Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 82
________________ ૮૨ જેમ કે ચૌદશના પ્રતિક્રમણમાં એક ઉપવાસ | બે આયંબિલ | ત્રણ નીવિ | ચાર એકાસણા | આઠ બિયાસણા | સંયમ કબ હી મિલે ? બે હજાર સ્વાધ્યાય...આ રીતે વિકલ્પો આવતા હોય છે. એ રીતે સંયમજીવનમાં પણ હજારો બાબતોમાં યોગ્ય વિકલ્પો હોય છે. જેમને ગીતાર્થ ગુરુ બરાબર સમજતા હોય છે. જેમ સારા ડૉક્ટરને કે સારા વકીલને કેસ સોંપી દેવાથી એમના તમામ જ્ઞાન અને અનુભવનો લાભ આપણને મળી જાય છે, એ જ રીતે ગીતાર્થ ગુરુને આપણો કેસ સોંપી દેવાથી એમના તમામ જ્ઞાન અને અનુભવનો લાભ આપણને મળી જાય છે. મમ્મી, સાધુ કદી અનાથ નથી હોતા. સંસારમાં માતા-પિતાની છાયા હોય છે, એમ સંયમમાં ગુરુની છાયા હોય છે. વધુમાં એ કે ગુરુ શરીર સાથે આત્માનું પણ ધ્યાન રાખે છે. બધી જ રીતે યોગ-ક્ષેમ કરે છે, જુદા જુદા જીવોને તેમની યોગ્યતાને અનુસારે

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84