________________
સંયમ કબ હી મિલે ?
તે જ તપ કરવો
જેમાં દુર્ધ્યાન ન થાય, જેમાં યોગોની હાનિ ન થાય
અને જેનાથી આંખ વગેરે ઇન્દ્રિયો નબળી ન પડે.
મમ્મી,
જીવનના છેડા સુધી દર્શન, જ્ઞાન, ચારિત્રની સુંદર આરાધના થઈ શકે,
મોક્ષયાત્રી ક્યાંક અધવચ્ચે જ ભાંગી ન પડે,
એનું શરીર કે મન તૂટી ન જાય
એની બધી જ કાળજી ભગવાને લીધી છે.
લાખો શ્લોકો પ્રમાણ સાહિત્ય
ભગવાનની આ કાળજીની સાક્ષી પૂરી રહ્યું છે.
ગીતાર્થ ગુરુ ભગવંત આ બાબતને બહુ સારી રીતે સમજતા હોય છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને વ્યક્તિને આશ્રીને
દરેક ચર્યાના અપવાદો -
આ ન થઈ શકે તો આ...એ ય ન થઈ શકે તો આ...
એ ય શક્ય ન હોય તો આ...
આ રીતે સ્ટેપ બાય સ્ટેપ બધી જ વિધિ બતાવેલી છે.
હા,
મોક્ષસાધકનું લક્ષ્ય તો ઉત્સર્ગ જ હોય
ગુરુ
પણ લાભાલાભ જોઈને ગીતાર્થ શાસ્ત્રાનુસારે દ્રવ્યાદિ જોઈને
તે તે આરાધનાની અનુમતિ આપતા હોય છે.
૮૧
ભગવંત