________________
સંયમ કબ હી મિલે ?
But such exist, Even today such exist -
દરેક જૈન જેમ complete જૈન નથી હોતા, એમ દરેક શ્રમણ પણ complete શ્રમણ ન હોય એ શક્ય છે,
But જેમ અમુક તો complete જૈન આજે ય હોય છે.
એમ અમુક તો complete શ્રમણ પણ આજે ય છે જ.
I shall be like them -
તું મને ફકત આશીર્વાદ આપ મમ્મી.
પછી તો તું મને જોઈ જોઈને રાજી થઈશ.
તને થશે કે મારો દીકરો ખરેખર સુખી થઈ ગયો. પ્રશમતિ કહે છે
-
स्वशरीरेऽपि न रज्यति, शत्रावपि न प्रदोषमुपयाति । रोगजरामरणभयै-व्यथितो यः स नित्यसुखी ॥
પોતાના શરીર પ્રત્યે ય જેને રાગ નથી,
દુશ્મન પ્રત્યે ય જેને દ્વેષ નથી,
રોગ, ઘડપણ, મૃત્યુ...ગમે તેટલા ભય આવી જાય,
જેને કશો જ ફરક પડતો નથી,
એને કોણ દુઃખી કરી શકે ?
એ હરહંમેશ સુખી જ હોય એમાં શું આશ્ચર્ય છે ? धर्मध्यानाभिरतस्त्रिदण्डविरतस्त्रिगुप्तिगुप्तात्मा । सुखमास्ते निर्द्वन्द्वो जितेन्द्रियपरीषहकषायः ॥ ધર્મધ્યાનમાં નિમગ્નતા...મન-વચન-કાયાનું પૂર્ણ સંયમ... રાગ અને દ્વેષનો ત્યાગ...ઇન્દ્રિયોનો નિગ્રહ...
૫૭