Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London

View full book text
Previous | Next

Page 14
________________ ઉપદ્યાત ભાઈશ્રી ચીમનલાલ શાહે તેમના પુસ્તકમાં જે ઇતિહાસ આપે છે એ મુખ્યત્વે કરીને ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મને લગતો છે અને તે પણ શ્રમણ ભગવાન્ મહાવીર પછીનાં માત્ર એક હજાર વર્ષનો જ છે. એટલે તે સિવાયને ઉત્તર હિંદુસ્તાનને ઈતિહાસ અને બીજા દેશમાંના જૈનધર્મ અને જૈનપ્રજાને લગતે ઇતિહાસ લખાવે હજુ બાકી જ રહે છે. ભાઈ શ્રી શાહે લખેલ પુસ્તક જેવાં સંખ્યાબંધ પુસ્તક લખાશે ત્યારે જ જૈનધર્મ અને જેનપ્રજાના ઇતિહાસની સારી સૂપરેખા આવશે. પરંતુ આપણને એ જાણીને આશ્ચર્ય અને દિલગીરી થશે કે વર્ષોનાં વર્ષો અગાઉ પાશ્ચાત્ય તેમજ ભારતીય જૈનેતર વિદ્વાનોએ જૈન સાહિત્ય અને જૈન ઇતિહાસનાં વિવિધ અંગેને જે ઉંડાણ અને ઝીણવટથી છણ્યાં છે અને એનું જ મહત્ત્વ આંકયું છે તેને પિતાને જૈનધર્માવલંબી તરીકે ઓળખાવતી જૈન પ્રજાને જ નહિ પણ “જૈન ધર્મના પ્રચારક તરીકે દાવ કરનાર જૈન ધર્મગુરુઓને સુદ્ધાં ખ્યાલ સરખે નથી અને હજુ વર્ષો પછી પણ એ ધ્યાનમાં આવશે કે કેમ એ શંકાસ્પદ વસ્તુ છે. - જ્યારે પાશ્ચાત્ય અને ભારતીય જૈનેતર વિદ્વાનો સંશોધનના મધ્યાહ્નકાળે પહોંચવા આવ્યા છે ત્યારે જૈન પ્રજા માટે હજુ સંશોધનના વિષયમાં પરેઢ પણ થયું નથી. નવીન સંશોધનની વાત બાજુએ રાખીએ તે પણ આજ સુધીમાં જૈનેતર વિદ્વાનોએ અતિશ્રમપૂર્વક જે સાધન સામગ્રી તૈયાર કરીને રજુ કરી છે તેને આસ્વાદ લેવા માટે પણ આપણને સમજ અને સમય નથી આથી વિશેષ શેચનીય બીજું શું હોઈ શકે ? આજની જૈન પ્રજા, જેમાં જૈન ધર્મગુરુ અને જૈન ઉપાસક વર્ગનો સમાવેશ થાય છે તેને મોટે ભાગે આછી પાતળી કથાઓ સિવાય,–જૈનધર્મ અને જૈન પ્રજાને વિકાસ અને ગોરવ વાસ્તવિક રીતે શાને આભારી છે? જૈનધર્મની અભિવૃદ્ધિ ક્યાં કારણે એ થઈ શકી હતી? જૈન પ્રજાએ કયાં કયાં મહત્ત્વનાં કાર્યો કર્યા છે? તેમજ જૈન પ્રજા અને જૈનધર્મ ઈતર પ્રજાઓ અને ધર્મ સાથે સ્પર્ધામાં કઈ કુશળતાને આધારે ટકી શક્યાં હતાં ? એને ખ્યાલ બહુ જ ઓછાને છે. આનું પરિણામ આજે એ આવ્યું છે કે સૂત્રધાર સમી લેખાતી વર્તમાન જૈન ગુરુસંસ્થા જૈનધર્મની રક્ષા અને તેની ઉન્નતિના પ્રશ્નને ભૂલી જઈ નજીવા પ્રશ્નને અને નજીવી બાબતે ઉપર મહિનાઓના મહિનાઓ જ નહિ પણ વર્ષો સુધી નિજીવ અને બુદ્ધિહીન ચર્ચાઓ કરવા ઉપરાંત એક બીજા સામે આઘાતપ્રત્યાઘાત કરી જૈનધર્મને ઝાંખપ લગાડી રહેલ છે. આ પ્રશ્નને અહીં અયોગ્ય રીતે ચર્ચવાને અમારે લેશ પણ ઈરાદો નથી, તેમ છતાં એટલું કહ્યા સિવાય ચાલે તેમ નથી કે વર્તમાન જૈન ધર્મગુરુઓને આજના જૈન સમાજની કે જૈનધર્મની પરિસ્થિતિને નિહાળવાની જરા સરખીય પરવા કે નવરાશ નથી. અસ્તુ. આ વિષયને અહીં પડતા મૂકી આપણે આપણા મૂળવિષય તરફ આવીએ. સમયના પરિવર્તન સાથે પ્રજાની ધર્મ, સમાજ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, કળા આદિ દરેક વિષયને લગતી જિજ્ઞાસા અને અભિરુચિના માર્ગો અને પ્રકારે પણ બદલાયા સિવાય નથી રહી શકતા. એક જમાનો શ્રદ્ધાયુગને હતું કે જ્યારે જગતના સનાતન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 342