________________
( [ ૧૭ ] પહેલે લેખ દેવે પિતાની ભક્તિથી તીર્થંકરદેવ તીર્થકર થયા એટલે રિવાજ મુજબ જીવનપર્યત મસ્તક ઉપર ત્રણ છત્રની રચના કરે છે. તે રચના કેવા પ્રકારે હેય છે તે અંગેને છે.
બીજો લેખ ભગવાને દીક્ષા લીધી તે વખતે લોચ કર્યા પછી એટલે કે વાળ કાઢી નાખ્યા પછી ભગવાનના માથા ઉપર ફરી વાળ વધે છે ખરા ? તે અંગેને છે. - ત્રીજો લેખ અશક અને આસોપાલવના વૃક્ષ જુદાં જુદાં છે કે એક જ છે અને ચત્યક્ષ શું છે? તેને નિર્ણય આપતો છે. - આ ત્રણેય લેખે પાલીતાણાથી પ્રગટ થતા સુષા' માસિકમાં ઈ. સન ૧૯૮૬ના ફેબ્રુઆરી-માર્ચ-એપ્રિલના ત્રણ અંકો દ્વારા પ્રગટ થયા હતા. તે પછી વઢવાણથી પ્રગટ થતાં “કલ્યાણ” માસિકમાં વર્ષ-૪૩, અંક-૬, ઈ. સન ૧૯૮૬ના સપ્ટેમ્બરમાં પ્રગટ થયા હતા. તે લેખોએ વાચક વર્ગમાં સારે રસ જગાડયો હતો. લેખ વાંચ્યા બાદ કેટલાક વાચકેના મનમાં સવાલ ઉઠયા હતા. તેઓએ પત્ર દ્વારા, કેટલાક વાચકે એ રૂબરૂ પ્રશ્નો કરી સમાધાન મેળવ્યાં હતાં. અનેક વાચકોની અને મારી પણું ઇચ્છા આ ત્રણ લેખો ગ્રન્થસ્થ થાય તે ચિરંજીવ બને અને વાચકોના ઉપયોગમાં આવી શકે અને આવનારી શ્રમણુસંધની પેઢીને આજસુધી નહીં ચર્ચાએલા એવા એક અભૂતપૂર્વ નવીન વિષયનું જાણપણું મળે, અને તે ઉપર વધુ વિચારણું કરી શકે. આવા વિષયો ચર્ચવાને ઊંડાણથી, વ્યાપક રીતે છણાવટ કરી આખરી નિર્ણય આપવાને વેગ ક્યારેક જ બને છે.
*
. છત્રને લેખ માસિકમાં જ્યારે પ્રગટ થયો ત્યારે તેમાં થોડીક