SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ મમ્મી, કદાચ તું એમ કહે, કે આ કાળમાં ચારિત્રની ગમે તેટલી સાધના કરો, તો પણ મોક્ષ તો થવાનો નથી, તો પછી સાધના કરીને શું ફાયદો ? એના કરતા તો મહાવિદેહમાં જન્મ લઈને ત્યાં દીક્ષા લેવી સારી, કારણ કે મોક્ષમાર્ગ તો ત્યાંથી ચાલુ છે. પણ મમ્મી, સંયમ કબ હી મિલે ? હકીકતમાં મોક્ષ ભરતક્ષેત્ર કે મહાવિદેહ ક્ષેત્રને નથી બંધાયેલો પણ સાધનાને બંધાયેલો છે. ચોથા આરામાં પણ બધા આત્માઓ મોક્ષે નથી જતાં. અરે, મોક્ષની વાત તો ક્યાં કરવી ? ચોથા આરામાં જ સાતમી નરકમાં જનારા પણ હોય છે. આજે ય મહાવિદેહક્ષેત્રમાં આવા આત્માઓ પણ છે જ. ચોથા આરામાં ય જેઓ સંયમની સાધના કરે તે બધાંનો તે જ ભવમાં મોક્ષ નથી થતો. સીમંધરસ્વામી ભગવાનના સો કરોડ સાધુ-સાધ્વીજીના પરિવારમાંથી ફક્ત દશ લાખ સાધુ-સાધ્વીજીને કેવલજ્ઞાન મળ્યું છે. મહાવીરસ્વામી ભગવાનના ચૌદ હજાર શિષ્યોમાંથી ફક્ત સાતસો શિષ્યો એ જ ભવે મોક્ષે ગયા છે. મહાવીરસ્વામી ભગવાનના છત્રીશ હજાર સાધ્વીજીઓમાંથી ફક્ત ચૌદસો સાધ્વીજીઓ જ એ જ ભવે મોક્ષે ગયા છે.
SR No.034141
Book TitleSayam Kab Hi Mile
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy