Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 25
________________ સંયમ કબ હી મિલે ? પણ આપણે એ નથી સમજી શકતા કે ધર્મની ઉપેક્ષા એ જ સુખની ઉપેક્ષા છે. કારણ કે સુખનો સ્રોત એ ધર્મ સિવાય બીજું કોઈ જ નથી. સંસારના કહેવાતા સુખો લાખો દુ:ખોની ખાણ હોય છે. ઋષિભાષિતસૂત્રમાં કહ્યું છે - - अप्पं च आउं इह माणवाणं, सुचिरं च कालं णरएसु वासो । सव्वे यकामा णिरयाण मूलं, को णाम कामेसु बुहो रमिज्जा ? ॥ મનુષ્ય ભવનું આયુષ્ય સાવ થોડું છે ને નરકનું આયુષ્ય ખૂબ ખૂબ લાંબુ છે. સર્વ કામભોગો નરકનું મૂળ છે. કામભોગમાં આસક્ત થયા એટલે નરકથી બચવાનો કોઈ જ રસ્તો નહીં રહે. એવો કયો ડાહ્યો માણસ હોય, જે કામભોગોમાં આસક્ત થાય ? સમજદાર માણસ કદી આવી ભૂલ કરી જ ન શકે. મમ્મી, Please try to understand, સંસારમાં સુખ છે જ નહીં. હા, સુખની આશા , સુખની તૃષ્ણા છે. સુખ મળ્યું એવો ભ્રમ છે. પણ સુખ નથી. મૃગતૃષ્ણા જેવી છે અહીં સુખતૃષ્ણા. બિચારો જીવ સુખની પાછળ દોડ્યા જ કરે...દોડ્યા જ કરે... ૨૫ એ હાંફી જાય, થાકી જાય, ઠેસ ખાય, ઘાયલ થાય, અધમૂઓ થઈ જાય, ફરી દોડે, ફરી માર ખાય, આઘાતો ને પ્રત્યાઘાતો એને જર્જરિત કરતા જાય,

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84