________________
સંયમ કબ હી મિલે?
મમ્મી, મોક્ષ એ સાધનાના પરિપાકનું ફળ છે. અને એ સાધનાનો પરિપાક પ્રાયઃ અમુક ભવોની સાધના પછી જ મળતો હોય છે. સાધનાની યાત્રા ચાલુ થશે એટલે મોક્ષ અવશ્ય મળશે જ. લાખ રૂપિયાનો સવાલ તો એ યાત્રા ચાલુ કરવાનો હોય છે. આટલું સમજ્યા પછી પણ...આટલે ઉપર આવ્યા પછી પણ જો આ ભવમાં એ યાત્રા ચાલુ કરવામાં ન આવે, તો પરભવમાં તો એ યાત્રા ચાલુ થાય, એવી કોઈ જ શક્યતા નથી. ઉપદેશમાલામાં કહ્યું છે – लद्धिल्लियं च बोहिं अकरितोऽणागयं च पत्थितो । अण्णं दाहिं बोहिं, लब्भिहिसि कयरेण मुल्लेणं ? ॥ આત્મન્ ! આ ભવમાં તને જે સમજ મળી. સમકિત મળ્યું. એને અનુરૂપ તું સાધના નહીં કરે, અને આવતા ભવમાં સમ્યક્ત અને સાધના મળે એવી પ્રાર્થના કરે છે, પણ આવતા ભવમાં તને કયાં મૂલ્યથી આ બધું મળશે ?
અરે,
પરભવની સાધનાની વાત તો જવા દે આ ભવમાં છતી શક્તિએ સાધના ન કરે,