________________
-
- }
[૧૫] છત્રની માન્યતાને તે કોઈ સ્થાન જ નથી. મેં ઉપર કહ્યું તેમ શ્લોક અને માત્ર તેની ટીકા જે ઉપર ઉપરથી વાંચી લે તે પૂ. શ્રી હેમચંદ્રાચાર્યજી અવળાં છત્રની જ વાત કરે છે એમજ તેઓ સમજી લે, પણ જે લેકે તટસ્થ છે, સત્યના સાચા ખપી છે. તેઓને સાચી સમજ બરાબર આપવામાં આવે તે ઊભી થએલી ગેરસમજ જરૂર દૂર થાય.
" છત્રની બાબતમાં એક વાત ફરી જણાવી દઉં કેશાસ્ત્રનાં પાઠ અંગે ગમે તેમ તકે કરે, ગમે તે દલીલ કરે, એકબીજાની વાતને બેટી કે ખામીવાળી કહે, ગમે તે રીતે પાઠ લગાડે. એ બધું કરી શકાય છે પણ એક વાત નિશ્ચિત છે કે સવળાં છત્રની માન્યતામાં કશો ફેરફાર કરી શકાય તેમ નથી, એ શાસકારેનું નિર્વિવાદ અંતિમ સત્ય છે. પરિકરની અંદરનાં પ્રત્યક્ષપ્રમાણને એટલે સવળાં છત્રને સ્વીકાર્યા સિવાય કેઈમય ચાલે તેમ નથી. - જે વ્યક્તિ વીતરાગતેત્રની ટીકાના આધારે અવળાં છત્રને મત ધરાવે છે તેઓ આ લેખને ખૂબ ધ્યાનપૂર્વક, તટસ્થભાવે, તમામ પૂર્વરહે છોડીને વાંચે.
અન્તમાં વાચકોને વિનંતિ કે કોઈપણ સાધુ કે શ્રાવક અવળાં છત્રને વિકલ્પ છે એમ પ્રબળ પુરાવા સાથે, ખોટાં તર્કો, ખેટા પાઠ તેના જ બેટા અર્થો, બેટી દલી, જુહી રજૂઆતો અને કોલેજ સ્વભાવ વગેરેને સહારો લીધા વિના સભ્ય ભાષામાં જણાવીને અમારું ધ્યાન ખેંચે.
-