________________
૭૬
મમ્મી,
કદાચ તું એમ કહે,
કે આ કાળમાં ચારિત્રની ગમે તેટલી સાધના કરો,
તો પણ મોક્ષ તો થવાનો નથી,
તો પછી સાધના કરીને શું ફાયદો ?
એના કરતા તો
મહાવિદેહમાં જન્મ લઈને ત્યાં દીક્ષા લેવી સારી,
કારણ કે મોક્ષમાર્ગ તો ત્યાંથી ચાલુ છે.
પણ મમ્મી,
સંયમ કબ હી મિલે ?
હકીકતમાં મોક્ષ ભરતક્ષેત્ર કે મહાવિદેહ ક્ષેત્રને નથી બંધાયેલો
પણ સાધનાને બંધાયેલો છે.
ચોથા આરામાં પણ બધા આત્માઓ મોક્ષે નથી જતાં.
અરે, મોક્ષની વાત તો ક્યાં કરવી ?
ચોથા આરામાં જ સાતમી નરકમાં જનારા પણ હોય છે.
આજે ય મહાવિદેહક્ષેત્રમાં આવા આત્માઓ પણ છે જ.
ચોથા આરામાં ય જેઓ સંયમની સાધના કરે
તે બધાંનો તે જ ભવમાં મોક્ષ નથી થતો.
સીમંધરસ્વામી ભગવાનના સો કરોડ સાધુ-સાધ્વીજીના પરિવારમાંથી ફક્ત દશ લાખ સાધુ-સાધ્વીજીને કેવલજ્ઞાન મળ્યું છે.
મહાવીરસ્વામી ભગવાનના ચૌદ હજાર શિષ્યોમાંથી
ફક્ત સાતસો શિષ્યો એ જ ભવે મોક્ષે ગયા છે. મહાવીરસ્વામી ભગવાનના છત્રીશ હજાર સાધ્વીજીઓમાંથી ફક્ત ચૌદસો સાધ્વીજીઓ જ એ જ ભવે મોક્ષે ગયા છે.