Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ લૉકર મળી રહે, પૈસા મૂકવા માટે બેન્ક પણ મળે છે; પણ હૈયાની વાત મૂકવા માટે લાયક જગ્યા મળવી બહુ મુશ્કેલ છે.' જેને તેને વાત કરાય નહિ. કોઈ અનર્થ કરે, કોઈ હસી કાઢે, કોઈ દુરુપયોગ પણ કરે; અને એવાને વાત કરવાથી સાધકને પ્રત્યવાયહાનિ થાય તે તો નફામાં. વળી, વાત એવાને કરાય, જે આવી વાતોમાં આંધળી શ્રદ્ધા કરવાને બદલે બુદ્ધિ અને હૃદયનાં ઓજારોનો ઉપયોગ કરી જાણતો હોય, વાતનું હાર્દ પ્રીછી-પકડી શકતો હોય, અને કાંઈ ગૂંચ કે મૂંઝવણ આવી પડે તો તેનો ઉકેલ લાવવામાં મદદરૂપ થઈ શકે તેવો હોય. કવિ-સાધક મકરંદભાઈને આવા વાતવિસામાની અછત કેટલી વસમી બનીને કનડતી રહે છે, તે તેમના જ શબ્દોમાં જોઈએ ઃ (૧) “સ્વામીજી, મારા જીવનને ઘેરી એક અજબ વસ્તુ કામ કરી રહી છે તે કોને જઈને કહું ? ‘ગૂઢારથ જી બોલિયું' સંત ડાડો મેકરણ કહે છે તેની ગઠરી ખોલવાનું કોઈ ઠેકાણું નથી ને હું ભીતર બચકી બાંધીને બેઠો છું.' (સ્વામી અને સાંઈ, પત્ર-૨૩, પૃ. ૨૨) (૨) “મારું દુઃખ એ છે કે મારી સામે વિપુલ ભંડાર પડ્યો છે. તેમાં અત્યંત સત્ત્વશીલ ને સ્વાદુ પદાર્થો છે. પણ આજનો માણસ આરોગવા ઇચ્છે ને પચાવી શકે એટલું જ પીરસવું રહ્યું.” (સેતુબંધ, પત્ર - ૪૬) ગમતાંનો ગુલાલ કરવાની આદત, પડ્યા પછી, ગુલાલ ઉડાડી શકાય તેવું પાત્ર ન મળે ત્યારે, કેવી અકારી વેદના જન્માવતી હશે ! કવિને ગરજ છે ‘મનેર માનુષ'ની (સ્વા.સાં.પૃ.૮૬). એને શોધવામાં તેમણે સન્ન પરિશ્રમ વહોર્યો હશે, અને આ ‘જણ’માં એ ‘મનેર માનુષ’ જડી જશે એવો ભરોસો બેસતાંવાર તેઓ હરખભેર, કશા જ કારણ કે પ્રસંગ વિના પણ, પોતાની અનુભવગઠરિયાં તેની આગે ખોલી બેઠા હશે- તેવું, આ બન્ને પત્ર-ગ્રંથોના અવગાહનથી આપણે કળી શકીએ તેમ છીએ. આપણે જાણવા પામીએ કે પામ્યા છીએ ત્યાં સુધી કવિને આવા ‘મનેર માનુષ’ની ઉપલબ્ધિ બે જણમાં થઈ : સ્વામી આનંદમાં અને હરિવલ્લભ ભાયાણીમાં અલબત્ત, ઝવેરચંદ મેઘાણીમાં પણ તેમને ‘મનેર માનુષ’ સાંપડ્યો હશે તેમ, આ ગ્રંથના પરિશિષ્ટમાં મૂકેલા, મેઘાણી-સન્માન-વેળાએ કવિવરે કરેલ પ્રવચન ઉપરથી માની શકાય તેમ છે, પરંતુ તે અંગેની અધિકૃત વિશેષ સામગ્રી, મારી જાણ-સમજ મુજબ, કવિવર પાસેથી આપણને મળવાની હજી બાકી છે. ભાયાણી સાહેબમાં કવિવરને ‘મને૨ માનુષ' જડી આવ્યાના વિધાનના સમર્થનમાં પત્ર ક્ર. ૧૦૧નો હવાલો આપી શકાય. કશા જ પૂર્વાપર સંબંધ વિના કે કોઈ પ્રયોજન વિના કવિવરે પોતાની અનુભવ-ઘટના તે પત્રમાં જે રીતે ટાંકી છે, તે Jain Education International 14 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 318