________________
૭૪
અને સિંહની જેમ પાળવા માંગું છું.
અને માટે જ મેં એવા ગુરુ - એવો ગુરુકુલવાસ પસંદ કર્યો છે
સંયમ કબ હી મિલે ?
જેમાં મારું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે.
સ્વાધ્યાય અને સંયમનો ત્યાં યજ્ઞ ચાલી રહ્યો છે.
જમાનાવાદનો ત્યાં પડછાયો પણ નથી.
આધુનિક સાધનોની ત્યાં આભડછેટ પળાય છે.
મમ્મી,
મમ્મી તરીકે તારું કર્તવ્ય એ જ હોઈ શકે,
કે તું સારામાં સારા ગુરુ શોધીને
મને વહેલામાં વહેલી તકે સંયમમાર્ગે પ્રયાણ કરાવી દે.
આમાં એક કામ તો થઈ ચૂક્યું છે,
હવે બીજું કામ તારે કરવાનું બાકી રહ્યું છે.
તને વિશ્વાસ ન હોય,
તો તું તપાસ કરી શકે છે.
મમ્મી,
હું ય સમજું છું.
અનંત ભવે મળેલી આ મહાદુર્લભ સામગ્રીને પામીને
સંયમાર્થી જીવે ગમે ત્યાં સમર્પણ ન કરી દેવાનું હોય,
ગુરુ જો સદ્ગુરુ છે તો બેડો પાર છે
ગુરુ જો કુગુરુ છે તો આખું સંયમ ખુવાર છે.
ષષ્ટિશતકમાં કહ્યું છે
આગમાં કૂદી પડવું સારું છે, સાપના મોંમાં હાથ નાંખવો પણ સારો છે, પણ કુગુરુની ઉપાસના સારી નથી...માં ગુરુસેવળ મદ્દ !