________________
» e. છે હવે પ્રત્યક્ષપ્રમાણે જોઈએ છે
પ્રત્યક્ષપ્રમાણ એ સામાન્ય રીતે આધ, સૌથી શ્રેષ્ઠ, નિઃશંક અને નિર્વિવાદ પ્રમાણ ગણાય છે. એનાથી વસ્તુ હસ્તામલકવત્ સ્પષ્ટ સમજાય છે. પ્રત્યક્ષપ્રમાણ માટે બીજા કશા પુરાવા-સાબિતીની જરૂર રહેતી નથી અને જ્યારે બે-ચાર નહીં પણ ડઝનબંધ પુરાવા મળતા હોય ત્યારે તો કઈ દલીલો કે ચર્ચાને સ્થાન જ રહેતું નથી. અહીં આપણે એ માટે લગભગ ૨૫૦૦ વર્ષથી ઉપલબ્ધ ધાતુમૂતિઓ અને પાષાણમૂતિઓને વિચાર કરીએ.
(૧) પાંચ-પાંચ ફૂટ કે તેથી વધુ મોટી કાળમીંઢ પથ્થરની ૨૫૦૦ વર્ષ જૂની મૂતિઓના ફેટા ઘણાં પુસ્તકમાં છપાઈ ગયા છે. તેમાં પણ માથા ઉપર અંદર જ ખેદીને પથ્થરનાં જ બનાવેલાં સવળાં જ છત્રો છે. બહારથી લાવેલાં હોય તેવાં નહીં પણ મૂતિ ઘડી ત્યારે જ ભેગાં ઘડેલાં છે, તેથી તે આગમને અને તદનુસાર વર્તતી મારી સવળાં છત્રની માન્યતાને જ અનુસરતાં છે.
અંદર કંડારેલાં છત્રોવાળી સપરિકરમૂતિઓ ક્ષત્રિય કુંડ, કેસરીયાજી, રાણકપુર, સાંડેરાવ, અજારી, જરા, ભાંડવા વગેરે સ્થળે છે. અરે ! શત્રુંજય ગિરિરાજ ઉપર દાદાજીની મૂતિ ઉપરનું છત્રત્રયીને સંકેત કરતું છત્ર જેજે.
(૨) મેં જોયેલી થોડીક પાંચમાં સૈકાથી દશમા સૈકા