________________
८०
તું કદાચ ‘પછી’ પર નાંખે,
પણ મારું ‘પછી’ એ તારી ‘આજ’ છે.
શું તું આજે નીકળી શકે એમ છે ?
શું કાલનો કોઈ ભરોસો છે ?
Please Mummy, Be Wise, તારે મારી સાચ્ચી મમ્મી બનવાનું છે.
કદાચ તું એવું કહે,
કે સંયમજીવનની કઠોર ચર્યા હું કેવી રીતે પાળીશ ? મારું શરીર ક્યાં સુધી આ બધી ચર્યાને ખમશે, એવી ચિંતા તને થઈ શકે,
પણ મમ્મી,
ભગવાનનો એવો કોઈ આગ્રહ છે જ નહીં કે તમારાથી ન થતું હોય તો ય મરી-ફુટીને પણ...ખેંચાઈને પણ આટલી આટલી આરાધના કરવી જ પડશે. ભગવાન તો એટલું જ કહે છે
કે તમારી જેટલી શક્તિ પહોંચતી હોય
એ આરાધનામાં પ્રમાદ ન કરો.
જ્ઞાનસારમાં કહ્યું છે -
तदेव हि तपः कुर्याद्, दुर्ध्यानं यत्र नो भवेत् । येन योगा न हीयन्ते, क्षीयन्ते नेन्द्रियाण्यपि ॥
સંયમ કબ હી મિલે ?