Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 70
________________ ૭૦ સંયમ કબ હી મિલે? શાક સુધારાતું હોય છે ત્યારે અસંખ્ય માતા-પિતાઓની અડધી કતલ થતી હોય છે. મીઠા-મરચા ભભરાવાય અને ચૂલે ચડે, ત્યારે આ કતલ પૂરી થાય છે. મમ્મી, ઘરમાં આપણે કંઈક કરવા જઈએ એટલે અસંખ્ય-અનંત માતા-પિતા મૃત્યુને ભેટતા હોય છે. અસંખ્ય-અનંત પતિ-પત્નીઓ પર ત્રાસ ગુજરતો હોય છે. અને અસંખ્ય-અનંત દીકરા-દીકરીઓની આપણા જ હાથે હત્યા થતી હોય છે. પરિવાર ખાતર ઘરમાં રહેનારને ખબર નથી, કે એ પ્રતિદિન અનંત પરિવારોની કતલ કરી રહ્યો છે. એ અનંત પરિવારો જે એના પોતાના હતાં એને ખૂબ ખૂબ વહાલસોયા હતા, ને આ ભવમાં એ સંયમથી વંચિત રહેશે એટલે પુનઃ અનંત ભવોમાં એ આ ભવના પરિવારની પણ કતલ કર્યા વિના રહેવાનો નથી. The essense is this Mummy, સંયમસ્વીકારમાં પરિવાર પ્રત્યે નીતરતું વાત્સલ્ય છે, સંયમના ઇન્કારમાં પરિવાર પ્રત્યે ભારોભાર ક્રૂરતા છે. १. पज्जत्तणिस्साए अपज्जत्तगा उववज्जंति, जत्थ य एगो तत्थ णियमा અસંg - (પ્રજ્ઞાપનાસૂત્ર) આ વચનના પ્રમાણથી પ્રત્યેક વનસ્પતિકાયમાં પણ અસંખ્ય જીવો હોય છે.

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84