________________
૫૪
સંયમ કબ હી મિલે? કારણ કે એની નજર સામે ફળ હોય છે. ફળ માટે આટલું તો કરવું પડે એવી એની સમજ હોય છે. આટલું ય ન કરીએ તો કંઈ મળે જ નહીં એવી એને ખબર હોય છે. અને લાખો-કરોડો રૂપિયા મળી જતા હોય, તો આ બધું કષ્ટ એ કષ્ટ જ નથી, બલ્ક આનંદ છે, એવો એનો અનુભવ હોય છે. મમ્મી, સંયમજીવનની બાબતમાં પણ આ જ દાસ્તાન છે, ફરક એટલો જ, કે દુનિયા સંપત્તિ પામીને પણ સુખી નથી થતી અને સંયમી નિશ્ચિતપણે સુખી થયા વિના રહેતો નથી. नंदी सया संजमे સંયમજીવન સર્વથા ને સર્વદા આનંદમય હોય છે. સંયમની પ્રાપ્તિ પણ આનંદમય છે, સંયમજીવન ખુદ પણ આનંદમય છે અને સંયમજીવનનું પરિણામ પણ આનંદમય જ હોય છે. મમ્મી, સ્વાધીનતાથી સહન કરવાનો મહામૂલો દુર્લભ ચાન્સ એટલે જ સંયમજીવન. અધ્યાત્મકલ્પદ્રુમમાં કહ્યું છે – सह तपोयमसंयमयन्त्रणां, स्ववशतासहने हि गुणो महान् । परवशस्त्विति भूरि सहिष्यसे, न च गुणं बहमाप्स्यसि कञ्चन ॥ આત્મનું,