Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 14
________________ ૧૪ બધાં જ મોહ અને મમત્વને વિખેરીને સંયમમાર્ગે જવું જ પડશે. તો જ આપણો મોક્ષ થશે. તો પછી...એ સત્ત્વ આજે જ કેમ ન દાખવવું ? જો અનંતકાળ પછી પણ આ મોહને વિખેર્યા વિના સંયમ કબ હી મિલે ? આપણું ઠેકાણું ન જ પડવાનું હોય, તો આ મોહને આજે જ કેમ ન વિખેરી દેવો ? હૃદય પર પથ્થર રાખીને પણ...આંખ મીંચીને પણ પરમાત્માના વચનને અનુસરવામાં આપણા સહુનું એકાંતે હિત છે. ફરી ફરીને ‘વિયોગ'ની વ્યથા પર આવીને આપણે અટકી જતા હોઈએ છીએ, પણ મમ્મી, God told us...વિયોગ તો સંસારમાં જ છે. સંયમમાં નહીં. अण्णहा एगरुक्खणिवासिसउणतुल्लमेयं જો સંયમ ન લઈએ, તો ઘર-પરિવાર એ શું છે ? એક ઝાડ પર રહેલા જુદા જુદા પંખીઓનો મેળો છે. રાતે વિસામા માટે ભેગા થયા, સવાર પડે ત્યાં ફ૨૨૨. ઇષ્ટોપદેશમાં કહ્યું છે - दिग्देशेभ्यः खगा एत्य, संवसन्ति नगे नगे । स्वस्वकार्यवशाद्यान्ति, देशे दिक्षु प्रगे प्रगे ॥ જુદી જુદી દિશાઓથી ને જુદા જુદા પ્રદેશોથી પંખીઓ આવે છે. જુદા જુદા વૃક્ષો પર એક સાથે રહે છે ને સવાર થાય એટલે પોત પોતાના કામને અનુસારે પોતપોતાનો રસ્તો પકડી લે છે.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84