Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 81
________________ સંયમ કબ હી મિલે ? તે જ તપ કરવો જેમાં દુર્ધ્યાન ન થાય, જેમાં યોગોની હાનિ ન થાય અને જેનાથી આંખ વગેરે ઇન્દ્રિયો નબળી ન પડે. મમ્મી, જીવનના છેડા સુધી દર્શન, જ્ઞાન, ચારિત્રની સુંદર આરાધના થઈ શકે, મોક્ષયાત્રી ક્યાંક અધવચ્ચે જ ભાંગી ન પડે, એનું શરીર કે મન તૂટી ન જાય એની બધી જ કાળજી ભગવાને લીધી છે. લાખો શ્લોકો પ્રમાણ સાહિત્ય ભગવાનની આ કાળજીની સાક્ષી પૂરી રહ્યું છે. ગીતાર્થ ગુરુ ભગવંત આ બાબતને બહુ સારી રીતે સમજતા હોય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને વ્યક્તિને આશ્રીને દરેક ચર્યાના અપવાદો - આ ન થઈ શકે તો આ...એ ય ન થઈ શકે તો આ... એ ય શક્ય ન હોય તો આ... આ રીતે સ્ટેપ બાય સ્ટેપ બધી જ વિધિ બતાવેલી છે. હા, મોક્ષસાધકનું લક્ષ્ય તો ઉત્સર્ગ જ હોય ગુરુ પણ લાભાલાભ જોઈને ગીતાર્થ શાસ્ત્રાનુસારે દ્રવ્યાદિ જોઈને તે તે આરાધનાની અનુમતિ આપતા હોય છે. ૮૧ ભગવંત

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84