છે. મોક્ષમાં સર્વથા ઈચ્છાનો અભાવ છે. તેથી વિષયસુખની ઉત્કટ ઇચ્છાના કારણે તે તે જીવોને મોક્ષ અનિષ્ટ લાગે છે. એ જીવોને શાસ્ત્રમાં ભવાભિનન્દી તરીકે વર્ણવ્યા છે. ભવાભિનન્દી જીવોને; વિષયસુખની ઉત્કટ ઇચ્છા અને મોક્ષ પ્રત્યે અનિષ્ટની પ્રતિપત્તિ: બંન્ને તેમના ભવાભિનન્દિપણાના કારણે છે.
કૃપણ; માંગવાના સ્વભાવવાળો, દીન, બીજાના કલ્યાણમાં દુ:ખી, માયાવી અને મૂર્ખ જીવો ભવાભિનન્દી છે. તેઓ સદાને માટે નિષ્ફળ એવી ક્રિયાને કરતા હોય છે.‘દૂધ, દહીં, મુખવાસ, પુષ્પ અને સ્ત્રી વગેરેના અસ્તિત્વના કારણે; અસાર એવો પણ આ સંસાર સારભૂત જણાય છે...' ઇત્યાદિ વચનો દ્વારા સંસારમાં આનંદ પામવાના સ્વભાવવાળા જીવોને મોક્ષના વિષયમાં અનિષ્ટની પ્રતિપત્તિ થાય-એ સમજી શકાય છે.
આવું એકાન્તે પરમકલ્યાણમય સ્વરૂપ હોય તો મોક્ષમાં ‘અનિષ્ટત્વનું’ જ્ઞાન થાય જ કેવી રીતે? -આવી શક઼ાનો પ્રત્યુત્તર તો ઉપર જણાવ્યો છે. આ શ્લોકના ઉત્તરાર્ધથી (ત્રીજા-ચોથા પાદથી)
EDULE ED
gu/uZ6UGUQUQU ૬૩
EMBEDDED ddddd76977ddddd